સાંસદ અને જાણીતા એનીમલ રાઈટ્સ એક્ટિવીસ્ટ મેનકા ગાંધીના હસ્તક્ષેપ પછી નોંધાઈ ફોજદારી
શ્વાનને ફ્રેક્ચર કરનાર શખ્સ વિરુદ્ધ પ્રાણી ક્રૂરતા અધિનિયમ હેઠળ ગુનો નોંધાયો
WatchGujarat માનવતા મરી પરવારી હોય તેવી ઘટનાઓ અવાર નવાર સામે આવતી હોય છે. ત્યારે વધુ એક ઘટનામાં કચ્છના અંજાર તાલુકામાં આવતા મેઘપર-કુંભારડીમાં શ્વાનને ક્રૂરતા પૂર્વક ધોકાથી માર મારવામાં આવતા તેને ક્રેક્ચર સહિતની ઈજા પહોંચી હતી. શ્વાનને ક્રૂરતા પૂર્વક મારમારતા ગાંધીધામમાં કાર્યરત નિર્ભય સંસ્થાના સંચાલકોએ પોલીસના દ્વાર ખટખટાવ્યા હતા અને બનાવ અંગે સાંસદ અને જાણીતા એનીમલ રાઈટ્સ એક્ટિવીસ્ટ મેનકા ગાંધીએ હસ્તક્ષેપ કર્યા બાદ અંજાર પોલીસ મથકે આરોપી વિરુદ્ધ પ્રાણી ક્રૂરતા અધિનિયમ હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
બનાવની વિગત એવી છે કે, મેઘપર-કુંભારડીના રવેચીનગર-1માં રહેતા કનકસિંહ પરમારે લાલુ નામના શ્વાનને ધોકાથી માર માર્યો હતો. જે સંદર્ભે સોસાયટીમાં જ રહેતા સ્થાનિકોએ સંસ્થાનો સંપર્ક કરતા ગાંધીધામની ઓમ વેટરનીટી હોસ્પિટલમાં શ્વાનને ખસેડવામાં આવ્યો હતો અને ત્યાં તેના પગમાં ફ્રેક્ચર હોવાનુ સામે આવતા જમણા પગનું ઓપરેશન કરી પ્લેટ બેસાડવામાં આવી હતી. જોકે શ્વાનને હડકવા ના હોવાનું અને માનસીક સ્થિતી પણ યોગ્ય હોવાનું એનીમલ ડોક્ટરએ પ્રમાણપત્ર આપ્યું હતું.
આ અંગે સંસ્થા સંચાલક દ્વારા અંજાર પોલીસ મથકમાં જઈને ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા હાથ ધરવાનો પ્રયાસ કરાયો હતો, પણ પ્રક્રિયા આગળ વધતી ના જોઇએ તેમણે પીપલ ફોર એનીમલ સંસ્થાનો સંપર્ક કર્યો હતો. જેના થકી સાંસદ અને એનમીલ પ્રાણીઓના અધિકારો માટે કામ કરતા મેનકા ગાંધી સુધી આ વાત પહોંચી હતી. ત્યારે તેમણે અંગત રુચી લઈને સ્થાનિક સંસ્થાનો સંપર્ક સાધી આ અંગે કઈ ધારાઓ તળે ગુનો નોંધાવી શકાય અને શું કાર્યવાહી થઈ શકે તે માટેનું માર્ગદર્શન આપ્યું હતું ત્યારબાદ સંસ્થાએ બનાવ સંદર્ભે ફરિયાદીએ અંજાર પોલીસ મથકે શ્વાનને ક્રૂરતા પૂર્વક મારનાર આરોપી વિરુદ્ધ પ્રાણી ક્રૂરતા અધિનિયમ 1960ની કલમ મુજબ ગુનો નોંધાવ્યો હતો.
અવારનવાર શ્વાન સાથે ક્રૂરતા દાખવતા શ્વાન પ્રેમીઓમાં રોષમેઘપર કુંભારડીમાં સામે આવેલી શ્વાન પર અત્યાચારની ઘટના પ્રકાશમાં આવતા ગાંધીધામ, આદિપુર અને કચ્છભર સહિતના ગુજરાતના શ્વાન પ્રેમીઓમાં રોષની લાગણી જન્મી હતી. સોશિયલ મીડીયામાં પણ આ બાબત બે દિવસથી છવાયેલી રહી હતી. આ ઘટનામાં પણ અગાઉ આજ શેરીના અન્ય શ્વાનો પર પણ અત્યાચાર ગુજરાયાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. થોડા સમય અગાઉ આજ પ્રકારનો કિસ્સો પણ પ્રકાશમાં આવ્યો હતો, જેમાં એક વ્યક્તિ દ્વારા ગલુડીયાનું ગળેથી પકડીને મારી નાખતો વીડીયો વાઈરલ થતા પોલીસે આરોપીને ઝડપ્યો હતો. આ પ્રકરણમાં પણ આ પ્રકારની કાર્યવાહી હાથ ધરાય તેવી માંગ પ્રબળ બની છે.
સાંસદ અને જાણીતા એનીમલ રાઈટ્સ એક્ટિવીસ્ટ મેનકા ગાંધીના હસ્તક્ષેપ પછી નોંધાઈ ફોજદારી
WatchGujarat માનવતા મરી પરવારી હોય તેવી ઘટનાઓ અવાર નવાર સામે આવતી હોય છે. ત્યારે વધુ એક ઘટનામાં કચ્છના અંજાર તાલુકામાં આવતા મેઘપર-કુંભારડીમાં શ્વાનને ક્રૂરતા પૂર્વક ધોકાથી માર મારવામાં આવતા તેને ક્રેક્ચર સહિતની ઈજા પહોંચી હતી. શ્વાનને ક્રૂરતા પૂર્વક મારમારતા ગાંધીધામમાં કાર્યરત નિર્ભય સંસ્થાના સંચાલકોએ પોલીસના દ્વાર ખટખટાવ્યા હતા અને બનાવ અંગે સાંસદ અને જાણીતા એનીમલ રાઈટ્સ એક્ટિવીસ્ટ મેનકા ગાંધીએ હસ્તક્ષેપ કર્યા બાદ અંજાર પોલીસ મથકે આરોપી વિરુદ્ધ પ્રાણી ક્રૂરતા અધિનિયમ હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
બનાવની વિગત એવી છે કે, મેઘપર-કુંભારડીના રવેચીનગર-1માં રહેતા કનકસિંહ પરમારે લાલુ નામના શ્વાનને ધોકાથી માર માર્યો હતો. જે સંદર્ભે સોસાયટીમાં જ રહેતા સ્થાનિકોએ સંસ્થાનો સંપર્ક કરતા ગાંધીધામની ઓમ વેટરનીટી હોસ્પિટલમાં શ્વાનને ખસેડવામાં આવ્યો હતો અને ત્યાં તેના પગમાં ફ્રેક્ચર હોવાનુ સામે આવતા જમણા પગનું ઓપરેશન કરી પ્લેટ બેસાડવામાં આવી હતી. જોકે શ્વાનને હડકવા ના હોવાનું અને માનસીક સ્થિતી પણ યોગ્ય હોવાનું એનીમલ ડોક્ટરએ પ્રમાણપત્ર આપ્યું હતું.
આ અંગે સંસ્થા સંચાલક દ્વારા અંજાર પોલીસ મથકમાં જઈને ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા હાથ ધરવાનો પ્રયાસ કરાયો હતો, પણ પ્રક્રિયા આગળ વધતી ના જોઇએ તેમણે પીપલ ફોર એનીમલ સંસ્થાનો સંપર્ક કર્યો હતો. જેના થકી સાંસદ અને એનમીલ પ્રાણીઓના અધિકારો માટે કામ કરતા મેનકા ગાંધી સુધી આ વાત પહોંચી હતી. ત્યારે તેમણે અંગત રુચી લઈને સ્થાનિક સંસ્થાનો સંપર્ક સાધી આ અંગે કઈ ધારાઓ તળે ગુનો નોંધાવી શકાય અને શું કાર્યવાહી થઈ શકે તે માટેનું માર્ગદર્શન આપ્યું હતું ત્યારબાદ સંસ્થાએ બનાવ સંદર્ભે ફરિયાદીએ અંજાર પોલીસ મથકે શ્વાનને ક્રૂરતા પૂર્વક મારનાર આરોપી વિરુદ્ધ પ્રાણી ક્રૂરતા અધિનિયમ 1960ની કલમ મુજબ ગુનો નોંધાવ્યો હતો.
અવારનવાર શ્વાન સાથે ક્રૂરતા દાખવતા શ્વાન પ્રેમીઓમાં રોષમેઘપર કુંભારડીમાં સામે આવેલી શ્વાન પર અત્યાચારની ઘટના પ્રકાશમાં આવતા ગાંધીધામ, આદિપુર અને કચ્છભર સહિતના ગુજરાતના શ્વાન પ્રેમીઓમાં રોષની લાગણી જન્મી હતી. સોશિયલ મીડીયામાં પણ આ બાબત બે દિવસથી છવાયેલી રહી હતી. આ ઘટનામાં પણ અગાઉ આજ શેરીના અન્ય શ્વાનો પર પણ અત્યાચાર ગુજરાયાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. થોડા સમય અગાઉ આજ પ્રકારનો કિસ્સો પણ પ્રકાશમાં આવ્યો હતો, જેમાં એક વ્યક્તિ દ્વારા ગલુડીયાનું ગળેથી પકડીને મારી નાખતો વીડીયો વાઈરલ થતા પોલીસે આરોપીને ઝડપ્યો હતો. આ પ્રકરણમાં પણ આ પ્રકારની કાર્યવાહી હાથ ધરાય તેવી માંગ પ્રબળ બની છે.