વડોદરામાં સોની પરિવારે આર્થિસ સંકળામણના કારણે સામુહિક આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર.
આણંદમાં ગતરોજ શાહ પરિવારના માતા, પુત્ર અને પુત્રીનો જીવન ટુંકાવવાનો પ્રયાસ.
પુત્રીએ કામ પર ગયેલા પિતાને જીવન ટુંકાવવાના પ્રયાસ અંગે ફોન કરીને જાણ કરી.
પુત્રીનો જીવ બચાવવામાં ડોક્ટરને સફળતા મળી, માતા અને 12 વર્ષીય પુત્ર મીતે જીવ ગુમાવ્યો.
WatchGujarat. વડોદરાના સમા વિસ્તારમાં રહેતો સોની પરિવાર આર્થિક ભીંસમાં આવી જતા ઘરના મોભી સહિત 6 સભ્યોએ ઝેરી દવા પી ગટગટાવી સામુહિક આપઘાત કર્યો હતો. જે ઘટનાએ સમગ્ર ગુજરાતને હચમચાવી દીધી હતી. હજી મામલાની તપાસ ચાલી રહી છે ત્યારે ગત રોજ આણંદ ગ્રીડ ચોકડી પાસે આવેલ જીવનદીપ સોસાયટીમાં રહેતા શાહ પરિવારના પુત્ર, પુત્રી અને માતાએ આર્થિક સંકળામણથી કંટાળી ઝેરી દવા ગટગટાવી સામુહિક આપઘાત કરવાનો પ્રયાસ કર્યાની ઘટના સામે આવી હતી. આણંદ ખાતે થયેલા સામુહિક આપઘાના પ્રયાસમાં 38 વર્ષીય માતા અને 12 વર્ષીય પુત્રનું મોત નીપજ્યું છે. જયારે 15 વર્ષીય પુત્રીનો આબાદ બચાવ બાદ સારવાર અર્થે ખસેડવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, વિદ્યાનગર ખાતે આવેલ મીત ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ નામનો વ્યવસાય ધરાવતા પ્રકાશ શાહ ગત રોજ વહેલી સવારે રાબેતા મુજબ પોતાની ઓફીસ જવા નીકળ્યા હતા. ત્યારે ઘરમાં હાજર તેમના પત્ની 38 વર્ષીય ટીનાબેન શાહ 12 વર્ષીય પુત્ર મીત શાહ અને 15 વર્ષીય પુત્રી સૃષ્ટિ શાહે ઘરમાં જ ઝેર પી સામુહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જો કે, પુત્રીની તબિયત લથડતા તેણે પિતા પ્રકાશભાઈને ફોન કરી સમગ્ર ઘટના અંગે જાણ કરી હતી અને જણાવ્યું હતું કે, "પપ્પા અમે દવા પી લીધી છે ઘરે આવો" પુત્રીની વાત સાંભળતાં જ પ્રકાશભાઈની ઉપર જાણે આભ તૂટી પડ્યું હોય તેમ તેઓ હચમચી ગયા હતા.
દરમિયાન પુત્રીના જણાવ્યા બાદ પ્રકાશ શાહ તાત્કાલિક પોતાના ઘરે દોડી આવ્યા હતા. અને પત્ની, પુત્ર અને પુત્રીને સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તમામની સારવાર શરૂ કરવામાં આવી હતી. સારવાર દરમિયાન પહેલા પુત્રનું બાદમાં માતાનું અવસાન થયું હતું. જ્યારે પુત્રીનો જીવ બચાવવામાં ડોક્ટરને સફળતા મળી હતી. જો કે, માતા અને 12 વર્ષીય પુત્ર મીતે જીવ ગુમાવ્યો હતો. 15 વર્ષીય પુત્રીને સૃષ્ટિને સમયસર સારવાર મળતા તેનો જીવ બચી ગયો હતો.
સામુહિક આપઘાતની ઘટના અંગે પોલીસને જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. આણંદ ટાઉન પોલીસે માતા અને પુત્રના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે આણંદ જનરલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. પોસ્ટ મોર્ટમ કરાવ્યા બાદ બંને મૃતદેહને પરિવારને સોંપવામાં હતા. સમગ્ર ઘટના અંગે પ્રાથમિક માહિતી મુજબ છેલ્લા 10 મહિનાથી ઘરમાં આર્થિક તંગી ચાલી રહી હતી. જેના કારણે પરિવારે આ પગલું ભર્યું હોવાનું મનાય રહ્યું છે. જો કે, આ વાતને કોઇ ચોક્કસ સમર્થન પ્રાપ્ય થયું નથી.
પોલીસે પુત્રીનું ડેથ ડેક્લેરેશન લેવાની તજવીજ હાથ ધરી
બીજી તરફ સામુહિક આપઘાતના મામલા અંગે DY.S.P બી ડી જાડેજાના જણાવ્યા અનુસાર આર્થિક ભીંસમાં આવી જતા શાહ પરિવારના ત્રણ સભ્યોએ દવા પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં માતા અને પુત્રનું અવસાન થયું છે. જયારે સમયસર સારવાર મળી જતા પુત્રીનો બચાવ થયો છે. જેથી પોલીસે પુત્રીનું ડેથ ડેક્લેરેશન લેવાની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત શાહ પરિવારના અન્ય સભ્ય અને શ્રુષ્ટિના પિતા પ્રકાશભાઈની પણ પુછપરછ હાથ ધરી છે.
વડોદરામાં સોની પરિવારે આર્થિસ સંકળામણના કારણે સામુહિક આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર.
WatchGujarat. વડોદરાના સમા વિસ્તારમાં રહેતો સોની પરિવાર આર્થિક ભીંસમાં આવી જતા ઘરના મોભી સહિત 6 સભ્યોએ ઝેરી દવા પી ગટગટાવી સામુહિક આપઘાત કર્યો હતો. જે ઘટનાએ સમગ્ર ગુજરાતને હચમચાવી દીધી હતી. હજી મામલાની તપાસ ચાલી રહી છે ત્યારે ગત રોજ આણંદ ગ્રીડ ચોકડી પાસે આવેલ જીવનદીપ સોસાયટીમાં રહેતા શાહ પરિવારના પુત્ર, પુત્રી અને માતાએ આર્થિક સંકળામણથી કંટાળી ઝેરી દવા ગટગટાવી સામુહિક આપઘાત કરવાનો પ્રયાસ કર્યાની ઘટના સામે આવી હતી. આણંદ ખાતે થયેલા સામુહિક આપઘાના પ્રયાસમાં 38 વર્ષીય માતા અને 12 વર્ષીય પુત્રનું મોત નીપજ્યું છે. જયારે 15 વર્ષીય પુત્રીનો આબાદ બચાવ બાદ સારવાર અર્થે ખસેડવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, વિદ્યાનગર ખાતે આવેલ મીત ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ નામનો વ્યવસાય ધરાવતા પ્રકાશ શાહ ગત રોજ વહેલી સવારે રાબેતા મુજબ પોતાની ઓફીસ જવા નીકળ્યા હતા. ત્યારે ઘરમાં હાજર તેમના પત્ની 38 વર્ષીય ટીનાબેન શાહ 12 વર્ષીય પુત્ર મીત શાહ અને 15 વર્ષીય પુત્રી સૃષ્ટિ શાહે ઘરમાં જ ઝેર પી સામુહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જો કે, પુત્રીની તબિયત લથડતા તેણે પિતા પ્રકાશભાઈને ફોન કરી સમગ્ર ઘટના અંગે જાણ કરી હતી અને જણાવ્યું હતું કે, "પપ્પા અમે દવા પી લીધી છે ઘરે આવો" પુત્રીની વાત સાંભળતાં જ પ્રકાશભાઈની ઉપર જાણે આભ તૂટી પડ્યું હોય તેમ તેઓ હચમચી ગયા હતા.
દરમિયાન પુત્રીના જણાવ્યા બાદ પ્રકાશ શાહ તાત્કાલિક પોતાના ઘરે દોડી આવ્યા હતા. અને પત્ની, પુત્ર અને પુત્રીને સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તમામની સારવાર શરૂ કરવામાં આવી હતી. સારવાર દરમિયાન પહેલા પુત્રનું બાદમાં માતાનું અવસાન થયું હતું. જ્યારે પુત્રીનો જીવ બચાવવામાં ડોક્ટરને સફળતા મળી હતી. જો કે, માતા અને 12 વર્ષીય પુત્ર મીતે જીવ ગુમાવ્યો હતો. 15 વર્ષીય પુત્રીને સૃષ્ટિને સમયસર સારવાર મળતા તેનો જીવ બચી ગયો હતો.
સામુહિક આપઘાતની ઘટના અંગે પોલીસને જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. આણંદ ટાઉન પોલીસે માતા અને પુત્રના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે આણંદ જનરલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. પોસ્ટ મોર્ટમ કરાવ્યા બાદ બંને મૃતદેહને પરિવારને સોંપવામાં હતા. સમગ્ર ઘટના અંગે પ્રાથમિક માહિતી મુજબ છેલ્લા 10 મહિનાથી ઘરમાં આર્થિક તંગી ચાલી રહી હતી. જેના કારણે પરિવારે આ પગલું ભર્યું હોવાનું મનાય રહ્યું છે. જો કે, આ વાતને કોઇ ચોક્કસ સમર્થન પ્રાપ્ય થયું નથી.
બીજી તરફ સામુહિક આપઘાતના મામલા અંગે DY.S.P બી ડી જાડેજાના જણાવ્યા અનુસાર આર્થિક ભીંસમાં આવી જતા શાહ પરિવારના ત્રણ સભ્યોએ દવા પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં માતા અને પુત્રનું અવસાન થયું છે. જયારે સમયસર સારવાર મળી જતા પુત્રીનો બચાવ થયો છે. જેથી પોલીસે પુત્રીનું ડેથ ડેક્લેરેશન લેવાની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત શાહ પરિવારના અન્ય સભ્ય અને શ્રુષ્ટિના પિતા પ્રકાશભાઈની પણ પુછપરછ હાથ ધરી છે.