નર્મદા (Narmada) મૈયા બ્રિજની કામગીરીને લઈ 18 જૂનથી 2 જુલાઈ સુધી વાહનચાલકોની સલામતી માટે કલેકટરે (Collector) જારી કર્યું જાહેરનામું
કસકથી સ્ટેશન અવરજવર માટે તમામ વાહનોએ ભૃગુઋષી ફ્લાયઓવરનો (Flyover) કરવો પડશે ઉપયોગ
નાઈટ કરફ્યુ હોવાથી ભૃગુઋષિ ફ્લાયઓવર પર ટ્રાફિક ડાયવર્ટને લઈ કોઈ ખાસ ફરક નહિ પડે
[caption id="attachment_1223575" align="aligncenter" width="1280"] Bharuch Flyover[/caption]
Watchgujarat. ભરૂચ ખાતે નર્મદા નદી ઉપર ગોલ્ડન બ્રીજને (Golden Bridge) સમાંતર નર્મદા મૈયા ચારમાર્ગીય બ્રીજની કામગીરી હાલ ચાલી રહી છે. ભરૂચ તરફના વાયડકટ પોર્શનના ડાઉનરેમ્પની કામગીરી પ્રગતિમાં હોય , જેમાં 53 મીટરના 2 ભાગમાં બનાવેલા ગર્ડર લોન્ચિંગનું કામ કસક નાળાની મધ્યમાં શરૂ કરવાનું થાય છે.
ભરૂચ (Bharuch) જિલ્લા મેજિસ્ટ્રેટ ડો. એમ.ડી.મોડીયા એ ગુજરાત પોલીસ (Gujarat Police Act) અધિનિયમ , 1951 ની કલમ -33 ( 1 ) ( બી ) અન્વયે મળેલ સત્તાની રૂ એ 18 જૂનથી 2 જુલાઈ 15 દિવસ માટે જાહેર જનતાની સુવિધા અને સલામતી માટે કસકનાળાને રાતે 10 થી સવારે 6 કલાક સુધી તમામ વાહનો માટે બંધ કરવા હુકમ કર્યો છે. કસક રેલવે ગરનાળુ બંધ થવાથી વૈકલ્પિક વ્યવસ્થા તરીકે વાહનોના ટ્રાફીકને ડાયવર્ટ કરેલા રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે. 15 દિવસ માટે કસક રેલવે ગરનાળુ બંધ થતાં વાહનચાલકોને કોઈ ઝાઝો ફરક નહીં પડે. હાલ રાત્રી કરફ્યુ 11 થી સવારે 6 કલાક સુધી ચાલે છે ત્યારે આ કામગીરી સુપેરે પૂર્ણ થઈ જશે.
કસક નાળુ નર્મદા મૈયા બ્રિજના (Narmada) ગર્ડર લોન્ચિંગ માટે 15 દિવસ રાત્રી દરમિયાન બંધ રહેતા ભરૂચ રેલવે સ્ટેશનથી કસક કે કસક થી રેલવે સ્ટેશન જવા માટે 5 કિલોમીટર જેટલો ફેરાવો ફરવો પડશે. સાથે જ તમામ પૂર્વ-પશ્ચિમ ભરૂચનો ટ્રાફિક ભૃગુ ઋષિ ભોલાવ ફ્લાય ઓવર પરથી પસાર થશે.
ડાયર્વઝન રૂટ
કસક સર્કલથી સ્ટેશન સર્કલ તરફ જતાં વાહનો - કસક સર્કલ થઈ શીતલ સર્કલ થી કોલેજ રોડ થઈ ( ભૃગુ ઋષિ ) ભોલાવ ઓવર બ્રીજ થી પોલીટેકનીક સ્કુલ થી સ્ટેશન ત૨ફ જઈ શકાશે.
એવી જ રીતે સ્ટેશન સર્કલ તરફથી કસક સર્કલ તરફ આવતાં વાહનોની અવર - જવર બંધ થતાં- સ્ટેશન સર્કલથી ગોદી રોડ થઈ પોલીટેકનીક સ્કુલ થી ભૃગુઋષિ ભોલાવ ઓવર બ્રીજ થઈ શીતલ સર્કલ થી કસક સર્કલ તરફ અવર - જવર કરી શકાશે.
નર્મદા (Narmada) મૈયા બ્રિજની કામગીરીને લઈ 18 જૂનથી 2 જુલાઈ સુધી વાહનચાલકોની સલામતી માટે કલેકટરે (Collector) જારી કર્યું જાહેરનામું
કસકથી સ્ટેશન અવરજવર માટે તમામ વાહનોએ ભૃગુઋષી ફ્લાયઓવરનો (Flyover) કરવો પડશે ઉપયોગ
નાઈટ કરફ્યુ હોવાથી ભૃગુઋષિ ફ્લાયઓવર પર ટ્રાફિક ડાયવર્ટને લઈ કોઈ ખાસ ફરક નહિ પડે
Watchgujarat. ભરૂચ ખાતે નર્મદા નદી ઉપર ગોલ્ડન બ્રીજને (Golden Bridge) સમાંતર નર્મદા મૈયા ચારમાર્ગીય બ્રીજની કામગીરી હાલ ચાલી રહી છે. ભરૂચ તરફના વાયડકટ પોર્શનના ડાઉનરેમ્પની કામગીરી પ્રગતિમાં હોય , જેમાં 53 મીટરના 2 ભાગમાં બનાવેલા ગર્ડર લોન્ચિંગનું કામ કસક નાળાની મધ્યમાં શરૂ કરવાનું થાય છે.
ભરૂચ (Bharuch) જિલ્લા મેજિસ્ટ્રેટ ડો. એમ.ડી.મોડીયા એ ગુજરાત પોલીસ (Gujarat Police Act) અધિનિયમ , 1951 ની કલમ -33 ( 1 ) ( બી ) અન્વયે મળેલ સત્તાની રૂ એ 18 જૂનથી 2 જુલાઈ 15 દિવસ માટે જાહેર જનતાની સુવિધા અને સલામતી માટે કસકનાળાને રાતે 10 થી સવારે 6 કલાક સુધી તમામ વાહનો માટે બંધ કરવા હુકમ કર્યો છે. કસક રેલવે ગરનાળુ બંધ થવાથી વૈકલ્પિક વ્યવસ્થા તરીકે વાહનોના ટ્રાફીકને ડાયવર્ટ કરેલા રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે. 15 દિવસ માટે કસક રેલવે ગરનાળુ બંધ થતાં વાહનચાલકોને કોઈ ઝાઝો ફરક નહીં પડે. હાલ રાત્રી કરફ્યુ 11 થી સવારે 6 કલાક સુધી ચાલે છે ત્યારે આ કામગીરી સુપેરે પૂર્ણ થઈ જશે.
કસક નાળુ નર્મદા મૈયા બ્રિજના (Narmada) ગર્ડર લોન્ચિંગ માટે 15 દિવસ રાત્રી દરમિયાન બંધ રહેતા ભરૂચ રેલવે સ્ટેશનથી કસક કે કસક થી રેલવે સ્ટેશન જવા માટે 5 કિલોમીટર જેટલો ફેરાવો ફરવો પડશે. સાથે જ તમામ પૂર્વ-પશ્ચિમ ભરૂચનો ટ્રાફિક ભૃગુ ઋષિ ભોલાવ ફ્લાય ઓવર પરથી પસાર થશે.
ડાયર્વઝન રૂટ
કસક સર્કલથી સ્ટેશન સર્કલ તરફ જતાં વાહનો - કસક સર્કલ થઈ શીતલ સર્કલ થી કોલેજ રોડ થઈ ( ભૃગુ ઋષિ ) ભોલાવ ઓવર બ્રીજ થી પોલીટેકનીક સ્કુલ થી સ્ટેશન ત૨ફ જઈ શકાશે.
એવી જ રીતે સ્ટેશન સર્કલ તરફથી કસક સર્કલ તરફ આવતાં વાહનોની અવર - જવર બંધ થતાં- સ્ટેશન સર્કલથી ગોદી રોડ થઈ પોલીટેકનીક સ્કુલ થી ભૃગુઋષિ ભોલાવ ઓવર બ્રીજ થઈ શીતલ સર્કલ થી કસક સર્કલ તરફ અવર - જવર કરી શકાશે.