જગતપુરમાં રહેતી પરિણીતાએ પતિ, સાસુ – સસરા અને નણંદ સામે ફરિયાદ નોંધાવી.
પતિ શારીરિક સંબંધો રાખતો ના હોવાનો પરિણીતાનો આક્ષેપ.
અમદાવાદ. જગતપુરની એક 30 વર્ષિય પરિણીતાએ પતિ, સાસુ – સસરા અને નણંદ સામે શારીરિક – માનસિક ત્રાસ અને અશ્લિલ વાતો કરવા અંગેની ફરિયાદ મહિલા પોલીસ મથકમાં નોંધાવી છે. જેમાં “મારા દીકરા સાથે તારે શારીરિક સંબધ કઇ રીતે રાખવો તો તે હુ તને શીખવું” એવું સસરાંએ કહ્યું હોવા સહિતના ચોંકાવનારા આક્ષેપો કરવામાં આવ્યા છે.
ગત ફેબ્રુઆરી 2019માં અમદાવાદના જગતપુર વિસ્તારની યુવતિના લગ્ન નારણપુરા ખાતે રહેતા યુવક સાથે થયા હતાં. લગ્નના શરૂઆતના બે ત્રણ મહિના બાદ પતિ સહિતના સાસરીયાનું વર્તન બદલાઈ ગયું હતું. પતિ ઓફિસેથી રાત્રે મોડે ઘરે આવીને પરિણીતા સાથે ઝઘડો કરવા લાગ્યો હતો. તેમજ પરિણીતા નોકરી કરવા જાય તો તેના પર શંકા કરવા લાગ્યો હતો. દરમિયાનમાં પતિએ પત્નીની ફેસબુકની અંગત માહિતી પણ એડીટ કરી નાંખી હતી. જેને પગલે પરિણીતાએ સાઈબર ક્રાઈમમાં અરજી કરી હતી. પતિ શારીરિક સંબંધો પણ રાખતો નહોતો.
ગત નવરાત્રી ટાણે પરિણીતા પિરીયડમાં હોવાથી ઘરે હતી. જ્યારે સાસુ અને નણંદ આરતીમાં ગયા હતાં. ત્યારે સસરા તેની પાસે આવ્યા હતાં અને કહ્યું હતું કે “તું સાચે જ પિરીયડમાં છે કે ખાલી નાટક કરે છે.” તા. 12 ઓગષ્ટ 2019ના રોજ સસરાંએ ફોન કરીને પુત્રવધુને કહ્યું હતું કે, “મારા દીકરા સાથે તારે શારિરીક સંબધ કઇ રીતે રાખવો એ હું તને શીખવુ.” આ ઉપરાંત, ફોન પર અશ્લિલ ભાષામાં વાત કરી હતી. આ ઉપરાંત, સાસુ નણંદ પણ સતત મેણા ટોણા મારતા હતા. આમ, સતત માનસિક અને શારિરીક ત્રાસ વધતા પરિણીતાએ મહિલા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે. જેને પગલે મહિલા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
જગતપુરમાં રહેતી પરિણીતાએ પતિ, સાસુ – સસરા અને નણંદ સામે ફરિયાદ નોંધાવી.
પતિ શારીરિક સંબંધો રાખતો ના હોવાનો પરિણીતાનો આક્ષેપ.
અમદાવાદ. જગતપુરની એક 30 વર્ષિય પરિણીતાએ પતિ, સાસુ – સસરા અને નણંદ સામે શારીરિક – માનસિક ત્રાસ અને અશ્લિલ વાતો કરવા અંગેની ફરિયાદ મહિલા પોલીસ મથકમાં નોંધાવી છે. જેમાં “મારા દીકરા સાથે તારે શારીરિક સંબધ કઇ રીતે રાખવો તો તે હુ તને શીખવું” એવું સસરાંએ કહ્યું હોવા સહિતના ચોંકાવનારા આક્ષેપો કરવામાં આવ્યા છે.
ગત ફેબ્રુઆરી 2019માં અમદાવાદના જગતપુર વિસ્તારની યુવતિના લગ્ન નારણપુરા ખાતે રહેતા યુવક સાથે થયા હતાં. લગ્નના શરૂઆતના બે ત્રણ મહિના બાદ પતિ સહિતના સાસરીયાનું વર્તન બદલાઈ ગયું હતું. પતિ ઓફિસેથી રાત્રે મોડે ઘરે આવીને પરિણીતા સાથે ઝઘડો કરવા લાગ્યો હતો. તેમજ પરિણીતા નોકરી કરવા જાય તો તેના પર શંકા કરવા લાગ્યો હતો. દરમિયાનમાં પતિએ પત્નીની ફેસબુકની અંગત માહિતી પણ એડીટ કરી નાંખી હતી. જેને પગલે પરિણીતાએ સાઈબર ક્રાઈમમાં અરજી કરી હતી. પતિ શારીરિક સંબંધો પણ રાખતો નહોતો.
ગત નવરાત્રી ટાણે પરિણીતા પિરીયડમાં હોવાથી ઘરે હતી. જ્યારે સાસુ અને નણંદ આરતીમાં ગયા હતાં. ત્યારે સસરા તેની પાસે આવ્યા હતાં અને કહ્યું હતું કે “તું સાચે જ પિરીયડમાં છે કે ખાલી નાટક કરે છે.” તા. 12 ઓગષ્ટ 2019ના રોજ સસરાંએ ફોન કરીને પુત્રવધુને કહ્યું હતું કે, “મારા દીકરા સાથે તારે શારિરીક સંબધ કઇ રીતે રાખવો એ હું તને શીખવુ.” આ ઉપરાંત, ફોન પર અશ્લિલ ભાષામાં વાત કરી હતી. આ ઉપરાંત, સાસુ નણંદ પણ સતત મેણા ટોણા મારતા હતા. આમ, સતત માનસિક અને શારિરીક ત્રાસ વધતા પરિણીતાએ મહિલા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે. જેને પગલે મહિલા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.