કોરોના કારણે AIA નું સોશ્યલ ડિસ્ટન્સ અને કોવિડ ગાઈડલાઈન જાળવવા 120 સ્ટોલનું જ આયોજન
ત્રિ-દિવસીય ઔધોયોગિક પ્રદર્શનનું ઉદ્ઘાટન GIDC MD એમ. થેન્નારસન કરશે
60000 સ્કવેર ફિટ લેન્ડસ્કેપ એરિયામાં મેગા એક્સપો યોજાશે
રાજ્યની તમામ ઔદ્યોગિક વસાહતોમાંથી આ એક્સપોની મુલાકાત લેશે
WatchGujarat અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનનો 12 મો ઇન્ડસ્ટ્રીયલ એકસ્પો તા. 4 થી 6 ફેબ્રુઆરી દરમ્યાન ડી . એ . આનંદપુરા સાંસ્કૃતિક અને રમત ગમત સંકુલ , જીઆઇડીસી ખાતે યોજાશે. 60000 સ્કેવર ફુટ લેન્ડસ્કેપ એરીયામાં યોજાનારા આ મેગા પ્રદર્શનમાં નાના - મોટા થઇને 120 થી વધારે સ્ટોલ ઉભા કરવામાં આવેલ છે.
આ એકઝીબીશન સવારે 10 થી સાંજના 6 વાગ્યા સુધી ખુલ્લુ રહેશે . એકઝીબીશનનું ઉદ્ઘાટન ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમના ઉપાધ્યક્ષ અને વહીવટી સંચાલક એમ . થેન્નારસન , આઇ.એ.એસ.ના હસ્તે ભરૂચના કલેકટર અને જીલ્લા મેજીસ્ટ્રેટ ડો . એમ . ડી . મોડીયા તથા બળદેવભાઇ પ્રજાપતિ , રાષ્ટ્રિય અધ્યક્ષ , લઘુ ઉદ્યોગ ભારતીની ઉપસ્થિતિમાં થશે. સમારંભ દરમ્યાન AIA આનંદપુરા ટ્રોફી વિતરણનો કાર્યક્રમ પણ યોજવામાં આવેલ છે.
જેમાં માઇક્રો, સ્મોલ , મીડીયમ અને લાર્જ ઇન્ડસ્ટ્રીયલ યુનિટોમાંથી બેસ્ટ એકસપોર્ટ અને હાયર મેન્યુફેચરીંગ ટર્નઓવરની પ્રતિયોગિતામાં વિજેતા થયેલ તમામને ઉપસ્થિત મહાનુભાવોને હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવશે . સરકારની કોવિડ -19 ગાઇડ લાઇન મુજબ સામાજીક અંતર જળવાઇ રહે તે હેતુથી આ વર્ષે એકસ્પોમાં વધારે ભીડ એકઠી ન થાય તે માટે સ્ટોલ બુકીંગ 50 % પ્રમાણે થાય , તેવું પહેલેથી જ આયોજન કરવામાં આવેલ છે.
એકઝીબીશનમાં ફાર્માસ્યુટીકલ્સ , કેમિકલ્સ , પેટ્રોકેમિકલ્સ , પોલીમર્સ , એગ્રીકલ્ચર પેસ્ટીસાઇડસ , ઓઇલ એન્ડ લુબ્રીકેન્ટ , એન્જનીયરીંગ , ટુલ્સ એન્ડ મશીનરી , પ્રોસેસ કન્ટ્રોલ , પોલ્યુશન કન્ટ્રોલ ઇકવીપમેન્ટસ , ઇલેકટ્રીકલ્સ ) ઇલેકટ્રોનીકસ વિ . ઉદ્યોગોએ ભાગ લીધેલ છે . આ એઆઇએ ઇન્ડસ્ટ્રીયલ એકસ્પોની મુલાકાત ગુજરાતની નામાંકિત ઔદ્યોગિક વસાહતો જેવી કે વાપી , વટવા , નંદેસરી , દહેજ , ઝઘડીયા , પાનોલી , નરોડા , ભાવનગર , ઓઢવ , સાયખા , વિલાયત તેમજ આસપાસના રાજયોમાંથી પણ મોટી સંખ્યામાં મુલાકાતીઓ ભાગ લેશે.
એકઝીબીશનમાં ભાગ લેતા તમામ મુલાકાતીઓ માટે કોવિડ -19 ની ગાઇડ લાઇનના ભાગરૂપે ઓન લાઇન વીઝીટર્સ રજીસ્ટ્રેશન માટેની વ્યવસ્થા રાખવામાં આવેલ છે , જેમાં વીજીટર્સ www.aiaexpo.in પર જઇને ફરજીયાત નોંધણી કરાવવાની રહેશે અને QR Code સ્કેન કરીને પ્રવેશ આપવામાં આવશે , જેથી તમામ મુલાકાતીઓને આ કોન્ટેકટલેસ પ્રક્રિયાને અનુસરવા AIA પ્રમુખ રમેશ ગાબાની, પ્રોજેકટ ચેરમેન પ્રવિણ તેરૈયા સહિતે જણાવ્યું છે. ગત વર્ષે AIA ના એક્સપો માં 300 થી વધુ સ્ટોલ ઉભા કરાયા હતા , જોકે સોશ્યલ ડિસ્ટન્સ અને વધુ ભીડ ભેગી ન થાય તે માટે આ વખતે કોરોના ને લઈ 120 સ્ટોલ એટલે કે 60% ઓછા સ્ટોલનું આયોજન કરાયું છે.
કોરોના કારણે AIA નું સોશ્યલ ડિસ્ટન્સ અને કોવિડ ગાઈડલાઈન જાળવવા 120 સ્ટોલનું જ આયોજન
રાજ્યની તમામ ઔદ્યોગિક વસાહતોમાંથી આ એક્સપોની મુલાકાત લેશે
WatchGujarat અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનનો 12 મો ઇન્ડસ્ટ્રીયલ એકસ્પો તા. 4 થી 6 ફેબ્રુઆરી દરમ્યાન ડી . એ . આનંદપુરા સાંસ્કૃતિક અને રમત ગમત સંકુલ , જીઆઇડીસી ખાતે યોજાશે. 60000 સ્કેવર ફુટ લેન્ડસ્કેપ એરીયામાં યોજાનારા આ મેગા પ્રદર્શનમાં નાના - મોટા થઇને 120 થી વધારે સ્ટોલ ઉભા કરવામાં આવેલ છે.
આ એકઝીબીશન સવારે 10 થી સાંજના 6 વાગ્યા સુધી ખુલ્લુ રહેશે . એકઝીબીશનનું ઉદ્ઘાટન ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમના ઉપાધ્યક્ષ અને વહીવટી સંચાલક એમ . થેન્નારસન , આઇ.એ.એસ.ના હસ્તે ભરૂચના કલેકટર અને જીલ્લા મેજીસ્ટ્રેટ ડો . એમ . ડી . મોડીયા તથા બળદેવભાઇ પ્રજાપતિ , રાષ્ટ્રિય અધ્યક્ષ , લઘુ ઉદ્યોગ ભારતીની ઉપસ્થિતિમાં થશે. સમારંભ દરમ્યાન AIA આનંદપુરા ટ્રોફી વિતરણનો કાર્યક્રમ પણ યોજવામાં આવેલ છે.
જેમાં માઇક્રો, સ્મોલ , મીડીયમ અને લાર્જ ઇન્ડસ્ટ્રીયલ યુનિટોમાંથી બેસ્ટ એકસપોર્ટ અને હાયર મેન્યુફેચરીંગ ટર્નઓવરની પ્રતિયોગિતામાં વિજેતા થયેલ તમામને ઉપસ્થિત મહાનુભાવોને હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવશે . સરકારની કોવિડ -19 ગાઇડ લાઇન મુજબ સામાજીક અંતર જળવાઇ રહે તે હેતુથી આ વર્ષે એકસ્પોમાં વધારે ભીડ એકઠી ન થાય તે માટે સ્ટોલ બુકીંગ 50 % પ્રમાણે થાય , તેવું પહેલેથી જ આયોજન કરવામાં આવેલ છે.
એકઝીબીશનમાં ફાર્માસ્યુટીકલ્સ , કેમિકલ્સ , પેટ્રોકેમિકલ્સ , પોલીમર્સ , એગ્રીકલ્ચર પેસ્ટીસાઇડસ , ઓઇલ એન્ડ લુબ્રીકેન્ટ , એન્જનીયરીંગ , ટુલ્સ એન્ડ મશીનરી , પ્રોસેસ કન્ટ્રોલ , પોલ્યુશન કન્ટ્રોલ ઇકવીપમેન્ટસ , ઇલેકટ્રીકલ્સ ) ઇલેકટ્રોનીકસ વિ . ઉદ્યોગોએ ભાગ લીધેલ છે . આ એઆઇએ ઇન્ડસ્ટ્રીયલ એકસ્પોની મુલાકાત ગુજરાતની નામાંકિત ઔદ્યોગિક વસાહતો જેવી કે વાપી , વટવા , નંદેસરી , દહેજ , ઝઘડીયા , પાનોલી , નરોડા , ભાવનગર , ઓઢવ , સાયખા , વિલાયત તેમજ આસપાસના રાજયોમાંથી પણ મોટી સંખ્યામાં મુલાકાતીઓ ભાગ લેશે.
એકઝીબીશનમાં ભાગ લેતા તમામ મુલાકાતીઓ માટે કોવિડ -19 ની ગાઇડ લાઇનના ભાગરૂપે ઓન લાઇન વીઝીટર્સ રજીસ્ટ્રેશન માટેની વ્યવસ્થા રાખવામાં આવેલ છે , જેમાં વીજીટર્સ www.aiaexpo.in પર જઇને ફરજીયાત નોંધણી કરાવવાની રહેશે અને QR Code સ્કેન કરીને પ્રવેશ આપવામાં આવશે , જેથી તમામ મુલાકાતીઓને આ કોન્ટેકટલેસ પ્રક્રિયાને અનુસરવા AIA પ્રમુખ રમેશ ગાબાની, પ્રોજેકટ ચેરમેન પ્રવિણ તેરૈયા સહિતે જણાવ્યું છે. ગત વર્ષે AIA ના એક્સપો માં 300 થી વધુ સ્ટોલ ઉભા કરાયા હતા , જોકે સોશ્યલ ડિસ્ટન્સ અને વધુ ભીડ ભેગી ન થાય તે માટે આ વખતે કોરોના ને લઈ 120 સ્ટોલ એટલે કે 60% ઓછા સ્ટોલનું આયોજન કરાયું છે.