વર્ષ 2018માં કોન્સ્ટેબલ સુનિલસિંહ દારૂ પીવાના ગુનામાં ઝડપાયો હતો.
સોલા પોલીસે કોન્સ્ટેબલની ફરિયાદને આધારે 5 શખ્સો સહિતના ટોળા સામે ફરિયાદ નોંધી.
કોન્સ્ટેબલ સુનિલસિંહ પીધેલો હોવા અંગેની સામાન્ય ફરિયાદ નોંધી સોલા પોલીસે સંતોષ માણ્યો.
અમદાવાદ. ભ્રષ્ટ – તોડબાજ પોલીસ કર્મીઓને કારણે ગુજરાતમાં જાણે ખાખી વર્દીની ધાક ઘટી રહી હોય તેવો ઘાટ છે. નૈતિકતાને કોરાણે મૂકી અનેક પોલીસ કર્મીઓ વર્દીધારી ગુંડા જેવું વર્તન કરતાં હોય છે. આવા સંજોગોમાં ગત મોડી રાત્રે પોણા એક વાગ્યાના અરસામાં અમદાવાદના ચાંદલોડીયા બ્રિજ ખાતે ગુજરાત પોલીસની આબરૂના ધજાગરાં ઉડે તેવો કિસ્સો બનવા પામ્યો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે, પોલીસ કોન્સ્ટેબલને જે રીતે લોકોએ માર માર્યો છે એ બાબતની Watch Gujarat નિંદા કરે છે. જોકે, કોન્સ્ટેબલ દ્વારા મોડી રાત્રે લોકો સાથે એવું તો કેવું વર્તન કરવામાં આવ્યું? કે લોકોએ એને આટલી ખરાબ રીતે માર માર્યો? આ પ્રશ્ન પણ જરૂર જવાબ માંગે છે.
વાઈરલ વિડીયોઃ કોન્સ્ટેબલને માર ખાતો જોઈ કૂતરું ભસી પણ ના શક્યું.
પોલીસ કોન્સ્ટેબલને માર મારવાની ઘટના અંગેનો વિડીયો સોશિયલ મિડીયામાં વાઈરલ થયો છે. જેમાં સ્પષ્ટ દેખાય છે કે, ધોબી કપડાં ધોતો હોય એ રીતે લોકો કોન્સ્ટેબલને ધોઈ રહ્યાં છે. લાકડી ફાટી ગઈ ત્યાં સુધી એક શખ્સ તો કોન્સ્ટેબલને મારતો જોઈ શકાય છે. સામાન્ય દોડધામમાં કે રસ્તા પર હોબાળો મચે તો ભસી ભસીને કૂતરાં પોતાની હાજરી પુરાવતાં હોય છે. જોકે, ચાંદલોડીયા બ્રિજ ખાતે કોન્સ્ટેબલને માર ખાતો જોઈને ત્યાં હાજર કૂતરું ભસી શક્યું પણ નહોતું.
https://twitter.com/watchgujarat/status/1318945275109642240?s=21
સોલા પોલીસના ચોપડે ચડેલી કોન્સ્ટેબલની કહાની
સોલા હાઈકોર્ટ પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલ સુનિલસિંહ ચૌહાણ ICB ગોતા ખાતે હોમગાર્ડના જવાન સાથે ફરજ બજાવી રહ્યો હતો. ગઈકાલે રાત્રે પોણા એક વાગ્યે તે ચા પીવા ચાંદલોડીયા બ્રિજ પાસે ગયો હતો. ત્યાં કેટલાંક લોકો ટોળે વળીને ઉભા હતાં. બીજા કેટલાંકે વાહનો રોડ પર પાર્ક કર્યા હતાં. સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાતું નહોતું. તેથી સુનિલે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાના પાઠ ભણાવતાં લોકોએ એની સાથે બોલાચાલી કરી ઝગડો કર્યો. બાદમાં આઠથી દસ જણા લાકડીઓ લઈને આવ્યા અને સુનિલને મારવા લાગ્યા. જેમાં તેનો મોબાઈલ પડી ગયો તેમજ ઇજા પહોંચી. સુનિલને સારવાર માટે સોલા હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. જ્યા તેણે 5 શખ્સો (જેમના નામ એને ખબર હતી) સહિતના ટોળાં સામે ફરિયાદ નોંધાવી હતી. જેને પગલે પોલીસે 6 જેટલાં શખ્સોની અટકાયદ કરી હતી.
મોડે મોડે ટોળાંની ફરિયાદને આધારે કોન્સ્ટેબલ સામે પ્રોહિબિશનની કાર્યવાહી
વર્ષ 2018માં દારૂ પીવાના ગુનામાં ઝડપાયેલા સુનિલસિંહ ચૌહાણની ફરિયાદ તાબડતોબ ચોપડે ચડાવનાર સોલા પોલીસ દ્વારા લોકોની વળતી ફરિયાદ દાખલ કરવામાં ઢીલાશ દાખવી હતી.જોકે, આખરે, ટોળાંની ફરિયાદને આધારે કોન્સ્ટેબલ સુનિલસિંહ સામે પ્રોહિબિશનનો ગુનો દાખલ કરી તેની અટકાયત કરવા તજવીજ હાથ ધરી હતી.
સામાન્ય બોલચાલમાં વર્દીધારીને કોઈ આવી રીતે મારે ખરાં?
કોન્સ્ટેબલ સુનિલસિંહની ફરિયાદ પ્રમાણે તો જાણે પોલીસ કર્મીએ થોડીક સલાહ આપી અને લોકો મારવા લાગ્યા. આવું તો કેવી રીતે શક્ય છે? મોડી રાત્રે ચા પીવા નિકળતાં બધાં લોકો ગુંડા નથી હોતા. એમાંય આ કિસ્સામાં તો પોલીસ કોન્સ્ટેબલ ઘણાં લોકોને નામથી ઓળખે છે. તેથી આ ઘટનામાં જરૂર પોલીસ કોન્સ્ટેબલે જરૂર એવું વર્તન કર્યું હશે કે જેના કારણે લોકોએ સંયમ ગુમાવી દીધો હશે.
વર્ષ 2018માં કોન્સ્ટેબલ સુનિલસિંહ દારૂ પીવાના ગુનામાં ઝડપાયો હતો.
કોન્સ્ટેબલ સુનિલસિંહ પીધેલો હોવા અંગેની સામાન્ય ફરિયાદ નોંધી સોલા પોલીસે સંતોષ માણ્યો.
અમદાવાદ. ભ્રષ્ટ – તોડબાજ પોલીસ કર્મીઓને કારણે ગુજરાતમાં જાણે ખાખી વર્દીની ધાક ઘટી રહી હોય તેવો ઘાટ છે. નૈતિકતાને કોરાણે મૂકી અનેક પોલીસ કર્મીઓ વર્દીધારી ગુંડા જેવું વર્તન કરતાં હોય છે. આવા સંજોગોમાં ગત મોડી રાત્રે પોણા એક વાગ્યાના અરસામાં અમદાવાદના ચાંદલોડીયા બ્રિજ ખાતે ગુજરાત પોલીસની આબરૂના ધજાગરાં ઉડે તેવો કિસ્સો બનવા પામ્યો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે, પોલીસ કોન્સ્ટેબલને જે રીતે લોકોએ માર માર્યો છે એ બાબતની Watch Gujarat નિંદા કરે છે. જોકે, કોન્સ્ટેબલ દ્વારા મોડી રાત્રે લોકો સાથે એવું તો કેવું વર્તન કરવામાં આવ્યું? કે લોકોએ એને આટલી ખરાબ રીતે માર માર્યો? આ પ્રશ્ન પણ જરૂર જવાબ માંગે છે.
વાઈરલ વિડીયોઃ કોન્સ્ટેબલને માર ખાતો જોઈ કૂતરું ભસી પણ ના શક્યું.
પોલીસ કોન્સ્ટેબલને માર મારવાની ઘટના અંગેનો વિડીયો સોશિયલ મિડીયામાં વાઈરલ થયો છે. જેમાં સ્પષ્ટ દેખાય છે કે, ધોબી કપડાં ધોતો હોય એ રીતે લોકો કોન્સ્ટેબલને ધોઈ રહ્યાં છે. લાકડી ફાટી ગઈ ત્યાં સુધી એક શખ્સ તો કોન્સ્ટેબલને મારતો જોઈ શકાય છે. સામાન્ય દોડધામમાં કે રસ્તા પર હોબાળો મચે તો ભસી ભસીને કૂતરાં પોતાની હાજરી પુરાવતાં હોય છે. જોકે, ચાંદલોડીયા બ્રિજ ખાતે કોન્સ્ટેબલને માર ખાતો જોઈને ત્યાં હાજર કૂતરું ભસી શક્યું પણ નહોતું.
https://twitter.com/watchgujarat/status/1318945275109642240?s=21
સોલા પોલીસના ચોપડે ચડેલી કોન્સ્ટેબલની કહાની
સોલા હાઈકોર્ટ પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલ સુનિલસિંહ ચૌહાણ ICB ગોતા ખાતે હોમગાર્ડના જવાન સાથે ફરજ બજાવી રહ્યો હતો. ગઈકાલે રાત્રે પોણા એક વાગ્યે તે ચા પીવા ચાંદલોડીયા બ્રિજ પાસે ગયો હતો. ત્યાં કેટલાંક લોકો ટોળે વળીને ઉભા હતાં. બીજા કેટલાંકે વાહનો રોડ પર પાર્ક કર્યા હતાં. સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાતું નહોતું. તેથી સુનિલે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાના પાઠ ભણાવતાં લોકોએ એની સાથે બોલાચાલી કરી ઝગડો કર્યો. બાદમાં આઠથી દસ જણા લાકડીઓ લઈને આવ્યા અને સુનિલને મારવા લાગ્યા. જેમાં તેનો મોબાઈલ પડી ગયો તેમજ ઇજા પહોંચી. સુનિલને સારવાર માટે સોલા હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. જ્યા તેણે 5 શખ્સો (જેમના નામ એને ખબર હતી) સહિતના ટોળાં સામે ફરિયાદ નોંધાવી હતી. જેને પગલે પોલીસે 6 જેટલાં શખ્સોની અટકાયદ કરી હતી.
મોડે મોડે ટોળાંની ફરિયાદને આધારે કોન્સ્ટેબલ સામે પ્રોહિબિશનની કાર્યવાહી
વર્ષ 2018માં દારૂ પીવાના ગુનામાં ઝડપાયેલા સુનિલસિંહ ચૌહાણની ફરિયાદ તાબડતોબ ચોપડે ચડાવનાર સોલા પોલીસ દ્વારા લોકોની વળતી ફરિયાદ દાખલ કરવામાં ઢીલાશ દાખવી હતી.જોકે, આખરે, ટોળાંની ફરિયાદને આધારે કોન્સ્ટેબલ સુનિલસિંહ સામે પ્રોહિબિશનનો ગુનો દાખલ કરી તેની અટકાયત કરવા તજવીજ હાથ ધરી હતી.
સામાન્ય બોલચાલમાં વર્દીધારીને કોઈ આવી રીતે મારે ખરાં?
કોન્સ્ટેબલ સુનિલસિંહની ફરિયાદ પ્રમાણે તો જાણે પોલીસ કર્મીએ થોડીક સલાહ આપી અને લોકો મારવા લાગ્યા. આવું તો કેવી રીતે શક્ય છે? મોડી રાત્રે ચા પીવા નિકળતાં બધાં લોકો ગુંડા નથી હોતા. એમાંય આ કિસ્સામાં તો પોલીસ કોન્સ્ટેબલ ઘણાં લોકોને નામથી ઓળખે છે. તેથી આ ઘટનામાં જરૂર પોલીસ કોન્સ્ટેબલે જરૂર એવું વર્તન કર્યું હશે કે જેના કારણે લોકોએ સંયમ ગુમાવી દીધો હશે.