48 પોલીસ સ્ટેશન, 17 ટ્રાફિક સહિતના PIને ફરજિયાત 15 કલાક હાજર રહેવાનો આદેશ
PI હાજર છે કે નહિ એ જોવાની જવાબદારી ACP, DCP, અધિક કમિશ્નરની રહેશે
રાતે 12 વાગ્યે ઘરે જતાં પહેલાં કંટ્રોલ રૂમમાં ફરજિયાત જાણ કરવી પડશે
WatchGujarat. છેલ્લા કેટલાય સમયથી અમદાવાદ પોલીસ કોઇને કોઇ રીતે વિવાદોમાં સપડાઇ રહી છે. તાજતેરમાં જ દારૂના નશામાં ચુર કોન્સટેબલ દ્વારા રાત્રીના સમયે લોકો સાથે અભદ્ર વ્યવહાર કરતા માર-મારવાનો વિડિઓ વાઇરલ થયો હતો. તથા મહિલા પોલીસ દ્વારા આરોપીને છોડવા માટે જંગી રકમની લાંચ લેવામાં આવી હોવાનો કિસ્સો પણ તાજેતરમાં સામે આવ્યો છે. તેવામાં શહેરીજનોની પોલીસ સ્ટેશનમાં ફરીયાદ સાંભળનાર કોઇ ન હોવાથી તેમણે પોતાની રજૂઆતો પોલીસ કમિશ્નર સમક્ષ કરવાનો વારો આવ્યો હતો. જેથી શહેરના તમામ પોલીસ સ્ટેશનના ઇન્સપેક્ટર હવેથી ફરજીયાત હાજર રહેવાની પોલીસ કમિશ્નરે આદેશ કર્યો છે.
પોલીસ સ્ટેશનના ઇન્સપેક્ટરની ફરજ હોય છે કે, પોલીસ સ્ટેશનમાં આવનાર પ્રત્યેક અરજદારને તે સાંભળે ને તેની સમસ્યાનુ નિરાકણ લાવે, પરંતુ અમદાવાદ શહેરના 48 પોલીસ સ્ટેશનમાં આવતા અરજદારોને નિરાશ થઇ પરત જવુ પડતુ હતુ. રોજના અંદાજીત 50 જેટલા લોકો પોતાની સમસ્યાના નિરાકણ માટે પોલીસ કમિશ્નરને મળવા માટે પહોંચતા હતા. જોકે ખરેખર તો આ જવાબદારી પોલીસ કમિશ્નરની પણ હોય છે કે, તેમની પાસે આવેલા અરજદારોને તે સાંભળે અને યોગ્ય નિકાલ કરે. પરંતુ તે પહેલા આ જવાબદારી જે તે વિસ્તારમાં આવેલા પોલીસ સ્ટેશનના ઇન્સપેક્ટરની હોય છે.
પરંતુ છેલ્લા ઘણા સમયથી શહેરના એક પણ પોલીસ સ્ટેશનમાં ઇન્સપકેટર સમયસર ફરજ પર હાજર હોય કે પછી, અરજદારને સાંભળે તેવુ કોઇ નથી તેનો અંદાજો પોલીસ કમિશ્નરને આવી ગયો હતો. જેથી આ સમસ્યાનો ઉકેલા લાવવામાં માટે સંજય શ્રીવાસ્વાતે શહેરના તમામ પોલીસ સ્ટેશનના ઇન્સપેકટરોને ફરજીયાત 15 કલાકની ડ્યૂટી કરવાનો આદેશ કર્યો છે. પોલીસ ઇન્સપેક્ટરને ડ્યૂટી પર હાજર થતા સમયે અને ડ્યૂટી પરથી ઘરે જતા સમયે ફરજીયાત કંટ્રોલરૂમને જાણ કરવાની પણ સૂચના આપવામાં આવી છે. પી.આઇ કમિશ્નરના આદેશનુ પાલન કરે છે કે કેમ, તે જોવાની જવાબદારી ACP, DCP,અધિક પોલીસ કમિશ્નરને સોંપવામાં આવી છે.
પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ રોજ સવારે 11થી 2 વાગ્યા સુધી અરજદારોને મળે છે, જેમાં રોજના 50 અરજદાર તેમને મળવા આવે છે. તેમાંથી મોટા ભાગના અરજદારોની એવી જ ફરિયાદ હતી કે, પીઆઈ મળતા નથી અને પીએસઓ કે પીઆઈને રાઈટરને મળવાથી તેમની સમસ્યાનું નિરાકરણ આવતું નથી. જેથી પોલીસ કમિશ્નર દ્વારા તમામ ઇન્સપકેટરોને ફરજીયાત 15 કલાક ડ્યૂટી કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.
WatchGujarat. છેલ્લા કેટલાય સમયથી અમદાવાદ પોલીસ કોઇને કોઇ રીતે વિવાદોમાં સપડાઇ રહી છે. તાજતેરમાં જ દારૂના નશામાં ચુર કોન્સટેબલ દ્વારા રાત્રીના સમયે લોકો સાથે અભદ્ર વ્યવહાર કરતા માર-મારવાનો વિડિઓ વાઇરલ થયો હતો. તથા મહિલા પોલીસ દ્વારા આરોપીને છોડવા માટે જંગી રકમની લાંચ લેવામાં આવી હોવાનો કિસ્સો પણ તાજેતરમાં સામે આવ્યો છે. તેવામાં શહેરીજનોની પોલીસ સ્ટેશનમાં ફરીયાદ સાંભળનાર કોઇ ન હોવાથી તેમણે પોતાની રજૂઆતો પોલીસ કમિશ્નર સમક્ષ કરવાનો વારો આવ્યો હતો. જેથી શહેરના તમામ પોલીસ સ્ટેશનના ઇન્સપેક્ટર હવેથી ફરજીયાત હાજર રહેવાની પોલીસ કમિશ્નરે આદેશ કર્યો છે.
પોલીસ સ્ટેશનના ઇન્સપેક્ટરની ફરજ હોય છે કે, પોલીસ સ્ટેશનમાં આવનાર પ્રત્યેક અરજદારને તે સાંભળે ને તેની સમસ્યાનુ નિરાકણ લાવે, પરંતુ અમદાવાદ શહેરના 48 પોલીસ સ્ટેશનમાં આવતા અરજદારોને નિરાશ થઇ પરત જવુ પડતુ હતુ. રોજના અંદાજીત 50 જેટલા લોકો પોતાની સમસ્યાના નિરાકણ માટે પોલીસ કમિશ્નરને મળવા માટે પહોંચતા હતા. જોકે ખરેખર તો આ જવાબદારી પોલીસ કમિશ્નરની પણ હોય છે કે, તેમની પાસે આવેલા અરજદારોને તે સાંભળે અને યોગ્ય નિકાલ કરે. પરંતુ તે પહેલા આ જવાબદારી જે તે વિસ્તારમાં આવેલા પોલીસ સ્ટેશનના ઇન્સપેક્ટરની હોય છે.
પરંતુ છેલ્લા ઘણા સમયથી શહેરના એક પણ પોલીસ સ્ટેશનમાં ઇન્સપકેટર સમયસર ફરજ પર હાજર હોય કે પછી, અરજદારને સાંભળે તેવુ કોઇ નથી તેનો અંદાજો પોલીસ કમિશ્નરને આવી ગયો હતો. જેથી આ સમસ્યાનો ઉકેલા લાવવામાં માટે સંજય શ્રીવાસ્વાતે શહેરના તમામ પોલીસ સ્ટેશનના ઇન્સપેકટરોને ફરજીયાત 15 કલાકની ડ્યૂટી કરવાનો આદેશ કર્યો છે. પોલીસ ઇન્સપેક્ટરને ડ્યૂટી પર હાજર થતા સમયે અને ડ્યૂટી પરથી ઘરે જતા સમયે ફરજીયાત કંટ્રોલરૂમને જાણ કરવાની પણ સૂચના આપવામાં આવી છે. પી.આઇ કમિશ્નરના આદેશનુ પાલન કરે છે કે કેમ, તે જોવાની જવાબદારી ACP, DCP,અધિક પોલીસ કમિશ્નરને સોંપવામાં આવી છે.
પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ રોજ સવારે 11થી 2 વાગ્યા સુધી અરજદારોને મળે છે, જેમાં રોજના 50 અરજદાર તેમને મળવા આવે છે. તેમાંથી મોટા ભાગના અરજદારોની એવી જ ફરિયાદ હતી કે, પીઆઈ મળતા નથી અને પીએસઓ કે પીઆઈને રાઈટરને મળવાથી તેમની સમસ્યાનું નિરાકરણ આવતું નથી. જેથી પોલીસ કમિશ્નર દ્વારા તમામ ઇન્સપકેટરોને ફરજીયાત 15 કલાક ડ્યૂટી કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.