ભાડભુતમાં દેવપોઢી અગિયારસથી નર્મદા નદીને 51 લીટર દુગ્ધાભિષેક કરી 25000 માછીમારોએ 4 મહિનાની સિઝનનો આરંભ કર્યો
7 દિવસ નર્મદા સાગરમાં 40 કિલોમીટરમાં રહી સાગરખેડુઓ માછીમારી કરશે
4 મહિનાની ચોમાસાની સિઝનથી જિલ્લાના માછીમારો સમગ્ર વર્ષની રોજગારી મેળવે છે
WatchGujarat. ભરૂચ જિલ્લામાં ભાડભૂતથી નિકોરા સુધીની પટ્ટી ઉપર વસતા 25 હજારથી વધુ માછીમારો મંગળવારે દેવપોઢી અગિયારસથી નર્મદા નદીનું પૂજન અર્ચન અને દુદ્યાભિષેક કરીને માછીમારીની નવી મૌસમનો પ્રારંભ કર્યો છે. ભાડભૂત ખાતે માછીમારોએ ઉત્સવમય માહોલ વચ્ચે નર્મદા માતાના ભજનો ગાઈને દુદ્યાભિષેક સાથે 51 મીટર લાંબી ચૂંદડી ચઢાવી વિધિવત પૂજન-અર્ચન સાથે 1200 બોટમાં 6000 માછીમારો અંદાજીત 35 કિમી સુધી 7 દિવસ સમુદ્ર ખૂ઼ંદવા રવાના થઇ રહ્યાં છે. બે વર્ષથી કોરોના અને લોકડાઉનમાં નર્મદાના નીર શુધ્ધ અને નિર્મળ બનતા માછીમારોમાં ખુશીનો માહોલ છવાયો છે.
https://twitter.com/WatchGujarat/status/1417489535181721608?s=08
ભરૂચમાં નર્મદા નદીમાં ગત વર્ષે પુર આવ્યાં બાદ પાણીમાં ખારાશમાં ઘટાડો થયો છે. જયારે સતત 2 વર્ષથી કોરોના કાળમાં લોકડાઉનના કારણે પણ નર્મદાના જળ શુધ્ધ બનતા આ સીઝન સારી જાય તેવી આશા માછીમારના લોકો રાખી રહ્યાં છે.ચોમાસાના ચાર મહિનામાં હિલ્સા માછલી પકડીને જિલ્લાના 25000 થી વધારે માછીમારો આખા વર્ષની રોજગારી પ્રાપ્ત કરે છે.
ભાડભુતના નર્મદાકાંઠે મંગળવારે સવારથી માછીમારોમાં ઉત્સવમય માહોલ જોવા મળ્યો હતો. માછીમાર સમાજના લોકો ઢોલ નગારા સાથે નર્મદા અને સિકોતર માતાજીના મંદિરે આવી પહોંચ્યાં હતાં અને માતાજીનું પૂજન અર્ચન કર્યુ હતું. નર્મદા માતાના મંદિરે ભજન રમઝટ જામી હતી.ત્યાર બાદ માછીમારોએ નર્મદા નદીના એક કિનારાથી બીજા કિનારા સુધી નદીના જળમાં દુધનો અભિષેક કરી 51 મીટર લાંબી ચૂંદડી અર્પણ કરીને તેમની આ સીઝન સારી રહે તે માટે નર્મદા મૈયા અને દરિયાલાલને પ્રાર્થના કરી હતી.
ભાડભૂતના 6000 માછીમારો 1200 બોટમાં ચાર મહિના સુધી પુરુષ સભ્યો દરિયો ખેડી હિલ્સા માછલી પકડી પોતાની વાર્ષિક કમાણી કરતા હોય છે. પૂજન અર્ચન બાદ માછીમારો તેઓની નાવડીઓ લઇ 7 દિવસ નદીના મુખ પ્રદેશથી લઇ દરીયામાં 35 કિમિ સુધી અંદર ધામા નાખી હિલ્સા માછલી પકડે છે.
નર્મદા નદીના મીઠા પાણીમાં હિલ્સા માછલી ઈંડા મુકવા આવે છે
ભરૂચની નર્મદા નદીના મીઠા પાણીમાં મળતી હિલ્સા માછલી મૂળ દરીયાની વતની છે. પરંતુ તે પોતાના બચ્ચાંને મીઠા નિર્મળ શુદ્ધ જળમાં ઉછેરવા દર વર્ષે જુનથી ઓગષ્ટ મહિના સુધી મીઠા પાણીમાં ઇંડા મૂકવા આવે છે.
દર વર્ષે સુરત-મુંબઈના મોટા વેપારીઓના હિલ્સા ખરીદીવા ધામા
દેવપોઢી અગિયારસથી નર્મદા નદીનું પૂજન અર્ચન અને દુદ્યાભિષેક કરીને માછીમારીની શરૂઆત કરતા હોય છે. ચોમાસાની સીઝનમાં ભાડભૂતનાં માછીમારોએ પકડેલી હિલ્સા માછલી સ્થાનિક વેપારીઓ ખરીદી મુંબઇનાં બજારમાં વેચે છે. જયાંથી ભારત બહાર અન્ય દેશોમાં હિલ્સા માછલીની નિકાસ થાય છે. ભાડભૂત ખાતે સ્થાનિક વેપારીઓ ઉપરાંત સુરત, મુંબઇ અને કલકત્તાનાં વેપારીઓ પણ માછલી ખરીદવા ભાડભૂતમાં ગામમાં ધામ નાખે છે.
ન્યૂમેરીક
- 25000 માછીમાર પરીવાર
- 950 બોટ ભાડભૂતથી દરીયો ખૂંદવા જશે
- 250 બોટ અન્ય 3 જિલ્લામાંથી આવી
- 6300 થી વધુ માછીમારો સાગર ખેડશે
- 7 દિવસ સાગરમાં રહી 40 કિમીમાં માછીમારી કરશે
- 24 કલાકે મહિલાઓ અનાજ-પાણીનો જથ્થો આપવા જશે
- 24 કલાકમાં પકડાયેલી માછલીઓનો જથ્થો લઇ પરત ફરશે
- 32 થી વધુ વખારો, 150 થી વધુ વેપારીઓ
રાજયનાં અન્ય 3 જિલ્લામાંથી 250 નાવડીઓ સાથે 1500 માછીમાર આવ્યાં
ભાડભૂત ખાતે આ વખતે સાગરખેડવા ભાવનગર, નવસારી અને વલસાડ જિલ્લાનાં સંતરામપુર, ચીખલી, નાતી, બોરસીપાટી, ધોળાઇ અને કઠવાડીથી નવી 250 નાવડીઓ લઇ 1500 થી વધુ માછીમારો ઉમટી પડયાં છે.
4 મહિના સુધી માછીમાર સમાજનાં પુરુષ સભ્યો દરીયો ખેડશે
માછીમારીની સીઝન પહેલાં માછીમારોએ તેમની બોટોનું સમારકામ કરાવી તથા માછીમારી માટેના સાધનો સજજ કરી દીધાં છે. ચાર મહિના સુધી માછીમાર પરિવારના પુરુષ સભ્યો દરિયો ખેડી હિલ્સા માછલી પકડશે. જયારે મહિલા સભ્યો 24 કલાકમાં એક વખત તેમને અનાજ-પાણી આપવા નજીકનાં કિનારે જશે. જયાંથી 24 કલાક દરમિયાન પકડાયેલી માછલીઓ લઇ પરત ફરશે.
એક કિનારાથી બીજા કિનારા સુધી નર્મદાને દુગ્ધાભિષેક
ભાડભુત માછીમાર સમાજના અગ્રણી પ્રવીણ ટંડેલ એ જણાવ્યું હતું કે, માછીમારો નાવડીમાં સવાર થઇ નર્મદા નદીના જળમાં એક કિનારાથી દુગ્ધાભિષેક કરતા કરતા બીજા કિનારા સુધી પહોંચ્યાં હતા. દુગ્ધાભિષેક સાથે જ નર્મદા મૈયાને ચૂંદડી પણ ચઢાવાઇ હતી. મહિલાઓ ભજન મંડળીઓ સાથે આ ઉત્સવમાં જોડાઇ હતી. વિધિવત નર્મદા મૈયા અને દરીયા દેવનું પૂજન કરી માછીમારીની નવી સિઝનની શરૂઆત કરાઇ છે.
ભાડભુતમાં દેવપોઢી અગિયારસથી નર્મદા નદીને 51 લીટર દુગ્ધાભિષેક કરી 25000 માછીમારોએ 4 મહિનાની સિઝનનો આરંભ કર્યો
7 દિવસ નર્મદા સાગરમાં 40 કિલોમીટરમાં રહી સાગરખેડુઓ માછીમારી કરશે
4 મહિનાની ચોમાસાની સિઝનથી જિલ્લાના માછીમારો સમગ્ર વર્ષની રોજગારી મેળવે છે
WatchGujarat. ભરૂચ જિલ્લામાં ભાડભૂતથી નિકોરા સુધીની પટ્ટી ઉપર વસતા 25 હજારથી વધુ માછીમારો મંગળવારે દેવપોઢી અગિયારસથી નર્મદા નદીનું પૂજન અર્ચન અને દુદ્યાભિષેક કરીને માછીમારીની નવી મૌસમનો પ્રારંભ કર્યો છે. ભાડભૂત ખાતે માછીમારોએ ઉત્સવમય માહોલ વચ્ચે નર્મદા માતાના ભજનો ગાઈને દુદ્યાભિષેક સાથે 51 મીટર લાંબી ચૂંદડી ચઢાવી વિધિવત પૂજન-અર્ચન સાથે 1200 બોટમાં 6000 માછીમારો અંદાજીત 35 કિમી સુધી 7 દિવસ સમુદ્ર ખૂ઼ંદવા રવાના થઇ રહ્યાં છે. બે વર્ષથી કોરોના અને લોકડાઉનમાં નર્મદાના નીર શુધ્ધ અને નિર્મળ બનતા માછીમારોમાં ખુશીનો માહોલ છવાયો છે.
ભરૂચમાં નર્મદા નદીમાં ગત વર્ષે પુર આવ્યાં બાદ પાણીમાં ખારાશમાં ઘટાડો થયો છે. જયારે સતત 2 વર્ષથી કોરોના કાળમાં લોકડાઉનના કારણે પણ નર્મદાના જળ શુધ્ધ બનતા આ સીઝન સારી જાય તેવી આશા માછીમારના લોકો રાખી રહ્યાં છે.ચોમાસાના ચાર મહિનામાં હિલ્સા માછલી પકડીને જિલ્લાના 25000 થી વધારે માછીમારો આખા વર્ષની રોજગારી પ્રાપ્ત કરે છે.
ભાડભુતના નર્મદાકાંઠે મંગળવારે સવારથી માછીમારોમાં ઉત્સવમય માહોલ જોવા મળ્યો હતો. માછીમાર સમાજના લોકો ઢોલ નગારા સાથે નર્મદા અને સિકોતર માતાજીના મંદિરે આવી પહોંચ્યાં હતાં અને માતાજીનું પૂજન અર્ચન કર્યુ હતું. નર્મદા માતાના મંદિરે ભજન રમઝટ જામી હતી.ત્યાર બાદ માછીમારોએ નર્મદા નદીના એક કિનારાથી બીજા કિનારા સુધી નદીના જળમાં દુધનો અભિષેક કરી 51 મીટર લાંબી ચૂંદડી અર્પણ કરીને તેમની આ સીઝન સારી રહે તે માટે નર્મદા મૈયા અને દરિયાલાલને પ્રાર્થના કરી હતી.
ભાડભૂતના 6000 માછીમારો 1200 બોટમાં ચાર મહિના સુધી પુરુષ સભ્યો દરિયો ખેડી હિલ્સા માછલી પકડી પોતાની વાર્ષિક કમાણી કરતા હોય છે. પૂજન અર્ચન બાદ માછીમારો તેઓની નાવડીઓ લઇ 7 દિવસ નદીના મુખ પ્રદેશથી લઇ દરીયામાં 35 કિમિ સુધી અંદર ધામા નાખી હિલ્સા માછલી પકડે છે.
નર્મદા નદીના મીઠા પાણીમાં હિલ્સા માછલી ઈંડા મુકવા આવે છે
ભરૂચની નર્મદા નદીના મીઠા પાણીમાં મળતી હિલ્સા માછલી મૂળ દરીયાની વતની છે. પરંતુ તે પોતાના બચ્ચાંને મીઠા નિર્મળ શુદ્ધ જળમાં ઉછેરવા દર વર્ષે જુનથી ઓગષ્ટ મહિના સુધી મીઠા પાણીમાં ઇંડા મૂકવા આવે છે.
દર વર્ષે સુરત-મુંબઈના મોટા વેપારીઓના હિલ્સા ખરીદીવા ધામા
દેવપોઢી અગિયારસથી નર્મદા નદીનું પૂજન અર્ચન અને દુદ્યાભિષેક કરીને માછીમારીની શરૂઆત કરતા હોય છે. ચોમાસાની સીઝનમાં ભાડભૂતનાં માછીમારોએ પકડેલી હિલ્સા માછલી સ્થાનિક વેપારીઓ ખરીદી મુંબઇનાં બજારમાં વેચે છે. જયાંથી ભારત બહાર અન્ય દેશોમાં હિલ્સા માછલીની નિકાસ થાય છે. ભાડભૂત ખાતે સ્થાનિક વેપારીઓ ઉપરાંત સુરત, મુંબઇ અને કલકત્તાનાં વેપારીઓ પણ માછલી ખરીદવા ભાડભૂતમાં ગામમાં ધામ નાખે છે.
ન્યૂમેરીક
- 25000 માછીમાર પરીવાર
- 950 બોટ ભાડભૂતથી દરીયો ખૂંદવા જશે
- 250 બોટ અન્ય 3 જિલ્લામાંથી આવી
- 6300 થી વધુ માછીમારો સાગર ખેડશે
- 7 દિવસ સાગરમાં રહી 40 કિમીમાં માછીમારી કરશે
- 24 કલાકે મહિલાઓ અનાજ-પાણીનો જથ્થો આપવા જશે
- 24 કલાકમાં પકડાયેલી માછલીઓનો જથ્થો લઇ પરત ફરશે
- 32 થી વધુ વખારો, 150 થી વધુ વેપારીઓ
રાજયનાં અન્ય 3 જિલ્લામાંથી 250 નાવડીઓ સાથે 1500 માછીમાર આવ્યાં
ભાડભૂત ખાતે આ વખતે સાગરખેડવા ભાવનગર, નવસારી અને વલસાડ જિલ્લાનાં સંતરામપુર, ચીખલી, નાતી, બોરસીપાટી, ધોળાઇ અને કઠવાડીથી નવી 250 નાવડીઓ લઇ 1500 થી વધુ માછીમારો ઉમટી પડયાં છે.
4 મહિના સુધી માછીમાર સમાજનાં પુરુષ સભ્યો દરીયો ખેડશે
માછીમારીની સીઝન પહેલાં માછીમારોએ તેમની બોટોનું સમારકામ કરાવી તથા માછીમારી માટેના સાધનો સજજ કરી દીધાં છે. ચાર મહિના સુધી માછીમાર પરિવારના પુરુષ સભ્યો દરિયો ખેડી હિલ્સા માછલી પકડશે. જયારે મહિલા સભ્યો 24 કલાકમાં એક વખત તેમને અનાજ-પાણી આપવા નજીકનાં કિનારે જશે. જયાંથી 24 કલાક દરમિયાન પકડાયેલી માછલીઓ લઇ પરત ફરશે.
એક કિનારાથી બીજા કિનારા સુધી નર્મદાને દુગ્ધાભિષેક
ભાડભુત માછીમાર સમાજના અગ્રણી પ્રવીણ ટંડેલ એ જણાવ્યું હતું કે, માછીમારો નાવડીમાં સવાર થઇ નર્મદા નદીના જળમાં એક કિનારાથી દુગ્ધાભિષેક કરતા કરતા બીજા કિનારા સુધી પહોંચ્યાં હતા. દુગ્ધાભિષેક સાથે જ નર્મદા મૈયાને ચૂંદડી પણ ચઢાવાઇ હતી. મહિલાઓ ભજન મંડળીઓ સાથે આ ઉત્સવમાં જોડાઇ હતી. વિધિવત નર્મદા મૈયા અને દરીયા દેવનું પૂજન કરી માછીમારીની નવી સિઝનની શરૂઆત કરાઇ છે.