PM નરેન્દ્ર મોદીના ડ્રિમ પ્રોજેકટ ₹5500 કરોડની ભાડભુત બેરેજ યોજના અને એક્સપ્રેસ વે માં વળતરને મામલે અન્યાય દૂર કરવા માંગ
કાસવા ગામમાં ભાડભુત બેરેજના અસરગ્રસ્તોને વધુ વળતર જ્યારે બાજુના એકસાલ ગામને ઓછું ચુકવણું
વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે માં દક્ષિણ ગુજરાતના અન્ય જિલ્લામાં ઊંચી જંત્રી ચૂકવાઈ જ્યારે અંકલેશ્વરમાં પણ વધારાઈ પણ જિલ્લાના અન્ય ગામોને લાભ નહિ
WatchGujarat. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ₹5500 કરોડના ડ્રિમ પ્રોજકટ ભાડભૂત બેરેજ યોજનામાં કાસવા જેટલી જ એકસાલ ગામને જમીન સંપાદનનું વળતર ચૂકવવા તેમજ ભરૂચ જિલ્લાના ખેડૂતોને પણ વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે માં અન્ય જિલ્લા મુજબ જમીન સંપાદનમાં જંત્રીના ઊંચા ભાવ આપવા સાંસદ અને વાગરા ધારાસભ્યએ સરકારે મધ્યસ્થી તરીકે નિમેલા કલેકટરને ખેડૂતોને સાથે રાખી બુધવારે આવેદનપત્ર આપી રજુઆત કરી હતી.
વડોદરા - મુંબઈ એકસપ્રેસ - વે ના નિર્માણમાં જમીન સંપાદનમાં જંત્રીના ભાવ વધારવા અંગે ભરૂચ સાંસદ મનસુખ વસાવા અને વાગરા ધારાસભ્ય અરુણસિંહ રણાએ જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતોને સાથે રાખી અન્ય જિલ્લાની ઊંચી જંત્રી મુજબ ભાવ આપવા માંગણી કરી છે.
જિલ્લાના દેરોલ , દયાદરા , થામ, મનુબર , પાદરીયા , કારેલા , પીપલીયા , કેલોદના ખેડુતોની રજુઆત મુજબ બીજા જીલ્લામાં જંત્રીનો ભાવ ઉંચો હોવાથી તેઓને જમીન સંપાદનની વળતરની રકમ મોટા પાયે મળી છે . જયારે ભરૂચ જીલ્લાની જંત્રીનો ભાવ નીચો હોવાથી ભાવ મળ્યા નથી . જેથી જમીન સંપાદનમાં એક સરખો જંત્રીનો ભાવ મળે તો જિલ્લાના ખેડૂતો જીવાદોરી સમાન જમીન ગુમાવી છે તેનું વળતર મળવાથી ગુજરાન ચાલી શકે.
સરકારનાના 6 ફેબ્રુઆરી 2017 ના હુકમથી ભરૂચ જિલ્લા માટે્ મધ્યસ્થી તરીકે કલેકટરની નિમણુંક થઈ છે . જે કામગીરી સામે કોઈપણ પ્રકારના વાંધા કે વિરોધ નથી. જેથી કામગીરી કલેકટરને સુપેરે નિભાવવા વિનંતી કરાઈ છે. ઝડપથી કામગીરી કરી નિકાલ લાવવા સાંસદ અને ધારાસભ્યએ ખેડૂતો વતી રજુઆત કરી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ₹5500 કરોડના ડ્રિમ પ્રોજકટ ભાડભૂત બેરેજ યોજનામાં કાસવા જેટલી જ એકસાલ ગામને જમીન સંપાદનનું વળતર ચૂકવવા સોમવારે જ વાગરા MLA એ બ્રિજ લોકાર્પણ કાર્યક્રમમાં ડે. CM નીતિન પટેલને જાહેર મંચ પરથી રજુઆત કરી હતી.
વાગરા વિધાનસભા મતવિસ્તારમાં આવેલા ભરૂચ તાલુકાના ભાડભુત ખાતે ભાડભૂત બેરેજ યોજના માટે જમીન સંપાદન કરવામાં આવ્યું છે. યોજનામાં એપ્રોચ રોડ માટે એકસાલની જમીનની વળતરની કિંમત બાજુના ગામ કાસવા જેટલી તેઓને મળી નથી. ગામના સીમાડાનું અંતર ફકત 5 થી 10 ફુટે જ આવેલુ છે. જંત્રી બાબતે તફાવત છે જે યોગ્ય નથી અને એકસાલ ગામના ખેડુતોને વળતરમાં નુકશાન થાય છે. બાજુના ગામ કાસવા જેટલું જ વળતર મળી રહે તેવી તેઓએ વારંવાર રજુઆત કરી છે .
એકસાલના ગ્રામજનોની રજુઆત ધ્યાને નહી લેવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ખેડુતો તરફથી ચિમકી ભર્યું આવેદન પત્ર મળ્યું હતું. સાંસદ અને ધારાસભ્ય એ ખેડુતોની રજુઆતને ધ્યાને લઈ સરકારનું માન સન્માન જળવાઈ રહે અને નારાજ ખેડુતોનું પણ હિત સચવાઈ તેવી કલેકટર કક્ષાએથી કાર્યવાહી કરી યોગ્ય કરવા વિનંતી કરી છે.
PM નરેન્દ્ર મોદીના ડ્રિમ પ્રોજેકટ ₹5500 કરોડની ભાડભુત બેરેજ યોજના અને એક્સપ્રેસ વે માં વળતરને મામલે અન્યાય દૂર કરવા માંગ
કાસવા ગામમાં ભાડભુત બેરેજના અસરગ્રસ્તોને વધુ વળતર જ્યારે બાજુના એકસાલ ગામને ઓછું ચુકવણું
વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે માં દક્ષિણ ગુજરાતના અન્ય જિલ્લામાં ઊંચી જંત્રી ચૂકવાઈ જ્યારે અંકલેશ્વરમાં પણ વધારાઈ પણ જિલ્લાના અન્ય ગામોને લાભ નહિ
WatchGujarat. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ₹5500 કરોડના ડ્રિમ પ્રોજકટ ભાડભૂત બેરેજ યોજનામાં કાસવા જેટલી જ એકસાલ ગામને જમીન સંપાદનનું વળતર ચૂકવવા તેમજ ભરૂચ જિલ્લાના ખેડૂતોને પણ વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે માં અન્ય જિલ્લા મુજબ જમીન સંપાદનમાં જંત્રીના ઊંચા ભાવ આપવા સાંસદ અને વાગરા ધારાસભ્યએ સરકારે મધ્યસ્થી તરીકે નિમેલા કલેકટરને ખેડૂતોને સાથે રાખી બુધવારે આવેદનપત્ર આપી રજુઆત કરી હતી.
વડોદરા - મુંબઈ એકસપ્રેસ - વે ના નિર્માણમાં જમીન સંપાદનમાં જંત્રીના ભાવ વધારવા અંગે ભરૂચ સાંસદ મનસુખ વસાવા અને વાગરા ધારાસભ્ય અરુણસિંહ રણાએ જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતોને સાથે રાખી અન્ય જિલ્લાની ઊંચી જંત્રી મુજબ ભાવ આપવા માંગણી કરી છે.
જિલ્લાના દેરોલ , દયાદરા , થામ, મનુબર , પાદરીયા , કારેલા , પીપલીયા , કેલોદના ખેડુતોની રજુઆત મુજબ બીજા જીલ્લામાં જંત્રીનો ભાવ ઉંચો હોવાથી તેઓને જમીન સંપાદનની વળતરની રકમ મોટા પાયે મળી છે . જયારે ભરૂચ જીલ્લાની જંત્રીનો ભાવ નીચો હોવાથી ભાવ મળ્યા નથી . જેથી જમીન સંપાદનમાં એક સરખો જંત્રીનો ભાવ મળે તો જિલ્લાના ખેડૂતો જીવાદોરી સમાન જમીન ગુમાવી છે તેનું વળતર મળવાથી ગુજરાન ચાલી શકે.
સરકારનાના 6 ફેબ્રુઆરી 2017 ના હુકમથી ભરૂચ જિલ્લા માટે્ મધ્યસ્થી તરીકે કલેકટરની નિમણુંક થઈ છે . જે કામગીરી સામે કોઈપણ પ્રકારના વાંધા કે વિરોધ નથી. જેથી કામગીરી કલેકટરને સુપેરે નિભાવવા વિનંતી કરાઈ છે. ઝડપથી કામગીરી કરી નિકાલ લાવવા સાંસદ અને ધારાસભ્યએ ખેડૂતો વતી રજુઆત કરી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ₹5500 કરોડના ડ્રિમ પ્રોજકટ ભાડભૂત બેરેજ યોજનામાં કાસવા જેટલી જ એકસાલ ગામને જમીન સંપાદનનું વળતર ચૂકવવા સોમવારે જ વાગરા MLA એ બ્રિજ લોકાર્પણ કાર્યક્રમમાં ડે. CM નીતિન પટેલને જાહેર મંચ પરથી રજુઆત કરી હતી.
વાગરા વિધાનસભા મતવિસ્તારમાં આવેલા ભરૂચ તાલુકાના ભાડભુત ખાતે ભાડભૂત બેરેજ યોજના માટે જમીન સંપાદન કરવામાં આવ્યું છે. યોજનામાં એપ્રોચ રોડ માટે એકસાલની જમીનની વળતરની કિંમત બાજુના ગામ કાસવા જેટલી તેઓને મળી નથી. ગામના સીમાડાનું અંતર ફકત 5 થી 10 ફુટે જ આવેલુ છે. જંત્રી બાબતે તફાવત છે જે યોગ્ય નથી અને એકસાલ ગામના ખેડુતોને વળતરમાં નુકશાન થાય છે. બાજુના ગામ કાસવા જેટલું જ વળતર મળી રહે તેવી તેઓએ વારંવાર રજુઆત કરી છે .
એકસાલના ગ્રામજનોની રજુઆત ધ્યાને નહી લેવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ખેડુતો તરફથી ચિમકી ભર્યું આવેદન પત્ર મળ્યું હતું. સાંસદ અને ધારાસભ્ય એ ખેડુતોની રજુઆતને ધ્યાને લઈ સરકારનું માન સન્માન જળવાઈ રહે અને નારાજ ખેડુતોનું પણ હિત સચવાઈ તેવી કલેકટર કક્ષાએથી કાર્યવાહી કરી યોગ્ય કરવા વિનંતી કરી છે.