આણંદમાં છેલ્લા બે માસમાં ડેમોલ, રૂપિયાપુરા, પીપળાવ, સારસા, વિરસદ, મલાતજ સ્વૈચ્છિક લોકડાઉન
WatchGujarat. ગુજરાતમાં કોરોના કાળો કેર વર્તાવી રહ્યો છે. રાજ્યભરમાં દિનપ્રતિદિન કોરોનાના સર્વોચ્ચ કેસ નોંધાઈ રહ્યા છે. રાજ્યમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે અને આ વખતે કોરોના પહેલાં કરતાં વધારે ખતરનાક હોવાનું મનાઇ રહ્યો છે, તેમ છતાં રાજ્યમાં અનેક સ્થળો પર બેદરકારી જોવા મળી રહે છે. તો બીજી તરફ, રાજ્યના કેટલાક ભાગોમાં લોકો જાતે જ ગંભીર બની રહ્યા છે અને સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે, કોરોનાના સંક્રમણથી સુરક્ષિત રહી શકાય એ દિશામાં યથાયોગ્ય પગલાં ભરી રહ્યાં છે, જેમાં અનેક વિસ્તારોમાં સ્વૈચ્છિક લોકડાઉન, રાત્રિ કર્ફ્યૂ, આંશિક લોકડાઉન જેવા નિર્ણયો લઇ રહ્યા છે.
આણંદમાં છેલ્લા બે માસમાં ડેમોલ, રૂપિયાપુરા, પીપળાવ, સારસા, વિરસદ, મલાતજ, ચાંગા, પણસોરા અને લિંગડા ઉપરાંત બોદાલ અને કાસોર ગ્રામ પંચાયતે પણ હાલ સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું છે. ત્યારે વધુ એક ગામના લોકોએ સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું છે.
બોરસદ તાલુકાના દાવોલ ગામે લોકડાઉન જાહેર કર્યું છે. જેમાં બપોરે 12 થી સવારના 6 વાગ્યા સુધી લોકડાઉન રહેશે. આ ઉપરાંત એક બાદ એક ગામોમાં લોકડાઉન થઈ રહ્યું છે.
મધ્ય ગુજરાતના આ ગામમાં લોકડાઉન જાહેર
ખેડા જિલ્લાના ત્રણ તાલુકાનાં ગામોમાં સ્વૈચ્છિક લોકડાઉન લાદવામાં આવ્યું છે, જેમાં વસો તાલુકાના પીજ, કપડવંજ તાલુકાના તેલનાર અને નડિયાદ તાલુકાના અલિન્દ્રા ગામનો સમાવેશ થાય છે. આ તમામ ગામોમાં બપોર બાદ સ્વૈચ્છિક રીતે લોકડાઉન લાદવામાં આવ્યું છે. દાહોદ જિલ્લાના બલૈયા ગામમા તારીખ 1થી 5 લોકડાઉન કરાયું હતું, જે હવે ખોલી દેવાયું છે. ફતેપુરા તાલુકાના જ તાલુકા મથક ફતેપુરા,કરોડિયા પૂર્વ અને કાળિયા વલુનડામાં આજે 6 એપ્રિલથી 15 એપ્રિલ સુધી 10 દિવસનું લોકડાઉન જાહેર કરવામા આવ્યું છે.
WatchGujarat. ગુજરાતમાં કોરોના કાળો કેર વર્તાવી રહ્યો છે. રાજ્યભરમાં દિનપ્રતિદિન કોરોનાના સર્વોચ્ચ કેસ નોંધાઈ રહ્યા છે. રાજ્યમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે અને આ વખતે કોરોના પહેલાં કરતાં વધારે ખતરનાક હોવાનું મનાઇ રહ્યો છે, તેમ છતાં રાજ્યમાં અનેક સ્થળો પર બેદરકારી જોવા મળી રહે છે. તો બીજી તરફ, રાજ્યના કેટલાક ભાગોમાં લોકો જાતે જ ગંભીર બની રહ્યા છે અને સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે, કોરોનાના સંક્રમણથી સુરક્ષિત રહી શકાય એ દિશામાં યથાયોગ્ય પગલાં ભરી રહ્યાં છે, જેમાં અનેક વિસ્તારોમાં સ્વૈચ્છિક લોકડાઉન, રાત્રિ કર્ફ્યૂ, આંશિક લોકડાઉન જેવા નિર્ણયો લઇ રહ્યા છે.
આણંદમાં છેલ્લા બે માસમાં ડેમોલ, રૂપિયાપુરા, પીપળાવ, સારસા, વિરસદ, મલાતજ, ચાંગા, પણસોરા અને લિંગડા ઉપરાંત બોદાલ અને કાસોર ગ્રામ પંચાયતે પણ હાલ સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું છે. ત્યારે વધુ એક ગામના લોકોએ સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું છે.
બોરસદ તાલુકાના દાવોલ ગામે લોકડાઉન જાહેર કર્યું છે. જેમાં બપોરે 12 થી સવારના 6 વાગ્યા સુધી લોકડાઉન રહેશે. આ ઉપરાંત એક બાદ એક ગામોમાં લોકડાઉન થઈ રહ્યું છે.
મધ્ય ગુજરાતના આ ગામમાં લોકડાઉન જાહેર
ખેડા જિલ્લાના ત્રણ તાલુકાનાં ગામોમાં સ્વૈચ્છિક લોકડાઉન લાદવામાં આવ્યું છે, જેમાં વસો તાલુકાના પીજ, કપડવંજ તાલુકાના તેલનાર અને નડિયાદ તાલુકાના અલિન્દ્રા ગામનો સમાવેશ થાય છે. આ તમામ ગામોમાં બપોર બાદ સ્વૈચ્છિક રીતે લોકડાઉન લાદવામાં આવ્યું છે. દાહોદ જિલ્લાના બલૈયા ગામમા તારીખ 1થી 5 લોકડાઉન કરાયું હતું, જે હવે ખોલી દેવાયું છે. ફતેપુરા તાલુકાના જ તાલુકા મથક ફતેપુરા,કરોડિયા પૂર્વ અને કાળિયા વલુનડામાં આજે 6 એપ્રિલથી 15 એપ્રિલ સુધી 10 દિવસનું લોકડાઉન જાહેર કરવામા આવ્યું છે.