કોરોનાના કેસ વધતા પણસોરામાં સવારે 6 થી 2 કલાક બજાર ખુલ્લુ રાખવાનો નિર્ણય
માસ્ક વગર ગામમાં કોઈ જગ્યાએ બેસવાનું નહિ અને કામ વગર બહાર નીકળવાનું નહિ તેવી સૂચના
પણસોરા ગ્રામ પંચાયત તા. 1 એપ્રિલ થી 10 એપ્રિલ સુધી તો મલાતજમાં 1 થી 15 એપ્રિલ સુધી સ્વૈચ્છિક લોકડાઉન જાહેર
WatchGujarat ઉમરેઠ તાલુકાના ગ્રામ્ય વિસ્તારો કોરોનાએ પોતાનો અજગર ભરડો લઈ લીધો છે. સરકારી ચોપડે ના હોય એવા અનેક કોરોનાનાં કેસો દિન પ્રતિદિન વધી રહ્યા છે. ત્યારે ઉમરેઠ તાલુકાના પણસોરા ગ્રામ પંચાયત દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરાયું છે.
ઉમરેઠ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાના કેસો વધતા પણસોરા ગ્રામ પંચાયત તા. 1 એપ્રિલ થી 10 એપ્રિલ સુધી ગામની તમામ દુકાનો કોમ્પલેક્ષ તમામ હોટેલ રેસ્ટોરન્ટ ખાણી પીણી ના સ્થળો ભોજનાલય તથા પાનના ગલ્લા આઈસ્ક્રીમ પાર્લર શેરડી રસ, કેરીનો રસ તથા શ્રીખંડની દુકાનોમાં કોરોના વાઇરસને ફેલાતો અટકાવવા સવારે 6 થી 2 કલાક સુધી જ ચાલુ રાખી શકાશે.
https://youtu.be/zlBLqp-F9HM
આ અંગે પણસોરાના સરપંચે જણાવ્યું હતું કે કોરોના સંક્રમણને અટકાવવાના ભાગરૂપે સ્વૈચ્છિક 15 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. કોરોના સંક્રમણને અટકાવવા બપોરે 2.00 વાગ્યા બાદ તમામ ગલ્લાઓ દુકાનો સહિત ધંધા રોજગારની દુકાનો બંધ રાખવા જણાવેલ છે. તેમજ માસ્ક વગર ગામમાં કોઈ જગ્યાએ બેસવાનું નહિ અને કામ વગર બહાર નીકળવાનું નહિ તેવી સૂચના આપી છે.
આ ઉપરાંત સોજિત્રા તાલુકાના મલાતજ ગામે કોરોનાના કેસમાં વધારો થતાં ગ્રામ પંચાયત દ્વારા 1 થી 15 એપ્રિલ સુધી સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. સવારે માત્ર 6 થી 12 સુધી બજાર ખુલ્લા રહેશે. તેમજ ગ્રામજનોએ સોશિયલ ડિસ્ટન્સ જળવાઇ રહે તે માટે ચારથી વધુ ભેગા ન થવા ગ્રામ પંચાયતે જણાવ્યું છે.
સાવચેતીના ભાગરૂપે સહભાગીદાર થવા માટે ગ્રામ પંચાયત મલાતજ તરફથી માસ્ક ફરજીયાત પહેરવું, સોશિયલ ડિસ્ટન્સ જાળવવું, અને ચારથી વધુ લોકોએ ભેગા થવું નહિ જેવી સૂચનાઓ આપવામાં આવી છે. તેમજ નોટિસની અમલવારી નહીં કરનાર સામે દંડનાત્મક કાર્યવાહી કરવામાં આવશે જેની ગંભીરતાથી નોંધ લેવા જણાવાયું છે.
માસ્ક વગર ગામમાં કોઈ જગ્યાએ બેસવાનું નહિ અને કામ વગર બહાર નીકળવાનું નહિ તેવી સૂચના
પણસોરા ગ્રામ પંચાયત તા. 1 એપ્રિલ થી 10 એપ્રિલ સુધી તો મલાતજમાં 1 થી 15 એપ્રિલ સુધી સ્વૈચ્છિક લોકડાઉન જાહેર
WatchGujarat ઉમરેઠ તાલુકાના ગ્રામ્ય વિસ્તારો કોરોનાએ પોતાનો અજગર ભરડો લઈ લીધો છે. સરકારી ચોપડે ના હોય એવા અનેક કોરોનાનાં કેસો દિન પ્રતિદિન વધી રહ્યા છે. ત્યારે ઉમરેઠ તાલુકાના પણસોરા ગ્રામ પંચાયત દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરાયું છે.
ઉમરેઠ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાના કેસો વધતા પણસોરા ગ્રામ પંચાયત તા. 1 એપ્રિલ થી 10 એપ્રિલ સુધી ગામની તમામ દુકાનો કોમ્પલેક્ષ તમામ હોટેલ રેસ્ટોરન્ટ ખાણી પીણી ના સ્થળો ભોજનાલય તથા પાનના ગલ્લા આઈસ્ક્રીમ પાર્લર શેરડી રસ, કેરીનો રસ તથા શ્રીખંડની દુકાનોમાં કોરોના વાઇરસને ફેલાતો અટકાવવા સવારે 6 થી 2 કલાક સુધી જ ચાલુ રાખી શકાશે.
આ અંગે પણસોરાના સરપંચે જણાવ્યું હતું કે કોરોના સંક્રમણને અટકાવવાના ભાગરૂપે સ્વૈચ્છિક 15 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. કોરોના સંક્રમણને અટકાવવા બપોરે 2.00 વાગ્યા બાદ તમામ ગલ્લાઓ દુકાનો સહિત ધંધા રોજગારની દુકાનો બંધ રાખવા જણાવેલ છે. તેમજ માસ્ક વગર ગામમાં કોઈ જગ્યાએ બેસવાનું નહિ અને કામ વગર બહાર નીકળવાનું નહિ તેવી સૂચના આપી છે.
આ ઉપરાંત સોજિત્રા તાલુકાના મલાતજ ગામે કોરોનાના કેસમાં વધારો થતાં ગ્રામ પંચાયત દ્વારા 1 થી 15 એપ્રિલ સુધી સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. સવારે માત્ર 6 થી 12 સુધી બજાર ખુલ્લા રહેશે. તેમજ ગ્રામજનોએ સોશિયલ ડિસ્ટન્સ જળવાઇ રહે તે માટે ચારથી વધુ ભેગા ન થવા ગ્રામ પંચાયતે જણાવ્યું છે.
સાવચેતીના ભાગરૂપે સહભાગીદાર થવા માટે ગ્રામ પંચાયત મલાતજ તરફથી માસ્ક ફરજીયાત પહેરવું, સોશિયલ ડિસ્ટન્સ જાળવવું, અને ચારથી વધુ લોકોએ ભેગા થવું નહિ જેવી સૂચનાઓ આપવામાં આવી છે. તેમજ નોટિસની અમલવારી નહીં કરનાર સામે દંડનાત્મક કાર્યવાહી કરવામાં આવશે જેની ગંભીરતાથી નોંધ લેવા જણાવાયું છે.