અંબાજીથી બારડોલી સુધી સ્વાગત, સભાનો તખ્તો ખેડૂત સમાજે તૈયાર કર્યો
ભરૂચમાં 5 એપ્રિલે 3 સ્થળોએ રાકેશ ટીકેતનું સ્વાગત કરાશે
ભોલાવ રેસ્ટ હાઉસ પર ભરૂચ જિલ્લા ખેડૂત સમાજની વ્યૂહાત્મક બેઠક મળી
NH 48 ઉપર લુવારા ગુરુદ્વારામાં ભરૂચ જિલ્લાના ખેડૂતો ઉમટી પડી અવકારશે
WatchGujarat કેન્દ્ર સરકારે 3 કૃષિ કાયદા બનાવતા કિશાન નેતા રાકેશ ટીકેત દેશભરમાં ખેડૂતોને તે કિસનના અહિતમાં હોવાનું સવાદથી સમજ આપી રહ્યા છે. આગામી 5 એપ્રિલે રાકેશ ટીકેત ભરૂચ જિલ્લાની ભૂમિ પર આગમન થતાં 3 સ્થળોએ તેમનું મોટી સંખ્યામાં ખેડૂતો સ્વાગત કરવાનો તખ્તો ગોઠવી કાઢ્યો છે.
4 એપ્રિલથી 2 દિવસ માટે પીઢ કિશાન નેતા રાકેશ ટીકેતનું ગુજરાતની ભૂમિ પર ખેડૂત સંવાદ માટે આગમન થઈ રહ્યું છે. દક્ષિણ ગુજરાતનાં ઐતિહાસિક સફળ ચળવળની ભૂમિ બારડોલી ખાતે 5 એપ્રિલે ભરૂચ થઈને રાકેશ ટીકેત પસાર થવાના છે. જે માટે ભરૂચ જીલ્લામાં તેમનું આગમન થતાં તેમને મોટી સંખ્યામાં ખેડૂતો સ્વાગત કરવાનો નોખો કાર્યક્રમ રાખવા માટે આજે ભોલાવ રેસ્ટ હાઉસમાં ભરૂચ જિલ્લા ખેડૂત સમાજે સિલેકટેડ આગેવાનોની મિટિંગ યોજી હતી.
જેમાં ભરૂચ જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખ મહેન્દ્રસિંહ કરમરિયા, અગ્રણી સંદીપ માંગરોલા, શેરખાન પઠાણ સહિતના આખા જીલ્લામાંથી આગેવાન ઉપસ્થિત રહ્યા હતા. દિલ્હીમાં લાંબા સમયથી પ્રદર્શનથી 250 આંદોલનકારીઓ શહિદ થતાં બે મિનિટનું મૌન પાળ્યું હતું. જે પ્રસંગે આગામી 5 એપ્રિલે બપોરે રાકેશ ટીકેત ભરૂચ જીલ્લામાં આગમન થતાં તેમનું સ્વાગત નેશનલ હાઈવે-48 પર લુવારાના ગુરૂદ્વારા ખાતે ભરૂચ જિલ્લાના ઠેર-ઠેર જગ્યાએથી ખેડૂતો મોટી સંખ્યામાં ઉમટી સ્વાગત કરીને તેમને સાંભળશે.
રાકેશ ટીકેતનું ઝાડેશ્વર ખાતે અને અંકલેશ્વર વાલિયા ચોકડીએ ખેડૂતોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને સ્વાગત કરવાનું પ્લાનિગ કરવામાં આવ્યું છે.
અંબાજીથી બારડોલી સુધી સ્વાગત, સભાનો તખ્તો ખેડૂત સમાજે તૈયાર કર્યો
ભોલાવ રેસ્ટ હાઉસ પર ભરૂચ જિલ્લા ખેડૂત સમાજની વ્યૂહાત્મક બેઠક મળી
NH 48 ઉપર લુવારા ગુરુદ્વારામાં ભરૂચ જિલ્લાના ખેડૂતો ઉમટી પડી અવકારશે
WatchGujarat કેન્દ્ર સરકારે 3 કૃષિ કાયદા બનાવતા કિશાન નેતા રાકેશ ટીકેત દેશભરમાં ખેડૂતોને તે કિસનના અહિતમાં હોવાનું સવાદથી સમજ આપી રહ્યા છે. આગામી 5 એપ્રિલે રાકેશ ટીકેત ભરૂચ જિલ્લાની ભૂમિ પર આગમન થતાં 3 સ્થળોએ તેમનું મોટી સંખ્યામાં ખેડૂતો સ્વાગત કરવાનો તખ્તો ગોઠવી કાઢ્યો છે.
4 એપ્રિલથી 2 દિવસ માટે પીઢ કિશાન નેતા રાકેશ ટીકેતનું ગુજરાતની ભૂમિ પર ખેડૂત સંવાદ માટે આગમન થઈ રહ્યું છે. દક્ષિણ ગુજરાતનાં ઐતિહાસિક સફળ ચળવળની ભૂમિ બારડોલી ખાતે 5 એપ્રિલે ભરૂચ થઈને રાકેશ ટીકેત પસાર થવાના છે. જે માટે ભરૂચ જીલ્લામાં તેમનું આગમન થતાં તેમને મોટી સંખ્યામાં ખેડૂતો સ્વાગત કરવાનો નોખો કાર્યક્રમ રાખવા માટે આજે ભોલાવ રેસ્ટ હાઉસમાં ભરૂચ જિલ્લા ખેડૂત સમાજે સિલેકટેડ આગેવાનોની મિટિંગ યોજી હતી.
જેમાં ભરૂચ જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખ મહેન્દ્રસિંહ કરમરિયા, અગ્રણી સંદીપ માંગરોલા, શેરખાન પઠાણ સહિતના આખા જીલ્લામાંથી આગેવાન ઉપસ્થિત રહ્યા હતા. દિલ્હીમાં લાંબા સમયથી પ્રદર્શનથી 250 આંદોલનકારીઓ શહિદ થતાં બે મિનિટનું મૌન પાળ્યું હતું. જે પ્રસંગે આગામી 5 એપ્રિલે બપોરે રાકેશ ટીકેત ભરૂચ જીલ્લામાં આગમન થતાં તેમનું સ્વાગત નેશનલ હાઈવે-48 પર લુવારાના ગુરૂદ્વારા ખાતે ભરૂચ જિલ્લાના ઠેર-ઠેર જગ્યાએથી ખેડૂતો મોટી સંખ્યામાં ઉમટી સ્વાગત કરીને તેમને સાંભળશે.
રાકેશ ટીકેતનું ઝાડેશ્વર ખાતે અને અંકલેશ્વર વાલિયા ચોકડીએ ખેડૂતોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને સ્વાગત કરવાનું પ્લાનિગ કરવામાં આવ્યું છે.