ગલુડીયાને ઘરે લાવ્યા બાદ ગુસ્સામાં આવીને તેને બે થી વધુ વખત દિવાલમાં પછાડ્યું, ત્યાર બાદ ઘરની બહાર ફેક્યું
કણસતા ગલુડીયાને પુત્ર સારવાર અર્થે જીવદયા માટે કામ કરતી સંસ્થામાં સોંપી આવ્યો
પુત્રએ જીવદયા પ્રેમીને સમગ્ર ઘટનાક્રમ વિશે જાણ કરતા મામલો ઉઘાડો પડ્યો હતો, આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ
અમદાવાદ. પોતાના ઘરમાં લેબ્રાડોર પ્રજાતીનું કુતરાનું બચ્ચુ લાવ્યા બાદ નાની- નાની વાતોમાં ઝગડા થતા હતા. પરિણામે ઉશ્કેરાઇને પિતાએ 45 દિવસના કુતરાના બચ્ચાને ગુસ્સામાં 2 થી વધુ વખત ભીંતમાં અફાડ્યું હતું. અને ત્યાર બાદ પણ નિર્દયી થોભ્યો ન હતો અને આખરે તેને કુતરાના માસુમ બચ્ચાને ઘરની બહાર ફેંકી દીધું હતું. જાણી જોઇને બેરહેમીપુર્વક કુતરાના બચ્ચાને માર્યા બાદ પુત્ર તેને સારવાર અર્થે જીવદયા માટે કામ કરતી સંસ્થામાં મુકી આવ્યો હતો.
કોરોનાને કારણે આપવામાં આવેલા લોકડાઉનમાં લોકોના જીવનમાં ગમતા-અણગમતા અનેક ફેરફારો આવ્યા છે. તેની સાથે કેટલાક લોકોની વિકૃતિ પણ સામે આવી રહી છે. અમદાવાદમાં વિકૃતીની પરાકાષ્ઠા સમાન એક કિસ્સો સામે આવ્યો હતો. અમદાવાદના આનંદનગર 100 ફુટ રોડ પાસે આવેલા નિલમ પાર્ક સોસાયટીમાં 45 વર્ષિય પિયુષ નાહર તેમના પરિવાર સાથે રહેતા હતા. તેમના ઘરે લેબ્રાડોર નામની પ્રજાતીનું પાળતુ કુતરાનું બચ્ચુ લાવવમાં આવ્યું હતું.
બચ્ચુ લાવ્યા બાદ તેના ઘરે નાની નાની વાતે ઘરકંકાસ થતો હતો. ગુસ્સામાં આવીને પિયુષ નાહરે 45 દિવસના ગલુડીયાને બે થી વધારે વખત ભીંતમાં ગુસ્સામાં પછાડ્યું હતું. અચાનક ભીંતમાં ભટકાતા ગલુડીયું કણસતુ હતું. આટલેથી અટકવાની જગ્યાએ નિર્દયી પિયુષ નાહરે કણસતા ગલુડીયાને ઘરની બહાર ફેકીં દીધું હતું.
માનવજાતને શર્મસાર કરી મુકે તેવી ઘટના બાદ પિયુષ નાહરના પુત્રએ ઘરની બહાર ફેંકી દેવામાં આવેલા ગલુડીયાની ભાળ મેળવીને તેને જીવદયા માટે કામ કરતી સંસ્થામાં આપી દીધું હતું. જીવદયા માટે કામ કરતી સંસ્થાના હાજર કર્મીએ પુછતા સમગ્ર ઘટનાક્રમ વિશે જાણ કરી હતી. શ્વાન પ્રેમી અને પાંજરાપોળ જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટમાં માનદ સેવા આપતા દેવેષ ત્રિવેદીને સમગ્ર કિસ્સાની જાણ થતાં તેમણે ગલુડિયાની સારવાર કરી હતી. જેમાં ગંભીર રીતે ઘાયલ થયેલાં ગલુડિયાનું સારવાર દરમ્યાન મોત થયુ હતુ. ત્યારે દેવેષભાઈ ત્રિવેદીએ આવા વિકૃત માનસ ધરાવતા પિયુષ નાહર સામે આનંદ નગર પોલીસ સ્ટેશન માં એફઆઈઆર દાખલ કરી હતી. આનંદનગર પોલીસ સ્ટેશન ખાતે મામલાની ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી હતી.
ગલુડીયાને ઘરે લાવ્યા બાદ ગુસ્સામાં આવીને તેને બે થી વધુ વખત દિવાલમાં પછાડ્યું, ત્યાર બાદ ઘરની બહાર ફેક્યું
કણસતા ગલુડીયાને પુત્ર સારવાર અર્થે જીવદયા માટે કામ કરતી સંસ્થામાં સોંપી આવ્યો
પુત્રએ જીવદયા પ્રેમીને સમગ્ર ઘટનાક્રમ વિશે જાણ કરતા મામલો ઉઘાડો પડ્યો હતો, આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ
અમદાવાદ. પોતાના ઘરમાં લેબ્રાડોર પ્રજાતીનું કુતરાનું બચ્ચુ લાવ્યા બાદ નાની- નાની વાતોમાં ઝગડા થતા હતા. પરિણામે ઉશ્કેરાઇને પિતાએ 45 દિવસના કુતરાના બચ્ચાને ગુસ્સામાં 2 થી વધુ વખત ભીંતમાં અફાડ્યું હતું. અને ત્યાર બાદ પણ નિર્દયી થોભ્યો ન હતો અને આખરે તેને કુતરાના માસુમ બચ્ચાને ઘરની બહાર ફેંકી દીધું હતું. જાણી જોઇને બેરહેમીપુર્વક કુતરાના બચ્ચાને માર્યા બાદ પુત્ર તેને સારવાર અર્થે જીવદયા માટે કામ કરતી સંસ્થામાં મુકી આવ્યો હતો.
કોરોનાને કારણે આપવામાં આવેલા લોકડાઉનમાં લોકોના જીવનમાં ગમતા-અણગમતા અનેક ફેરફારો આવ્યા છે. તેની સાથે કેટલાક લોકોની વિકૃતિ પણ સામે આવી રહી છે. અમદાવાદમાં વિકૃતીની પરાકાષ્ઠા સમાન એક કિસ્સો સામે આવ્યો હતો. અમદાવાદના આનંદનગર 100 ફુટ રોડ પાસે આવેલા નિલમ પાર્ક સોસાયટીમાં 45 વર્ષિય પિયુષ નાહર તેમના પરિવાર સાથે રહેતા હતા. તેમના ઘરે લેબ્રાડોર નામની પ્રજાતીનું પાળતુ કુતરાનું બચ્ચુ લાવવમાં આવ્યું હતું.
બચ્ચુ લાવ્યા બાદ તેના ઘરે નાની નાની વાતે ઘરકંકાસ થતો હતો. ગુસ્સામાં આવીને પિયુષ નાહરે 45 દિવસના ગલુડીયાને બે થી વધારે વખત ભીંતમાં ગુસ્સામાં પછાડ્યું હતું. અચાનક ભીંતમાં ભટકાતા ગલુડીયું કણસતુ હતું. આટલેથી અટકવાની જગ્યાએ નિર્દયી પિયુષ નાહરે કણસતા ગલુડીયાને ઘરની બહાર ફેકીં દીધું હતું.
માનવજાતને શર્મસાર કરી મુકે તેવી ઘટના બાદ પિયુષ નાહરના પુત્રએ ઘરની બહાર ફેંકી દેવામાં આવેલા ગલુડીયાની ભાળ મેળવીને તેને જીવદયા માટે કામ કરતી સંસ્થામાં આપી દીધું હતું. જીવદયા માટે કામ કરતી સંસ્થાના હાજર કર્મીએ પુછતા સમગ્ર ઘટનાક્રમ વિશે જાણ કરી હતી. શ્વાન પ્રેમી અને પાંજરાપોળ જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટમાં માનદ સેવા આપતા દેવેષ ત્રિવેદીને સમગ્ર કિસ્સાની જાણ થતાં તેમણે ગલુડિયાની સારવાર કરી હતી. જેમાં ગંભીર રીતે ઘાયલ થયેલાં ગલુડિયાનું સારવાર દરમ્યાન મોત થયુ હતુ. ત્યારે દેવેષભાઈ ત્રિવેદીએ આવા વિકૃત માનસ ધરાવતા પિયુષ નાહર સામે આનંદ નગર પોલીસ સ્ટેશન માં એફઆઈઆર દાખલ કરી હતી. આનંદનગર પોલીસ સ્ટેશન ખાતે મામલાની ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી હતી.