ટેસ્ટિંગ, ટ્રેસિંગ, વેકસીનેશન, બેડ, કોવિડ કેર સેન્ટર, ઓક્સિજન,વેન્ટિલેટર, રેમડીસીવેર ઇન્જેક્શનને લઈ વ્યવસ્થા વધુ સઘન
હાલ જિલ્લામાં 1350 બેડ સામે 3 દિવસમાં વધુ 700 બેડ કાર્યરત કરી દેવાશે, ઓક્સિજન સપ્લાય માટે નોડલ અધિકારી નિમાયા
ભરૂચની હોસ્પિટલો પર દર્દીઓના વધતા ભારણ સામે નવા 3 કોવિડ કેર સેન્ટર ઉભા કરવા તૈયારીઓ શરૂ
ખાનગી હોસ્પિટલોમાં પણ 10 થી 15 કોવિડ બેડ વધારવા તબીબો સાથે પ્રશાસનની બેઠક
MP મનસુખ વસાવા, MLA દુષ્યંત પટેલ અને જિલ્લા આગેવાન મારુતિસિંહ અટોદરિયા એ પણ કલેકટર સાથે બેઠક કોવિડ સંદર્ભે લોકોની મુશ્કેલીઓ નિવારવા બેઠક યોજી
વધારે જરૂરિયાત ધરાવતા દર્દીઓને બેડ, ઓક્સિજન અને વેન્ટિલેટર મળી રહે તેના પર ભાર મુકવા તમામ હોસ્પિટલો-તબીબોને કલેક્ટરનું સૂચન
WatchGujarat. ભરૂચમાં પણ કોરોનાનો ભરડો વધુ ઘાતક થઈ રહ્યો છે, કોરોનાની સ્થિતિને કંટ્રોલમાં લાવવા સાથે બેડ, ઓક્સિજન, વેન્ટિલેટર, ટેસ્ટિંગ, ટ્રેસિંગ, વેકસીનેશન વધુ અસરકારક અને ઝડપી બનાવવા જિલ્લા પ્રશાસન દ્વારા કયોર એન્ડ કેરની કામગીરી વધુ તેજ બનાવી દેવાઈ છે.
જિલ્લામાં હાલ કોરોનાના દર્દીઓની સારવાર માટે 1350 બેડ ઉપલબ્ધ છે, તેમાં 3 દિવસમાં વધુ 700 બેડનો વધારાનું આયોજન કરવામાં આવ્યું છે. ભરૂચમાં દર્દીઓનું ભારણ ઘટાડવા અંકલેશ્વર, હાંસોટ અને આમોદમાં માઈલ્ડ કોવિડ કેર સેન્ટરો કાર્યરત કરવા પણ ગતિવિધિઓ શરૂ કરી દેવાઈ છે.
જિલ્લા કલેકટર ડો. એમ.ડી. મોડિયા એ તંત્ર, ખાનગી સરકારી હોસ્પિટલોના તબીબો, ઓક્સિજન સપ્લાયરો, રેમડીસીવેર ઇન્જેક્શન પૂરતા ઉપલબ્ધ થાય તે સહિત માટે બેઠકો યોજી ઇન્જેક્શન, ઓક્સિજન સહિત માટે નોડલ અધિકારીઓની નિમણુંક કરી છે. ફૂડ એન્ડ ડ્રગ વિભાગને પણ પૂરતો ઇન્જેક્શનનો જથ્થો મળી રહે તે માટે આયોજન કરવા અને શુક્રવારથી જ સિવિલ હોસ્પિટલમાંથી રેમડીસીવેર ઇન્જેક્શનની વ્યવસ્થા કરાઈ છે.
વેન્ટિલેટર ઓપરેટ માટે ફિજીશિયન કે એનેસસ્થેસિયાની તાત્કાલિક નિમનુકની કામગીરી પણ આરંભી દેવામાં આવી છે. ખાનગી હોસ્પિટલના તબીબોને પણ શક્ય હોય તો 10 થી 15 બેડ વધારવા જણાવાયું છે.
જિલ્લા કલેકટર ડો. એમ.ડી. મોડિયા એ જણાવ્યું હતું કે, કોરોનાની હાલની સ્થિતિને લઈ ઓક્સિજન, વેન્ટિલેટર, વધુ બેડ, કોવિડ કેર સેન્ટર, રેમડીસીવેર ઇન્જેક્શન, બીજી વધારાની કોવિડ હોસ્પિટલ કાર્યરત કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે. ટેસ્ટિંગ અને ટ્રેસિંગ પણ વધારી દેવામાં આવ્યા છે. હાલ રોજ છેલ્લા 3 દિવસથી 1200 થી વધુ RT-PCR ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.
MP અને MLA એ કલેકટરને મળી વડોદરા મોકલાયેલા તબીબોને જિલ્લામાં પરત લાવવા કહ્યું
- ક્રિટિકલ દર્દીઓ માટે બેડ, ઓક્સિજન, વેન્ટિલેટર ઉપલબ્ધ થાય તેના પર ભાર મુકાયો
વડોદરા જિલ્લામાં પણ કોરોનાની સ્થિતિ વકરતી ભરૂચ જિલ્લામાંથી તબીબો વડોદરા મોકલવામાં આવ્યા છે, જે અંગે ભરૂચ સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય દુષ્યંત પટેલ અને જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા એ જિલ્લા સમહર્તાને મળી આ તબીબોની ટીમ પરત ભરૂચ લાવવા આગ્રહ કર્યો હતો.
ભરૂચ MLA દુષ્યંત પટેલે જણાવ્યું હતું કે, ભરૂચ કોરોનાની સ્થિતિને લઈ કલેકટરને રેમડીસીવેર ઇન્જેક્શન, બેડ વધારવા, કોવિડ હોસ્પિટલ ઉભી કરવા, ઓક્સિજન પૂરતા પ્રમાણમાં મળી રહે અને હાલની સ્થિતિમાં કરફ્યુમાં લોકો ભેગા ન થાય તે માટે ચર્ચા કરી છે. કલેકટરે તમામ બાબતે કામગીરી શરૂ કરાવી દીધી છે. સિવિલમાં ઇન્જેક્શન મળતા થઈ ગયા છે. અંકલેશ્વરમાં જયાબેન મોદી હોસ્પિટલ અને સરદાર પટેલ હોસ્પિટલમાં 50-50 બેડ વધારાઈ રહ્યા છે. ESIC અને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં પણ બેડની સંખ્યા વધારવામાં આવનાર છે. ખાસ કરીને જેને કોરોનાના સામાન્ય લક્ષણ છે તેની સામે ક્રિટિકલ દર્દીને બેડ, ઓક્સિજન, ICU અને વેન્ટિલેટર મળી રહે તેના પર ભાર આપવા પણ તંત્રે તબીબોને જણાવ્યું છે.
હાલ જિલ્લામાં 1350 બેડ સામે 3 દિવસમાં વધુ 700 બેડ કાર્યરત કરી દેવાશે, ઓક્સિજન સપ્લાય માટે નોડલ અધિકારી નિમાયા
ભરૂચની હોસ્પિટલો પર દર્દીઓના વધતા ભારણ સામે નવા 3 કોવિડ કેર સેન્ટર ઉભા કરવા તૈયારીઓ શરૂ
ખાનગી હોસ્પિટલોમાં પણ 10 થી 15 કોવિડ બેડ વધારવા તબીબો સાથે પ્રશાસનની બેઠક
MP મનસુખ વસાવા, MLA દુષ્યંત પટેલ અને જિલ્લા આગેવાન મારુતિસિંહ અટોદરિયા એ પણ કલેકટર સાથે બેઠક કોવિડ સંદર્ભે લોકોની મુશ્કેલીઓ નિવારવા બેઠક યોજી
વધારે જરૂરિયાત ધરાવતા દર્દીઓને બેડ, ઓક્સિજન અને વેન્ટિલેટર મળી રહે તેના પર ભાર મુકવા તમામ હોસ્પિટલો-તબીબોને કલેક્ટરનું સૂચન
WatchGujarat. ભરૂચમાં પણ કોરોનાનો ભરડો વધુ ઘાતક થઈ રહ્યો છે, કોરોનાની સ્થિતિને કંટ્રોલમાં લાવવા સાથે બેડ, ઓક્સિજન, વેન્ટિલેટર, ટેસ્ટિંગ, ટ્રેસિંગ, વેકસીનેશન વધુ અસરકારક અને ઝડપી બનાવવા જિલ્લા પ્રશાસન દ્વારા કયોર એન્ડ કેરની કામગીરી વધુ તેજ બનાવી દેવાઈ છે.
જિલ્લામાં હાલ કોરોનાના દર્દીઓની સારવાર માટે 1350 બેડ ઉપલબ્ધ છે, તેમાં 3 દિવસમાં વધુ 700 બેડનો વધારાનું આયોજન કરવામાં આવ્યું છે. ભરૂચમાં દર્દીઓનું ભારણ ઘટાડવા અંકલેશ્વર, હાંસોટ અને આમોદમાં માઈલ્ડ કોવિડ કેર સેન્ટરો કાર્યરત કરવા પણ ગતિવિધિઓ શરૂ કરી દેવાઈ છે.
જિલ્લા કલેકટર ડો. એમ.ડી. મોડિયા એ તંત્ર, ખાનગી સરકારી હોસ્પિટલોના તબીબો, ઓક્સિજન સપ્લાયરો, રેમડીસીવેર ઇન્જેક્શન પૂરતા ઉપલબ્ધ થાય તે સહિત માટે બેઠકો યોજી ઇન્જેક્શન, ઓક્સિજન સહિત માટે નોડલ અધિકારીઓની નિમણુંક કરી છે. ફૂડ એન્ડ ડ્રગ વિભાગને પણ પૂરતો ઇન્જેક્શનનો જથ્થો મળી રહે તે માટે આયોજન કરવા અને શુક્રવારથી જ સિવિલ હોસ્પિટલમાંથી રેમડીસીવેર ઇન્જેક્શનની વ્યવસ્થા કરાઈ છે.
વેન્ટિલેટર ઓપરેટ માટે ફિજીશિયન કે એનેસસ્થેસિયાની તાત્કાલિક નિમનુકની કામગીરી પણ આરંભી દેવામાં આવી છે. ખાનગી હોસ્પિટલના તબીબોને પણ શક્ય હોય તો 10 થી 15 બેડ વધારવા જણાવાયું છે.
જિલ્લા કલેકટર ડો. એમ.ડી. મોડિયા એ જણાવ્યું હતું કે, કોરોનાની હાલની સ્થિતિને લઈ ઓક્સિજન, વેન્ટિલેટર, વધુ બેડ, કોવિડ કેર સેન્ટર, રેમડીસીવેર ઇન્જેક્શન, બીજી વધારાની કોવિડ હોસ્પિટલ કાર્યરત કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે. ટેસ્ટિંગ અને ટ્રેસિંગ પણ વધારી દેવામાં આવ્યા છે. હાલ રોજ છેલ્લા 3 દિવસથી 1200 થી વધુ RT-PCR ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.
MP અને MLA એ કલેકટરને મળી વડોદરા મોકલાયેલા તબીબોને જિલ્લામાં પરત લાવવા કહ્યું
- ક્રિટિકલ દર્દીઓ માટે બેડ, ઓક્સિજન, વેન્ટિલેટર ઉપલબ્ધ થાય તેના પર ભાર મુકાયો
વડોદરા જિલ્લામાં પણ કોરોનાની સ્થિતિ વકરતી ભરૂચ જિલ્લામાંથી તબીબો વડોદરા મોકલવામાં આવ્યા છે, જે અંગે ભરૂચ સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય દુષ્યંત પટેલ અને જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા એ જિલ્લા સમહર્તાને મળી આ તબીબોની ટીમ પરત ભરૂચ લાવવા આગ્રહ કર્યો હતો.
ભરૂચ MLA દુષ્યંત પટેલે જણાવ્યું હતું કે, ભરૂચ કોરોનાની સ્થિતિને લઈ કલેકટરને રેમડીસીવેર ઇન્જેક્શન, બેડ વધારવા, કોવિડ હોસ્પિટલ ઉભી કરવા, ઓક્સિજન પૂરતા પ્રમાણમાં મળી રહે અને હાલની સ્થિતિમાં કરફ્યુમાં લોકો ભેગા ન થાય તે માટે ચર્ચા કરી છે. કલેકટરે તમામ બાબતે કામગીરી શરૂ કરાવી દીધી છે. સિવિલમાં ઇન્જેક્શન મળતા થઈ ગયા છે. અંકલેશ્વરમાં જયાબેન મોદી હોસ્પિટલ અને સરદાર પટેલ હોસ્પિટલમાં 50-50 બેડ વધારાઈ રહ્યા છે. ESIC અને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં પણ બેડની સંખ્યા વધારવામાં આવનાર છે. ખાસ કરીને જેને કોરોનાના સામાન્ય લક્ષણ છે તેની સામે ક્રિટિકલ દર્દીને બેડ, ઓક્સિજન, ICU અને વેન્ટિલેટર મળી રહે તેના પર ભાર આપવા પણ તંત્રે તબીબોને જણાવ્યું છે.