વિજય પટેલે BJPના સભ્ય પદ બાદ હાંસોટ APMC પ્રમુખ પદેથી ફેબ્રુઆરીમાં રાજુનામું આપ્યું હતું
હાંસોટ તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ અને જિલ્લા પંચાયત પૂર્વ સભ્ય હતા
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ટાણે સ્થાનિક આગેવાનો ભ્રષ્ટાચાર અને વ્યભિચારથી ભરપુર હોવાનાં આક્ષેપો સાથે BJP ને કર્યા હતા રામ રામ
કોંગ્રેસ પક્ષની વિચારધારા સાથે સહમત હોવાનું કહી અમદાવાદમાં કોંગી પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના હાથે ખેસ પેહરી કોંગ્રેસમાં થયા સામીલ
[caption id="attachment_1390538" align="aligncenter" width="1600"] (વિજય પટેલ અને ગુજરાત સહકાર મંત્રી ઇશ્વર પટેલની ફાઇલ તસ્વીર)[/caption]
WatchGujarat. રાજ્યના સહકાર મંત્રી અને અંકલેશ્વર BJP MLA ઇશ્વરસિંહના ભાઈ વિજયસિંહ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ટાણે રાજીનામુ આપી ભાજપને રામ રામ કહી દીધા હતા. હવે 2022 ની વિધાનસભાની ચૂંટણીઓનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે ત્યારે ગુરૂવારે વિજય પટેલ કોંગી પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના હસ્તે ખેસ પેહરી વિધિવત કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. રાજકીય પંડિતો અનુમાન લગાવી રહ્યાં છે કે, 2022 ની ચૂંટણીમાં તેઓ અંકલેશ્વર બેઠક પરથી કોંગ્રેસની ટીકીટ મેળવી ભાઈ સામે મેદાનમાં ઉતરી શકે છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં BJP દ્વારા 60 વર્ષથી વધુ ઉંમરના અને 3 ટર્મથી ચૂંટાતા આગેવાનને ટિકિટ નહિ ની ફોર્મ્યુલા જાહેર કરાતા ભરૂચ જિલ્લામાંથી રાજ્યના સહકાર મંત્રી અને અંકલેશ્વરના ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલના મોટા ભાઈ વિજય પટેલે ગત 4 ફેબ્રુઆરીએ BJP સભ્ય પદેથી રાજીનામુ આપ્યા બાદ 9 ફેબ્રુઆરીએ હાસોટ APMC પ્રમુખ પદેથી પણ ધરાર રાજીનામું આપી દીધું હતું.
અંકલેશ્વરના BJP ધારાસભ્ય અને સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલના ભાઈ વિજય પટેલ કે જેઓ હાંસોટ તાલુકા પંચાયતના માજી પ્રમુખ છે તેઓ એ BJP માંથી 4 ફેબ્રુઆરીએ રાજીનામું ધરી દેતા ખળભળાટ મચી ગયો હતો. તેઓએ સ્થાનિક નેતાઓ પર ભ્રષ્ટાચારના કથિત આરોપો પણ મુક્યા હતાં.
ભાજપામાંથી હાંસોટ તાલુકા પંચાયતના પ્રમુખ બનનાર અને ત્યાર બાદ જીલ્લા પંચાયતના સભ્ય બનનાર વિજય ઠાકોરભાઈ પટેલે આગાઉ અચાનક પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને સંબોધીને પક્ષના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું ધરી દીધું હતું. રાજીનામામાં તો અંગત કારણોસર રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું હતું. પરંતુ મીડિયા સમક્ષ સ્થાનિક નેતાઓ ઉપર આક્ષેપો કર્યા હતા. તેઓએ સ્થાનિક આગેવાનો ભ્રષ્ટાચાર અને વ્યભિચારથી ભરપુર હોવાનાં આક્ષેપો કર્યા હતા તો તેઓ પક્ષની વિચારધારા સાથે પણ સહમત ન હોવાનું જણાવ્યુ હતું. તેઓ બાદમાં હાંસોટ APMC માં ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા.
ગુરુવારે વિજય પટેલ વિધિવત કોંગ્રેસ પક્ષમાં જોડાઈ ગયા હતા. અમદાવાદમાં વિજય ઉર્ફે વલ્લભ પટેલે કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાના હસ્તે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. કમળ છોડ્યા બાદ કોંગ્રેસના પંજા સાથે હાથ મિલાવનાર સહકાર મંત્રીના ભાઈ વિજય પટેલે જણાવ્યું હતું કે, કોંગ્રેસ કાયમ ગરીબો, ખેડૂતો સહિત જન જનને વરેલી રહી છે, હું કોંગ્રેસની આ વિચારધારા અને લોક કલ્યાણના કામ સાથે સહમત થઈ કોંગ્રેસમાં જોડાયો છું. ભાજપમાં નર્યા દંભ, ભ્રષ્ટાચારને આગામી સમયમાં લોકો સમક્ષ લઈ જઈ કોંગ્રેસ તરફ ફરી લોકોને વાળવાનો પ્રયત્ન કરાશે.
વિજય પટેલે BJPના સભ્ય પદ બાદ હાંસોટ APMC પ્રમુખ પદેથી ફેબ્રુઆરીમાં રાજુનામું આપ્યું હતું
હાંસોટ તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ અને જિલ્લા પંચાયત પૂર્વ સભ્ય હતા
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ટાણે સ્થાનિક આગેવાનો ભ્રષ્ટાચાર અને વ્યભિચારથી ભરપુર હોવાનાં આક્ષેપો સાથે BJP ને કર્યા હતા રામ રામ
કોંગ્રેસ પક્ષની વિચારધારા સાથે સહમત હોવાનું કહી અમદાવાદમાં કોંગી પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના હાથે ખેસ પેહરી કોંગ્રેસમાં થયા સામીલ
[caption id="attachment_1390538" align="aligncenter" width="1600"] (વિજય પટેલ અને ગુજરાત સહકાર મંત્રી ઇશ્વર પટેલની ફાઇલ તસ્વીર)[/caption]
WatchGujarat. રાજ્યના સહકાર મંત્રી અને અંકલેશ્વર BJP MLA ઇશ્વરસિંહના ભાઈ વિજયસિંહ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ટાણે રાજીનામુ આપી ભાજપને રામ રામ કહી દીધા હતા. હવે 2022 ની વિધાનસભાની ચૂંટણીઓનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે ત્યારે ગુરૂવારે વિજય પટેલ કોંગી પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના હસ્તે ખેસ પેહરી વિધિવત કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. રાજકીય પંડિતો અનુમાન લગાવી રહ્યાં છે કે, 2022 ની ચૂંટણીમાં તેઓ અંકલેશ્વર બેઠક પરથી કોંગ્રેસની ટીકીટ મેળવી ભાઈ સામે મેદાનમાં ઉતરી શકે છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં BJP દ્વારા 60 વર્ષથી વધુ ઉંમરના અને 3 ટર્મથી ચૂંટાતા આગેવાનને ટિકિટ નહિ ની ફોર્મ્યુલા જાહેર કરાતા ભરૂચ જિલ્લામાંથી રાજ્યના સહકાર મંત્રી અને અંકલેશ્વરના ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલના મોટા ભાઈ વિજય પટેલે ગત 4 ફેબ્રુઆરીએ BJP સભ્ય પદેથી રાજીનામુ આપ્યા બાદ 9 ફેબ્રુઆરીએ હાસોટ APMC પ્રમુખ પદેથી પણ ધરાર રાજીનામું આપી દીધું હતું.
અંકલેશ્વરના BJP ધારાસભ્ય અને સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલના ભાઈ વિજય પટેલ કે જેઓ હાંસોટ તાલુકા પંચાયતના માજી પ્રમુખ છે તેઓ એ BJP માંથી 4 ફેબ્રુઆરીએ રાજીનામું ધરી દેતા ખળભળાટ મચી ગયો હતો. તેઓએ સ્થાનિક નેતાઓ પર ભ્રષ્ટાચારના કથિત આરોપો પણ મુક્યા હતાં.
ભાજપામાંથી હાંસોટ તાલુકા પંચાયતના પ્રમુખ બનનાર અને ત્યાર બાદ જીલ્લા પંચાયતના સભ્ય બનનાર વિજય ઠાકોરભાઈ પટેલે આગાઉ અચાનક પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને સંબોધીને પક્ષના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું ધરી દીધું હતું. રાજીનામામાં તો અંગત કારણોસર રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું હતું. પરંતુ મીડિયા સમક્ષ સ્થાનિક નેતાઓ ઉપર આક્ષેપો કર્યા હતા. તેઓએ સ્થાનિક આગેવાનો ભ્રષ્ટાચાર અને વ્યભિચારથી ભરપુર હોવાનાં આક્ષેપો કર્યા હતા તો તેઓ પક્ષની વિચારધારા સાથે પણ સહમત ન હોવાનું જણાવ્યુ હતું. તેઓ બાદમાં હાંસોટ APMC માં ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા.
ગુરુવારે વિજય પટેલ વિધિવત કોંગ્રેસ પક્ષમાં જોડાઈ ગયા હતા. અમદાવાદમાં વિજય ઉર્ફે વલ્લભ પટેલે કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાના હસ્તે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. કમળ છોડ્યા બાદ કોંગ્રેસના પંજા સાથે હાથ મિલાવનાર સહકાર મંત્રીના ભાઈ વિજય પટેલે જણાવ્યું હતું કે, કોંગ્રેસ કાયમ ગરીબો, ખેડૂતો સહિત જન જનને વરેલી રહી છે, હું કોંગ્રેસની આ વિચારધારા અને લોક કલ્યાણના કામ સાથે સહમત થઈ કોંગ્રેસમાં જોડાયો છું. ભાજપમાં નર્યા દંભ, ભ્રષ્ટાચારને આગામી સમયમાં લોકો સમક્ષ લઈ જઈ કોંગ્રેસ તરફ ફરી લોકોને વાળવાનો પ્રયત્ન કરાશે.