640 ગ્રામની પથરી નહિ પણ પથરો: ભરૂચ જિલ્લાનો પ્રથમ કિસ્સો
દેડીયાપાડાના મોજરા ગામના આદિવાસી મોતીસીંગ વસાવના મૂત્રાશયમાં 15 થી 20 વર્ષથી આકાર લઈ પથરી અડધો કિલો ઉપરની થતા 2 કિડની અને જીવન જોખમાયું
4 ઇંચ લંબાઈ, 3 ઇંચ પહોળાઈ અને ઊંચાઈની પથરી કાઢવામાં 2 દિવસનો પણ વિલંબ થાત તો દર્દીનું મૃત્યુ થઈ જાત
વિશ્વની સૌથી મોટી 1900 ગ્રામની પથરી બ્રાઝીલ, 1365 ગ્રામની ધરમપુર, 834 ગ્રામની કાશ્મીરમાંથી દર્દીના શરીરમાંથી નીકળી હતી
Watchgujarat. ભરૂચના તબીબે દેડિયાપાડાના આદિવાસી વૃદ્ધનો વિશ્વની ચોથી સૌથી મોટી નારિયેળ સાઈઝની 640 ગ્રામ એટલે કે અડધા કિલોથી વધુ વજનની પથરી નહિ પણ પથરામાંથી અઢી કલાકના ઓપરેશન બાદ મુક્તિ અપાવી જીવ બચાવ્યો છે.
આદિવાસી વૃદ્ધના મૂત્રાશયમાં છેલ્લા 15 થી 20 વર્ષથી પથરીમાંથી પથરો બનેલી પથરી જોઈ તબીબ પણ ચોંકી ઉઠ્યા હતા. ડો. જયંતીભાઈ વસાવા વિશ્વની ચોથા નબરની સૌથી મોટી, દેશની ત્રીજી અને ભરૂચ જિલ્લાની પ્રથમ સૌથી મોટી પથરી અંગે શું જણાવી રહ્યાં છે, જાણીએ
ખેત મજૂરી કરતા 62 વર્ષીય વૃદ્ધ મોતીસીંગના શરીરમાં 20 વર્ષથી પથરી વિકસી રહી હતી. જોકે તેઓને છેલ્લા 4 મહિના ઉપરાંતથી જ 640 ગ્રામની નારિયેળ સાઈઝની પથરીને લઈ તકલીફો શરૂ થઈ હતી. પેટમાં અસહ્ય દુખાવો, પેશાબમાં બળતરા, ચાલવામાં પણ ભારે તકલીફ અને ડાયેરિયાથી પીડાતા આ આદિવાસી વૃદ્ધ નિદાન માટે ભરૂચના તબીબ પાસે આવ્યા હતા.
એક્સ રે માં ગાંઠ જેવું દેખાયું હતું, જોકે સોનોગ્રાફી કરનાર તબીબને મૂત્રાશય નહીં દેખાતા તેઓ અચરજમાં મુકાઈ ફરી જાતે એક્સ રે કરતા પથરીનું નિદાન થયું હતું. દર્દીનું તાત્કાલિક 2 જૂને અઢી કલાક ચાલેલા ઓપરેશનમાં મૂત્રાશયમાં રહેલી 640 ગ્રામ વજન 4 ઇંચ લંબાઈ, 3 ઇંચ ઊંચાઈ અને પહોળાઈની પથરી નહિ પણ મસમોટો પથરો બહાર કઢાયો હતો. જો દર્દીના ઓપરેશનમાં 2 દિવસનો પણ વિલંબ થાત તો તેનું મૃત્યુ થવાની પુરી સંભવના હતી.
આટલા મોટા પથરા જેવી પથરીના કારણે 2 કિડની પણ ફેઈલ થઈ ગઈ છે. કિડની ફિલ્ટ્રેશન જે 90 % થવું જોઈએ તે પથરાના કારણે 4 ટકા જ થતું હતું. લોહીમાં યુરિયા પણ 40 ના સ્થાને વધીને 194 ઓપરેશન પહેલા હતું. જ્યારે ક્રિએટિન 1.1 ના સ્થાને વધીને 12.70 થઈ ગયા હતા. ઓપરેશનના 5 દિવસ બાદ વૃદ્ધની તબિયત સુધારા ઉપર હોવાનું અને તેમને ડાયાલિસિસ કરાવવાની પણ જરૂર નહીં રહે તેમ તબીબ ડો. જ્યંતી વસાવા કહી રહ્યાં છે.
દેશમાં સૌથી મોટી પથરી ધરમપુરમાં વર્ષ 2018 માં એક દર્દીના શરીરમાંથી 1365 ગ્રામની કાઢવામાં આવી હતી. જેને લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. જે પહેલા કાશ્મીરમાં એક દર્દીમાંથી 843 ગ્રામની પથરી નીકળી હતી. જ્યારે વિશ્વમાં અત્યાર સુધી 1900 ગ્રામ એટલે કે 2 કિલો જેટલી પથરી બ્રાઝીલમાં એક દર્દીમાંથી શસ્ત્રક્રિયા દ્વારા કઢાઈ હતી. ડો. જયંતીભાઈ વસાવા એ જ ભરૂચમાં આગાઉ 1992 માં પહેલી વખત 310 ગ્રામની પથરી કાઢી હતી.
640 ગ્રામની પથરી નહિ પણ પથરો: ભરૂચ જિલ્લાનો પ્રથમ કિસ્સો
દેડીયાપાડાના મોજરા ગામના આદિવાસી મોતીસીંગ વસાવના મૂત્રાશયમાં 15 થી 20 વર્ષથી આકાર લઈ પથરી અડધો કિલો ઉપરની થતા 2 કિડની અને જીવન જોખમાયું
4 ઇંચ લંબાઈ, 3 ઇંચ પહોળાઈ અને ઊંચાઈની પથરી કાઢવામાં 2 દિવસનો પણ વિલંબ થાત તો દર્દીનું મૃત્યુ થઈ જાત
વિશ્વની સૌથી મોટી 1900 ગ્રામની પથરી બ્રાઝીલ, 1365 ગ્રામની ધરમપુર, 834 ગ્રામની કાશ્મીરમાંથી દર્દીના શરીરમાંથી નીકળી હતી
Watchgujarat. ભરૂચના તબીબે દેડિયાપાડાના આદિવાસી વૃદ્ધનો વિશ્વની ચોથી સૌથી મોટી નારિયેળ સાઈઝની 640 ગ્રામ એટલે કે અડધા કિલોથી વધુ વજનની પથરી નહિ પણ પથરામાંથી અઢી કલાકના ઓપરેશન બાદ મુક્તિ અપાવી જીવ બચાવ્યો છે.
આદિવાસી વૃદ્ધના મૂત્રાશયમાં છેલ્લા 15 થી 20 વર્ષથી પથરીમાંથી પથરો બનેલી પથરી જોઈ તબીબ પણ ચોંકી ઉઠ્યા હતા. ડો. જયંતીભાઈ વસાવા વિશ્વની ચોથા નબરની સૌથી મોટી, દેશની ત્રીજી અને ભરૂચ જિલ્લાની પ્રથમ સૌથી મોટી પથરી અંગે શું જણાવી રહ્યાં છે, જાણીએ
ખેત મજૂરી કરતા 62 વર્ષીય વૃદ્ધ મોતીસીંગના શરીરમાં 20 વર્ષથી પથરી વિકસી રહી હતી. જોકે તેઓને છેલ્લા 4 મહિના ઉપરાંતથી જ 640 ગ્રામની નારિયેળ સાઈઝની પથરીને લઈ તકલીફો શરૂ થઈ હતી. પેટમાં અસહ્ય દુખાવો, પેશાબમાં બળતરા, ચાલવામાં પણ ભારે તકલીફ અને ડાયેરિયાથી પીડાતા આ આદિવાસી વૃદ્ધ નિદાન માટે ભરૂચના તબીબ પાસે આવ્યા હતા.
એક્સ રે માં ગાંઠ જેવું દેખાયું હતું, જોકે સોનોગ્રાફી કરનાર તબીબને મૂત્રાશય નહીં દેખાતા તેઓ અચરજમાં મુકાઈ ફરી જાતે એક્સ રે કરતા પથરીનું નિદાન થયું હતું. દર્દીનું તાત્કાલિક 2 જૂને અઢી કલાક ચાલેલા ઓપરેશનમાં મૂત્રાશયમાં રહેલી 640 ગ્રામ વજન 4 ઇંચ લંબાઈ, 3 ઇંચ ઊંચાઈ અને પહોળાઈની પથરી નહિ પણ મસમોટો પથરો બહાર કઢાયો હતો. જો દર્દીના ઓપરેશનમાં 2 દિવસનો પણ વિલંબ થાત તો તેનું મૃત્યુ થવાની પુરી સંભવના હતી.
આટલા મોટા પથરા જેવી પથરીના કારણે 2 કિડની પણ ફેઈલ થઈ ગઈ છે. કિડની ફિલ્ટ્રેશન જે 90 % થવું જોઈએ તે પથરાના કારણે 4 ટકા જ થતું હતું. લોહીમાં યુરિયા પણ 40 ના સ્થાને વધીને 194 ઓપરેશન પહેલા હતું. જ્યારે ક્રિએટિન 1.1 ના સ્થાને વધીને 12.70 થઈ ગયા હતા. ઓપરેશનના 5 દિવસ બાદ વૃદ્ધની તબિયત સુધારા ઉપર હોવાનું અને તેમને ડાયાલિસિસ કરાવવાની પણ જરૂર નહીં રહે તેમ તબીબ ડો. જ્યંતી વસાવા કહી રહ્યાં છે.
દેશમાં સૌથી મોટી પથરી ધરમપુરમાં વર્ષ 2018 માં એક દર્દીના શરીરમાંથી 1365 ગ્રામની કાઢવામાં આવી હતી. જેને લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. જે પહેલા કાશ્મીરમાં એક દર્દીમાંથી 843 ગ્રામની પથરી નીકળી હતી. જ્યારે વિશ્વમાં અત્યાર સુધી 1900 ગ્રામ એટલે કે 2 કિલો જેટલી પથરી બ્રાઝીલમાં એક દર્દીમાંથી શસ્ત્રક્રિયા દ્વારા કઢાઈ હતી. ડો. જયંતીભાઈ વસાવા એ જ ભરૂચમાં આગાઉ 1992 માં પહેલી વખત 310 ગ્રામની પથરી કાઢી હતી.