રાજ્યના શિક્ષણ જગતમાં સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના સત્તાધીશોનું માટી કૌભાંડ, દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીના કુલપતિએ ₹7500 માં ખરીદેલો એવોર્ડ નિમ્ન કક્ષાની ઘટના
ભરૂચના ભાજપના સાંસદે કેટલાક ઉધોગપતિઓ તથા ધનાઢય લોકોને પણ આડે હાથે લીધા, બિઝનેસમેનો નો શૈક્ષણિક સંસ્થાઓ ઊભી કરવાનો આશય માત્રને માત્ર તેઓની બે નંબરી આવકમાંથી બચવાનો
CSR ફંડ સરકારમાં આપવાને બદલે જાતે જ શૈક્ષણિક સંસ્થાઓ તથા હોસ્પિટલો ઊભી કરી શિક્ષણની ખોદાતી ઘોર
કેટલાક સરકારી એકમોમાં શિક્ષકોને કોન્ટ્રાક્ટરો અને કારકુનો બનાવી દેવાયા હોવાના પત્રમાં ધડાકા
ગુજ્જુ વિદ્યાર્થીઓમાં અનેક પ્રકારની શક્તિઓ પરંતુ વર્ષોથી શૈક્ષણિક સંસ્થાઓમાં જે પ્રકારે ધ્યાન આપવું જોઈએ તે પ્રકારે અપાતું નથી
WatchGujarat. ગુજરાતી વિધાર્થીઓ કેમ IAS, IPS, કલાસ વન અધિકારી, કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગો, જાહેર સાહસો, બેંકો સહિતની જગ્યાઓ બિરાજમાન નથી, તે પાછળ ભાજપના ભરૂચના વરિષ્ઠ સાંસદ MP મનસુખ વસાવાએ રાજ્યની શિક્ષણ રીતિનીતિને જવાબદાર ઠેરવી તેમાં જરૂરી સુધારા વધારા કરવા શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને સણસણતો પત્ર લખ્યો છે. ભાજપના વરિષ્ઠ સાંસદ મનસુખ વસાવાએ ગુજરાતની શિક્ષણ પદ્ધતિ ઉપર વેધક સવાલો ઉઠાવી તેને બદલવા રાજ્ય શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહને પત્ર પાઠવ્યો છે.
ભરૂચના BJP MP એ શિક્ષણમંત્રીને પત્રમાં જણાવ્યું છે કે, ગુજરાતના શિક્ષણ જગતમાં નિમ્ન કક્ષાની ઘટનાઓ ઘટી રહી છે. આશરે 15 દિવસ પહેલા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા થયેલ માટી કૌભાંડ બહાર આવ્યું અને માટી કૌભાંડ કરતાં પણ શરમથી માથું મૂકી જાય તેવી ઘટના દક્ષિણ ગુજરાતની વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિએ રૂપિયા 7500 માં દિલ્હીની ખાનગી સંસ્થા પાસેથી બેસ્ટ પ્રિન્સિપાલનો એવોર્ડ ખરીદીયો.
https://twitter.com/MansukhbhaiMp/status/1417116094679064576?s=20
આવા તો શૈક્ષણિક સંસ્થાઓના ઘણા બધા અનેક કિસ્સાઓ બહાર આવી શકે તેમ છે. કેટલાક ઉધોગપતિઓ તથા ધનાઢય લોકો મૂળ બિઝનેસની સાથે શૈક્ષણિક સંસ્થાઓ ઊભી કરી રહ્યા છે. તેમને શિક્ષણ માટેનો પ્રેમ નથી, પરંતુ માત્રને માત્ર તેઓની બે નંબરી આવકમાંથી બચવા તથા CSR ફંડ સરકારમાં આપવાને બદલે જાતે જ શૈક્ષણિક સંસ્થાઓ તથા હોસ્પિટલો ઊભી કરી રહ્યા છે. તદઉપરાંત કેટલાક સરકારી એકમોમાં શિક્ષકોને કોન્ટ્રાક્ટરો તથા કારકુનો બનાવી દેવામાં આવ્યા છે, જેના કારણે પ્રાથમિકથી કોલેજ સુધીનું શિક્ષણ ગુણવત્તાવાળુ મળતું નથી. તેના કારણે આજે ગુજરાતમાં IAS અધિકારી , IPS અધિકારી તથા મોટા ઉધોગોમાં કી - પોસ્ટની ( મહત્વની જગ્યા પર ) ગુજરાતીઓ નોકરી મેળવી શકતા નથી.
જેમકે ગુજરાતમાં બેંકો તથા કેન્દ્ર સરકારના ઘણા બધા એકમોમાં ગુજરાતીઓ નહિવત સંખ્યામાં જોવા મળે છે. ગુજરાતમાં IAS , IPS , કંપનીના MD , GM , રાષ્ટ્રીયકૃત બેંકોના મેનેજરો , ONGC , રેલવે તથા ટેલિકોમ એકમો જેવા અન્ય કેન્દ્ર સરકારના સાહસોમાં માંડ 1 થી 5 ટકા ગુજરાતીઓ જોવા મળે છે. રાજ્યના વિદ્યાર્થીઓમાં અનેક પ્રકારની શક્તિઓ પડેલી છે , પરંતુ વર્ષોથી શૈક્ષણિક સંસ્થાઓમાં જે પ્રકારે ધ્યાન આપવું જોઈએ , તે પ્રકારે ધ્યાન અપાતું નથી. ચોક્કસ વીઝન સાથે શૈક્ષણિક સંસ્થાઓએ જે કાર્ય કરવું જોઈએ , તે કાર્ય કરવામાં આવતું નથી તેવી સ્પષ્ટ હકીકત આખા બોલા સાંસદ મનસુખ વસાવાએ વ્યક્ત કરી છે.
પત્રમાં અંતે ભરૂચના MP એ લખ્યું છે કે, આપ ગુજરાતના શિક્ષણમંત્રી છો અને તમામ રીતે આપ સક્ષમ છો. ઘણા વર્ષોથી ગુજરાત સરકારના અલગ - અલગ વિભાગો આપ સાંભળી ચૂક્યા છો. તો આપની પાસેથી ગુજરાતની જનતા એ જ આશા અને અપેક્ષા રાખે છે કે, શિક્ષણમાં જે નાની - મોટી ક્ષતિઓ છે. જે બધીઓ છે , તે આપ હિંમતપૂર્વક દૂર કરવાના પ્રયત્ન કરશો. તો ગુજરાતના યુવાનો ઉચ્ચ પદો હાસલ કરી શકશે અને તેઓ આપની પડખે ઉભા રહશે. MP એ આ અંગે આત્મવિશ્વાસ વ્યક્ત કરી આ કાર્ય માટે શિક્ષણમંત્રી હિંમત પૂર્વક આગળ વધશે તેવી આશા વ્યક્ત કરી છે.
રાજ્યના શિક્ષણ જગતમાં સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના સત્તાધીશોનું માટી કૌભાંડ, દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીના કુલપતિએ ₹7500 માં ખરીદેલો એવોર્ડ નિમ્ન કક્ષાની ઘટના
ભરૂચના ભાજપના સાંસદે કેટલાક ઉધોગપતિઓ તથા ધનાઢય લોકોને પણ આડે હાથે લીધા, બિઝનેસમેનો નો શૈક્ષણિક સંસ્થાઓ ઊભી કરવાનો આશય માત્રને માત્ર તેઓની બે નંબરી આવકમાંથી બચવાનો
CSR ફંડ સરકારમાં આપવાને બદલે જાતે જ શૈક્ષણિક સંસ્થાઓ તથા હોસ્પિટલો ઊભી કરી શિક્ષણની ખોદાતી ઘોર
કેટલાક સરકારી એકમોમાં શિક્ષકોને કોન્ટ્રાક્ટરો અને કારકુનો બનાવી દેવાયા હોવાના પત્રમાં ધડાકા
ગુજ્જુ વિદ્યાર્થીઓમાં અનેક પ્રકારની શક્તિઓ પરંતુ વર્ષોથી શૈક્ષણિક સંસ્થાઓમાં જે પ્રકારે ધ્યાન આપવું જોઈએ તે પ્રકારે અપાતું નથી
WatchGujarat. ગુજરાતી વિધાર્થીઓ કેમ IAS, IPS, કલાસ વન અધિકારી, કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગો, જાહેર સાહસો, બેંકો સહિતની જગ્યાઓ બિરાજમાન નથી, તે પાછળ ભાજપના ભરૂચના વરિષ્ઠ સાંસદ MP મનસુખ વસાવાએ રાજ્યની શિક્ષણ રીતિનીતિને જવાબદાર ઠેરવી તેમાં જરૂરી સુધારા વધારા કરવા શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને સણસણતો પત્ર લખ્યો છે. ભાજપના વરિષ્ઠ સાંસદ મનસુખ વસાવાએ ગુજરાતની શિક્ષણ પદ્ધતિ ઉપર વેધક સવાલો ઉઠાવી તેને બદલવા રાજ્ય શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહને પત્ર પાઠવ્યો છે.
ભરૂચના BJP MP એ શિક્ષણમંત્રીને પત્રમાં જણાવ્યું છે કે, ગુજરાતના શિક્ષણ જગતમાં નિમ્ન કક્ષાની ઘટનાઓ ઘટી રહી છે. આશરે 15 દિવસ પહેલા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા થયેલ માટી કૌભાંડ બહાર આવ્યું અને માટી કૌભાંડ કરતાં પણ શરમથી માથું મૂકી જાય તેવી ઘટના દક્ષિણ ગુજરાતની વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિએ રૂપિયા 7500 માં દિલ્હીની ખાનગી સંસ્થા પાસેથી બેસ્ટ પ્રિન્સિપાલનો એવોર્ડ ખરીદીયો.
આવા તો શૈક્ષણિક સંસ્થાઓના ઘણા બધા અનેક કિસ્સાઓ બહાર આવી શકે તેમ છે. કેટલાક ઉધોગપતિઓ તથા ધનાઢય લોકો મૂળ બિઝનેસની સાથે શૈક્ષણિક સંસ્થાઓ ઊભી કરી રહ્યા છે. તેમને શિક્ષણ માટેનો પ્રેમ નથી, પરંતુ માત્રને માત્ર તેઓની બે નંબરી આવકમાંથી બચવા તથા CSR ફંડ સરકારમાં આપવાને બદલે જાતે જ શૈક્ષણિક સંસ્થાઓ તથા હોસ્પિટલો ઊભી કરી રહ્યા છે. તદઉપરાંત કેટલાક સરકારી એકમોમાં શિક્ષકોને કોન્ટ્રાક્ટરો તથા કારકુનો બનાવી દેવામાં આવ્યા છે, જેના કારણે પ્રાથમિકથી કોલેજ સુધીનું શિક્ષણ ગુણવત્તાવાળુ મળતું નથી. તેના કારણે આજે ગુજરાતમાં IAS અધિકારી , IPS અધિકારી તથા મોટા ઉધોગોમાં કી - પોસ્ટની ( મહત્વની જગ્યા પર ) ગુજરાતીઓ નોકરી મેળવી શકતા નથી.
જેમકે ગુજરાતમાં બેંકો તથા કેન્દ્ર સરકારના ઘણા બધા એકમોમાં ગુજરાતીઓ નહિવત સંખ્યામાં જોવા મળે છે. ગુજરાતમાં IAS , IPS , કંપનીના MD , GM , રાષ્ટ્રીયકૃત બેંકોના મેનેજરો , ONGC , રેલવે તથા ટેલિકોમ એકમો જેવા અન્ય કેન્દ્ર સરકારના સાહસોમાં માંડ 1 થી 5 ટકા ગુજરાતીઓ જોવા મળે છે. રાજ્યના વિદ્યાર્થીઓમાં અનેક પ્રકારની શક્તિઓ પડેલી છે , પરંતુ વર્ષોથી શૈક્ષણિક સંસ્થાઓમાં જે પ્રકારે ધ્યાન આપવું જોઈએ , તે પ્રકારે ધ્યાન અપાતું નથી. ચોક્કસ વીઝન સાથે શૈક્ષણિક સંસ્થાઓએ જે કાર્ય કરવું જોઈએ , તે કાર્ય કરવામાં આવતું નથી તેવી સ્પષ્ટ હકીકત આખા બોલા સાંસદ મનસુખ વસાવાએ વ્યક્ત કરી છે.
પત્રમાં અંતે ભરૂચના MP એ લખ્યું છે કે, આપ ગુજરાતના શિક્ષણમંત્રી છો અને તમામ રીતે આપ સક્ષમ છો. ઘણા વર્ષોથી ગુજરાત સરકારના અલગ - અલગ વિભાગો આપ સાંભળી ચૂક્યા છો. તો આપની પાસેથી ગુજરાતની જનતા એ જ આશા અને અપેક્ષા રાખે છે કે, શિક્ષણમાં જે નાની - મોટી ક્ષતિઓ છે. જે બધીઓ છે , તે આપ હિંમતપૂર્વક દૂર કરવાના પ્રયત્ન કરશો. તો ગુજરાતના યુવાનો ઉચ્ચ પદો હાસલ કરી શકશે અને તેઓ આપની પડખે ઉભા રહશે. MP એ આ અંગે આત્મવિશ્વાસ વ્યક્ત કરી આ કાર્ય માટે શિક્ષણમંત્રી હિંમત પૂર્વક આગળ વધશે તેવી આશા વ્યક્ત કરી છે.