અંકલેશ્વર ઔદ્યોગિક એકમના 3 પમ્પિંગ સ્ટેશન પૈકી એક સ્ટેશન ઉભરાયું
ઉદ્યોગોનું પ્રદુષિત પાણી જાહેર માર્ગ પર છલકાઈ અમરાવતી નદીમાં ભળ્યું
સી પમ્પિંગ સ્ટેશન ઓવરફ્લો થતાં જાહેર માર્ગ બેટમાં ફેરવાયો
પમ્પિંગ સ્ટેશન ઓવરફ્લો થતાં જી.પી.સી.બી.ના અધિકારીએ સ્થળ પર દોડી આવી સેમ્પલ લીધા
[caption id="attachment_1391831" align="aligncenter" width="1600"] Ankleshwar Industrial Chemical Pollution[/caption]
WatchGujarat. અંકલેશ્વરમાં પ્રદુષણનો કોયડો ઉકેલાઈ રહ્યો નથી ત્યાં ચોમાસામાં જાહેરમાં પ્રદુષિત પાણીની રેલમછેલની રફતાર સામાન્ય બની ગઈ છે. હવે અંકલેશ્વર GIDCમાં આવેલ સી પમ્પિંગ સ્ટેશન ઓવરફ્લો થતાં જાહેર માર્ગ બેટમાં ફરી વળતાં GPCB ના અધિકારીએ તાત્કાલિક સ્થળ પર દોડી આવી સેમ્પલ લઈ કાર્યવાહી હાથ ધરી છે.
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં અનેક ઉદ્યોગો આવેલ છે જેમાંથી કેટલાક ઉદ્યોગો દ્વારા લાપરવાહી દાખવવામાં આવતી હોવાના કિસ્સાઑ પ્રકાશમાં આવ્યા છે ત્યારે જી.આઈ.ડી.સી.ના ઔદ્યોગિક એકમોનું પ્રદૂષતી પાણી સ્ટોર કરવા માટે 3 જેટલા પમ્પિંગ સ્ટેશન આવેલા છે. જે ત્રણેય પમ્પિંગ સ્ટેશન દ્વારા પાઇપ લાઇન વાટે પ્રદુષિત પાણી નર્મદા ક્લીન ટેકમાં ઠાલવવામાં આવે છે.
https://twitter.com/WatchGujarat/status/1434121865048383495?s=20
આ ત્રણ પૈકી સી પમ્પિંગ સ્ટેશન આજરોજ ઉભરાતા સમગ્ર વિસ્તારમાં જાહેરમાં પ્રદુષિત પાણી ફરી વળ્યા હતા. જેને પગલે જાહેર માર્ગ અને વિસ્તાર બેટમાં ફેરવાયો છે. ઉપરાંત વરસાદી વાતાવરણ વચ્ચે પ્રદુષિત પાણી આજુબાજુ સહિત વરસાદી કાંસમાં ફળી જતાં આ પ્રદુષિત પાણી અમરાવતી નદીમાં ઠલવાઈ તેવી શક્યતા રહેલી છે. સી પમ્પિંગ સ્ટેશન ઓવરફ્લો થયું હોવા અંગેની જાણ GPCB ને થતાં અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને પાણીના સેમ્પલ લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અંકલેશ્વરમાં પ્રદુષિત પાણીની સમસ્યા હલ થઈ રહી નથી. અગાઉ NCT ની લાઈનમાં ભંગાણને કારણે ઉદ્યોગો, NCT અને પર્યાવરણને પારાવાર નુકશાન થયું હતું. નોટિફાઇડ, AIA, GIDC, NCT અને GPCB દ્વારા સહિયારા પ્રયાસો કરી પ્રદુષિત પાણીની છાશવારે સર્જાતી સમસ્યા અંગે કોઈ નક્કર નીતિ બનાવાઈ તે જરૂરી બન્યું છે.
કેટલાક બેદરકાર ઉદ્યોગોને કારણે સમગ્ર વસાહત બદનામ થઈ રહી હોય ત્યારે તમામ ઉધોગો, જીઆઇડીસી, જીપીસીબી, મંડળ અને અધિકારીઓ તેમજ ઉધોગકારોએ પોતાની નૈતિક જવાબદારી ઉઠાવી પોતાના અને પર્યાવરણ માટે અંકલેશ્વરને પ્રદુષણના કલંકમાંથી મુક્ત કરવા આગળ આવવું પડશે.
અંકલેશ્વર ઔદ્યોગિક એકમના 3 પમ્પિંગ સ્ટેશન પૈકી એક સ્ટેશન ઉભરાયું
ઉદ્યોગોનું પ્રદુષિત પાણી જાહેર માર્ગ પર છલકાઈ અમરાવતી નદીમાં ભળ્યું
સી પમ્પિંગ સ્ટેશન ઓવરફ્લો થતાં જાહેર માર્ગ બેટમાં ફેરવાયો
પમ્પિંગ સ્ટેશન ઓવરફ્લો થતાં જી.પી.સી.બી.ના અધિકારીએ સ્થળ પર દોડી આવી સેમ્પલ લીધા
[caption id="attachment_1391831" align="aligncenter" width="1600"] Ankleshwar Industrial Chemical Pollution[/caption]
WatchGujarat. અંકલેશ્વરમાં પ્રદુષણનો કોયડો ઉકેલાઈ રહ્યો નથી ત્યાં ચોમાસામાં જાહેરમાં પ્રદુષિત પાણીની રેલમછેલની રફતાર સામાન્ય બની ગઈ છે. હવે અંકલેશ્વર GIDCમાં આવેલ સી પમ્પિંગ સ્ટેશન ઓવરફ્લો થતાં જાહેર માર્ગ બેટમાં ફરી વળતાં GPCB ના અધિકારીએ તાત્કાલિક સ્થળ પર દોડી આવી સેમ્પલ લઈ કાર્યવાહી હાથ ધરી છે.
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં અનેક ઉદ્યોગો આવેલ છે જેમાંથી કેટલાક ઉદ્યોગો દ્વારા લાપરવાહી દાખવવામાં આવતી હોવાના કિસ્સાઑ પ્રકાશમાં આવ્યા છે ત્યારે જી.આઈ.ડી.સી.ના ઔદ્યોગિક એકમોનું પ્રદૂષતી પાણી સ્ટોર કરવા માટે 3 જેટલા પમ્પિંગ સ્ટેશન આવેલા છે. જે ત્રણેય પમ્પિંગ સ્ટેશન દ્વારા પાઇપ લાઇન વાટે પ્રદુષિત પાણી નર્મદા ક્લીન ટેકમાં ઠાલવવામાં આવે છે.
આ ત્રણ પૈકી સી પમ્પિંગ સ્ટેશન આજરોજ ઉભરાતા સમગ્ર વિસ્તારમાં જાહેરમાં પ્રદુષિત પાણી ફરી વળ્યા હતા. જેને પગલે જાહેર માર્ગ અને વિસ્તાર બેટમાં ફેરવાયો છે. ઉપરાંત વરસાદી વાતાવરણ વચ્ચે પ્રદુષિત પાણી આજુબાજુ સહિત વરસાદી કાંસમાં ફળી જતાં આ પ્રદુષિત પાણી અમરાવતી નદીમાં ઠલવાઈ તેવી શક્યતા રહેલી છે. સી પમ્પિંગ સ્ટેશન ઓવરફ્લો થયું હોવા અંગેની જાણ GPCB ને થતાં અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને પાણીના સેમ્પલ લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અંકલેશ્વરમાં પ્રદુષિત પાણીની સમસ્યા હલ થઈ રહી નથી. અગાઉ NCT ની લાઈનમાં ભંગાણને કારણે ઉદ્યોગો, NCT અને પર્યાવરણને પારાવાર નુકશાન થયું હતું. નોટિફાઇડ, AIA, GIDC, NCT અને GPCB દ્વારા સહિયારા પ્રયાસો કરી પ્રદુષિત પાણીની છાશવારે સર્જાતી સમસ્યા અંગે કોઈ નક્કર નીતિ બનાવાઈ તે જરૂરી બન્યું છે.
કેટલાક બેદરકાર ઉદ્યોગોને કારણે સમગ્ર વસાહત બદનામ થઈ રહી હોય ત્યારે તમામ ઉધોગો, જીઆઇડીસી, જીપીસીબી, મંડળ અને અધિકારીઓ તેમજ ઉધોગકારોએ પોતાની નૈતિક જવાબદારી ઉઠાવી પોતાના અને પર્યાવરણ માટે અંકલેશ્વરને પ્રદુષણના કલંકમાંથી મુક્ત કરવા આગળ આવવું પડશે.