WatchGujarat. ગુજરાત સરકારના મંત્રી વિભાવરીબેન દવે કોરોના પોઝીટીવ થયા છે. તેમને સારવાર અર્થે અમદાવાદ ખાતેની યુ.એન. મહેતા હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે. પેટા ચુંટણીમાં પ્રચારક કરીકે કામગીરી કરનાર ડો. વિભાવરીબેન દવે ચુંટણીના પરીણામો બાદ કોરોના પોઝીટીવ થતા તેમણે સંપર્કમાં આવેલા તમામને ટેસ્ટ કરાવવા માટે તાકીદ કરી હતી.
પેટા ચુંટણીની જાહેરાત થતાની સાથે ભાજપને નેતાઓ અને સ્ટાર પ્રચારકો દ્વારા જંગી મેદનીને સંબોધવામાં આવતી હતી. દિવાળી પહેલા પેટા ચુંટણીનું પરિણામ આવ્યું હતું. જેમાં રાજ્યમાં તમામ 8 બેઠકો પર ભાજપનો વિજય થયો હતો. દિવાળી બાદ રાજ્યમાં કોરોના કેસોમાં ધરખમ વધારો જોવા મળ્યો હતો. જેને લઇને કોર્ટે રાજ્ય સરકારને કડક સુચનો કર્યા હતા. દરમિયાન રાજ્ય કક્ષાના મંત્રી વિભાવરીબેન દવે મંગળવારે કોરોના પોઝીટીવ થયા હતા. આ અંગેની જાણ તેમણે પોતાના ટ્વીટર એકાઉન્ટ પરથી કરી હતી. વિભાવરીબેન દવેને સારવાર અર્થે યુ.એન. મહેતા હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે.
https://twitter.com/vibhavaridave/status/1331069493401899011?s=20
WatchGujarat. ગુજરાત સરકારના મંત્રી વિભાવરીબેન દવે કોરોના પોઝીટીવ થયા છે. તેમને સારવાર અર્થે અમદાવાદ ખાતેની યુ.એન. મહેતા હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે. પેટા ચુંટણીમાં પ્રચારક કરીકે કામગીરી કરનાર ડો. વિભાવરીબેન દવે ચુંટણીના પરીણામો બાદ કોરોના પોઝીટીવ થતા તેમણે સંપર્કમાં આવેલા તમામને ટેસ્ટ કરાવવા માટે તાકીદ કરી હતી.
પેટા ચુંટણીની જાહેરાત થતાની સાથે ભાજપને નેતાઓ અને સ્ટાર પ્રચારકો દ્વારા જંગી મેદનીને સંબોધવામાં આવતી હતી. દિવાળી પહેલા પેટા ચુંટણીનું પરિણામ આવ્યું હતું. જેમાં રાજ્યમાં તમામ 8 બેઠકો પર ભાજપનો વિજય થયો હતો. દિવાળી બાદ રાજ્યમાં કોરોના કેસોમાં ધરખમ વધારો જોવા મળ્યો હતો. જેને લઇને કોર્ટે રાજ્ય સરકારને કડક સુચનો કર્યા હતા. દરમિયાન રાજ્ય કક્ષાના મંત્રી વિભાવરીબેન દવે મંગળવારે કોરોના પોઝીટીવ થયા હતા. આ અંગેની જાણ તેમણે પોતાના ટ્વીટર એકાઉન્ટ પરથી કરી હતી. વિભાવરીબેન દવેને સારવાર અર્થે યુ.એન. મહેતા હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે.