હાલ રાતના 9થી સવારના 7 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ અમલમાં
અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતમાં નાઈટ કર્ફ્યૂ લાગુ છે, કોરોનાના કેસોમાં ઘટાડો થતા કર્ફયૂમાં છૂટછાટ મળી શકે છે
WatchGujarat રાજ્યમાં દિવાળીના તહેવાર બાદ એકાએક કોરોનાના કેસોમાં જબરદસ્ત વધારો થયો હતો. જે અંતર્ગત સરકાર દ્વારા મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ લાદવામાં આવ્યું છે. જેના કારણે સમગ્ર રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યું છે. અને ધીરે ધીરે કાબુમાં આવી રહ્યું છે. ત્યારે કોરોનાની મહામારીને કારણે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ રદ કર્યા બાદ ગુજરાતના તમામ પતંગોત્સવ રદ કરવામાં આવ્યા છે. આજે મળેલી કેબિનેટની બેઠકમાં વિવિધ શહેર અને જિલ્લામાં યોજાતા પતંગોત્સવ તથા આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ યોજાશે નહીં. ઉલ્લેખનીય છે કે અલગ અલગ 8 જગ્યાએ પતંગોત્સવ યોજાતા હતા. આ ઉપરાંત રાત્રિ કર્ફયૂનો સમય પણ ઘટાડીને 9 વાગ્યાને બદલે 11 વાગ્યાથી 6 વાગ્યાનો કરવામાં આવે તેવી શક્યતા છે. તે અંગે કેબિનેટમાં ચર્ચા કરવામાં આવી હતી. જેના પર હવે ગૃહ વિભાગ નિર્ણય લેશે.
ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રીના નેજા હેઠળ કોરોના સંક્રમણની સ્થિતિ અને નિયંત્રણ પર ધ્યાન રાખવા મળેલી કોર કમિટીની બેઠકમાં આ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. છેલ્લા પંદર દિવસથી રાજ્યમાં કોરોનાના નવા કેસોની સંખ્યા ઘટી રહી છે અને સાથોસાથ એક્ટિવ કેસોની સંખ્યામાં પણ ઘટાડો નોંધાયો છે, તેથી હવે રાત્રી કર્ફ્યૂનો સમય ઘટાડી 9ને બદલે 11 વાગ્યાથી શરૂ કરવાનો નિર્ણય લઇ શકાય તેવી શક્યતો સેવાઈ રહી છે. જોકે રાજ્ય સરકાર પરિસ્થિતિની સમીક્ષા કર્યા પછી અંતિમ નિર્ણય કરશે, પરંતુ સૂત્રોના જણાવ્યા મુજબ, કર્ફ્યૂનો સમય રાત્રે 11થી સવારે 6 વાગ્યા સુધીનો હોઈ શકે છે.
ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને નિર્દેશ આપ્યો હતો કે, દિવાળી બાદ રાજ્યમાં જે રીતે કોરોના વકર્યો તેવી સ્થિતિ મકરસંક્રાંતિના તહેવાર સમયે અને પછી સર્જાય નહીં તે અંગે ધ્યાન રાખશો. હાઈકોર્ટે રાજ્ય સરકારને ટકોર કરી છે કે આકરા નિર્ણયો લેતા ગભરાશો નહીં. લોકો નિરાશ થાય એની ચિંતા કરશો નહીં. લોકો આ તહેવારની ઉજવણી આવતા વર્ષે પણ ઉત્સાહ અને ઉલ્લાસ સાથે કરી શકે છે. હાઈકોર્ટે સરકારી વકીલને નિર્દેશ આપ્યો છે કે, સરકાર મકરસંક્રાંતિના તહેવારને લઈને શું નિર્ણય કરવા માગે છે, એ અંગે સૂચના મેળવીને જણાવો. મકરસંક્રાંતિને અનુલક્ષીને હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરાઈ છે. આ કેસની વધુ સુનાવણી આઠ જાન્યુઆરીએ હાથ ધરાશે.
More #પતંગોત્સવ #All kite #Festivals #In-the-state #canceled #Night curfew #timing #Gujaratinews #Watchgujarat
હાલ રાતના 9થી સવારના 7 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ અમલમાં
અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતમાં નાઈટ કર્ફ્યૂ લાગુ છે, કોરોનાના કેસોમાં ઘટાડો થતા કર્ફયૂમાં છૂટછાટ મળી શકે છે
WatchGujarat રાજ્યમાં દિવાળીના તહેવાર બાદ એકાએક કોરોનાના કેસોમાં જબરદસ્ત વધારો થયો હતો. જે અંતર્ગત સરકાર દ્વારા મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ લાદવામાં આવ્યું છે. જેના કારણે સમગ્ર રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યું છે. અને ધીરે ધીરે કાબુમાં આવી રહ્યું છે. ત્યારે કોરોનાની મહામારીને કારણે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ રદ કર્યા બાદ ગુજરાતના તમામ પતંગોત્સવ રદ કરવામાં આવ્યા છે. આજે મળેલી કેબિનેટની બેઠકમાં વિવિધ શહેર અને જિલ્લામાં યોજાતા પતંગોત્સવ તથા આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ યોજાશે નહીં. ઉલ્લેખનીય છે કે અલગ અલગ 8 જગ્યાએ પતંગોત્સવ યોજાતા હતા. આ ઉપરાંત રાત્રિ કર્ફયૂનો સમય પણ ઘટાડીને 9 વાગ્યાને બદલે 11 વાગ્યાથી 6 વાગ્યાનો કરવામાં આવે તેવી શક્યતા છે. તે અંગે કેબિનેટમાં ચર્ચા કરવામાં આવી હતી. જેના પર હવે ગૃહ વિભાગ નિર્ણય લેશે.
ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રીના નેજા હેઠળ કોરોના સંક્રમણની સ્થિતિ અને નિયંત્રણ પર ધ્યાન રાખવા મળેલી કોર કમિટીની બેઠકમાં આ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. છેલ્લા પંદર દિવસથી રાજ્યમાં કોરોનાના નવા કેસોની સંખ્યા ઘટી રહી છે અને સાથોસાથ એક્ટિવ કેસોની સંખ્યામાં પણ ઘટાડો નોંધાયો છે, તેથી હવે રાત્રી કર્ફ્યૂનો સમય ઘટાડી 9ને બદલે 11 વાગ્યાથી શરૂ કરવાનો નિર્ણય લઇ શકાય તેવી શક્યતો સેવાઈ રહી છે. જોકે રાજ્ય સરકાર પરિસ્થિતિની સમીક્ષા કર્યા પછી અંતિમ નિર્ણય કરશે, પરંતુ સૂત્રોના જણાવ્યા મુજબ, કર્ફ્યૂનો સમય રાત્રે 11થી સવારે 6 વાગ્યા સુધીનો હોઈ શકે છે.
ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને નિર્દેશ આપ્યો હતો કે, દિવાળી બાદ રાજ્યમાં જે રીતે કોરોના વકર્યો તેવી સ્થિતિ મકરસંક્રાંતિના તહેવાર સમયે અને પછી સર્જાય નહીં તે અંગે ધ્યાન રાખશો. હાઈકોર્ટે રાજ્ય સરકારને ટકોર કરી છે કે આકરા નિર્ણયો લેતા ગભરાશો નહીં. લોકો નિરાશ થાય એની ચિંતા કરશો નહીં. લોકો આ તહેવારની ઉજવણી આવતા વર્ષે પણ ઉત્સાહ અને ઉલ્લાસ સાથે કરી શકે છે. હાઈકોર્ટે સરકારી વકીલને નિર્દેશ આપ્યો છે કે, સરકાર મકરસંક્રાંતિના તહેવારને લઈને શું નિર્ણય કરવા માગે છે, એ અંગે સૂચના મેળવીને જણાવો. મકરસંક્રાંતિને અનુલક્ષીને હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરાઈ છે. આ કેસની વધુ સુનાવણી આઠ જાન્યુઆરીએ હાથ ધરાશે.