માથું ન મળે ત્યાં સુધી પોલીસ માટે ભોગ બનનાર મૃતક અને હત્યાનો ભેદ ઉકેલવો કઠિન
શહેર, GIDC અને LCB પોલીસે ટુકડાઓમાં મળતી લાશનું પગેરું શોધવા અલગ અલગ 5 થી વધુ ટીમો બનાવી, મૃતકનું માથું શોધવા એક ટીમ કામે લાગી
એક ટીમે CCTV અને એક ટીમે ગુમ લોકોના વર્ણન આધારે શોધખોળ
રીક્ષામાં 10 કિલોમીટર અંતર માં શરીર ના મળેલા અંગો નિકાલ કર્યો
WatchGujarat. અંકલેશ્વરના અમરતપુરા પાટિયાથી 2 બેગમાં હત્યા બાદ કાપેલા મળેલા હાથ -પગના ગણતરીના કલાકોમાં જ સારંગપુર રેલવે ફાટક પાસે રોલિંગ ટ્રાવેલ બેગમાંથી માનવ ધડ મળી આવ્યું હતું. હજી સુધી માથું નહિ મળતા પોલીસ માટે ઓળખ કરવી મુશ્કેલ બની છે.
https://youtu.be/zZJ1_iX2QLw
શહેર, જીઆઇડીસી અને એલસીબી પોલીસ અલગ અલગ 5 થી વધુ ટીમો કાર્યરત કરી છે. એક ટીમ માથું શોધવા કામે લાગી છે. રાત્રિના ધડ સારંગપુર ગામ ખાતે હોવાની માહિતી પોલીસને મળતા શહેર પોલીસ દોડી આવી હતી અને જીઆઇડીસી પોલીસ સાથે મળી સર્ચ કર્યું હતું. રીક્ષામાં 10 કિલોમીટર અંતર માં શરીરના મળેલા અંગોનો નિકાલ કર્યો હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે આંતરિક માર્ગનો ઉપયોગ કરી નિકાલ કરવામાં આવ્યો હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે.
અંકલેશ્વરમાં ક્રૂરતાપૂર્વક કરાયેલી હત્યાનો ભેદ વધુ ઘેરા સાથે સંદિગ્ધ બની રહ્યો છે. મંગળવારે અમરતપુરા ગામ તરફ જતા એરપોર્ટ રોડ પર લાલ અને ભૂરા રંગ ના બેગ માં માનવ શરીર ના હાથ અને પગ કાપી ને નિકાલ કરેલ હાલતમાં મળી આવ્યા હતા. પોલીસે ઘટના સ્થળ ની માનવ શરીર ના અંગો પી.એમ અર્થે ખસેડ્યા હતા.
પ્રત્યક્ષદર્શી રોહન વસાવાના કહ્યા અનુસાર શંકાસ્પદ રીક્ષા અને અંદર રહેલા બુરખા પહેરેલ એક વ્યક્તિ સહીત અન્ય મહિલા સાથે પોલીસે 3 વ્યક્તિની શોધખોળ આરંભી હતી. જિલ્લા પોલીસ વડાની સૂચના આધારે અંકલેશ્વર ડીવાયએસપી ચિરાગ દેસાઈ દ્વારા શહેર પોલીસ, તેમજ જીઆઇડીસી પોલીસ ની 5 થી વધુ ટીમ ની રચના કરી હતી.
ટીમો દ્વારા પ્રથમ શરીરના બાકીના અંગો શોધવાની કવાયત કરતા હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી સારંગપુર ગામ પાટિયા સામે આવેલ રેલ્વે ક્રોસિંગ પાસે ઝાડી માં જાંબલી રંગની શુટકેસ માં ધડ મળી આવ્યું હતું. પોલીસે તેને બહાર કાઢી ફોરેન્સિક તપાસ તેમજ પી.એમ માટે મોકલી આપ્યું હતું.
હજી પણ મૃતક કોણ છે તે પોલીસ માટે કોયડો બન્યો છે. લાશનું માથું હજી સુધી મળ્યું નથી .ત્યારે પોલીસની ટીમ તે શોધવામાં અંકલેશ્વરની આજુબાજુ ના 10 કિલોમીટર વિસ્તાર ખેતરો અને આજુબાજુ આંતરિક રસ્તા જોડાતા માર્ગ સહિત વિસ્તારો માં સર્ચ કરી રહી છે.
અંકલેશ્વર ડી.વાય.એસ પી ચિરાગ દેસાઈ ને જણાવ્યું હતું કે ગત રાત્રી ના સારંગપુર ગામ પાસે રેલ્વે ક્રોસિંગ પાસે થી ધડ મળી આવ્યું છે. પ્રાથમિક તો અમરપુરા ગામે મળેલ માનવ અવશેષ અને આ માનવ અવશેષ એક જ વ્યક્તિ ના છે કે કેમ તે પણ તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત પોલીસ દ્વારા શહેર અને જીઆઇડીસી પોલીસ ની અલગ અલગ 5 ટીમ બનાવી શંકાસ્પદ રીક્ષા અંગે ના મેળવા સીસીટીવી ફૂટેજ સહીત હ્યુમન ઇન્ટેલિજન્સ વડે શોધખોળ કરી રહી છે.
એક ટીમ હજી પણ બાકી રહેલ શરીર નો ભાગ શોધી રહી છે તો એક ટીમ ટેક્નિકલ સર્વેલન્સ હાથ ધયું છે. અલગ અલગ ટીમ દ્વારા અલગ અલગ મુદ્દા સાથે સર્ચ કરી રહી છે આ ઉપરાંત એક સર્ક્યુલર ગુમ થયેલા લોકો અંગે તમામ પોલીસ સ્ટેશન તેમજ જિલ્લા બહાર કરવામાં આવ્યો છે. જેમાં ગુમ થનાર ઈસમો જોડે મળેલા માનવ શરીર અવશેષો સરખામણી કરી ઓળખ કરવાની તજવીજ કરાઈ રહી છે. તો ગુમ થયેલ વ્યક્તિ ઓ જોડે પણ વર્ણન મેચ કરવામાં આવી રહ્યું છે. હાલ પોલીસ દ્વારા તમામ પાસા ધ્યાને લઇ સર્ચ થઈ રહ્યું છે.
માથું ન મળે ત્યાં સુધી પોલીસ માટે ભોગ બનનાર મૃતક અને હત્યાનો ભેદ ઉકેલવો કઠિન
શહેર, GIDC અને LCB પોલીસે ટુકડાઓમાં મળતી લાશનું પગેરું શોધવા અલગ અલગ 5 થી વધુ ટીમો બનાવી, મૃતકનું માથું શોધવા એક ટીમ કામે લાગી
એક ટીમે CCTV અને એક ટીમે ગુમ લોકોના વર્ણન આધારે શોધખોળ
રીક્ષામાં 10 કિલોમીટર અંતર માં શરીર ના મળેલા અંગો નિકાલ કર્યો
WatchGujarat. અંકલેશ્વરના અમરતપુરા પાટિયાથી 2 બેગમાં હત્યા બાદ કાપેલા મળેલા હાથ -પગના ગણતરીના કલાકોમાં જ સારંગપુર રેલવે ફાટક પાસે રોલિંગ ટ્રાવેલ બેગમાંથી માનવ ધડ મળી આવ્યું હતું. હજી સુધી માથું નહિ મળતા પોલીસ માટે ઓળખ કરવી મુશ્કેલ બની છે.
શહેર, જીઆઇડીસી અને એલસીબી પોલીસ અલગ અલગ 5 થી વધુ ટીમો કાર્યરત કરી છે. એક ટીમ માથું શોધવા કામે લાગી છે. રાત્રિના ધડ સારંગપુર ગામ ખાતે હોવાની માહિતી પોલીસને મળતા શહેર પોલીસ દોડી આવી હતી અને જીઆઇડીસી પોલીસ સાથે મળી સર્ચ કર્યું હતું. રીક્ષામાં 10 કિલોમીટર અંતર માં શરીરના મળેલા અંગોનો નિકાલ કર્યો હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે આંતરિક માર્ગનો ઉપયોગ કરી નિકાલ કરવામાં આવ્યો હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે.
અંકલેશ્વરમાં ક્રૂરતાપૂર્વક કરાયેલી હત્યાનો ભેદ વધુ ઘેરા સાથે સંદિગ્ધ બની રહ્યો છે. મંગળવારે અમરતપુરા ગામ તરફ જતા એરપોર્ટ રોડ પર લાલ અને ભૂરા રંગ ના બેગ માં માનવ શરીર ના હાથ અને પગ કાપી ને નિકાલ કરેલ હાલતમાં મળી આવ્યા હતા. પોલીસે ઘટના સ્થળ ની માનવ શરીર ના અંગો પી.એમ અર્થે ખસેડ્યા હતા.
પ્રત્યક્ષદર્શી રોહન વસાવાના કહ્યા અનુસાર શંકાસ્પદ રીક્ષા અને અંદર રહેલા બુરખા પહેરેલ એક વ્યક્તિ સહીત અન્ય મહિલા સાથે પોલીસે 3 વ્યક્તિની શોધખોળ આરંભી હતી. જિલ્લા પોલીસ વડાની સૂચના આધારે અંકલેશ્વર ડીવાયએસપી ચિરાગ દેસાઈ દ્વારા શહેર પોલીસ, તેમજ જીઆઇડીસી પોલીસ ની 5 થી વધુ ટીમ ની રચના કરી હતી.
ટીમો દ્વારા પ્રથમ શરીરના બાકીના અંગો શોધવાની કવાયત કરતા હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી સારંગપુર ગામ પાટિયા સામે આવેલ રેલ્વે ક્રોસિંગ પાસે ઝાડી માં જાંબલી રંગની શુટકેસ માં ધડ મળી આવ્યું હતું. પોલીસે તેને બહાર કાઢી ફોરેન્સિક તપાસ તેમજ પી.એમ માટે મોકલી આપ્યું હતું.
હજી પણ મૃતક કોણ છે તે પોલીસ માટે કોયડો બન્યો છે. લાશનું માથું હજી સુધી મળ્યું નથી .ત્યારે પોલીસની ટીમ તે શોધવામાં અંકલેશ્વરની આજુબાજુ ના 10 કિલોમીટર વિસ્તાર ખેતરો અને આજુબાજુ આંતરિક રસ્તા જોડાતા માર્ગ સહિત વિસ્તારો માં સર્ચ કરી રહી છે.
અંકલેશ્વર ડી.વાય.એસ પી ચિરાગ દેસાઈ ને જણાવ્યું હતું કે ગત રાત્રી ના સારંગપુર ગામ પાસે રેલ્વે ક્રોસિંગ પાસે થી ધડ મળી આવ્યું છે. પ્રાથમિક તો અમરપુરા ગામે મળેલ માનવ અવશેષ અને આ માનવ અવશેષ એક જ વ્યક્તિ ના છે કે કેમ તે પણ તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત પોલીસ દ્વારા શહેર અને જીઆઇડીસી પોલીસ ની અલગ અલગ 5 ટીમ બનાવી શંકાસ્પદ રીક્ષા અંગે ના મેળવા સીસીટીવી ફૂટેજ સહીત હ્યુમન ઇન્ટેલિજન્સ વડે શોધખોળ કરી રહી છે.
એક ટીમ હજી પણ બાકી રહેલ શરીર નો ભાગ શોધી રહી છે તો એક ટીમ ટેક્નિકલ સર્વેલન્સ હાથ ધયું છે. અલગ અલગ ટીમ દ્વારા અલગ અલગ મુદ્દા સાથે સર્ચ કરી રહી છે આ ઉપરાંત એક સર્ક્યુલર ગુમ થયેલા લોકો અંગે તમામ પોલીસ સ્ટેશન તેમજ જિલ્લા બહાર કરવામાં આવ્યો છે. જેમાં ગુમ થનાર ઈસમો જોડે મળેલા માનવ શરીર અવશેષો સરખામણી કરી ઓળખ કરવાની તજવીજ કરાઈ રહી છે. તો ગુમ થયેલ વ્યક્તિ ઓ જોડે પણ વર્ણન મેચ કરવામાં આવી રહ્યું છે. હાલ પોલીસ દ્વારા તમામ પાસા ધ્યાને લઇ સર્ચ થઈ રહ્યું છે.