ભરૂચમાં ઐતિહાસિક અને અવર્ણનીય એવા મેઘરાજાના લોકમેળાનો રસપ્રદ ઈતિહાસ
ભરૂચ ભોઈ સમાજ (જાદવ) દ્વારા ભોઈવાડમાં અષાઢી અમાસ ( દિવાસા) એ મેઘરાજાની માટીની પ્રતિમા સ્થાપિત
એકમાત્ર ભરૂચ શહેરમાં છપ્પનીયા દુકાળ પહેલાના સમયથી ઉજવાતો મેઘરાજાનો ઉત્સવ
કોરોના મહામારીને લઇ ગત વર્ષે ઈતિહાસમાં ભરૂચમાં શ્રાવદ વદ સાતમથી દશમ સુધી ભરાતો મેઘ-છડી મેળો ગત વર્ષે પ્રથમ વખત બંધ રહ્યો હતો
આ વર્ષે પણ સાતમ, આઠમ, નોમ અને દસમના ભાતીગળ મેળા ઉપર કોરોનાનું ગ્રહણ
વિક્કી જોશી. દેશ અને દુનિયામાં એકમાત્ર ભરૂચ શહેરમાં 250 વર્ષ ઉપરાંતથી ઉજવાતા મેઘરાજા ઉત્સવનો રોચક ઇતિહાસ રહેલો છે. ભોઈ સમાજ (જાદવ) દ્વારા ઉજવાતા આ ઐતિહાસિક મેઘ મેળા હેઠળ મેઘરાજા (જળ દેવતા) ની માટીની પ્રતિમા અષાઢી અમાસ (દિવાસા) એ સ્થાપિત કરવામાં આવી છે.
ભરૂચમાં વસતા ભોઇ સમાજ દ્વારા ઉજવાતા તેમના પરંપરાગત તહેવાર મેઘરાજા ઉત્સવની ઉજવણીનો શ્રાવણ વદ સાતમથી પ્રારંભ થશે. શ્રાવણ વદ સાતમથી દસમ સુધી મેઘરાજા ઉત્સવ ઉજવાય છે. જોકે ગત વર્ષે કોરોના મહામારીમાં પેહલી વખત અઢી સદીથી ઉજવાતો મેઘરાજાનો ભાતિગળ મેળો બંધ રહ્યો હતો. આ વર્ષે પણ કોરોનાને લઈ મેળો યોજાવાની શકયતાઓ ઝુઝ રહેલી છે.
છપ્પનીયા દુકાળ સાથે જોડાયેલી મેઘરાજાની દંતકથા :
- પ્રાચીનકાળમાં યાદવવંશ(જાદવ જ્ઞાતિ) દરિયા કિનારે માલસામાનની હેરાફેરી કરતી
- નિરંતર જળદેવ સાથે સહેવાસથી જળદેવની આરાધના થતી
ભરૂચ શહેરમાં શ્રાવણ વદ સાતમથી દસમ સુધી ભોઇ સમાજ દ્વારા ઉજવાતો મેઘરાજા ઉત્સવ સાથે પ્રાચિનકાળની દંતકથા વર્ણાવેલી છે. આ દંતકથા મુજબ પ્રાચિનકાળમાં યાદવવંશની ભોઇજાતિ (જાદવ જ્ઞાતિ) ફૂરજા બંદરે દરિયા કિનારે માલસામાનની હેરાફેરી કરતી હતી. તેઓ નિરંતર જળદેવ સાથે સહવાસથી જળદેવની આરાધના કરતા હતાં. જળાધિદેવ મેઘરાજાના પૂજન માટે તેઓની શ્રધ્ધા અચળ હતી.
250 વર્ષથી ઉજવાઇ છે મેઘરાજાનો ઉત્સવ :
- અષાઢ વદ અમાસથી મેઘરાજાની માટીની પ્રતિમા બનાવાઇ છે
- મેઘરાજાનો ઉત્સવ શ્રાવદ વદ સાતમથી દસમ સુધી શ્રદ્ધાભેર ઉજવાઇ છે
આ દંતકથામાં છપ્પનિયા દુષ્કાળના પહેલાંના ભયંકર દુષ્કાળ સમયની છે. ફૂરજા બંદરે અંદાજે 250 વર્ષ પહેલા મેઘરાજાની માટીની પ્રતિમા બનાવી તેનુ વિધીવત પૂજન કરાયુ હતું. જો જળદેવતા પૃથ્વી ઉપર મહેરબાન નહિ થાય તો ભાઇ સમાજના વડવાઓએ મૂર્તિને નષ્ટ કરવાની ઘોષણા કરવા સાથે જ આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાવા સાથે જળદેવતાએ અમૃતવર્ષા કરી હતી. ત્યારથી અષાઢ વદ અમાસની રાત્રે મેઘરાજની માટીની પ્રતિમા બનાવવામાં આવે છે. અને તેનો ઉત્સવ મેળાના સ્વરૂપમાં શ્રાવણ વદ સાતમથી દસમ સુધી લાખો માનવ સમુહ વચ્ચે શ્રધ્ધા અને ભકિતરૂપે ઉજવવામાં આવે છે. આ મેળો 'મેઘમેળો’ કે મેઘરાજાના મેળા તરીકે
ઓળખાય છે. તેની પુર્ણાહુતિ દસમના દિવસે મેઘરાજાની ભવ્ય શોભાયાત્રા કાઢી પ્રતિમાને સાંજે નર્મદાના પવિત્ર જળમાં વિસર્જીત કરી કરવામાં આવે છે.
મેઘરાજાની માટીની પ્રતિમા શિલ્પકળાનો બેનમુન નમુનો
મેઘરાજાની માટીની પ્રતિમા શિલ્પકળાના બેનમુન સુંદર નમુના રૂપ અજોડ છે. આશરે સાડાપાંચ ફુટ ઉંચી અને ચાર થી ત્રણ ફુટની પહોળાઇથી માનવ આકતિમાં મૂર્તિને બે પગની પલાઠી બનાવી બંન્ને હાથ પગના ઘુંટણ પર મુકી ધ્યાનસ્થ સ્થિતિમાં બનાવવામાં આવે છે. મેઘરાજાની પ્રતિમાંની વિશેષતા છે કે દરેક વર્ષે અલગ અલગ શિલ્પકારો દ્વારા મેઘરાજાની પ્રતિમાં તૈયાર કરાતી હોવા છતાં તેની મુખાકતિમાં કોઇ ફરક આવતો નથી તે તેનુ મહત્વ છે.
દેશમાં એકમાત્ર ભરૂચમાં ઉજવાઇ છે મેઘરાજાનો ઉત્સવ
મેઘરાજાની પ્રતિમાને સુંદર અભુષણોથી સુશોભિત કરવામાં આવે છે. મૂર્તિના માથા પર ફેણીદાર નાગ ગોળ પાઘડી ફરતે વીટળાયેલ હોય છે. આશ્ચર્યની વાત એ છે કે અસલ કારીગરોનું હાલ અસ્તિત્વ ન હોવા છતાં નવયુવાન કારીગરોથી પણ પ્રતિ વર્ષ મુખાકતિ એક જ પ્રકારની અને એકજ ભાવદર્શક ઉદભવે છે.
ભરૂચમાં ઐતિહાસિક અને અવર્ણનીય એવા મેઘરાજાના લોકમેળાનો રસપ્રદ ઈતિહાસ
ભરૂચ ભોઈ સમાજ (જાદવ) દ્વારા ભોઈવાડમાં અષાઢી અમાસ ( દિવાસા) એ મેઘરાજાની માટીની પ્રતિમા સ્થાપિત
એકમાત્ર ભરૂચ શહેરમાં છપ્પનીયા દુકાળ પહેલાના સમયથી ઉજવાતો મેઘરાજાનો ઉત્સવ
કોરોના મહામારીને લઇ ગત વર્ષે ઈતિહાસમાં ભરૂચમાં શ્રાવદ વદ સાતમથી દશમ સુધી ભરાતો મેઘ-છડી મેળો ગત વર્ષે પ્રથમ વખત બંધ રહ્યો હતો
આ વર્ષે પણ સાતમ, આઠમ, નોમ અને દસમના ભાતીગળ મેળા ઉપર કોરોનાનું ગ્રહણ
વિક્કી જોશી. દેશ અને દુનિયામાં એકમાત્ર ભરૂચ શહેરમાં 250 વર્ષ ઉપરાંતથી ઉજવાતા મેઘરાજા ઉત્સવનો રોચક ઇતિહાસ રહેલો છે. ભોઈ સમાજ (જાદવ) દ્વારા ઉજવાતા આ ઐતિહાસિક મેઘ મેળા હેઠળ મેઘરાજા (જળ દેવતા) ની માટીની પ્રતિમા અષાઢી અમાસ (દિવાસા) એ સ્થાપિત કરવામાં આવી છે.
ભરૂચમાં વસતા ભોઇ સમાજ દ્વારા ઉજવાતા તેમના પરંપરાગત તહેવાર મેઘરાજા ઉત્સવની ઉજવણીનો શ્રાવણ વદ સાતમથી પ્રારંભ થશે. શ્રાવણ વદ સાતમથી દસમ સુધી મેઘરાજા ઉત્સવ ઉજવાય છે. જોકે ગત વર્ષે કોરોના મહામારીમાં પેહલી વખત અઢી સદીથી ઉજવાતો મેઘરાજાનો ભાતિગળ મેળો બંધ રહ્યો હતો. આ વર્ષે પણ કોરોનાને લઈ મેળો યોજાવાની શકયતાઓ ઝુઝ રહેલી છે.
ભરૂચ શહેરમાં શ્રાવણ વદ સાતમથી દસમ સુધી ભોઇ સમાજ દ્વારા ઉજવાતો મેઘરાજા ઉત્સવ સાથે પ્રાચિનકાળની દંતકથા વર્ણાવેલી છે. આ દંતકથા મુજબ પ્રાચિનકાળમાં યાદવવંશની ભોઇજાતિ (જાદવ જ્ઞાતિ) ફૂરજા બંદરે દરિયા કિનારે માલસામાનની હેરાફેરી કરતી હતી. તેઓ નિરંતર જળદેવ સાથે સહવાસથી જળદેવની આરાધના કરતા હતાં. જળાધિદેવ મેઘરાજાના પૂજન માટે તેઓની શ્રધ્ધા અચળ હતી.
250 વર્ષથી ઉજવાઇ છે મેઘરાજાનો ઉત્સવ :
- અષાઢ વદ અમાસથી મેઘરાજાની માટીની પ્રતિમા બનાવાઇ છે
- મેઘરાજાનો ઉત્સવ શ્રાવદ વદ સાતમથી દસમ સુધી શ્રદ્ધાભેર ઉજવાઇ છે
આ દંતકથામાં છપ્પનિયા દુષ્કાળના પહેલાંના ભયંકર દુષ્કાળ સમયની છે. ફૂરજા બંદરે અંદાજે 250 વર્ષ પહેલા મેઘરાજાની માટીની પ્રતિમા બનાવી તેનુ વિધીવત પૂજન કરાયુ હતું. જો જળદેવતા પૃથ્વી ઉપર મહેરબાન નહિ થાય તો ભાઇ સમાજના વડવાઓએ મૂર્તિને નષ્ટ કરવાની ઘોષણા કરવા સાથે જ આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાવા સાથે જળદેવતાએ અમૃતવર્ષા કરી હતી. ત્યારથી અષાઢ વદ અમાસની રાત્રે મેઘરાજની માટીની પ્રતિમા બનાવવામાં આવે છે. અને તેનો ઉત્સવ મેળાના સ્વરૂપમાં શ્રાવણ વદ સાતમથી દસમ સુધી લાખો માનવ સમુહ વચ્ચે શ્રધ્ધા અને ભકિતરૂપે ઉજવવામાં આવે છે. આ મેળો 'મેઘમેળો’ કે મેઘરાજાના મેળા તરીકે
ઓળખાય છે. તેની પુર્ણાહુતિ દસમના દિવસે મેઘરાજાની ભવ્ય શોભાયાત્રા કાઢી પ્રતિમાને સાંજે નર્મદાના પવિત્ર જળમાં વિસર્જીત કરી કરવામાં આવે છે.
મેઘરાજાની માટીની પ્રતિમા શિલ્પકળાનો બેનમુન નમુનો
મેઘરાજાની માટીની પ્રતિમા શિલ્પકળાના બેનમુન સુંદર નમુના રૂપ અજોડ છે. આશરે સાડાપાંચ ફુટ ઉંચી અને ચાર થી ત્રણ ફુટની પહોળાઇથી માનવ આકતિમાં મૂર્તિને બે પગની પલાઠી બનાવી બંન્ને હાથ પગના ઘુંટણ પર મુકી ધ્યાનસ્થ સ્થિતિમાં બનાવવામાં આવે છે. મેઘરાજાની પ્રતિમાંની વિશેષતા છે કે દરેક વર્ષે અલગ અલગ શિલ્પકારો દ્વારા મેઘરાજાની પ્રતિમાં તૈયાર કરાતી હોવા છતાં તેની મુખાકતિમાં કોઇ ફરક આવતો નથી તે તેનુ મહત્વ છે.
દેશમાં એકમાત્ર ભરૂચમાં ઉજવાઇ છે મેઘરાજાનો ઉત્સવ
મેઘરાજાની પ્રતિમાને સુંદર અભુષણોથી સુશોભિત કરવામાં આવે છે. મૂર્તિના માથા પર ફેણીદાર નાગ ગોળ પાઘડી ફરતે વીટળાયેલ હોય છે. આશ્ચર્યની વાત એ છે કે અસલ કારીગરોનું હાલ અસ્તિત્વ ન હોવા છતાં નવયુવાન કારીગરોથી પણ પ્રતિ વર્ષ મુખાકતિ એક જ પ્રકારની અને એકજ ભાવદર્શક ઉદભવે છે.