સવાર પડતા જ શહેરની લેબો પર RT-PCR ટેસ્ટ માટે લાગતી લાંબી લાઈનો
ભરૂચ-અંકલેશ્વરમાં 4 હોસ્પિટલમાં કોરોનાની મફત સારવાર, જિલ્લામાં 800 થી વધુ બેડ ઉપલબ્ધ કરાવાયા
કલેકટર કચેરીએ કોરોના રસીકરણ અને કામગીરી સંદર્ભે તાકીદની બેઠક મળી
વેકસીનના પહેલા તબકકામાં જે કામ કરતાં હતા તેના કરતાં ત્રીજા તબક્કામાં વધુ કામગીરી કરવી પડશે : કલેકટર
WatchGujarat કોરોનાનો બીજો વેવ વધુ ઘાતક બની રહ્યો છે, ભરૂચ જિલ્લામાં રોજ પોઝિટિવ કેસનો આંક 20 થી વધુ આવી રહ્યો છે ત્યારે સ્થિતિને નિયંત્રણમાં લાવવા વેકસીનેશન વેગીલું બનાવી 265 કેન્દ્રો કાર્યરત કરી દેવાયા છે. બીજી તરફ સવાર પડતા જ ભરૂચ ની લેબોરેટરીઓ બહાર કોરોનાના ટેસ્ટ માટે લાંબી કતારો પડી રહી છે. હાલની સ્થિતિને ધ્યાને લઇ ભરૂચ-અંકલેશ્વરમાં 4 હોસ્પિટલમાં કોરોનાની મફત સારવાર અને જિલ્લામાં 800 બેડ ઉપલબ્ધ કરાવાયા છે.
ભરૂચ કલેકટર કચેરી ખાતે શુક્રવારે કોરોના વેકિસનેશન સંદર્ભે તાકિદની મળેલી બેઠકમાં કલેકટર ડો.એમ.ડી.મોડીયાએ જણાવ્યું હતું કે, ભરૂચ જિલ્લામાં કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે તબકકાવાર રસીકરણનો કાર્યક્રમ ચાલી રહયો છે. કલેકટરે જિલ્લામાં 45 વર્ષથી વધુ ઉંમરના તમામ નાગરિકોને કોરોનાની વેકિસન લેવા અનુરોધ કર્યો હતો.
કોરોનાની મહામારીને ધ્યાને લેતા જિલ્લામાં કોરોના વેકિસનેશન માટે કુલ 265 વેકિસનેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે જેમાં જિલ્લામાં કાર્યરત તમામ પેટા આરોગ્ય કેન્દ્રો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, શહેરી આરોગ્ય કેન્દ્રો અને સામુહિક આરોગ્ય કેન્દ્ર, તથા સિવિલ હોસ્પિટલ ભરૂચ ખાતે વિનામૂલ્ય આપવામાં આવે છે.
વેકસીનેશનના પહેલાના તબકકામાં જે કામ કરતાં હતા તેના કરતાં વધુ કામગીરી કરવી પડશે. આરોગ્ય સંજીવની રથ ધવંતરિ રથ દ્વારા આપવામાં આવી રહેલી આરોગ્ય સેવાઓ અને ઘર સર્વેક્ષણનું નિરીક્ષણ વધુને વધુ ગામોમાં કરવા પર ખાસ ભાર મૂકાયો હતો. નાગરિકોનું સ્કેનીંગ, કોરોનાના લક્ષણો ધરાવતા વ્યક્તિઓનું રીપોર્ટીગ, વધુમાં વધુમાં ટેસ્ટીંગ કરવા પર પણ જરૂરી માર્ગદર્શન આપી તાકિદે અમલીકરણ કરવા જણાવ્યું હતું.
સમગ્ર જિલ્લામાં ત્રીજા તબક્કામાં એટલે કે સીનીયર સીટીઝનને રસી મેળવવાપાત્ર અંદાજે 4,09,657નો લક્ષ્યાંક નકકી કરવામાં આવ્યો છે. જેની સામે 90032 ને રસી આપવામાં આવી છે. 21.98 ટકા કામગીરી થયેલ છે. જિલ્લામાં પ્રથમ ડોઝમાં હેલ્થ કેર વર્કસ 98 ટકા, ફ્રન્ટ લાઇનર 93 %, બીજા ડોઝમાં હેલ્થ કેર વર્કસ 68 ટકા , ફર્ લાઇન વર્કસ 70 ટકા લોકોએ રસી લીધેલ છે. જિલ્લામાં કુલ 800 થી વધુ બેડ ઉપલબ્ધ છે જેમાં સીવીલ હોસ્પીટલ- ભરૂચ, સેવાશ્રમ- ભરૂચ, વેલ્ફર હોસ્પિટલ- ભરૂચ તથા ઇએસઆઇસી હોસ્પિટલ- અંકલેશ્વર ખાતે વિનામુલ્ય સારવાર આપવામાં આવે છે.
કલેકટરએ નાગરિકોની સુરક્ષાને ધ્યાને લઇ વેક્સિનેશનની પ્રક્રિયા વેગવાન બને તથા મહામુલી વેક્સિનનો દરેક વ્યક્તિ લાભ લે તેવા હેતુથી જિલ્લાના દરેક તાલુકાઓમાં કોર કમિટિની દર 2 દિવસે મીટીંગ થાય અને થયેલ કામગીરીની સમીક્ષા કરવામાં આવે.જિલ્લામાં આવેલી કંપનીઓમાં જઇને વેકિસનેશનની કામગીરી થાય તે મુજબની કામગીરી હાથ ધરવા પણ સુચના આપવામાં આવી હતી.
સવાર પડતા જ શહેરની લેબો પર RT-PCR ટેસ્ટ માટે લાગતી લાંબી લાઈનો
ભરૂચ-અંકલેશ્વરમાં 4 હોસ્પિટલમાં કોરોનાની મફત સારવાર, જિલ્લામાં 800 થી વધુ બેડ ઉપલબ્ધ કરાવાયા
કલેકટર કચેરીએ કોરોના રસીકરણ અને કામગીરી સંદર્ભે તાકીદની બેઠક મળી
વેકસીનના પહેલા તબકકામાં જે કામ કરતાં હતા તેના કરતાં ત્રીજા તબક્કામાં વધુ કામગીરી કરવી પડશે : કલેકટર
WatchGujarat કોરોનાનો બીજો વેવ વધુ ઘાતક બની રહ્યો છે, ભરૂચ જિલ્લામાં રોજ પોઝિટિવ કેસનો આંક 20 થી વધુ આવી રહ્યો છે ત્યારે સ્થિતિને નિયંત્રણમાં લાવવા વેકસીનેશન વેગીલું બનાવી 265 કેન્દ્રો કાર્યરત કરી દેવાયા છે. બીજી તરફ સવાર પડતા જ ભરૂચ ની લેબોરેટરીઓ બહાર કોરોનાના ટેસ્ટ માટે લાંબી કતારો પડી રહી છે. હાલની સ્થિતિને ધ્યાને લઇ ભરૂચ-અંકલેશ્વરમાં 4 હોસ્પિટલમાં કોરોનાની મફત સારવાર અને જિલ્લામાં 800 બેડ ઉપલબ્ધ કરાવાયા છે.
ભરૂચ કલેકટર કચેરી ખાતે શુક્રવારે કોરોના વેકિસનેશન સંદર્ભે તાકિદની મળેલી બેઠકમાં કલેકટર ડો.એમ.ડી.મોડીયાએ જણાવ્યું હતું કે, ભરૂચ જિલ્લામાં કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે તબકકાવાર રસીકરણનો કાર્યક્રમ ચાલી રહયો છે. કલેકટરે જિલ્લામાં 45 વર્ષથી વધુ ઉંમરના તમામ નાગરિકોને કોરોનાની વેકિસન લેવા અનુરોધ કર્યો હતો.
કોરોનાની મહામારીને ધ્યાને લેતા જિલ્લામાં કોરોના વેકિસનેશન માટે કુલ 265 વેકિસનેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે જેમાં જિલ્લામાં કાર્યરત તમામ પેટા આરોગ્ય કેન્દ્રો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, શહેરી આરોગ્ય કેન્દ્રો અને સામુહિક આરોગ્ય કેન્દ્ર, તથા સિવિલ હોસ્પિટલ ભરૂચ ખાતે વિનામૂલ્ય આપવામાં આવે છે.
વેકસીનેશનના પહેલાના તબકકામાં જે કામ કરતાં હતા તેના કરતાં વધુ કામગીરી કરવી પડશે. આરોગ્ય સંજીવની રથ ધવંતરિ રથ દ્વારા આપવામાં આવી રહેલી આરોગ્ય સેવાઓ અને ઘર સર્વેક્ષણનું નિરીક્ષણ વધુને વધુ ગામોમાં કરવા પર ખાસ ભાર મૂકાયો હતો. નાગરિકોનું સ્કેનીંગ, કોરોનાના લક્ષણો ધરાવતા વ્યક્તિઓનું રીપોર્ટીગ, વધુમાં વધુમાં ટેસ્ટીંગ કરવા પર પણ જરૂરી માર્ગદર્શન આપી તાકિદે અમલીકરણ કરવા જણાવ્યું હતું.
સમગ્ર જિલ્લામાં ત્રીજા તબક્કામાં એટલે કે સીનીયર સીટીઝનને રસી મેળવવાપાત્ર અંદાજે 4,09,657નો લક્ષ્યાંક નકકી કરવામાં આવ્યો છે. જેની સામે 90032 ને રસી આપવામાં આવી છે. 21.98 ટકા કામગીરી થયેલ છે. જિલ્લામાં પ્રથમ ડોઝમાં હેલ્થ કેર વર્કસ 98 ટકા, ફ્રન્ટ લાઇનર 93 %, બીજા ડોઝમાં હેલ્થ કેર વર્કસ 68 ટકા , ફર્ લાઇન વર્કસ 70 ટકા લોકોએ રસી લીધેલ છે. જિલ્લામાં કુલ 800 થી વધુ બેડ ઉપલબ્ધ છે જેમાં સીવીલ હોસ્પીટલ- ભરૂચ, સેવાશ્રમ- ભરૂચ, વેલ્ફર હોસ્પિટલ- ભરૂચ તથા ઇએસઆઇસી હોસ્પિટલ- અંકલેશ્વર ખાતે વિનામુલ્ય સારવાર આપવામાં આવે છે.
કલેકટરએ નાગરિકોની સુરક્ષાને ધ્યાને લઇ વેક્સિનેશનની પ્રક્રિયા વેગવાન બને તથા મહામુલી વેક્સિનનો દરેક વ્યક્તિ લાભ લે તેવા હેતુથી જિલ્લાના દરેક તાલુકાઓમાં કોર કમિટિની દર 2 દિવસે મીટીંગ થાય અને થયેલ કામગીરીની સમીક્ષા કરવામાં આવે.જિલ્લામાં આવેલી કંપનીઓમાં જઇને વેકિસનેશનની કામગીરી થાય તે મુજબની કામગીરી હાથ ધરવા પણ સુચના આપવામાં આવી હતી.