અંકલેશ્વર શહેર, ભરૂચ, સુરત અને હાંસોટ સહિતના 18000 થી વધુ વાહનચાલકોને રેલવે ફાટક તેમજ ટ્રાફિકજામમાંથી મુક્તિ
જિલ્લાના T આકારમાં બનેલા પેહલા રેલ ઓવરબ્રિજનો ભરૂચથી અંકલેશ્વર સિટી તરફનો એક ભાગ કાર્યરત થશે
GIDC-સુરત હાઇવે તરફના બીજા ભાગના 5 સ્લેબની હજી ચાલતી કામગીરી
Watchgujarat. અંકલેશ્વરની સુરવાડી ફાટક પર ₹104.68 કરોડના ખર્ચે 62 મહિને નિર્માણ પામેલા ફ્લાયઓવરનું ગુરૂવારે ડે. CM નીતિન પટેલના હસ્તે વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવશે. અંકલેશ્વરની સુરવાડી રેલવે ફાટક પર બનેલ ઓવરબ્રિજનો એક ભાગ ચાલુ થશે. જ્યારે GIDC તરફનો બીજા ભાગનું કામકાજ હજી ચાલુ છે.
https://youtu.be/0QaUP22IBxs
શહેરથી ભરૂચ (Bharuch) તરફનો માર્ગ જાહેર જનતા માટે ખુલ્લો મુકાશે. સુરત, હાંસોટ અને અંકલેશ્વર (Ankleshwar) ભરૂચને જોડાતો કદીરૂપ બ્રિજ બની રહેશે. હવે પ્રજા ને ફાટક પર ઉભા રહેવાની પળોજણમાંથી મુક્તિ મળી છે.
અંકલેશ્વર શહેર તેમજ ગડખોલ પાટિયાને જોડતા માર્ગ ઉપર સુરવાડી ફાટક પર નવ નિર્માણ પામેલ બ્રિજનું ઈ લોકાર્પણ ગુરુવારના રોજ કરશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ (Dy. CM Nitin Patel ) આ બ્રિજ ખુલ્લો મૂકશે. અંકલેશ્વર શહેર તરફથી જુના નેશનલ હાઈવે નંબર 8 ને જોડતા માર્ગ સુધી સુરવાડી રેલ્વે ફાટક ઉપર નવા ફ્લાય ઓવર નું નિર્માણ કરવામાં આવ્યું છે.
વાહનચાલકોને પડતી હાલાકી ને ધ્યાનમાં રાખીને આ બ્રિજની માંગ ઉઠતા વર્ષ 2016 માં તેને પ્રાથમિક મંજૂરી આપવામાં આવી હતી. 24 મહિનામાં પૂર્ણ થનાર આ બ્રિજના એક ભાગનું નિર્માણ 62 મહિને પૂર્ણ થયું છે. જો કે જુના નેશનલ હાઈવે નંબર 48 ઉપર એક તરફ નો ભાગ નિર્માણ કરવાનો બાકી છે.
ભરૂચ તરફ જવાનો માર્ગ પૂર્ણ થઇ જતાં તેનું ઈ લોકાર્પણ કરી દેવામાં આવશે. ગુરુવારે સવારે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના હસ્તે તેનું વિડીયો કોન્ફરન્સના માધ્યમથી લોકાર્પણ કરવામાં આવશે. ₹ 104.68 કરોડના ખર્ચે આ બ્રીજ નિર્માણ પામ્યો છે. ત્યારે આ બ્રિજ ખુલ્લો મુકતા રોજિંદા 18000થી વધુ વાહનચાલકોને સમય હવે ફાટક ઉપર નહિ વેડફાય.
ઈ લોકાર્પણ કાર્યક્રમમાં મંત્રી ઈશ્વરસિંહ પટેલ ભરૂચના સાંસદ મનસુખ વસાવા,ધારાસભ્ય દુષ્યંત પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે. જિલ્લા નો પ્રથમ ટી બ્રિજ નો ભરૂચ અને અંકલેશ્વર શહેર નો ભાગ ખુલ્લો મુકવામાં આવતા અંકલેશ્વર શહેર ઉપરાંત સુરત, હાંસોટ, સહિત જિલ્લા વાસીઓ એકદમ રાહત મળશે.
આગામી ચોમાસાની સ્થિતિ તેમજ વધતી જતી ત્રાફિક સમસ્યાને ધ્યાને લઇ પ્રાથમિક ધોરણે એક તરફ નો ભાગ હાલ ચાલુ કરવામાં આવ્યો છે. જેથી જિલ્લાવાસીઓ ને પડતી સમસ્યા દૂર થશે.
અંકલેશ્વર શહેર, ભરૂચ, સુરત અને હાંસોટ સહિતના 18000 થી વધુ વાહનચાલકોને રેલવે ફાટક તેમજ ટ્રાફિકજામમાંથી મુક્તિ
જિલ્લાના T આકારમાં બનેલા પેહલા રેલ ઓવરબ્રિજનો ભરૂચથી અંકલેશ્વર સિટી તરફનો એક ભાગ કાર્યરત થશે
GIDC-સુરત હાઇવે તરફના બીજા ભાગના 5 સ્લેબની હજી ચાલતી કામગીરી
Watchgujarat. અંકલેશ્વરની સુરવાડી ફાટક પર ₹104.68 કરોડના ખર્ચે 62 મહિને નિર્માણ પામેલા ફ્લાયઓવરનું ગુરૂવારે ડે. CM નીતિન પટેલના હસ્તે વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવશે. અંકલેશ્વરની સુરવાડી રેલવે ફાટક પર બનેલ ઓવરબ્રિજનો એક ભાગ ચાલુ થશે. જ્યારે GIDC તરફનો બીજા ભાગનું કામકાજ હજી ચાલુ છે.
શહેરથી ભરૂચ (Bharuch) તરફનો માર્ગ જાહેર જનતા માટે ખુલ્લો મુકાશે. સુરત, હાંસોટ અને અંકલેશ્વર (Ankleshwar) ભરૂચને જોડાતો કદીરૂપ બ્રિજ બની રહેશે. હવે પ્રજા ને ફાટક પર ઉભા રહેવાની પળોજણમાંથી મુક્તિ મળી છે.
અંકલેશ્વર શહેર તેમજ ગડખોલ પાટિયાને જોડતા માર્ગ ઉપર સુરવાડી ફાટક પર નવ નિર્માણ પામેલ બ્રિજનું ઈ લોકાર્પણ ગુરુવારના રોજ કરશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ (Dy. CM Nitin Patel ) આ બ્રિજ ખુલ્લો મૂકશે. અંકલેશ્વર શહેર તરફથી જુના નેશનલ હાઈવે નંબર 8 ને જોડતા માર્ગ સુધી સુરવાડી રેલ્વે ફાટક ઉપર નવા ફ્લાય ઓવર નું નિર્માણ કરવામાં આવ્યું છે.
વાહનચાલકોને પડતી હાલાકી ને ધ્યાનમાં રાખીને આ બ્રિજની માંગ ઉઠતા વર્ષ 2016 માં તેને પ્રાથમિક મંજૂરી આપવામાં આવી હતી. 24 મહિનામાં પૂર્ણ થનાર આ બ્રિજના એક ભાગનું નિર્માણ 62 મહિને પૂર્ણ થયું છે. જો કે જુના નેશનલ હાઈવે નંબર 48 ઉપર એક તરફ નો ભાગ નિર્માણ કરવાનો બાકી છે.
ભરૂચ તરફ જવાનો માર્ગ પૂર્ણ થઇ જતાં તેનું ઈ લોકાર્પણ કરી દેવામાં આવશે. ગુરુવારે સવારે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના હસ્તે તેનું વિડીયો કોન્ફરન્સના માધ્યમથી લોકાર્પણ કરવામાં આવશે. ₹ 104.68 કરોડના ખર્ચે આ બ્રીજ નિર્માણ પામ્યો છે. ત્યારે આ બ્રિજ ખુલ્લો મુકતા રોજિંદા 18000થી વધુ વાહનચાલકોને સમય હવે ફાટક ઉપર નહિ વેડફાય.
ઈ લોકાર્પણ કાર્યક્રમમાં મંત્રી ઈશ્વરસિંહ પટેલ ભરૂચના સાંસદ મનસુખ વસાવા,ધારાસભ્ય દુષ્યંત પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે. જિલ્લા નો પ્રથમ ટી બ્રિજ નો ભરૂચ અને અંકલેશ્વર શહેર નો ભાગ ખુલ્લો મુકવામાં આવતા અંકલેશ્વર શહેર ઉપરાંત સુરત, હાંસોટ, સહિત જિલ્લા વાસીઓ એકદમ રાહત મળશે.
આગામી ચોમાસાની સ્થિતિ તેમજ વધતી જતી ત્રાફિક સમસ્યાને ધ્યાને લઇ પ્રાથમિક ધોરણે એક તરફ નો ભાગ હાલ ચાલુ કરવામાં આવ્યો છે. જેથી જિલ્લાવાસીઓ ને પડતી સમસ્યા દૂર થશે.