વાગરાના કેશવાણ અને ઓચ્છણ ગામની વચ્ચે ચાલુ કારમાં લાગી અચાનક આગ, દરવાજા સેન્ટરલ લોક થતા કાર ચાલક ગાડીમાં જ ભડથું
કારમાં જ સળગી ગયેલા મૃતદેહને કાચ તોડી બહાર કઢાયો
WatchGujarat અંકલેશ્વરમાં રહેતા સિવિલ કોન્ટ્રાકટરની સ્વીફ્ટ કાર તેમના માટે જ યમદૂત બની હતી. વાગરા તાલુકાના કેશવાણ-ઓચ્છણ માર્ગ પરથી બપોરે સાઇટ પર જઈ રહેલા કોન્ટ્રાક્ટરની કારમાં અચાનક આગ લાગી હતી. અચાનક લાગેલી આગમાં સેન્ટ્રલ લોક દરવાજાઓ નહિ ખુલતા કોન્ટ્રાકટર કારમાં જ ભડથું થઈ ગયો હતો.
અંકલેશ્વર નાલંદા બંગલોઝમાં રહેતા અલ્પેશ અમૃતલાલ પટેલ ઉ.વ.52 સિવીલ કોન્ટ્રાક્ટરનું કામ કરે છે. તેઓનું સિવીલ કોન્ટ્રાક્ટનું કામ હાલમાં વાગરા તાલુકાના ત્રાંકલ અને કેશવાણ ગામે ચાલતું હતું. અંકલેશ્વરથી 31 માર્ચે રોજિંદા ક્રમ મુજબ તેઓ પોતાની સ્વિફ્ટ ગાડી નં . GJ - 16 - AP - 2124 લઇ તેમના કામ અર્થે વાગરા નીકળ્યા હતા.
કેશવાણ અને ઓચ્છણ ગામની વચ્ચે રોડની સાઇડે અલ્પેશભાઇ વાગરા તરફ આવતા હતા તે દરમ્યાન કોઇ અગમ્ય કારણસર સ્વિફ્ટ ગાડીમાં આગ લાગતા સ્વિફ્ટ ગાડી લોક થઇ ગઈ હતી. સેન્ટ્રલ લોક ના લીધે દરવાજા નહીં ખુલતા અલ્પેશભાઈ કારમાં ડ્રાઇવિંગ સીટ પર સળગી જતા મૃત્યુ પામ્યા હતા. તેઓની લાશને ગાડીના કાચ તોડી બહાર કાઢી વાગરા પોલીસે પી.એમ અર્થે વાગરા સરકારી દવાખાને લઇ ગયા હતા.
આગ લાગવાથી ગાડીનો અંદરનો ભાગ બળી ગયો હતો. જેના કારણે સિવિલ કોન્ટ્રકટર ગાડીમાં જ મોઢાના ભાગે , બન્ને હાથે, છાતીના ભાગે તથા બન્ને પગે દાઝી ગયેલ અને માથાના વાળ પણ બળી જતા મોતને ભેટ્યા હતા. વાગરા પોલીસે મૃતકના નાના ભાઈ જીજ્ઞેશની ફરિયાદના આધારે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કારમાં આકસ્મિક રીતે શોર્ટ સર્કિટ કે અન્ય કોઈ કારણસર કેવી રીતે આગ લાગી તેનું રહસ્ય જોકે અકબંધ રહ્યું છે. પોલીસ દ્વારા FSL ની મદદ લઇ હાથ ધરાયેલી તપાસ બાદ આગ લાગવાનું સંભવત કારણ બહાર આવી શકે તેમ છે.
વાગરાના કેશવાણ અને ઓચ્છણ ગામની વચ્ચે ચાલુ કારમાં લાગી અચાનક આગ, દરવાજા સેન્ટરલ લોક થતા કાર ચાલક ગાડીમાં જ ભડથું
કારમાં જ સળગી ગયેલા મૃતદેહને કાચ તોડી બહાર કઢાયો
WatchGujarat અંકલેશ્વરમાં રહેતા સિવિલ કોન્ટ્રાકટરની સ્વીફ્ટ કાર તેમના માટે જ યમદૂત બની હતી. વાગરા તાલુકાના કેશવાણ-ઓચ્છણ માર્ગ પરથી બપોરે સાઇટ પર જઈ રહેલા કોન્ટ્રાક્ટરની કારમાં અચાનક આગ લાગી હતી. અચાનક લાગેલી આગમાં સેન્ટ્રલ લોક દરવાજાઓ નહિ ખુલતા કોન્ટ્રાકટર કારમાં જ ભડથું થઈ ગયો હતો.
અંકલેશ્વર નાલંદા બંગલોઝમાં રહેતા અલ્પેશ અમૃતલાલ પટેલ ઉ.વ.52 સિવીલ કોન્ટ્રાક્ટરનું કામ કરે છે. તેઓનું સિવીલ કોન્ટ્રાક્ટનું કામ હાલમાં વાગરા તાલુકાના ત્રાંકલ અને કેશવાણ ગામે ચાલતું હતું. અંકલેશ્વરથી 31 માર્ચે રોજિંદા ક્રમ મુજબ તેઓ પોતાની સ્વિફ્ટ ગાડી નં . GJ - 16 - AP - 2124 લઇ તેમના કામ અર્થે વાગરા નીકળ્યા હતા.
કેશવાણ અને ઓચ્છણ ગામની વચ્ચે રોડની સાઇડે અલ્પેશભાઇ વાગરા તરફ આવતા હતા તે દરમ્યાન કોઇ અગમ્ય કારણસર સ્વિફ્ટ ગાડીમાં આગ લાગતા સ્વિફ્ટ ગાડી લોક થઇ ગઈ હતી. સેન્ટ્રલ લોક ના લીધે દરવાજા નહીં ખુલતા અલ્પેશભાઈ કારમાં ડ્રાઇવિંગ સીટ પર સળગી જતા મૃત્યુ પામ્યા હતા. તેઓની લાશને ગાડીના કાચ તોડી બહાર કાઢી વાગરા પોલીસે પી.એમ અર્થે વાગરા સરકારી દવાખાને લઇ ગયા હતા.
આગ લાગવાથી ગાડીનો અંદરનો ભાગ બળી ગયો હતો. જેના કારણે સિવિલ કોન્ટ્રકટર ગાડીમાં જ મોઢાના ભાગે , બન્ને હાથે, છાતીના ભાગે તથા બન્ને પગે દાઝી ગયેલ અને માથાના વાળ પણ બળી જતા મોતને ભેટ્યા હતા. વાગરા પોલીસે મૃતકના નાના ભાઈ જીજ્ઞેશની ફરિયાદના આધારે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કારમાં આકસ્મિક રીતે શોર્ટ સર્કિટ કે અન્ય કોઈ કારણસર કેવી રીતે આગ લાગી તેનું રહસ્ય જોકે અકબંધ રહ્યું છે. પોલીસ દ્વારા FSL ની મદદ લઇ હાથ ધરાયેલી તપાસ બાદ આગ લાગવાનું સંભવત કારણ બહાર આવી શકે તેમ છે.