શેરપુરા ગામના એક વ્યક્તિનું બસ અડફેટે મૃત્યુ થતા લોકો વિફર્યા
દહેજ બાયપાસ રોડ ચક્કાજામ કરતા પોલીસના ઘાડે ધાડા દોડી ગયા
બન્ને લકઝરી બસો કંપનીની હતી, પોલીસે સ્થળ પર દોડી જઇ સ્થિતિને કંટ્રોલ કરવા કવાયત હાથ ધરી
બન્ને બસમાં સવાર કર્મચારીઓ-મુસાફરો જીવ બચાવવા સમયસર ઉતરી જતા કોઈ ઇજા કે જાનહાનિ નહિ
WatchGujarat. કિશન ભરવાડની હત્યા વચ્ચે સમગ્ર ગુજરાતમાં વાતાવરણ ડહોળાયું છે ત્યારે સોમવારે સાંજે ભરૂચ પોલીસની જિલ્લાવાસીઓને શાંતિનો માહોલ જાળવી રાખી અફવાઓથી અળગા રહેવાના સૂચન વચ્ચે રાત્રે અકસ્માતમાં 1 વ્યક્તિના મોત બાદ અશાંતિની આગ ભભૂકી ઉઠી હતી.
દહેજ બાયપાસ રોડ ઉપર ભરૂચના શેરપુરા ગામ નજીક માર્ગ પરથી પસાર થતી બિરલા કોપર કંપનીની લકઝરી બસે 55 વર્ષીય રૂષતમ આદામ મચવાલાને અડફેટે લેતા તેઓનુ ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતુ. આ ઘટનાની જાણ સ્નિકોને થતાં રોષે ભરાયેલા લોકોના ટોળે ટોળા રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા.
https://youtu.be/UUT75prtMWE
માર્ગ ઉપર ટોળાએ ચક્કાજામ કરી અકસ્માત સર્જક લકઝરી બસમાં તોડફોડ કરી તેને આગને હવાલે કરી દીધી હતી. આટલેથી જ ટોળા એ નહિ અટકી અન્ય એક લકઝરી બસમાં પણ આગ ચાંપવા સાથે અરાજકતા અને ભયનું વાતાવરણ સર્જી દીધું હતું.
કિશન ભરવાડની હત્યા વચ્ચે ઘટનાને લઈ ભરૂચમાં જોતજોતામાં અફવા બજાર ગરમ થઈ ગયું હતું. બીજી તરફ દહેજ બાયપાસના શેરપુરા રોડ નજીક ભડકે બળતી 2 લકઝરી બસ વચ્ચે ટોળાના રસ્તા જામથી દહેજ,જંબુસર તેમજ હાઇવે અને ભરૂચ તરફથી આવતો ટ્રાફિક પણ અટકી ગયો હતો.
જોત જોતામાં રસ્તા ઉપર બન્ને તરફ વાહનોની લાંબી કતારો લાગવાની શરૂ થઈ ગઈ હતી. ભરૂચ પોલીસનો કાફલો અને ફાયરબ્રિગેડ સહિત 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે દોડતી થઈ ગઈ હતી. પોલીસે માંડ માંડ મામલો થાળે પાડી રોષે ભરાયેલા ટોળાને વિખેરવાની કામગીરી હાથ ધરી છે. જ્યારે સળગતી બસોને ફાયર ફાઈટરોએ બુઝાવવાની કવાયત આરંભી હતી. ઘટના બાદ વધુ વિગતો બહાર આવી શકે તેમ છે.
લકઝરી બસમાં સવાર કંપનીના કર્મચારીઓ અને અન્ય મુસાફરો પોતાના જીવ બચાવવા સમય સુચકતા વાપરી બહાર નીકળી જતા તેઓનો બચાવ થયો હતો.
- શેરપુરા ગામના એક વ્યક્તિનું બસ અડફેટે મૃત્યુ થતા લોકો વિફર્યા
- દહેજ બાયપાસ રોડ ચક્કાજામ કરતા પોલીસના ઘાડે ધાડા દોડી ગયા
- બન્ને લકઝરી બસો કંપનીની હતી, પોલીસે સ્થળ પર દોડી જઇ સ્થિતિને કંટ્રોલ કરવા કવાયત હાથ ધરી
- બન્ને બસમાં સવાર કર્મચારીઓ-મુસાફરો જીવ બચાવવા સમયસર ઉતરી જતા કોઈ ઇજા કે જાનહાનિ નહિ
WatchGujarat. કિશન ભરવાડની હત્યા વચ્ચે સમગ્ર ગુજરાતમાં વાતાવરણ ડહોળાયું છે ત્યારે સોમવારે સાંજે ભરૂચ પોલીસની જિલ્લાવાસીઓને શાંતિનો માહોલ જાળવી રાખી અફવાઓથી અળગા રહેવાના સૂચન વચ્ચે રાત્રે અકસ્માતમાં 1 વ્યક્તિના મોત બાદ અશાંતિની આગ ભભૂકી ઉઠી હતી.
દહેજ બાયપાસ રોડ ઉપર ભરૂચના શેરપુરા ગામ નજીક માર્ગ પરથી પસાર થતી બિરલા કોપર કંપનીની લકઝરી બસે 55 વર્ષીય રૂષતમ આદામ મચવાલાને અડફેટે લેતા તેઓનુ ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતુ. આ ઘટનાની જાણ સ્નિકોને થતાં રોષે ભરાયેલા લોકોના ટોળે ટોળા રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા.
માર્ગ ઉપર ટોળાએ ચક્કાજામ કરી અકસ્માત સર્જક લકઝરી બસમાં તોડફોડ કરી તેને આગને હવાલે કરી દીધી હતી. આટલેથી જ ટોળા એ નહિ અટકી અન્ય એક લકઝરી બસમાં પણ આગ ચાંપવા સાથે અરાજકતા અને ભયનું વાતાવરણ સર્જી દીધું હતું.
કિશન ભરવાડની હત્યા વચ્ચે ઘટનાને લઈ ભરૂચમાં જોતજોતામાં અફવા બજાર ગરમ થઈ ગયું હતું. બીજી તરફ દહેજ બાયપાસના શેરપુરા રોડ નજીક ભડકે બળતી 2 લકઝરી બસ વચ્ચે ટોળાના રસ્તા જામથી દહેજ,જંબુસર તેમજ હાઇવે અને ભરૂચ તરફથી આવતો ટ્રાફિક પણ અટકી ગયો હતો.
જોત જોતામાં રસ્તા ઉપર બન્ને તરફ વાહનોની લાંબી કતારો લાગવાની શરૂ થઈ ગઈ હતી. ભરૂચ પોલીસનો કાફલો અને ફાયરબ્રિગેડ સહિત 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે દોડતી થઈ ગઈ હતી. પોલીસે માંડ માંડ મામલો થાળે પાડી રોષે ભરાયેલા ટોળાને વિખેરવાની કામગીરી હાથ ધરી છે. જ્યારે સળગતી બસોને ફાયર ફાઈટરોએ બુઝાવવાની કવાયત આરંભી હતી. ઘટના બાદ વધુ વિગતો બહાર આવી શકે તેમ છે.
લકઝરી બસમાં સવાર કંપનીના કર્મચારીઓ અને અન્ય મુસાફરો પોતાના જીવ બચાવવા સમય સુચકતા વાપરી બહાર નીકળી જતા તેઓનો બચાવ થયો હતો.