કોન્વેન્ટ સ્કૂલના સ્થાને BSNL થી બ્રિજ શરૂ કરવાથી વિદ્યાર્થીઓ ઉપર અકસ્માતનું જોખમ અને ટ્રાફિકજામ ટળશે
વિપક્ષ કોંગ્રેસે પશ્ચિમ વિસ્તારના એકમાત્ર સાંકળા રસ્તા પર ફ્લાયઓવરને વધારી સ્ટાર્ટીંગ આગળ ખેંચવા પાલિકામાં રજુઆત કરી
દહેગામ અને દહેજ તરફથી આવતા અને ભરૂચ રેલ્વે સ્ટેશન જનારા લોકો માટે અનૂકુળતા રહેશે
નર્મદા મૈયા બ્રિજના ફ્લાયઓવરમાં કોલેજોને લઈ વધુ લંબાયો હતો, હવે મહંમદપુરા ફ્લાયઓવરને 2 શાળાઓને કારણે આગળ ખેંચવા માંગ
WatchGujarat. ભરૂચ મહાત્મા ગાંધી રોડ ઉપર મંજુર કરાયેલા ટ્રાયએન્ગ્યુલર ફ્લાયઓવરને 2 શાળાઓને ધ્યાને લઇ BSNL સુધી લંબાવવા કોંગ્રેસે પાલિકા બોર્ડ મિટિંગમાં રજુઆત કરી છે. ભરૂચ શહેરની વધતી ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે સ્વર્ણિમ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ મહાત્મા ગાંધી MG રોડ ઉપર કોન્વેન્ટ અને સેન્ટ ઝેવીયર્સ સ્કૂલથી મહંમદપુરા સર્કલ સુધી પહેલો ટ્રાયએન્ગલ (ત્રિપાંખ્યો) ફ્લાયઓવર ₹41 કરોડના ખર્ચે મંજુર કરાયો હતો. ગત 25 જૂને CM વિજય રૂપાણીએ આ ફ્લાયઓવરની જાહેરાત કરી હતી.
ભરૂચ પાલિકા દ્વારા બોર્ડ મિટિંગમાં આ ફ્લાયઓવરને આગળની કાર્યવાહી માટે મૂકી તેના નિર્માણ માટે માર્ગ અને મકાન વિભાગ તરફ કામગીરી માટે એજન્ડામાં લેવાયું હતું. કોન્વેન્ટ અને સેન્ટ ઝેવિયર્સ સ્કૂલથી મહમંદપૂરા સર્કલ સુધી 1530 મીટર લાંબા અને 8.40 મીટર પહોળા ફ્લાયઓવરને BSNL સુધી લંબાવવા વિપક્ષ કોંગ્રેસે ભરૂચ પાલિકાની સામાન્ય સભામાં રજુઆત કરી છે.
બે શાળા પાસેથી શરૂ થતાં ફ્લાયઓવરને લઇ સવારે અને સાંજે શાળા શરૂ થવાના અને છૂટવાના સમયે ટ્રાફિકજામ સર્જાવાની તેમજ વિદ્યાર્થીઓને અકસ્માતનું જોખમ વ્યક્ત કરાયુ છે. જેને ધ્યાને લઇ નર્મદા ફ્લાયઓવરની જેમ વિધાર્થીઓ અને વાહનચાલકોના હિતમાં ફ્લાયઓવર BSNL થી શરૂ કરવા ઉપર ભાર મુકાયો છે. ભરૂચમાં આ ફલાય ઓવરબ્રીજ બનવાથી દહેગામ અને દહેજ તરફથી આવતા અને ભરૂચ રેલ્વે સ્ટેશન જનારા લોકો માટે અનૂકુળતા રહેશે.
એટલું જ નહિ, આ બ્રીજની ડિઝાઇન ત્રી-પાંખીયા ટ્રાયેન્ગ્યુલર હોવાથી તાંત્રિક અને ભૌગોલિક દ્રષ્ટિએ ભરૂચ નગર પાલિકાના અગત્યના તમામ વિસ્તારો આ બ્રીજની કામગીરીથી આવરી લેવાશે.
કોન્વેન્ટ સ્કૂલના સ્થાને BSNL થી બ્રિજ શરૂ કરવાથી વિદ્યાર્થીઓ ઉપર અકસ્માતનું જોખમ અને ટ્રાફિકજામ ટળશે
વિપક્ષ કોંગ્રેસે પશ્ચિમ વિસ્તારના એકમાત્ર સાંકળા રસ્તા પર ફ્લાયઓવરને વધારી સ્ટાર્ટીંગ આગળ ખેંચવા પાલિકામાં રજુઆત કરી
દહેગામ અને દહેજ તરફથી આવતા અને ભરૂચ રેલ્વે સ્ટેશન જનારા લોકો માટે અનૂકુળતા રહેશે
નર્મદા મૈયા બ્રિજના ફ્લાયઓવરમાં કોલેજોને લઈ વધુ લંબાયો હતો, હવે મહંમદપુરા ફ્લાયઓવરને 2 શાળાઓને કારણે આગળ ખેંચવા માંગ
WatchGujarat. ભરૂચ મહાત્મા ગાંધી રોડ ઉપર મંજુર કરાયેલા ટ્રાયએન્ગ્યુલર ફ્લાયઓવરને 2 શાળાઓને ધ્યાને લઇ BSNL સુધી લંબાવવા કોંગ્રેસે પાલિકા બોર્ડ મિટિંગમાં રજુઆત કરી છે. ભરૂચ શહેરની વધતી ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે સ્વર્ણિમ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ મહાત્મા ગાંધી MG રોડ ઉપર કોન્વેન્ટ અને સેન્ટ ઝેવીયર્સ સ્કૂલથી મહંમદપુરા સર્કલ સુધી પહેલો ટ્રાયએન્ગલ (ત્રિપાંખ્યો) ફ્લાયઓવર ₹41 કરોડના ખર્ચે મંજુર કરાયો હતો. ગત 25 જૂને CM વિજય રૂપાણીએ આ ફ્લાયઓવરની જાહેરાત કરી હતી.
ભરૂચ પાલિકા દ્વારા બોર્ડ મિટિંગમાં આ ફ્લાયઓવરને આગળની કાર્યવાહી માટે મૂકી તેના નિર્માણ માટે માર્ગ અને મકાન વિભાગ તરફ કામગીરી માટે એજન્ડામાં લેવાયું હતું. કોન્વેન્ટ અને સેન્ટ ઝેવિયર્સ સ્કૂલથી મહમંદપૂરા સર્કલ સુધી 1530 મીટર લાંબા અને 8.40 મીટર પહોળા ફ્લાયઓવરને BSNL સુધી લંબાવવા વિપક્ષ કોંગ્રેસે ભરૂચ પાલિકાની સામાન્ય સભામાં રજુઆત કરી છે.
બે શાળા પાસેથી શરૂ થતાં ફ્લાયઓવરને લઇ સવારે અને સાંજે શાળા શરૂ થવાના અને છૂટવાના સમયે ટ્રાફિકજામ સર્જાવાની તેમજ વિદ્યાર્થીઓને અકસ્માતનું જોખમ વ્યક્ત કરાયુ છે. જેને ધ્યાને લઇ નર્મદા ફ્લાયઓવરની જેમ વિધાર્થીઓ અને વાહનચાલકોના હિતમાં ફ્લાયઓવર BSNL થી શરૂ કરવા ઉપર ભાર મુકાયો છે. ભરૂચમાં આ ફલાય ઓવરબ્રીજ બનવાથી દહેગામ અને દહેજ તરફથી આવતા અને ભરૂચ રેલ્વે સ્ટેશન જનારા લોકો માટે અનૂકુળતા રહેશે.
એટલું જ નહિ, આ બ્રીજની ડિઝાઇન ત્રી-પાંખીયા ટ્રાયેન્ગ્યુલર હોવાથી તાંત્રિક અને ભૌગોલિક દ્રષ્ટિએ ભરૂચ નગર પાલિકાના અગત્યના તમામ વિસ્તારો આ બ્રીજની કામગીરીથી આવરી લેવાશે.