જંબુસર અને આમોદ તાલુકાઓમાં ધારાસભ્ય સંજય સોલંકીએ ખેતરોમાં સ્થળ નિરીક્ષણ કર્યું, બન્ને તાલુકાના ખેડૂત આગેવાનો સાથે મુખ્યમંત્રીને આવેદન પત્ર પાઠવ્યું
કૃષિ તજજ્ઞો દ્વારા સ્થળ મુલાકાત લઈ તપાસની માંગ, બેજવાબદાર ઉદ્યોગો સામે કાર્યવાહી કરી ખેડૂતોને વળતર માટે માંગ
WatchGujarat. કોટન કિંગ ભરૂચ જિલ્લામાં કપાસ સહિતના પાકોમાં પ્રદુષણના કારણે ખેતી નષ્ટ થતા હવે જિલ્લા બાદ રાજ્ય ખેડૂત સમાજે ઝુકાવ્યું છે. અગાઉ BJP સાંસદ મનસુખ વસાવા અને વાગરા ધારાસભ્ય અરૂણસિંહ રણાએ રાસાયણિક પ્રદુષણની તપાસ કરી ખેડૂતોને વળતર ચૂકવવા રજૂઆતો કરી હતી. હવે જંબુસરના કોંગ્રેસના ધારાસભ્ય સંજય સોલંકી પણ ખેડૂતોના વ્હારે આવ્યા છે. ભરૂચ જિલ્લાના જંબુસર અને આમોદ તાલુકાના અનેક ગામોમાં ખેતીના પાકના પાનમાં વિકૃતિ આવતા ધારાસભ્ય સંજય સોલંકી દ્વારા મુખ્યમંત્રી CM વિજય રૂપાણીને રૂબરૂ મળી રજૂઆત કરી છે.
ભરૂચ જિલ્લાના જંબુસર, આમોદ, ભરૂચ અને વાગરા તાલુકામાં ચાલુ વર્ષે છેલ્લા કેટલાક સમયથી ઉભા પાકના પાનમાં તેમજ વૃક્ષોમાં વિકૃતિ આવતા ખેડૂત મુંજવણમાં મુકાઈ ગયો છે. ચાલુ વર્ષે વરસાદ પણ જરૂરિયાત મુજબ પડી રહ્યો નથી. તેની સામે મહામહેનતે ઊભા પાકમાં આવતી વિકૃતીથી ધરતીપુત્રોને ભારે આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. જિલ્લાના 4 તાલુકામાં 70,000 હેકટરમાં ખેતી નષ્ટ થતા 50000 ખેડૂતો પાયમાલી તરફ ધકેલાતા જિલ્લા ખેડૂત સમાજ બાદ ગુજરાત ખેડૂત સમાજ અસરગ્રસ્તોને ન્યાય અપાવવા લડત ચલાવી રહ્યું છે.
રાસાયણિક હુમલાની અજ્ઞાત અસર હેઠળ જિલ્લામાં ખેતીની બરબાદી અંગે ભરૂચ BJP સાંસદ મનસુખ વસાવાએ કેન્દ્ર અને રાજ્ય સરકારમાં રજુઆત કરી હતી. વાગરાના BJP MLA અરૂણસિંહ રણાએ પણ રાજ્ય સરકારને આ અંગે પત્ર લખી રજુઆત કરી હતી. હવે જંબુસર અને આમોદ તાલુકામાં પણ ખેતીમાં વ્યાપક નુકસાન પહોચ્યું છે ત્યારે જંબુસરના કોંગી ધારાસભ્ય MLA સંજય સોલંકીએ રૂબરૂ ખેતરમાં જઈને નિરીક્ષણ કર્યું અને ખેડૂતોની સમસ્યા જાણી હતી. જંબુસરના ટંકારી, કાવા, લીમચ, પાંચકડા, કલક જેવા અનેક ગામોમાં મોટી સંખ્યામાં ઊભા પાકને નુકસાની વેઠવી પડી છે. ત્યારે ધારાસભ્ય સંજય સોલંકી દ્વારા જંબુસર અને આમોદ તાલુકામાં થયેલા ખેતીમાં નુકસાન અંગે મુખ્યમંત્રી CM વિજય રૂપાણીને રૂબરૂ મળીને રજૂઆત કરવામાં આવી છે.
તેમની સાથે જંબુસર અને આમોદના ખેડૂત આગેવાનોએ પણ હાજર રહી મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવ્યું છે. જેમાં વિવિધ સરકારી એજન્સીઓ તપાસ કરી ખેતીને થઈ રહેલી નુક્શાનીના મૂળ સુધી પહોંચે. જેને અટકાવવાના પગલાં લઈ જવાબદારો સામે સખત કાર્યવાહી કરાઈ અને અસરગ્રસ્ત ખેડૂતોના ખેતરોમાં સર્વે કરી વળતર ચૂકવે.
ઉલ્લેખનીય છે કે, ભરૂચ જિલ્લાના વાગરા, જંબુસર અને આમોદ ગામમાં ખેડૂતો છેલ્લા કેટલાક સમયથી કપાસ તેમજ અન્ય પાકો અને વૃક્ષોના પાનમાં આવતી વિકૃતિનો સામનો કરવા સાથે આર્થિક નુકશાન વેઠી રહ્યા છે. જિલ્લા ખેતીવાડી અધિકારીની અધ્યક્ષતામાં કૃષિ નિષ્ણાતો દ્ધારા અગાઉ 2015-16 માં પાનમાં 2-4ડી નામના રસાયણથી વિકૃતિ આવી હોવાનું ગઠિત કમિટીએ તારણ કાઢ્યુ હતુ. તેમ છતાય હજુ સુધી કસૂરવાર કંપની સામે ઉચિત પગલાં નહિ લેવાતા ચાલુ વર્ષે પણ પાકોમાં વિકૃતિ દેખાતા ખેડૂતોની ચિંતામાં અનેક ઘણો વધારો થવા પામ્યો છે.
જંબુસર અને આમોદ તાલુકાઓમાં ધારાસભ્ય સંજય સોલંકીએ ખેતરોમાં સ્થળ નિરીક્ષણ કર્યું, બન્ને તાલુકાના ખેડૂત આગેવાનો સાથે મુખ્યમંત્રીને આવેદન પત્ર પાઠવ્યું
કૃષિ તજજ્ઞો દ્વારા સ્થળ મુલાકાત લઈ તપાસની માંગ, બેજવાબદાર ઉદ્યોગો સામે કાર્યવાહી કરી ખેડૂતોને વળતર માટે માંગ
WatchGujarat. કોટન કિંગ ભરૂચ જિલ્લામાં કપાસ સહિતના પાકોમાં પ્રદુષણના કારણે ખેતી નષ્ટ થતા હવે જિલ્લા બાદ રાજ્ય ખેડૂત સમાજે ઝુકાવ્યું છે. અગાઉ BJP સાંસદ મનસુખ વસાવા અને વાગરા ધારાસભ્ય અરૂણસિંહ રણાએ રાસાયણિક પ્રદુષણની તપાસ કરી ખેડૂતોને વળતર ચૂકવવા રજૂઆતો કરી હતી. હવે જંબુસરના કોંગ્રેસના ધારાસભ્ય સંજય સોલંકી પણ ખેડૂતોના વ્હારે આવ્યા છે. ભરૂચ જિલ્લાના જંબુસર અને આમોદ તાલુકાના અનેક ગામોમાં ખેતીના પાકના પાનમાં વિકૃતિ આવતા ધારાસભ્ય સંજય સોલંકી દ્વારા મુખ્યમંત્રી CM વિજય રૂપાણીને રૂબરૂ મળી રજૂઆત કરી છે.
ભરૂચ જિલ્લાના જંબુસર, આમોદ, ભરૂચ અને વાગરા તાલુકામાં ચાલુ વર્ષે છેલ્લા કેટલાક સમયથી ઉભા પાકના પાનમાં તેમજ વૃક્ષોમાં વિકૃતિ આવતા ખેડૂત મુંજવણમાં મુકાઈ ગયો છે. ચાલુ વર્ષે વરસાદ પણ જરૂરિયાત મુજબ પડી રહ્યો નથી. તેની સામે મહામહેનતે ઊભા પાકમાં આવતી વિકૃતીથી ધરતીપુત્રોને ભારે આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. જિલ્લાના 4 તાલુકામાં 70,000 હેકટરમાં ખેતી નષ્ટ થતા 50000 ખેડૂતો પાયમાલી તરફ ધકેલાતા જિલ્લા ખેડૂત સમાજ બાદ ગુજરાત ખેડૂત સમાજ અસરગ્રસ્તોને ન્યાય અપાવવા લડત ચલાવી રહ્યું છે.
રાસાયણિક હુમલાની અજ્ઞાત અસર હેઠળ જિલ્લામાં ખેતીની બરબાદી અંગે ભરૂચ BJP સાંસદ મનસુખ વસાવાએ કેન્દ્ર અને રાજ્ય સરકારમાં રજુઆત કરી હતી. વાગરાના BJP MLA અરૂણસિંહ રણાએ પણ રાજ્ય સરકારને આ અંગે પત્ર લખી રજુઆત કરી હતી. હવે જંબુસર અને આમોદ તાલુકામાં પણ ખેતીમાં વ્યાપક નુકસાન પહોચ્યું છે ત્યારે જંબુસરના કોંગી ધારાસભ્ય MLA સંજય સોલંકીએ રૂબરૂ ખેતરમાં જઈને નિરીક્ષણ કર્યું અને ખેડૂતોની સમસ્યા જાણી હતી. જંબુસરના ટંકારી, કાવા, લીમચ, પાંચકડા, કલક જેવા અનેક ગામોમાં મોટી સંખ્યામાં ઊભા પાકને નુકસાની વેઠવી પડી છે. ત્યારે ધારાસભ્ય સંજય સોલંકી દ્વારા જંબુસર અને આમોદ તાલુકામાં થયેલા ખેતીમાં નુકસાન અંગે મુખ્યમંત્રી CM વિજય રૂપાણીને રૂબરૂ મળીને રજૂઆત કરવામાં આવી છે.
તેમની સાથે જંબુસર અને આમોદના ખેડૂત આગેવાનોએ પણ હાજર રહી મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવ્યું છે. જેમાં વિવિધ સરકારી એજન્સીઓ તપાસ કરી ખેતીને થઈ રહેલી નુક્શાનીના મૂળ સુધી પહોંચે. જેને અટકાવવાના પગલાં લઈ જવાબદારો સામે સખત કાર્યવાહી કરાઈ અને અસરગ્રસ્ત ખેડૂતોના ખેતરોમાં સર્વે કરી વળતર ચૂકવે.
ઉલ્લેખનીય છે કે, ભરૂચ જિલ્લાના વાગરા, જંબુસર અને આમોદ ગામમાં ખેડૂતો છેલ્લા કેટલાક સમયથી કપાસ તેમજ અન્ય પાકો અને વૃક્ષોના પાનમાં આવતી વિકૃતિનો સામનો કરવા સાથે આર્થિક નુકશાન વેઠી રહ્યા છે. જિલ્લા ખેતીવાડી અધિકારીની અધ્યક્ષતામાં કૃષિ નિષ્ણાતો દ્ધારા અગાઉ 2015-16 માં પાનમાં 2-4ડી નામના રસાયણથી વિકૃતિ આવી હોવાનું ગઠિત કમિટીએ તારણ કાઢ્યુ હતુ. તેમ છતાય હજુ સુધી કસૂરવાર કંપની સામે ઉચિત પગલાં નહિ લેવાતા ચાલુ વર્ષે પણ પાકોમાં વિકૃતિ દેખાતા ખેડૂતોની ચિંતામાં અનેક ઘણો વધારો થવા પામ્યો છે.