કૃષિ કાયદા ખેડૂત અને ખેતીને ગુલામ બનાવશે
સરકાર આ કાયદા ખેડૂતો માટે નહિ પણ દેશની અને વિદેશની મોટી કંપનીઓના લાભ માટે જ લાવી
વાલિયા પોલિટેક્નિક કોલેજમાં ગુજરાત અને ભરૂચ જિલ્લા ખેડૂત સમાજનો ખેડૂત પરિસંવાદ યોજાયો
WatchGujarat ગુજરાત ખેડૂત સમાજ અને ભરૂચ ખેડૂત સમાજ દ્વારા શનિવારે વાલિયા ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં જાણીતા અર્થશાસ્ત્રી પ્રો. હેમંતકુમાર શાહે કહ્યું હતું કે, મોદી સરકાર દ્વારા લાવવામાં આવેલા ત્રણ કૃષિ કાયદા ખેતીને અને ખેડૂતોને ગુલામ બનાવશે. આ કાયદાથી ખેડૂતોને લાભ થાય તો પણ તે થોડા સમયગાળા માટે જ હશે અને તે છેતરામણો છે. મોદી સરકાર આ કાયદા ખેડૂતોના લાભ માટે નહિ પણ દેશની અને વિદેશની મોટી કંપનીઓના લાભ માટે જ લાવ્યા છે.
આવશ્યક ચીજવસ્તુ ધારામાં જે સુધારો કરવામાં આવ્યો છે તે અનાજ, કઠોળ, તેલ, તેલીબિયાં, બટાટા અને ડુંગળી જેવી ચીજોના ગમે તેટલા સંગ્રહ માટે છૂટ આપે છે. તેનાથી સંઘરાખોરી વધશે, ભાવ વધશે અને દેશના 138 કરોડ ગ્રાહકોને નુકસાન થશે. APMC બંધ થઈ જાય તેવો કાયદો અને કરારી ખેતી માટેનો જે કાયદો કરવામાં આવ્યો છે તે ખેડૂતોને જો કોઈ કંપની સાથે વિવાદ ઊભો થાય તો તેણે કલેક્ટર પાસે જવાનું. કલેક્ટર જે ચુકાદો આપે તે આખરી ગણાશે એમ આ બંને કાયદા કહે છે. ખેડૂત કોઈ અદાલતમાં જઈ શકે નહિ એમ આ બંને કાયદા જણાવે છે.
જિલ્લાના ખેડૂતોને સંબોધતા પ્રો. હેમંતકુમાર શાહે વધુમાં જણાવ્યું કે, આ બાબત તો નાગરિકના લોકશાહી અધિકાર પર જ ઘા કરે છે. આ તો સરમુખત્યારી છે. દુનિયાની 10 કંપનીઓ ખેતપેદાશો અને ખેતી માટે જરૂરી ચીજોના વેપાર પર કબજો ધરાવે છે. તેઓ ભારતમાં આવશે અને ભારતની ખેતી પર ઈજારો ઊભો કરશે. દેશ આ રીતે વધુ આર્થિક રીતે ગુલામ બનશે. વાલિયા પોલિટેક્નિક કોલેજ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા. મોટી કંપની સામે એક નાનો ખેડૂત કે બધા ખેડૂતો ભેગા થઈને પણ કેવી રીતે લડી શકશે?
મોદી સરકાર ખેડૂતો સાથે નિર્દયી રીતે વર્તી રહી છે એમ જણાવીને હેમંતકુમાર શાહે કહ્યું કે, સરકારનું વર્તન તદ્દન લોકશાહી વિરોધી છે.આ કાર્યક્રમમાં ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશ પટેલ, ભરૂચ જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખ મહેન્દ્રસિંહ કરમરીયા, સંદીપ માંગરોલા, ગાંધીવાદી બદ્રીભાઈ જોશી, રમેશભાઈ પટેલ સહિત ખેડૂત આગેવાનો ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યુ હતું.
કૃષિ કાયદા ખેડૂત અને ખેતીને ગુલામ બનાવશે
સરકાર આ કાયદા ખેડૂતો માટે નહિ પણ દેશની અને વિદેશની મોટી કંપનીઓના લાભ માટે જ લાવી
વાલિયા પોલિટેક્નિક કોલેજમાં ગુજરાત અને ભરૂચ જિલ્લા ખેડૂત સમાજનો ખેડૂત પરિસંવાદ યોજાયો
WatchGujarat ગુજરાત ખેડૂત સમાજ અને ભરૂચ ખેડૂત સમાજ દ્વારા શનિવારે વાલિયા ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં જાણીતા અર્થશાસ્ત્રી પ્રો. હેમંતકુમાર શાહે કહ્યું હતું કે, મોદી સરકાર દ્વારા લાવવામાં આવેલા ત્રણ કૃષિ કાયદા ખેતીને અને ખેડૂતોને ગુલામ બનાવશે. આ કાયદાથી ખેડૂતોને લાભ થાય તો પણ તે થોડા સમયગાળા માટે જ હશે અને તે છેતરામણો છે. મોદી સરકાર આ કાયદા ખેડૂતોના લાભ માટે નહિ પણ દેશની અને વિદેશની મોટી કંપનીઓના લાભ માટે જ લાવ્યા છે.
આવશ્યક ચીજવસ્તુ ધારામાં જે સુધારો કરવામાં આવ્યો છે તે અનાજ, કઠોળ, તેલ, તેલીબિયાં, બટાટા અને ડુંગળી જેવી ચીજોના ગમે તેટલા સંગ્રહ માટે છૂટ આપે છે. તેનાથી સંઘરાખોરી વધશે, ભાવ વધશે અને દેશના 138 કરોડ ગ્રાહકોને નુકસાન થશે. APMC બંધ થઈ જાય તેવો કાયદો અને કરારી ખેતી માટેનો જે કાયદો કરવામાં આવ્યો છે તે ખેડૂતોને જો કોઈ કંપની સાથે વિવાદ ઊભો થાય તો તેણે કલેક્ટર પાસે જવાનું. કલેક્ટર જે ચુકાદો આપે તે આખરી ગણાશે એમ આ બંને કાયદા કહે છે. ખેડૂત કોઈ અદાલતમાં જઈ શકે નહિ એમ આ બંને કાયદા જણાવે છે.
જિલ્લાના ખેડૂતોને સંબોધતા પ્રો. હેમંતકુમાર શાહે વધુમાં જણાવ્યું કે, આ બાબત તો નાગરિકના લોકશાહી અધિકાર પર જ ઘા કરે છે. આ તો સરમુખત્યારી છે. દુનિયાની 10 કંપનીઓ ખેતપેદાશો અને ખેતી માટે જરૂરી ચીજોના વેપાર પર કબજો ધરાવે છે. તેઓ ભારતમાં આવશે અને ભારતની ખેતી પર ઈજારો ઊભો કરશે. દેશ આ રીતે વધુ આર્થિક રીતે ગુલામ બનશે. વાલિયા પોલિટેક્નિક કોલેજ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા. મોટી કંપની સામે એક નાનો ખેડૂત કે બધા ખેડૂતો ભેગા થઈને પણ કેવી રીતે લડી શકશે?
મોદી સરકાર ખેડૂતો સાથે નિર્દયી રીતે વર્તી રહી છે એમ જણાવીને હેમંતકુમાર શાહે કહ્યું કે, સરકારનું વર્તન તદ્દન લોકશાહી વિરોધી છે.આ કાર્યક્રમમાં ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશ પટેલ, ભરૂચ જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખ મહેન્દ્રસિંહ કરમરીયા, સંદીપ માંગરોલા, ગાંધીવાદી બદ્રીભાઈ જોશી, રમેશભાઈ પટેલ સહિત ખેડૂત આગેવાનો ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યુ હતું.