અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલના 60 તબીબો, કોરોનાના દર્દીઓની સારવાર કરતા કરતા કોરોનાગ્રસ્ત થઈ ચૂક્યા છે.
શારદાબહેન જનરલ હોસ્પિટલ, લલ્લુભાઈ ગોરધનદાસ (LG) હોસ્પિટલ અને સરદાર વલ્લભભાઈ પટેલ (SVP) હોસ્પિટલમાં કોરોનાનુ પરીક્ષણ કરવામાં આવ્યું
સૌથી વધુ સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલના તબીબો કોરોનાનો ભોગ બન્યા
SVP હોસ્પિટલના 4 રેસિડેન્ટ ડોક્ટરોને બીજીવાર કોરોનાનો ચેપ લાગ્યો
અમદાવાદ. કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર કરતા, તબીબો જ કોરોનાનો ભોગ બન્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલના 60 તબીબો, કોરોનાના દર્દીઓની સારવાર કરતા કરતા કોરોનાગ્રસ્ત થઈ ચૂક્યા છે. અમદાવાદની શારદાબહેન જનરલ હોસ્પિટલ, લલ્લુભાઈ ગોરધનદાસ (LG) હોસ્પિટલ અને સરદાર વલ્લભભાઈ પટેલ (SVP) હોસ્પિટલમાં કોરોનાનુ પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
તબીબોના કરાયેલા પરીક્ષણમાં ત્રણેય હોસ્પિટલમાંથી કુલ 60 તબીબોને કોરોના થયો હોવાનુ સામે આવતા જ મ્યુનિસિપલ તંત્ર ચોકી ઉઠ્યું છે. સૌથી વધુ સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલના તબીબો કોરોનાનો ભોગ બન્યા છે. કોરોના વોરિયર્સ તરીકે ઓળખ પામેલ તબીબો જ કોરોનાનો ભોગ બની રહ્યા હોવાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. જેના પગલે હવે હોસ્પિટલમાં કોરોના વોરિયર્સ તરીકે કામગીરી કરતા કર્મચારીઓનો કોરોના પરિક્ષણ બંધ કરવાનું નક્કી કરાયુ છે.
4 રેસિડેન્ટ ડોક્ટરોને થયો ફરી કોરોના
મળી રહેલ માહિતી પ્રમાણે SVP હોસ્પિટલના 4 રેસિડેન્ટ ડોક્ટરોને બીજીવાર કોરોનાનો ચેપ લાગ્યો છે. આ પહેલા કોરોનાથી સાજા થયા બાદ ફરી રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સમયાંતરે કોરોના દર્દીઓની સારવાર કરતા ડોક્ટરોના કોરોના રિપોર્ટ કરવામાં આવતા હોય છે. જેના અંતર્ગત રિપોર્ટ કરતા મોટી સંખ્યામાં ડોક્ટરો કોરોના સંક્રમિત થયાની ઘટના સામે આવી છે. જેને પગલે સરકાર માટે આ એક ચિંતાનો વિયષ છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલના 60 તબીબો, કોરોનાના દર્દીઓની સારવાર કરતા કરતા કોરોનાગ્રસ્ત થઈ ચૂક્યા છે.
શારદાબહેન જનરલ હોસ્પિટલ, લલ્લુભાઈ ગોરધનદાસ (LG) હોસ્પિટલ અને સરદાર વલ્લભભાઈ પટેલ (SVP) હોસ્પિટલમાં કોરોનાનુ પરીક્ષણ કરવામાં આવ્યું
સૌથી વધુ સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલના તબીબો કોરોનાનો ભોગ બન્યા
અમદાવાદ. કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર કરતા, તબીબો જ કોરોનાનો ભોગ બન્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલના 60 તબીબો, કોરોનાના દર્દીઓની સારવાર કરતા કરતા કોરોનાગ્રસ્ત થઈ ચૂક્યા છે. અમદાવાદની શારદાબહેન જનરલ હોસ્પિટલ, લલ્લુભાઈ ગોરધનદાસ (LG) હોસ્પિટલ અને સરદાર વલ્લભભાઈ પટેલ (SVP) હોસ્પિટલમાં કોરોનાનુ પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
તબીબોના કરાયેલા પરીક્ષણમાં ત્રણેય હોસ્પિટલમાંથી કુલ 60 તબીબોને કોરોના થયો હોવાનુ સામે આવતા જ મ્યુનિસિપલ તંત્ર ચોકી ઉઠ્યું છે. સૌથી વધુ સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલના તબીબો કોરોનાનો ભોગ બન્યા છે. કોરોના વોરિયર્સ તરીકે ઓળખ પામેલ તબીબો જ કોરોનાનો ભોગ બની રહ્યા હોવાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. જેના પગલે હવે હોસ્પિટલમાં કોરોના વોરિયર્સ તરીકે કામગીરી કરતા કર્મચારીઓનો કોરોના પરિક્ષણ બંધ કરવાનું નક્કી કરાયુ છે.
4 રેસિડેન્ટ ડોક્ટરોને થયો ફરી કોરોના
મળી રહેલ માહિતી પ્રમાણે SVP હોસ્પિટલના 4 રેસિડેન્ટ ડોક્ટરોને બીજીવાર કોરોનાનો ચેપ લાગ્યો છે. આ પહેલા કોરોનાથી સાજા થયા બાદ ફરી રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સમયાંતરે કોરોના દર્દીઓની સારવાર કરતા ડોક્ટરોના કોરોના રિપોર્ટ કરવામાં આવતા હોય છે. જેના અંતર્ગત રિપોર્ટ કરતા મોટી સંખ્યામાં ડોક્ટરો કોરોના સંક્રમિત થયાની ઘટના સામે આવી છે. જેને પગલે સરકાર માટે આ એક ચિંતાનો વિયષ છે.