તાજેતરમાં બે કલાકારોએ અમદાવાદના ડોક્ટરોના વિરૂદ્ધમાં ફેસબુક પર પોસ્ટ મૂકી હતી.
અમદાવાદ મેડિકલ એસો. દ્વારા સાઈબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
કલાકાઓએ સમાધાનના ભાગરૂપે મીડિયા સમક્ષ ડોક્ટર્સની માફી માંગી.
અમદાવાદ. તાજેતરમાં અમદાવાદના કલાકારો રૂપેશ અમીન અને બબલુ અમદાવાદીએ અમદાવાદના ડોક્ટર્સના વિરૂદ્ધમાં એક પોસ્ટ ફેસબુક પર શેર કરી હતી. જેમાં ડોક્ટર્સ અંગે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી. આ મામલે કલાકારોએ મીડિયા સમક્ષ ડોક્ટર્સની માફી માંગી છે. જોકે, કલાકારો રૂબરૂમાં માફી માંગે તો જ સાઈબર ક્રાઈમમાં નોંધાવાયેલી ફરિયાદ પાછી ખેંચવામાં આવશે એમ અમદાવાદ મેડિકલ એસો. (AMA) દ્વારા નિર્ધારિત કરાયું છે.
સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવ્યા બાદ અમદાવાદ મેડિકલ એસોસિએશનના અધિકારીઓએ કહ્યું હતું કે જો કલાકારો રૂબરૂ આવીને માફી માંગે તો જ ફરિયાદ પાછી ખેંચવામાં આવશે. તેમ જણાવતા કલાકારોએ સમાધાનરૂપે મીડિયા સમક્ષ ડૉક્ટરોની માફી માંગી હતી.
ડૉ. મોના દેસાઈએ આ અંગે જણાવ્યું હતું કે, "અમે કોઈ કલાકારોની વિરુદ્ધમાં નથી અને તેમની પરિસ્થિતિ પ્રત્યે પણ સહાનુભૂતિ રાખે છે. આ સાથે જ તેમનું ભવિષ્ય બગડે તેવી કોઈ ઈચ્છા ધરાવતા નથી પણ જ્યારે પોતાની અને પરિવારની સલામતીની વાત આવે ત્યારે આ બાબતને હળવાશથી લઈ શકાય નહીં અને ભવિષ્યમાં આવો બનાવ બને તેના કારણે જ સાઇબર ક્રાઈમમાં ફરિયાદ કરી હતી. જો તેઓ માફી માંગે તો અમે પણ જરૂર કેસ પાછો લઇ લઈશું. અમે ખાલી નવરાત્રી જ નહીં, કોઈપણ જાતના મેળાવડા ન થાય તે બાબતે અપીલ કરી શકીએ છે પરંતુ સરકાર જ સંપૂર્ણ મંજુરી આપી શકે છે."
તાજેતરમાં બે કલાકારોએ અમદાવાદના ડોક્ટરોના વિરૂદ્ધમાં ફેસબુક પર પોસ્ટ મૂકી હતી.
અમદાવાદ મેડિકલ એસો. દ્વારા સાઈબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
અમદાવાદ. તાજેતરમાં અમદાવાદના કલાકારો રૂપેશ અમીન અને બબલુ અમદાવાદીએ અમદાવાદના ડોક્ટર્સના વિરૂદ્ધમાં એક પોસ્ટ ફેસબુક પર શેર કરી હતી. જેમાં ડોક્ટર્સ અંગે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી. આ મામલે કલાકારોએ મીડિયા સમક્ષ ડોક્ટર્સની માફી માંગી છે. જોકે, કલાકારો રૂબરૂમાં માફી માંગે તો જ સાઈબર ક્રાઈમમાં નોંધાવાયેલી ફરિયાદ પાછી ખેંચવામાં આવશે એમ અમદાવાદ મેડિકલ એસો. (AMA) દ્વારા નિર્ધારિત કરાયું છે.
સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવ્યા બાદ અમદાવાદ મેડિકલ એસોસિએશનના અધિકારીઓએ કહ્યું હતું કે જો કલાકારો રૂબરૂ આવીને માફી માંગે તો જ ફરિયાદ પાછી ખેંચવામાં આવશે. તેમ જણાવતા કલાકારોએ સમાધાનરૂપે મીડિયા સમક્ષ ડૉક્ટરોની માફી માંગી હતી.
ડૉ. મોના દેસાઈએ આ અંગે જણાવ્યું હતું કે, "અમે કોઈ કલાકારોની વિરુદ્ધમાં નથી અને તેમની પરિસ્થિતિ પ્રત્યે પણ સહાનુભૂતિ રાખે છે. આ સાથે જ તેમનું ભવિષ્ય બગડે તેવી કોઈ ઈચ્છા ધરાવતા નથી પણ જ્યારે પોતાની અને પરિવારની સલામતીની વાત આવે ત્યારે આ બાબતને હળવાશથી લઈ શકાય નહીં અને ભવિષ્યમાં આવો બનાવ બને તેના કારણે જ સાઇબર ક્રાઈમમાં ફરિયાદ કરી હતી. જો તેઓ માફી માંગે તો અમે પણ જરૂર કેસ પાછો લઇ લઈશું. અમે ખાલી નવરાત્રી જ નહીં, કોઈપણ જાતના મેળાવડા ન થાય તે બાબતે અપીલ કરી શકીએ છે પરંતુ સરકાર જ સંપૂર્ણ મંજુરી આપી શકે છે."