શહેરમાં કાર્યરત થયેલી સિટી બસના વિરોધમાં જય ભારત ઓટો રીક્ષા એસોસીએશન દ્વારા અચોક્કસ મુદતની હડતાલ
શહેર સિવાય બહાર દોડતી બસો રોજગારી ઉપર તરાપ ગણાવી
સિટી બસો કાયદાના નિયમ મુજબ દોડતી નહિ હોવાનો સુર
શહેરીજનો માટે સસ્તી અને સુલભ મુસાફરી સામે રીક્ષા ચાલકોની ગેરવ્યાજબી માંગણી સામે તંત્રનું કડક વલણ
રીક્ષા ચાલકોની ધારણા હતી કે વધુ એક વખત સિટી બસ સેવા નિષ્ફળ જતા તેઓનું એકહથ્થુ શાસન બરકરાર રહેશે, જોકે સિટી બસ આ વખતે સફળ રહેતા હવે રિક્ષાચાલકો રઘવાયા
WatchGujarat. ભરૂચમાં પર્યાવરણ દિવસથી શરૂ થયેલી મુખ્યમંત્રી શહેરી પરિવહન સુવિધા સિટી બસ કાર્યરત થયાના 53 દિવસમાં જ શહેરીજનોનો બહોળો પ્રતિસાદ મેળવી રહી હોય રીક્ષા ચાલકોની ધારણા ઉંધી પડી છે. અગાઉના વર્ષોની જેમ સિટી બસનું ટાઇ ટાઈ ફિશ નહિ થતા હવે રીક્ષા ચાલકો તેમને મુસાફરો નહિ મળતા રઘવાયા બની ગયા છે.
ભરૂચ જય ભારત રીક્ષા એસોસિયેશનએ રોજીરોટીનું કારણ આગળ ધરી દોઢ મહિના પહેલા જ સિટી બસના રૂટ, સ્ટોપેજ યોગ્ય નહિ હોવાનું તેમજ શહેરની 5 કિલોમીટરની ત્રિજ્યા બહાર નહિ ફેરવવા સાંસદ, ધારાસભ્ય, પાલિકા પ્રમુખ અને કલેકટરને રજુઆત કરી હતી.
https://youtu.be/MWoOcCXBjeE
જેમાં રીક્ષા ચાલકોએ સિટી બસ શહેરમાં આડેધડ દોડતી હોય, ટ્રાફિકમાં અડચણ અને તેમના મુસાફરોને આંચકી જવા સહિતની રજુઆત કરી યોગ્ય કરવા માંગણી કરી હતી. જોકે વહીવટી તંત્ર અધિકારીઓ અને પદાધિકારીઓએ રીક્ષા ચાલકોને ગેરવ્યાજબી માંગણીઓ ઉપર ધ્યાન આપ્યું ન હતું.
રીક્ષા ચાલકોએ સિટી બસ કાર્યરત થઈ જવા બાદ જ CNG રિક્ષાઓના ભાડા પોતાની મનમાની રીતે વધારી દઈ પોતાના પગ ઉપર જ કુહાડી મારી દીધી હતી. માંગણીઓ નહિ સંતોષાતા બુધવાર રાતે 12 કલાકથી રીક્ષા ચાલકોએ અચોક્કસ મુદતની હડતાલનું એલાન કરી દીધું હતું. જેમાં પોતાની જ રોજગારી ઉપર ટૂંપો મારવાનું વધુ એક મૂર્ખામી ભર્યું પગલું હાથ ધરી તંત્ર સામે બાથ ભીડવાનો પ્રયાસ કર્યો છે.
શહેરમાં દોડતી સીટી બસના વિરોધમાં ભરૂચના રીક્ષા એસો. દ્વારા આજથી હડતાળ વચ્ચે સીટી બસ રોકી તેમાંથી મુસાફરોને ઉતારી દેવાતા રીક્ષા ચાલકોએ કાયદો હાથમાં લેતા પોલીસ પણ એક્શનમાં આવી ગઈ હતી.
ભરૂચ નગર પાલિકા દ્વારા સીટી બસ સેવા શરુ કરવામાં આવી છે જેનાથી નગરજનોની સુખાકારીમાં વધારો થયો છે. રિક્ષાચાલકોના ભાડા વધારા અને ક્યારેક ક્યારેક થતી દાદાગીરીથી અનેક મુસાફરો કંટાળી ગયા હતા. જેઓ માટે સીટી બસ સેવા લાભદાયી છે.
જો કે જયભારત ઓટો રીક્ષા એસો. દ્વારા માંગ કરવામાં આવી હતી કે, ભરૂચ નગરપાલિકા હદ વિસ્તારની બહાર આ બસો ન દોડાવાય. પરંતુ નિયમ મુજબ નગરપાલિકાની હદથી 5 કિમીની ત્રિજ્યામાં સીટી બસ દોડી શકે છે.
આજરોજ સવારે જયભારત ઓટો રીક્ષા એસો.ના સભ્યો દ્વારા ઝાડેશ્વર વિસ્તારમાં 2 સીટી બસને રોકી તેમાંથી મુસાફરોને ઉતારી દેવામાં આવ્યા હતા અને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. જેના પગલે ભરૂચ પોલીસ દ્વારા રીક્ષા એસોસિયેશનના પ્રમુખ સહિત અલગ અલગ સ્થળે વિરોધ નોંધવતા 100 થી વધુ રીક્ષા ચાલકોની અટકાયત કરવામાં આવી હતી. જો કે રીક્ષા એસો. દ્વારા જ્યાં સુધી તેઓના પ્રશ્નોનું નિરાકરણ નહિ આવે ત્યાં સુધી લડત ચાલુ રહેશે તેમ જણાવ્યું હતું.
બીજી તરફ રીક્ષા ચાલકોમાં પણ અચોક્કસ મુદતની હડતાલ વચ્ચે 2 ફાંટા પડેલા જોવા મળ્યા હતા. કેટલાક રીક્ષા ચાલકો પણ મુસાફરો બેસાડી ફરતા હોય તેઓને પણ અન્ય રીક્ષા ચાલકોએ અટકાવવાનો પ્રયાસ કરતા તેઓ વચ્ચે જ આંદોઅંદર ચકમકના દ્રશ્યો જોવા મળ્યા હતા.
- શહેરમાં કાર્યરત થયેલી સિટી બસના વિરોધમાં જય ભારત ઓટો રીક્ષા એસોસીએશન દ્વારા અચોક્કસ મુદતની હડતાલ
- શહેર સિવાય બહાર દોડતી બસો રોજગારી ઉપર તરાપ ગણાવી
- સિટી બસો કાયદાના નિયમ મુજબ દોડતી નહિ હોવાનો સુર
- શહેરીજનો માટે સસ્તી અને સુલભ મુસાફરી સામે રીક્ષા ચાલકોની ગેરવ્યાજબી માંગણી સામે તંત્રનું કડક વલણ
- રીક્ષા ચાલકોની ધારણા હતી કે વધુ એક વખત સિટી બસ સેવા નિષ્ફળ જતા તેઓનું એકહથ્થુ શાસન બરકરાર રહેશે, જોકે સિટી બસ આ વખતે સફળ રહેતા હવે રિક્ષાચાલકો રઘવાયા
WatchGujarat. ભરૂચમાં પર્યાવરણ દિવસથી શરૂ થયેલી મુખ્યમંત્રી શહેરી પરિવહન સુવિધા સિટી બસ કાર્યરત થયાના 53 દિવસમાં જ શહેરીજનોનો બહોળો પ્રતિસાદ મેળવી રહી હોય રીક્ષા ચાલકોની ધારણા ઉંધી પડી છે. અગાઉના વર્ષોની જેમ સિટી બસનું ટાઇ ટાઈ ફિશ નહિ થતા હવે રીક્ષા ચાલકો તેમને મુસાફરો નહિ મળતા રઘવાયા બની ગયા છે.
ભરૂચ જય ભારત રીક્ષા એસોસિયેશનએ રોજીરોટીનું કારણ આગળ ધરી દોઢ મહિના પહેલા જ સિટી બસના રૂટ, સ્ટોપેજ યોગ્ય નહિ હોવાનું તેમજ શહેરની 5 કિલોમીટરની ત્રિજ્યા બહાર નહિ ફેરવવા સાંસદ, ધારાસભ્ય, પાલિકા પ્રમુખ અને કલેકટરને રજુઆત કરી હતી.
જેમાં રીક્ષા ચાલકોએ સિટી બસ શહેરમાં આડેધડ દોડતી હોય, ટ્રાફિકમાં અડચણ અને તેમના મુસાફરોને આંચકી જવા સહિતની રજુઆત કરી યોગ્ય કરવા માંગણી કરી હતી. જોકે વહીવટી તંત્ર અધિકારીઓ અને પદાધિકારીઓએ રીક્ષા ચાલકોને ગેરવ્યાજબી માંગણીઓ ઉપર ધ્યાન આપ્યું ન હતું.
રીક્ષા ચાલકોએ સિટી બસ કાર્યરત થઈ જવા બાદ જ CNG રિક્ષાઓના ભાડા પોતાની મનમાની રીતે વધારી દઈ પોતાના પગ ઉપર જ કુહાડી મારી દીધી હતી. માંગણીઓ નહિ સંતોષાતા બુધવાર રાતે 12 કલાકથી રીક્ષા ચાલકોએ અચોક્કસ મુદતની હડતાલનું એલાન કરી દીધું હતું. જેમાં પોતાની જ રોજગારી ઉપર ટૂંપો મારવાનું વધુ એક મૂર્ખામી ભર્યું પગલું હાથ ધરી તંત્ર સામે બાથ ભીડવાનો પ્રયાસ કર્યો છે.
શહેરમાં દોડતી સીટી બસના વિરોધમાં ભરૂચના રીક્ષા એસો. દ્વારા આજથી હડતાળ વચ્ચે સીટી બસ રોકી તેમાંથી મુસાફરોને ઉતારી દેવાતા રીક્ષા ચાલકોએ કાયદો હાથમાં લેતા પોલીસ પણ એક્શનમાં આવી ગઈ હતી.
ભરૂચ નગર પાલિકા દ્વારા સીટી બસ સેવા શરુ કરવામાં આવી છે જેનાથી નગરજનોની સુખાકારીમાં વધારો થયો છે. રિક્ષાચાલકોના ભાડા વધારા અને ક્યારેક ક્યારેક થતી દાદાગીરીથી અનેક મુસાફરો કંટાળી ગયા હતા. જેઓ માટે સીટી બસ સેવા લાભદાયી છે.
જો કે જયભારત ઓટો રીક્ષા એસો. દ્વારા માંગ કરવામાં આવી હતી કે, ભરૂચ નગરપાલિકા હદ વિસ્તારની બહાર આ બસો ન દોડાવાય. પરંતુ નિયમ મુજબ નગરપાલિકાની હદથી 5 કિમીની ત્રિજ્યામાં સીટી બસ દોડી શકે છે.
આજરોજ સવારે જયભારત ઓટો રીક્ષા એસો.ના સભ્યો દ્વારા ઝાડેશ્વર વિસ્તારમાં 2 સીટી બસને રોકી તેમાંથી મુસાફરોને ઉતારી દેવામાં આવ્યા હતા અને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. જેના પગલે ભરૂચ પોલીસ દ્વારા રીક્ષા એસોસિયેશનના પ્રમુખ સહિત અલગ અલગ સ્થળે વિરોધ નોંધવતા 100 થી વધુ રીક્ષા ચાલકોની અટકાયત કરવામાં આવી હતી. જો કે રીક્ષા એસો. દ્વારા જ્યાં સુધી તેઓના પ્રશ્નોનું નિરાકરણ નહિ આવે ત્યાં સુધી લડત ચાલુ રહેશે તેમ જણાવ્યું હતું.
બીજી તરફ રીક્ષા ચાલકોમાં પણ અચોક્કસ મુદતની હડતાલ વચ્ચે 2 ફાંટા પડેલા જોવા મળ્યા હતા. કેટલાક રીક્ષા ચાલકો પણ મુસાફરો બેસાડી ફરતા હોય તેઓને પણ અન્ય રીક્ષા ચાલકોએ અટકાવવાનો પ્રયાસ કરતા તેઓ વચ્ચે જ આંદોઅંદર ચકમકના દ્રશ્યો જોવા મળ્યા હતા.