ભરૂચમાં AIMIM ના નવ નિયુક્ત પ્રમુખ સાબિર કાબલીવાલા એ સંગઠન લક્ષી મિટિંગનું આયોજન કર્યું
BTP-AIMIM ના ગઠબંધનમાં અમદાવાદ કોર્પોરેશન, ભરૂચ, દાહોદ અને મોડાસા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડાશે
રાજ્યના અન્ય જિલ્લામાં પણ મજલીસની ટીમ મોકલી સર્વે શરૂ
BJP-કોંગ્રેસ એક સિક્કાની બે બાજુ, બન્નેની કોઈ વિચારધારાની માત્ર સત્તા હાંસિલ કરવાની લડાઈ : હમીદ ભટ્ટી
70 વર્ષમાં ભાજપ કે કોંગ્રેસ જે વિસ્તાર અને ગામ સુધી નહિ પોહચી લોકોને પ્રાથમિક સુવિધાથી વંચિત રાખ્યા છે ત્યાં પણ AIMIM ચૂંટણીમાં પ્રતિનિધિત્વ કરશે.
WatchGujarat સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની ગુજરાતમાં જાહેરાત થઈ જવા સાથે વિવિધ રાજકીય પક્ષોની ગતિવિધિઓ તેજ થઈ ગઇ છે. જડતોડના રાજકારણ સાથે ગુજરાતમાં BTP સાથે AIMIM ના ગઠબંધન વચ્ચે સોમવારે ભરૂચમાં AIMIM ની સંગઠન લક્ષી બેઠક યોજાઇ હતી.
ઓલ ઇન્ડિયા મજલીસ ઇ ઇતિહ્યાદુલ મુસ્લિમીન AIMIM ના અશદ ઔવેશી આગામી 3 કે 4 ફેબ્રુઆરીએ ભરૂચમાં સૌપ્રથમ એન્ટ્રી કરી જાહેરસભા સંબોધશે. સાથે જ અમદાવાદમાં રોડ શો અને સભા સંબોધશે તેમ AIMIM ના જનરલ સેક્રેટરી હમીદ ભટ્ટીએ જણાવ્યું હતું. સ્થાનિક સ્વરાજ ની ચૂંટણીઓની તારીખ જાહેર થતા જ વિવિધ રાજકીય પક્ષો દ્વારા મિટિંગો નો દોર શરૂ થયો છે ત્યારે BTP સાથે ગઠબંધન બાદ આજે ભરૂચ ખાતે AIMIM ના નવ નિયુક્ત પ્રમુખ સાબિર કાબલી વાળા એ સંગઠન લક્ષી મિટિંગ નું આયોજન કર્યું હતું.
ભરૂચ ના બાયપાસ રોડ પર આવેલ અલ નૂર હોલ ખાતે AIMIM ના અધ્યક્ષ તેમજ જનરલ સેકેટરીની અધ્યક્ષતામાં મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું, આ મિટિંગ માં આગામી સ્થાનિક સ્વરાજ ની ચૂંટણીઓમાં કંઈ રણનીતિ થી ચૂંટણી લડવી જોઈએ તે તમામ બાબતો ને લઇ કાર્યકરો સાથે ચર્ચાઓ કરવામાં આવી હતી
ગુજરાત AIMIMના જનરલ સેક્રેટરી હમીદ ભટ્ટી એ જણાવ્યું હતું કે ભરૂચમાં સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી લડવા માટે ની જાહેરાત કરી હતી સાથે જ અસદુદ્દીન ઓવૈસી નું આગમન ભરૂચ માં સભા થી થશે જે અંગે આગામી 3 કે 4 તારીખે સત્તાવાર જાહેરાત કરવામાં આવશે,વધુમાં AIMIM ના સંપર્ક માં અન્ય પાર્ટીના નેતાઓ પણ હોવાની વાત તેઓએ જણાવી હતી જે અંગે પણ આગામી દિવસોમાં જાહેરાત કરવામાં આવશે તેમ જણાવ્યું હતું,ભરૂચ જિલ્લા માટે કાર્યકરો સાથે યોજાયેલ આ મિટિંગમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટી પડ્યા હતા.
વધુમાં ભટ્ટી એ વધુમાં જણાવ્યું હતું કે, AIMIM BTP સાથે ના ગઠબંધનમાં ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ 2022 ની વિધાનસભા અને 2024 ની લોકસભા પણ લડશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભરૂચ, ગોધરા અને મોડાસા જિલ્લામાં તમામ પાલિકા, પંચાયતો પર ઉમેદવારો ઉતારવામાં આવશે. જ્યારે અમદાવાદ કોર્પોરેશનમાં પણ AIMIM ઝુકાવશે. સાથે જ રાજ્યના અન્ય જિલ્લામાં AIMIM ની ટીમ સર્વે માટે મોકલાય છે જેથી કરી ક્યાંથી કઈ બેઠક પર ચૂંટણી લડી શકાય તેનો તાગ મેળવાઈ રહ્યો છે. BTP-AIMIM નું ગઠબંધન પંચાયત થી પાર્લામેન્ટ સુધી રહેશે.
ભાજપ - કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવાયું હતું કે , ભાજપ-કોંગ્રેસ એક સિક્કાની બે બાજુ બન્નેની વિચારધારા માત્ર સત્તા હાંસિલ કરવાની છે. AIMIM આઝાદી ના 70 વર્ષમાં કોંગ્રેસ અને BJP ના શશનમાં ગુજરાતમાં જ્યાં અમુક વર્ગ અને વિસ્તારો જોડે તરછોડાયેલું વર્તન કરાયું છે ત્યાં પોહચી તેઓને પ્રાથમિક જરૂરિયાતની સુવિધાઓ પુરી કરાવવા ચૂંટણી જંગમાં ઉતરશે. અંતમાં હમીદ ભટ્ટીએ કહ્યું હતું કે અમે ગુજરાત મોડલના બ્લુનમાં પંક્ચર કરીશું.
ભરૂચમાં AIMIM ના નવ નિયુક્ત પ્રમુખ સાબિર કાબલીવાલા એ સંગઠન લક્ષી મિટિંગનું આયોજન કર્યું
BTP-AIMIM ના ગઠબંધનમાં અમદાવાદ કોર્પોરેશન, ભરૂચ, દાહોદ અને મોડાસા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડાશે
રાજ્યના અન્ય જિલ્લામાં પણ મજલીસની ટીમ મોકલી સર્વે શરૂ
BJP-કોંગ્રેસ એક સિક્કાની બે બાજુ, બન્નેની કોઈ વિચારધારાની માત્ર સત્તા હાંસિલ કરવાની લડાઈ : હમીદ ભટ્ટી
70 વર્ષમાં ભાજપ કે કોંગ્રેસ જે વિસ્તાર અને ગામ સુધી નહિ પોહચી લોકોને પ્રાથમિક સુવિધાથી વંચિત રાખ્યા છે ત્યાં પણ AIMIM ચૂંટણીમાં પ્રતિનિધિત્વ કરશે.
WatchGujarat સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની ગુજરાતમાં જાહેરાત થઈ જવા સાથે વિવિધ રાજકીય પક્ષોની ગતિવિધિઓ તેજ થઈ ગઇ છે. જડતોડના રાજકારણ સાથે ગુજરાતમાં BTP સાથે AIMIM ના ગઠબંધન વચ્ચે સોમવારે ભરૂચમાં AIMIM ની સંગઠન લક્ષી બેઠક યોજાઇ હતી.
ઓલ ઇન્ડિયા મજલીસ ઇ ઇતિહ્યાદુલ મુસ્લિમીન AIMIM ના અશદ ઔવેશી આગામી 3 કે 4 ફેબ્રુઆરીએ ભરૂચમાં સૌપ્રથમ એન્ટ્રી કરી જાહેરસભા સંબોધશે. સાથે જ અમદાવાદમાં રોડ શો અને સભા સંબોધશે તેમ AIMIM ના જનરલ સેક્રેટરી હમીદ ભટ્ટીએ જણાવ્યું હતું. સ્થાનિક સ્વરાજ ની ચૂંટણીઓની તારીખ જાહેર થતા જ વિવિધ રાજકીય પક્ષો દ્વારા મિટિંગો નો દોર શરૂ થયો છે ત્યારે BTP સાથે ગઠબંધન બાદ આજે ભરૂચ ખાતે AIMIM ના નવ નિયુક્ત પ્રમુખ સાબિર કાબલી વાળા એ સંગઠન લક્ષી મિટિંગ નું આયોજન કર્યું હતું.
ભરૂચ ના બાયપાસ રોડ પર આવેલ અલ નૂર હોલ ખાતે AIMIM ના અધ્યક્ષ તેમજ જનરલ સેકેટરીની અધ્યક્ષતામાં મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું, આ મિટિંગ માં આગામી સ્થાનિક સ્વરાજ ની ચૂંટણીઓમાં કંઈ રણનીતિ થી ચૂંટણી લડવી જોઈએ તે તમામ બાબતો ને લઇ કાર્યકરો સાથે ચર્ચાઓ કરવામાં આવી હતી
ગુજરાત AIMIMના જનરલ સેક્રેટરી હમીદ ભટ્ટી એ જણાવ્યું હતું કે ભરૂચમાં સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી લડવા માટે ની જાહેરાત કરી હતી સાથે જ અસદુદ્દીન ઓવૈસી નું આગમન ભરૂચ માં સભા થી થશે જે અંગે આગામી 3 કે 4 તારીખે સત્તાવાર જાહેરાત કરવામાં આવશે,વધુમાં AIMIM ના સંપર્ક માં અન્ય પાર્ટીના નેતાઓ પણ હોવાની વાત તેઓએ જણાવી હતી જે અંગે પણ આગામી દિવસોમાં જાહેરાત કરવામાં આવશે તેમ જણાવ્યું હતું,ભરૂચ જિલ્લા માટે કાર્યકરો સાથે યોજાયેલ આ મિટિંગમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટી પડ્યા હતા.
વધુમાં ભટ્ટી એ વધુમાં જણાવ્યું હતું કે, AIMIM BTP સાથે ના ગઠબંધનમાં ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ 2022 ની વિધાનસભા અને 2024 ની લોકસભા પણ લડશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભરૂચ, ગોધરા અને મોડાસા જિલ્લામાં તમામ પાલિકા, પંચાયતો પર ઉમેદવારો ઉતારવામાં આવશે. જ્યારે અમદાવાદ કોર્પોરેશનમાં પણ AIMIM ઝુકાવશે. સાથે જ રાજ્યના અન્ય જિલ્લામાં AIMIM ની ટીમ સર્વે માટે મોકલાય છે જેથી કરી ક્યાંથી કઈ બેઠક પર ચૂંટણી લડી શકાય તેનો તાગ મેળવાઈ રહ્યો છે. BTP-AIMIM નું ગઠબંધન પંચાયત થી પાર્લામેન્ટ સુધી રહેશે.
ભાજપ - કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવાયું હતું કે , ભાજપ-કોંગ્રેસ એક સિક્કાની બે બાજુ બન્નેની વિચારધારા માત્ર સત્તા હાંસિલ કરવાની છે. AIMIM આઝાદી ના 70 વર્ષમાં કોંગ્રેસ અને BJP ના શશનમાં ગુજરાતમાં જ્યાં અમુક વર્ગ અને વિસ્તારો જોડે તરછોડાયેલું વર્તન કરાયું છે ત્યાં પોહચી તેઓને પ્રાથમિક જરૂરિયાતની સુવિધાઓ પુરી કરાવવા ચૂંટણી જંગમાં ઉતરશે. અંતમાં હમીદ ભટ્ટીએ કહ્યું હતું કે અમે ગુજરાત મોડલના બ્લુનમાં પંક્ચર કરીશું.