મુખ્ય માર્ગ પર પ્રદુષિત ખાલી બેરલ મૂકી અજાણ્યા ઇસમો ફરાર
કેમિકલના બેરલોને પગલે પર્યાવરણવાદીઓએ રોષની લાગણી વ્યક્ત કરી
WatchGujarat. પુનઃ અંકલેશ્વર માં કેમિકલ માફિયા બેફામ બન્યા છે. જી.આઈ.ડી.સી.માં પ્રદુષણ માફિયા જાહેર માર્ગ પર કેમિકલયુક્ત 25 ખાલી બેરલ મૂકી અજાણ્યા ઇસમો ફરાર થયા થઇ ગયા હતા. કેમિકલના બેરલોને પગલે પર્યાવરણવાદીઓએ રોષની લાગણી વ્યક્ત કરી હતી.
અંકલેશ્વર GIDC ની આનંદ હોટલથી ફાયર સ્ટેશન જવાના મુખ્ય માર્ગ પર કેમિકલના ખાલી બેરલો મૂકી અજાણ્યા ઇસમો ફરાર થઈ ગયા હતા. પ્રદુષિત કેમિકલના બેરલોને પગલે પર્યાવરણવાદીઓએ રોષની લાગણી વ્યક્ત કરી છે. કેટલીક બેજવાબદાર કંપનીઓ દિન પ્રતિદિન કેમિકલ સાથે પ્રદૂષણ ફેલાવી અંકલેશ્વરનું નામ ખરાબ કરી રહી છે ત્યારે શનિવારે વધુ એક લાપરવાહી સામે આવી છે.
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ની આનંદ હોટલથી ફાયર સ્ટેશન જવાના મુખ્ય માર્ગ પરથી કેમિકલના ખાલી 25 બેરલો મળી આવ્યા છે. કોઈક બેજવાબદાર ઉદ્યોગ કે પ્રદૂષણ માફિયા આ બેરલો મૂકીને નાસી છૂટયા છે. કેમિકલના ખાલી બેરલોને પગલે પશુ, પક્ષી સાથે માણસોને નુકશાન થાય તેવી દહેશત સેવાઇ રહી છે. આવા કૃત્યો બાબતે સ્થાનિક પર્યાવરણવાદીઓએ રોષની લાગણી વ્યક્ત કરી આ બાબતે જીપીસીબીના અધિકારીઓને જાણ કરી છે.
હાલ કોરોના કાળ માં પણ પ્રદુષણ માફિયાઓ દ્વારા થતા આવા કૃત્યો બાબતે સ્થાનિક પર્યાવરણ વાદીઓ એ રોષ ની લાગણી વ્યક્ત કરી હતી આ અંગે સલીમ પટેલએ જણાવ્યું હતું કે, તેમના તરફ થી આ બાબતની જાણ જીપીસીબી ના અધિકારી ઓને કરવામાં આવી છે. અને આ કેમિકલ યુક્ત બેરલો કોના છે અને કોણ મૂકી ગયું છે તે બાબતે ઊંડાણ પૂર્વક તપાસ કરી કાર્યવાહી કરવા માટે માગ કરી હતી.
મુખ્ય માર્ગ પર પ્રદુષિત ખાલી બેરલ મૂકી અજાણ્યા ઇસમો ફરાર
કેમિકલના બેરલોને પગલે પર્યાવરણવાદીઓએ રોષની લાગણી વ્યક્ત કરી
WatchGujarat. પુનઃ અંકલેશ્વર માં કેમિકલ માફિયા બેફામ બન્યા છે. જી.આઈ.ડી.સી.માં પ્રદુષણ માફિયા જાહેર માર્ગ પર કેમિકલયુક્ત 25 ખાલી બેરલ મૂકી અજાણ્યા ઇસમો ફરાર થયા થઇ ગયા હતા. કેમિકલના બેરલોને પગલે પર્યાવરણવાદીઓએ રોષની લાગણી વ્યક્ત કરી હતી.
અંકલેશ્વર GIDC ની આનંદ હોટલથી ફાયર સ્ટેશન જવાના મુખ્ય માર્ગ પર કેમિકલના ખાલી બેરલો મૂકી અજાણ્યા ઇસમો ફરાર થઈ ગયા હતા. પ્રદુષિત કેમિકલના બેરલોને પગલે પર્યાવરણવાદીઓએ રોષની લાગણી વ્યક્ત કરી છે. કેટલીક બેજવાબદાર કંપનીઓ દિન પ્રતિદિન કેમિકલ સાથે પ્રદૂષણ ફેલાવી અંકલેશ્વરનું નામ ખરાબ કરી રહી છે ત્યારે શનિવારે વધુ એક લાપરવાહી સામે આવી છે.
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ની આનંદ હોટલથી ફાયર સ્ટેશન જવાના મુખ્ય માર્ગ પરથી કેમિકલના ખાલી 25 બેરલો મળી આવ્યા છે. કોઈક બેજવાબદાર ઉદ્યોગ કે પ્રદૂષણ માફિયા આ બેરલો મૂકીને નાસી છૂટયા છે. કેમિકલના ખાલી બેરલોને પગલે પશુ, પક્ષી સાથે માણસોને નુકશાન થાય તેવી દહેશત સેવાઇ રહી છે. આવા કૃત્યો બાબતે સ્થાનિક પર્યાવરણવાદીઓએ રોષની લાગણી વ્યક્ત કરી આ બાબતે જીપીસીબીના અધિકારીઓને જાણ કરી છે.
હાલ કોરોના કાળ માં પણ પ્રદુષણ માફિયાઓ દ્વારા થતા આવા કૃત્યો બાબતે સ્થાનિક પર્યાવરણ વાદીઓ એ રોષ ની લાગણી વ્યક્ત કરી હતી આ અંગે સલીમ પટેલએ જણાવ્યું હતું કે, તેમના તરફ થી આ બાબતની જાણ જીપીસીબી ના અધિકારી ઓને કરવામાં આવી છે. અને આ કેમિકલ યુક્ત બેરલો કોના છે અને કોણ મૂકી ગયું છે તે બાબતે ઊંડાણ પૂર્વક તપાસ કરી કાર્યવાહી કરવા માટે માગ કરી હતી.