ઔવેસીનું ભરૂચમાં ભવ્ય સ્વાગત સાથે જાહેરસભા : મહેશ વસાવા
ગુજરાતમાં ત્રીજા મોરચા તરીકે AIMIM ને હાલ જોવામાં આવી રહ્યું છે
BTP સાથે ગઠબંધન બાદ આગામી 4 ફેબ્રુઆરીથી અસદુદ્દીન ઓવૈસી ગુજરાતમાં ચૂંટણી જંગમાં ઝુકાવવા આવી રહ્યા છે.
WatchGujarat ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની જાહેરાત થઈ જવા સાથે વિવિધ રાજકીય પક્ષોની ગતિવિધિઓ તેજ થઈ ગઇ છે. ગુજરાતમાં ત્રીજા મોરચા તરીકે AIMIM ને હાલ જોવામાં આવી રહ્યું છે, BTP સાથે ગઠબંધન બાદ આગામી 4 ફેબ્રુઆરીથી અસદુદ્દીન ઓવૈસી ગુજરાતમાં ચૂંટણી જંગમાં ઝુકાવવા આવી રહ્યા છે. જેની સોશિયલ મીડિયામાં જાહેરાત કરી દેવાઈ છે. ભરૂચમાં 7 ફેબ્રુઆરીએ ઔવેસી સભા સંબોધશે.
ગુજરાતના રાજકારણમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા અસદુદ્દીન ઓવૈસીની AIMIM પાર્ટીની એન્ટ્રી થઈ છે. AIMIM પાર્ટીની એન્ટ્રી બાદ તેના ચીફ અસુદ્દીન ઔવેસી ગુજરાતની મુલાકાતે આવવાના છે. 4 ફેબ્રુઆરીએ અસુદ્દીન ઔવેસી ગુજરાત પ્રવાસે આવનાર છે. ત્યારે તેઓ અમદાવાદ, ભરૂચ સહિતના સ્થળોની મુલકાત લેશે. AIMIM ગુજરાતના ફેસબુક પેજ પર અસદુદ્દીન ઓવૈસીની ગુજરાત મુલાકાતની જાહેરાત કરાઈ છે. અમદાવાદમાં અસદુદ્દીન ઓવૈસીની જાહેર સભાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અસદુદ્દીન ઓવૈસીની આ મુલાકાત દરમિયાન અનેક મોટી બાબતો સર્જાઈ શકે છે. ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી AIMIM પાર્ટી છોટુ વસાવાની BTP સાથે મળીને લડી રહી છે.
ગુજરાતમાં અસદ્દુદીન ઓવૈસીની પાર્ટી AIMIM અને છોટુ વસાવા ની પાર્ટીનું ગઠબંધન થયું હતું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સાથે મળીને લડશે તેવી જાહેરાત છોટુ વસાવાએ કરી હતી. બીજી તરફ ઓલ ઇન્ડિયા મજલીસ ઇ ઇતિહ્યાદુલ મુસ્લિમીન AIMIM ઔવેશી આગામી 4 ફેબ્રુઆરીએ ગુજરાતમાં સૌપ્રથમ એન્ટ્રી કરી જાહેરસભા સંબોધશે. સાથે જ અમદાવાદમાં રોડ શો અને સભા સંબોધશે. BTP ના મહેશ વસાવા એ જણાવ્યું છે કે, ભરૂચમાં 7 ફેબ્રુઆરીએ ઔવેસી આવનાર છે ત્યારે તેમનું ભવ્ય સ્વાગત કરાશે. તેઓ સભા પણ સંબોધશે.
AIMIM - BTP સાથે ના ગઠબંધનમાં ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ 2022 ની વિધાનસભા અને 2024 ની લોકસભા પણ લડશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભરૂચ, ગોધરા અને મોડાસા જિલ્લામાં તમામ પાલિકા, પંચાયતો પર ઉમેદવારો ઉતારવામાં આવશે. જ્યારે અમદાવાદ કોર્પોરેશનમાં પણ AIMIM ઝુકાવશે. સાથે જ રાજ્યના અન્ય જિલ્લામાં AIMIM ની ટીમ સર્વે માટે મોકલાય છે જેથી કરી ક્યાંથી કઈ બેઠક પર ચૂંટણી લડી શકાય તેનો તાગ મેળવાઈ રહ્યો છે. BTP-AIMIM નું ગઠબંધન પંચાયત થી પાર્લામેન્ટ સુધી રહેશે.
અગાઉ ગઠબંધન સમયે છોટુ વસાવાએ જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બંને પાર્ટીઓ સાથે મળીને લડીશું. બીટીપી અને AIMIMએ ગઠબંધન કર્યું છે. ભાજપ અને કોંગ્રેસથી દુઃખી લોકો અમારા સાથે જોડાશે. ભાજપ અને કોંગ્રેસ બંને એકબીજાની બી ટીમ છે. વિધાનસભા અને લોકસભાની ચૂંટણી પણ લડીશું. ભાજપ અને કોંગ્રેસ બંને શાસનમાં નહિ હોય તો પરિવર્તન આવશે, લોકો સુખી થઈ જશે. કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને અમને કંઈ જ ન મળ્યું. અમારા અધિકાર દેશમાં નથી મળી રહ્યાં. હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી ટાણે આ ગઠબંધન અને ઔવેસીની રાજ્યમાં એન્ટ્રીથી ક્યાં સમીકરણો રચાય છે અને ચૂંટણીમાં કેવો રંગ જામે છે તે તો આગામી સમયમાં જ ખબર પડશે.
ઔવેસીનું ભરૂચમાં ભવ્ય સ્વાગત સાથે જાહેરસભા : મહેશ વસાવા
ગુજરાતમાં ત્રીજા મોરચા તરીકે AIMIM ને હાલ જોવામાં આવી રહ્યું છે
BTP સાથે ગઠબંધન બાદ આગામી 4 ફેબ્રુઆરીથી અસદુદ્દીન ઓવૈસી ગુજરાતમાં ચૂંટણી જંગમાં ઝુકાવવા આવી રહ્યા છે.
WatchGujarat ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની જાહેરાત થઈ જવા સાથે વિવિધ રાજકીય પક્ષોની ગતિવિધિઓ તેજ થઈ ગઇ છે. ગુજરાતમાં ત્રીજા મોરચા તરીકે AIMIM ને હાલ જોવામાં આવી રહ્યું છે, BTP સાથે ગઠબંધન બાદ આગામી 4 ફેબ્રુઆરીથી અસદુદ્દીન ઓવૈસી ગુજરાતમાં ચૂંટણી જંગમાં ઝુકાવવા આવી રહ્યા છે. જેની સોશિયલ મીડિયામાં જાહેરાત કરી દેવાઈ છે. ભરૂચમાં 7 ફેબ્રુઆરીએ ઔવેસી સભા સંબોધશે.
ગુજરાતના રાજકારણમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા અસદુદ્દીન ઓવૈસીની AIMIM પાર્ટીની એન્ટ્રી થઈ છે. AIMIM પાર્ટીની એન્ટ્રી બાદ તેના ચીફ અસુદ્દીન ઔવેસી ગુજરાતની મુલાકાતે આવવાના છે. 4 ફેબ્રુઆરીએ અસુદ્દીન ઔવેસી ગુજરાત પ્રવાસે આવનાર છે. ત્યારે તેઓ અમદાવાદ, ભરૂચ સહિતના સ્થળોની મુલકાત લેશે. AIMIM ગુજરાતના ફેસબુક પેજ પર અસદુદ્દીન ઓવૈસીની ગુજરાત મુલાકાતની જાહેરાત કરાઈ છે. અમદાવાદમાં અસદુદ્દીન ઓવૈસીની જાહેર સભાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અસદુદ્દીન ઓવૈસીની આ મુલાકાત દરમિયાન અનેક મોટી બાબતો સર્જાઈ શકે છે. ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી AIMIM પાર્ટી છોટુ વસાવાની BTP સાથે મળીને લડી રહી છે.
ગુજરાતમાં અસદ્દુદીન ઓવૈસીની પાર્ટી AIMIM અને છોટુ વસાવા ની પાર્ટીનું ગઠબંધન થયું હતું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સાથે મળીને લડશે તેવી જાહેરાત છોટુ વસાવાએ કરી હતી. બીજી તરફ ઓલ ઇન્ડિયા મજલીસ ઇ ઇતિહ્યાદુલ મુસ્લિમીન AIMIM ઔવેશી આગામી 4 ફેબ્રુઆરીએ ગુજરાતમાં સૌપ્રથમ એન્ટ્રી કરી જાહેરસભા સંબોધશે. સાથે જ અમદાવાદમાં રોડ શો અને સભા સંબોધશે. BTP ના મહેશ વસાવા એ જણાવ્યું છે કે, ભરૂચમાં 7 ફેબ્રુઆરીએ ઔવેસી આવનાર છે ત્યારે તેમનું ભવ્ય સ્વાગત કરાશે. તેઓ સભા પણ સંબોધશે.
AIMIM - BTP સાથે ના ગઠબંધનમાં ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ 2022 ની વિધાનસભા અને 2024 ની લોકસભા પણ લડશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભરૂચ, ગોધરા અને મોડાસા જિલ્લામાં તમામ પાલિકા, પંચાયતો પર ઉમેદવારો ઉતારવામાં આવશે. જ્યારે અમદાવાદ કોર્પોરેશનમાં પણ AIMIM ઝુકાવશે. સાથે જ રાજ્યના અન્ય જિલ્લામાં AIMIM ની ટીમ સર્વે માટે મોકલાય છે જેથી કરી ક્યાંથી કઈ બેઠક પર ચૂંટણી લડી શકાય તેનો તાગ મેળવાઈ રહ્યો છે. BTP-AIMIM નું ગઠબંધન પંચાયત થી પાર્લામેન્ટ સુધી રહેશે.
અગાઉ ગઠબંધન સમયે છોટુ વસાવાએ જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બંને પાર્ટીઓ સાથે મળીને લડીશું. બીટીપી અને AIMIMએ ગઠબંધન કર્યું છે. ભાજપ અને કોંગ્રેસથી દુઃખી લોકો અમારા સાથે જોડાશે. ભાજપ અને કોંગ્રેસ બંને એકબીજાની બી ટીમ છે. વિધાનસભા અને લોકસભાની ચૂંટણી પણ લડીશું. ભાજપ અને કોંગ્રેસ બંને શાસનમાં નહિ હોય તો પરિવર્તન આવશે, લોકો સુખી થઈ જશે. કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને અમને કંઈ જ ન મળ્યું. અમારા અધિકાર દેશમાં નથી મળી રહ્યાં. હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી ટાણે આ ગઠબંધન અને ઔવેસીની રાજ્યમાં એન્ટ્રીથી ક્યાં સમીકરણો રચાય છે અને ચૂંટણીમાં કેવો રંગ જામે છે તે તો આગામી સમયમાં જ ખબર પડશે.