યુવકની હત્યા કર્યાબાદ આરોપી હર્ષ પટેલ કાર મૂકી ફરાર
પોલીસે મૃતકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી આરોપીની ધરપકડના ચક્રોગતિમાન કર્યા
WatchGujarat અંકલેશ્વર તાલુકાનાં સરફુદ્દીન ગામ નજીક નર્મદા નદી કિનારે યુવાનની ચપ્પુના ઘા મારી હત્યા કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. ચોંકાવનારી વાત તો એ હતી કે, યુવાને રેલ્વેમાં નોકરી માટે આપેલા રૂપિયા પરત માંગતા આરોપીએ યુવાનને મોતને ઘાટ ઉતારી દીધો હતો. હત્યા કર્યાબાદ આરોપી કાર મૂકી ફરાર થયો હતો.
અંકલેશ્વર શહેરના ચૌટા નાકા નજીક આવેલ દગા ફળિયામાં રહેતા અને મૂળ કલકતાના 23 વર્ષીય અનુપમ દાસે હવેલી ફળિયામાં રહેતા હર્ષ પટેલને રેલ્વેમાં નોકરી લગાડવા માટે રૂપિયા 1 લાખ આપ્યા હતા. લાંબા સમયથીપૈસા આપ્યા હોવા છતાં હર્ષ પટેલ તેને નોકરીએ લગાડતો ન હતો. જેથી આખરે અનુપમે નોકરી નહિ મળે તેમ વિચાર હર્ષ પટેલ પાસે પૈસા માંગવાનું શરૂ કર્યું હતું અને વારંવાર હર્ષ પાસે રૂપિયાની માંગ કરતો હોવા છતાં હર્ષ પૈસા પરત કરતો ન હતો.
આ બાબતની રીસ રાખી હર્ષ એ કાવતરું રચ્યું હતું. જેના ભાગરૂપે આરોપી હર્ષ પટેલે અનુપમ દાસને કામ અર્થે સજોદ જવાનું છે એ બહાને બોલાવ્યો હતો અને જૂના બોરભાઠા ગામથી સરફુદ્દીન ગામ જતાં રોડ પર નર્મદા નદીના કિનારે પહોચી અનુપમ પર છરી વડે હુમલો કર્યો હતો. જેમાં ગંભીર રીતે ઘવાયેલ અનુપમ દાસ ઘટના સ્થેળ જ નું મોત નીપજયું હતું. બીજી તરફ આરોપી હર્ષ પટેલ તેની કાર ઘટના સ્થળે જ મૂકી ફરાર થઈ ગયો હતો.
બનાવની જાણ થતાં જ શહેર પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી આરોપીની ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.
WatchGujarat અંકલેશ્વર તાલુકાનાં સરફુદ્દીન ગામ નજીક નર્મદા નદી કિનારે યુવાનની ચપ્પુના ઘા મારી હત્યા કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. ચોંકાવનારી વાત તો એ હતી કે, યુવાને રેલ્વેમાં નોકરી માટે આપેલા રૂપિયા પરત માંગતા આરોપીએ યુવાનને મોતને ઘાટ ઉતારી દીધો હતો. હત્યા કર્યાબાદ આરોપી કાર મૂકી ફરાર થયો હતો.
અંકલેશ્વર શહેરના ચૌટા નાકા નજીક આવેલ દગા ફળિયામાં રહેતા અને મૂળ કલકતાના 23 વર્ષીય અનુપમ દાસે હવેલી ફળિયામાં રહેતા હર્ષ પટેલને રેલ્વેમાં નોકરી લગાડવા માટે રૂપિયા 1 લાખ આપ્યા હતા. લાંબા સમયથીપૈસા આપ્યા હોવા છતાં હર્ષ પટેલ તેને નોકરીએ લગાડતો ન હતો. જેથી આખરે અનુપમે નોકરી નહિ મળે તેમ વિચાર હર્ષ પટેલ પાસે પૈસા માંગવાનું શરૂ કર્યું હતું અને વારંવાર હર્ષ પાસે રૂપિયાની માંગ કરતો હોવા છતાં હર્ષ પૈસા પરત કરતો ન હતો.
આ બાબતની રીસ રાખી હર્ષ એ કાવતરું રચ્યું હતું. જેના ભાગરૂપે આરોપી હર્ષ પટેલે અનુપમ દાસને કામ અર્થે સજોદ જવાનું છે એ બહાને બોલાવ્યો હતો અને જૂના બોરભાઠા ગામથી સરફુદ્દીન ગામ જતાં રોડ પર નર્મદા નદીના કિનારે પહોચી અનુપમ પર છરી વડે હુમલો કર્યો હતો. જેમાં ગંભીર રીતે ઘવાયેલ અનુપમ દાસ ઘટના સ્થેળ જ નું મોત નીપજયું હતું. બીજી તરફ આરોપી હર્ષ પટેલ તેની કાર ઘટના સ્થળે જ મૂકી ફરાર થઈ ગયો હતો.
બનાવની જાણ થતાં જ શહેર પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી આરોપીની ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.