ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાધેલાએ WatchGujarat.com સાથે કરી ખાસ વાત
ગુજરાત અને દેશને કોરોનાની મહામારીથી મુક્તિ મળે તે માટે ગાયત્રીબાએ માં અંબેના ચરણોમાં શિશ ઝુકાવ્યા અને પ્રાર્થના કરી.
કોંગ્રેસ તમામ 8 બેઠકો પર જીત મેળવશે
પ્રજા સાથે વિશ્વાસઘાત કરીને પાર્ટી બદલુ નેતાઓને પ્રજા જાકારો આપશે: ગાયત્રીબા
અમદાવાદ: ગુજરાત કોંગ્રેસ પ્રદેશ મહિલા પ્રમુખ ગાયત્રીબા વાઘેલાએ આજે અંબાજી માતાજીના દર્શને આવી પહોંચ્યા હતા. જ્યા કોંગ્રેસ મહિલા પ્રમુખ ગાયત્રીબા વાઘેલાએ માતાજીના દર્શન બાદ WatchGujarat.com સાથે ખાસ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે આવનારી વિધાનસભા પેટા ચુંટણીમાં કોંગ્રેસ તમામ 8 બેઠકો પર વિજયનો પંજો લહેરાવશે.
મહત્વનું છે કે કોરોના મહામારીના કારણે રાજ્યના મોટા મંદિરો બંધ રાખવામાં આવ્યા હતા. ત્યારે ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા સુપ્રસિધ્ધ યાત્રાધામ આદ્યશક્તિ માં અંબાના દર્શને આવી પહોંચ્યા હતા.
ગાયત્રીબા વાધેલાએ અંબા માતાના ચરણોમાં શિશ ઝુકાવી પ્રાર્થના કરી હતી કે આ કપરી પરિસ્થિતિમાં ગુજરાત અને દેશને કોરોનાની મહામારીથી મુક્તિ મળે. તેમણે મંદિરમાં દર્શન કરીને માતાજીની ગાદીએ રક્ષા પોટલી બંધાવીને આશિર્વાદ લીધા હતા. ગાયત્રીબાએ આશા વ્યક્ત કરી હતી કે 8 વિધાનસભાની પેટા ચૂંટણીમાં પ્રજા સાથે વિશ્વાસઘાત કરીને પાર્ટી બદલુ નેતાઓને પ્રજા જાકારો આપશે અને તમામ બેઠકો પર કોંગ્રેસ નો વિજય થશે પ્રજા કોંગ્રેસના પક્ષમાં મતદાન કરશે તેવી અપેક્ષા અને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
ગુજરાતની 8 વિધાનસભાની બેઠકો પર પેટા ચૂંટણી યોજાવાની છે આ બેઠકો પર કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામા આપ્યા હતા એટલે ફરી ચૂંટણી યોજાઈ રહી છે. ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને 8 ઓક્ટોબરે જાહેરનામું બહાર પડશે. 16 ઓક્ટોબર ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ છે. 17 ઓક્ટોબરે ઉમેદવારી પત્ર ચકાસણી થશે. 19 ઓક્ટોબર સુધી ઉમેદવારી ફોર્મ પાછા ખેંચી શકાશે. 3 નવેમ્બરે મતદાન થશે અને 10 નવેમ્બરે પરિણામ જાહેર થશે.
- ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાધેલાએ WatchGujarat.com સાથે કરી ખાસ વાત
- ગુજરાત અને દેશને કોરોનાની મહામારીથી મુક્તિ મળે તે માટે ગાયત્રીબાએ માં અંબેના ચરણોમાં શિશ ઝુકાવ્યા અને પ્રાર્થના કરી.
- કોંગ્રેસ તમામ 8 બેઠકો પર જીત મેળવશે
- પ્રજા સાથે વિશ્વાસઘાત કરીને પાર્ટી બદલુ નેતાઓને પ્રજા જાકારો આપશે: ગાયત્રીબા
અમદાવાદ: ગુજરાત કોંગ્રેસ પ્રદેશ મહિલા પ્રમુખ ગાયત્રીબા વાઘેલાએ આજે અંબાજી માતાજીના દર્શને આવી પહોંચ્યા હતા. જ્યા કોંગ્રેસ મહિલા પ્રમુખ ગાયત્રીબા વાઘેલાએ માતાજીના દર્શન બાદ WatchGujarat.com સાથે ખાસ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે આવનારી વિધાનસભા પેટા ચુંટણીમાં કોંગ્રેસ તમામ 8 બેઠકો પર વિજયનો પંજો લહેરાવશે.
મહત્વનું છે કે કોરોના મહામારીના કારણે રાજ્યના મોટા મંદિરો બંધ રાખવામાં આવ્યા હતા. ત્યારે ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા સુપ્રસિધ્ધ યાત્રાધામ આદ્યશક્તિ માં અંબાના દર્શને આવી પહોંચ્યા હતા.
ગાયત્રીબા વાધેલાએ અંબા માતાના ચરણોમાં શિશ ઝુકાવી પ્રાર્થના કરી હતી કે આ કપરી પરિસ્થિતિમાં ગુજરાત અને દેશને કોરોનાની મહામારીથી મુક્તિ મળે. તેમણે મંદિરમાં દર્શન કરીને માતાજીની ગાદીએ રક્ષા પોટલી બંધાવીને આશિર્વાદ લીધા હતા. ગાયત્રીબાએ આશા વ્યક્ત કરી હતી કે 8 વિધાનસભાની પેટા ચૂંટણીમાં પ્રજા સાથે વિશ્વાસઘાત કરીને પાર્ટી બદલુ નેતાઓને પ્રજા જાકારો આપશે અને તમામ બેઠકો પર કોંગ્રેસ નો વિજય થશે પ્રજા કોંગ્રેસના પક્ષમાં મતદાન કરશે તેવી અપેક્ષા અને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
ગુજરાતની 8 વિધાનસભાની બેઠકો પર પેટા ચૂંટણી યોજાવાની છે આ બેઠકો પર કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામા આપ્યા હતા એટલે ફરી ચૂંટણી યોજાઈ રહી છે. ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને 8 ઓક્ટોબરે જાહેરનામું બહાર પડશે. 16 ઓક્ટોબર ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ છે. 17 ઓક્ટોબરે ઉમેદવારી પત્ર ચકાસણી થશે. 19 ઓક્ટોબર સુધી ઉમેદવારી ફોર્મ પાછા ખેંચી શકાશે. 3 નવેમ્બરે મતદાન થશે અને 10 નવેમ્બરે પરિણામ જાહેર થશે.