અંકલેશ્વર જૂના દિવા ગામના 65 અસરગ્રસ્ત ખેડૂતોને લેખિતમાં વળતરની જાણ નહિ કરાઈ તો સોમવારથી કામગીરી અટકાવશે
સુરત જિલ્લાના ખેડૂતો ને ચૂકવાયેલ વળતર મુજબ ભરૂચના ખેડૂતોને વળતર આપવા માંગ
ગત 11 જૂને ખેડૂતોએ કામગીરી અટકાવતા ઘર્ષણ સર્જાયું હતું, 35 ખેડૂત આગેવાનોની અટકાયત કરાઈ હતી
WatchGujarat. ભરૂચ જિલ્લામાં હાલ ચાલી રહેલા વિવિધ મહ્ત્વકાંશી પ્રોજેક્ટો પેકી વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે ને લઈ ફરી અસરગ્રસ્ત ખેડૂતો વળતરને લઈ આંદોલનના માર્ગે વળ્યાં છે. અંકલેશ્વર જુના દિવા સંઘર્ષ સમિતિના નિપુલ પટેલ પૂર્વ ભરૂચ-નર્મદા જિલ્લા ખેડૂત સમાજ પ્રમુખની આગેવાની હેઠળ વડોદરા - મુંબઇ એકસ - પ્રેસ વે ના 65 અસરગ્રસ્ત ખેડૂત પરિવારોએ શુક્રવારે સાંજે તંત્રને વલતરને લઈ 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે. #Ankleshwar
ગત 11 જૂનના રોજ જમીન સંપાદન અધિકારી તથા ડી.વાય.એસ.પી. અને અંસખ્ય પોલીસના કાફલાની હાજરીમાં અસરગ્રસ્ત ખેડૂતો તથા ખેડૂતોના પરિવારો ગાંધી ચિંધ્યા માર્ગે તેઓની યોગ્ય વળતરની માંગણી કરી રહયા હતાં. ત્યાં જ પોલીસ દ્વારા ખેડૂતોને બળજબરી પૂર્વક ઉઠાવી ડીટેઇન કરી ખેતરોમાં ઉભા પાકનો નાશ કરી વળતર આપ્યા વગર કબજો મેળવી લીધો હોવાનો આવેદનમાં ખેડૂતોએ રોષ વ્યકત કર્યો છે. #Ankleshwar
જે બાદ ખેડૂતોની વધુ વળતરની માંગણી ગ્રાહય રાખી લવાદની 31 જુલાઈની તારીખ આપ્યા બાદ પ્રક્રિયા અટકાવી દેવાઈ હતી. ખેડૂતોએ વલતરને લઈ કોર્ટમાં કોઇપણ પ્રકારના દાવાની અરજી કરેલ નહી. અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા 21 ઓગસ્ટના રોજ સરકાર દ્વારા નિયુક્ત થયેલ અધિકારી માટે કોઇપણ પ્રકારનો વાંધો કે વિરોધ ન હોય , છતાં આજદિન સુધી વળતરની પ્રક્રિયામાં પ્રગતિ થયેલ ન હોય કે ચાલુ કરેલ નથી.
જમીન પ્રાપ્તિ ધારા હેઠળ જેમણે જમીન ગુમાવી હોય તેમને માનસિક યાતના માટેનું વળતર અને વ્યાજ મળે છે. જોકે હાઇવે ઓથોરીટી ખેડૂતોની આ આશાવાદી નીતી અને ધીરજને લાચારી સમજતી હોય તો હાઇવે ઓથોરીટીએ બહુ મોટી ભૂલ છે. આવનારા 48 કલાકમાં હાઇવે ઓથોરીટી અને સરકારી તંત્ર દ્વારા જુના દિવાના ખેડૂતોને કેટલું વળતર આપવાના છે. જેની લેખિતમાં જાણ નહી કરે તો એક્સપ્રેસ વે ના નિર્માણનું કાર્ય બંધ કરાવીશું તેવી ચીમકી આવેદનપત્રમાં ઉચ્ચારવામા આવી છે. #Ankleshwar
સાથે જ સોમવારે વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે ની કામગીરી અટકાવવામાં કોઈપણ અઘટિત ઘટે કે અસરગ્રસ્ત ખેડૂતો જે છેલ્લા 6 મહીનાથી દુ : ખ અને યાતના ભોગવી રહેલા હોય કાંઇપણ પગલું ભરશે તેની સંપૂર્ણ જવાબદારી સરકારી તંત્રની અને હાઇવે ઓથોરીટીની રહેશે તેવો હુંકાર કરાયો છે.
More #Vadodara-Mumbai #Expressway #Farmers #give #ultimatum #48 hours #Ankleshwar #WatchGujarat
અંકલેશ્વર જૂના દિવા ગામના 65 અસરગ્રસ્ત ખેડૂતોને લેખિતમાં વળતરની જાણ નહિ કરાઈ તો સોમવારથી કામગીરી અટકાવશે
સુરત જિલ્લાના ખેડૂતો ને ચૂકવાયેલ વળતર મુજબ ભરૂચના ખેડૂતોને વળતર આપવા માંગ
ગત 11 જૂને ખેડૂતોએ કામગીરી અટકાવતા ઘર્ષણ સર્જાયું હતું, 35 ખેડૂત આગેવાનોની અટકાયત કરાઈ હતી
WatchGujarat. ભરૂચ જિલ્લામાં હાલ ચાલી રહેલા વિવિધ મહ્ત્વકાંશી પ્રોજેક્ટો પેકી વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે ને લઈ ફરી અસરગ્રસ્ત ખેડૂતો વળતરને લઈ આંદોલનના માર્ગે વળ્યાં છે. અંકલેશ્વર જુના દિવા સંઘર્ષ સમિતિના નિપુલ પટેલ પૂર્વ ભરૂચ-નર્મદા જિલ્લા ખેડૂત સમાજ પ્રમુખની આગેવાની હેઠળ વડોદરા - મુંબઇ એકસ - પ્રેસ વે ના 65 અસરગ્રસ્ત ખેડૂત પરિવારોએ શુક્રવારે સાંજે તંત્રને વલતરને લઈ 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે. #Ankleshwar
ગત 11 જૂનના રોજ જમીન સંપાદન અધિકારી તથા ડી.વાય.એસ.પી. અને અંસખ્ય પોલીસના કાફલાની હાજરીમાં અસરગ્રસ્ત ખેડૂતો તથા ખેડૂતોના પરિવારો ગાંધી ચિંધ્યા માર્ગે તેઓની યોગ્ય વળતરની માંગણી કરી રહયા હતાં. ત્યાં જ પોલીસ દ્વારા ખેડૂતોને બળજબરી પૂર્વક ઉઠાવી ડીટેઇન કરી ખેતરોમાં ઉભા પાકનો નાશ કરી વળતર આપ્યા વગર કબજો મેળવી લીધો હોવાનો આવેદનમાં ખેડૂતોએ રોષ વ્યકત કર્યો છે. #Ankleshwar
જે બાદ ખેડૂતોની વધુ વળતરની માંગણી ગ્રાહય રાખી લવાદની 31 જુલાઈની તારીખ આપ્યા બાદ પ્રક્રિયા અટકાવી દેવાઈ હતી. ખેડૂતોએ વલતરને લઈ કોર્ટમાં કોઇપણ પ્રકારના દાવાની અરજી કરેલ નહી. અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા 21 ઓગસ્ટના રોજ સરકાર દ્વારા નિયુક્ત થયેલ અધિકારી માટે કોઇપણ પ્રકારનો વાંધો કે વિરોધ ન હોય , છતાં આજદિન સુધી વળતરની પ્રક્રિયામાં પ્રગતિ થયેલ ન હોય કે ચાલુ કરેલ નથી.
જમીન પ્રાપ્તિ ધારા હેઠળ જેમણે જમીન ગુમાવી હોય તેમને માનસિક યાતના માટેનું વળતર અને વ્યાજ મળે છે. જોકે હાઇવે ઓથોરીટી ખેડૂતોની આ આશાવાદી નીતી અને ધીરજને લાચારી સમજતી હોય તો હાઇવે ઓથોરીટીએ બહુ મોટી ભૂલ છે. આવનારા 48 કલાકમાં હાઇવે ઓથોરીટી અને સરકારી તંત્ર દ્વારા જુના દિવાના ખેડૂતોને કેટલું વળતર આપવાના છે. જેની લેખિતમાં જાણ નહી કરે તો એક્સપ્રેસ વે ના નિર્માણનું કાર્ય બંધ કરાવીશું તેવી ચીમકી આવેદનપત્રમાં ઉચ્ચારવામા આવી છે. #Ankleshwar
સાથે જ સોમવારે વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે ની કામગીરી અટકાવવામાં કોઈપણ અઘટિત ઘટે કે અસરગ્રસ્ત ખેડૂતો જે છેલ્લા 6 મહીનાથી દુ : ખ અને યાતના ભોગવી રહેલા હોય કાંઇપણ પગલું ભરશે તેની સંપૂર્ણ જવાબદારી સરકારી તંત્રની અને હાઇવે ઓથોરીટીની રહેશે તેવો હુંકાર કરાયો છે.
More #Vadodara-Mumbai #Expressway #Farmers #give #ultimatum #48 hours #Ankleshwar #WatchGujarat