વડોદરામાં રાત્રી કર્ફ્યુ દરમિયાન 33 વ્યક્તિ સામે ગુનો નોંધાયો તો 20ની અટકાયત કરાય
રાજકોટમાં રાત્રી કર્ફ્યુ દરમિયાન 74 વ્યક્તિ સામે ગુનો નોંધાયો અને 72 વાહન ડિટેઇન થયા
સુરતમાં રાત્રી કર્ફ્યુ દરમિયાન 19 વ્યક્તિ સામે ગુનો નોંધાયો
WatchGujarat. દિવાળીના તહેવારબાદ રાજ્યના મહાનગરોમાં કોરોના વાઈરસે ફરી એક વાર ડોક્યું કરી વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ગુરુવારે વહીવટી તંત્ર હરકતમાં આવ્યું હતું. જેના પગલે સરકાર દ્વારા કોરોના સંક્રમણને કાબૂમાં કરવા માટે શુક્રવારે રાત્રે 9 વાગ્યેથી સોમવાર સવારે 6 વાગ્યા સુધી અમદાવાદમાં 57 કલાકના સંપૂર્ણ કરફ્યુ લાગુ કર્યો હતો. ત્યારે બીજી તરફ શુક્રવારે સાંજે વડોદરા, સુરત અને રાજકોટ ખાતે શનિવારે રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીનો રાત્રી કર્ફ્યુના ભંગ બદલ કુલ 376 વ્યક્તિઓ સામે ગુના નોંધવામાં આવ્યા હતા.
દિવાળીના તહેવારો દરમિયાન બિન્દાસ્ત ફરતાં રહેલા અનેક નાગરિકોને બહાર નીકળવું જ જરૂરી જ હોવાનું હજુપણ લાગી રહ્યું છે. આવા નાગરિકો જાત-જાતના બહાના કરી ફરી રહ્યાં છે. અમદાવાદ કર્ફ્યુના પ્રથમ દિવસ થી જ પોલીસે જાહેરનામા ભંગના અનેક ગુના નોંધ્યાં હતા. શુક્રવારે રાત્રે 9 વાગ્યાથી શરુ થયેલા કર્ફ્યુ બાદ રવિવાર બપોર સુધીમાં અમદાવાદ પોલીસે જાહેરનામા ભંગ બદલ 250 વ્યક્તિઓ સામે ગુના નોંધાયા છે, જ્યારે 300 વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે.
અમદાવાદમાં 57 કલાકનું સંપૂર્ણ કર્ફ્યુ લાદવામાં આવ્યાબાદ રાજ્ય સરકારે વડોદરા, સુરત અને રાજકોટમાં પણ રાત્રે 9 થી સવારે 6 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુ લાગુ કર્યું હતું. ત્યારે વડોદરામાં શનિવારે રાત્રે 9 વાગ્યાથી શરુ થયેલા કર્ફ્યુમાં વડોદરા પોલીસે જાહેરનામા ભંગ બદલ 33 વ્યક્તિઓ સામે ગુના નોંધાયા છે, જ્યારે 20 વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે. બીજી તરફ રાજકોટમાં શનિવારે રાત્રે 9 વાગ્યાથી શરુ થયેલા કર્ફ્યુમાં રાજકોટ પોલીસે જાહેરનામા ભંગ બદલ 74 વ્યક્તિઓ સામે ગુના નોંધાયા છે. અને 72 વાહન ડિટેઇન કર્યા છે. અને સુરતમાં રાત્રી કર્ફ્યુ દરમિયાન પોલીસે જાહેરનામા ભંગ બદલ 19 વ્યક્તિઓ સામે ગુના નોંધાયા છે, અને 19 વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે.
વડોદરામાં રાત્રી કર્ફ્યુ દરમિયાન 33 વ્યક્તિ સામે ગુનો નોંધાયો તો 20ની અટકાયત કરાય
રાજકોટમાં રાત્રી કર્ફ્યુ દરમિયાન 74 વ્યક્તિ સામે ગુનો નોંધાયો અને 72 વાહન ડિટેઇન થયા
સુરતમાં રાત્રી કર્ફ્યુ દરમિયાન 19 વ્યક્તિ સામે ગુનો નોંધાયો
WatchGujarat. દિવાળીના તહેવારબાદ રાજ્યના મહાનગરોમાં કોરોના વાઈરસે ફરી એક વાર ડોક્યું કરી વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ગુરુવારે વહીવટી તંત્ર હરકતમાં આવ્યું હતું. જેના પગલે સરકાર દ્વારા કોરોના સંક્રમણને કાબૂમાં કરવા માટે શુક્રવારે રાત્રે 9 વાગ્યેથી સોમવાર સવારે 6 વાગ્યા સુધી અમદાવાદમાં 57 કલાકના સંપૂર્ણ કરફ્યુ લાગુ કર્યો હતો. ત્યારે બીજી તરફ શુક્રવારે સાંજે વડોદરા, સુરત અને રાજકોટ ખાતે શનિવારે રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીનો રાત્રી કર્ફ્યુના ભંગ બદલ કુલ 376 વ્યક્તિઓ સામે ગુના નોંધવામાં આવ્યા હતા.
દિવાળીના તહેવારો દરમિયાન બિન્દાસ્ત ફરતાં રહેલા અનેક નાગરિકોને બહાર નીકળવું જ જરૂરી જ હોવાનું હજુપણ લાગી રહ્યું છે. આવા નાગરિકો જાત-જાતના બહાના કરી ફરી રહ્યાં છે. અમદાવાદ કર્ફ્યુના પ્રથમ દિવસ થી જ પોલીસે જાહેરનામા ભંગના અનેક ગુના નોંધ્યાં હતા. શુક્રવારે રાત્રે 9 વાગ્યાથી શરુ થયેલા કર્ફ્યુ બાદ રવિવાર બપોર સુધીમાં અમદાવાદ પોલીસે જાહેરનામા ભંગ બદલ 250 વ્યક્તિઓ સામે ગુના નોંધાયા છે, જ્યારે 300 વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે.
અમદાવાદમાં 57 કલાકનું સંપૂર્ણ કર્ફ્યુ લાદવામાં આવ્યાબાદ રાજ્ય સરકારે વડોદરા, સુરત અને રાજકોટમાં પણ રાત્રે 9 થી સવારે 6 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુ લાગુ કર્યું હતું. ત્યારે વડોદરામાં શનિવારે રાત્રે 9 વાગ્યાથી શરુ થયેલા કર્ફ્યુમાં વડોદરા પોલીસે જાહેરનામા ભંગ બદલ 33 વ્યક્તિઓ સામે ગુના નોંધાયા છે, જ્યારે 20 વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે. બીજી તરફ રાજકોટમાં શનિવારે રાત્રે 9 વાગ્યાથી શરુ થયેલા કર્ફ્યુમાં રાજકોટ પોલીસે જાહેરનામા ભંગ બદલ 74 વ્યક્તિઓ સામે ગુના નોંધાયા છે. અને 72 વાહન ડિટેઇન કર્યા છે. અને સુરતમાં રાત્રી કર્ફ્યુ દરમિયાન પોલીસે જાહેરનામા ભંગ બદલ 19 વ્યક્તિઓ સામે ગુના નોંધાયા છે, અને 19 વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે.