ભરૂચના 168 KM ના ડાઉનસ્ટ્રીમમાં 70 વર્ષ પેહલા જેવા પુણ્ય સલીલા માં નર્મદાના નીર ફરી બન્યા નિર્મળ અને શુદ્ધ
સરદાર સરોવર નર્મદા ડેમ 3 વર્ષથી સર્વોચ્ચ સપાટીએ સ્પર્શતા જળસ્તર અને કોરોના કાળના કારણે 7 કલ્પથી અવિરત વહેતી રેવાનું પાણી પારદર્શક અને RO જેટલું જ પીવાલાયક
નર્મદા નદીના નીર નિર્મળ બનતા જળ, જમીન, જીવ અને જળસૃષ્ટિ માટે સંજીવની
નદીના પાણીનું તાપમાન ઘટવા સાથે ખારાશ, PH, COD, BOD, TDS અને સેલીનીટીનું પ્રમાણ ઘટ્યું
ખેતી, ઉદ્યોગો, જનજીવન, જળચર સહિત ભૂગર્ભ જળ માટે ખૂબ જ સારા સંકેત
નદીની ઇકોલોજીનું નિકંદન નીકળી જતા એક સમયે નીચાણવાસમાં નર્મદાનું અસ્તિત્વ ડામાડોળ થયું હતું
લોકમાતા નર્મદા નદીમાં સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, મગ્નેશિયમ, ક્લોરાઇડ, ઝીંક સહિતના ભરપૂર મિનરલ્સ
નર્મદા ના નીર અવિરત વહેવા સાથે સેલીનીટી મુક્ત બનતા 2 જિલ્લાના 22 લાખથી વધુ લોકો, 3 લાખથી વધુ ખેડૂતો, 10,000 થી વધુ ઉદ્યોગો, 15000 થી વધુ માછીમાર પરિવારો સહિત લાખો જળચર અને જીવ સૃષ્ટિ માટે સાચા અર્થમાં જીવંતદાન
GPCB ના 13 સ્થળોએ સેમ્પલોમાં પેહલી વખત 70 વર્ષ બાદ નર્મદામાં પાણી A કેટેગરીનું હોવાનું જણાયું
ઓરપટાર, ઝનોર, કબીરવડ, મઢી, ગોવાલી બેટ, કડોદ, ઝાડેશ્વર, અંકલેશ્વર, ગિલ્ડનબ્રિજ, સરફુદ્દીન, કુકરવાડા, હાંસોટ, ભાડભૂત, જાગેશ્વરથી એકત્ર કરાતા સેમ્પલ અને ગુણવત્તા પર રખાતી નજર
વિક્કી જોષી. સરદાર સરોવર નર્મદા ડેમ છેલ્લા 3 વર્ષથી તેની પૂર્ણ સપાટી 138.68 મીટરે સંપૂર્ણ ભરાઈ રહ્યો છે જેના મીઠા ફળ હવે 168 KM ના ડાઉનસ્ટ્રીમમાં જોવા મળી રહ્યાં છે. એક તબક્કે નીચાણવાસમાં અસ્તિત્વ ગુમાવી દેનાર નર્મદા નદી આજે ભર ઉનાળે ફરી 2 કાંઠે વહેવા સાથે તેના જળ પીવા, ખેતીલાયક તેમજ જળ અને જીવસૃષ્ટિ માટે ફરી જીવનદાયી બની ગયા છે.
દેશ અને દુનિયામાં છેલ્લા 2 વર્ષથી ચાલતી કોરોના મહામારીએ અનેક ખાના ખરાબી સર્જવા સાથે હજારો-લાખો લોકોને મૃત્યુ નિપજાવ્યા છે. જોકે કોરોના લોકડાઉન વચ્ચે ગુજરાતની જીવાદોરી સમાન ગણાતી માઁ રેવા ડેમથી ડાઉન સ્ટ્રીમમાં 168 કિલોમીટરમાં 70 વર્ષ બાદ ફરી જીવનદાયીની, નિર્મળ, શુદ્ધ, સ્વચ્છ અને સીધા પીવા યોગ્ય બની છે.
વિશ્વમાં એકમાત્ર નર્મદા નદીને જીવંત નદીનું બિરૂદ અપાયું છે. મધ્યપ્રદેશના અમરકંટકથી ભરૂચ જિલ્લાના સમુદ્ર સંગમ 1312 કિલોમીટરમાં નીચાણવાસમાં છેલ્લા કેટલા વર્ષોથી નર્મદા નદી મૃત પર્યાય બનતા જળ, જીવન, ઉદ્યોગો, ખેતી સાથે 9 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા હતા. નર્મદા નદીમાં આગળ વધતા દરિયા અને ખારાશના કારણે તમામ ક્ષેત્ર પ્રભાવિત થવા સાથે લોકોનું જીવન સાથે જળ, જમીન, જીવ તેમજ જળસૃષ્ટિ ઉપર પણ ખતરો વર્તાયો હતો.
સરદાર સરોવર નર્મદા ડેમ 138.68 મીટરની તેની સર્વોચ્ચ સપાટી એ પૂર્ણ થયા બાદ 30 દરવાજા મુકાતા હવે છેલ્લા 3 વર્ષથી 168 KM ના નીચાણવાસમાં નર્મદા નદી ફરી જીવંત થવા સાથે ખેતી, ઉદ્યોગો, જળ અને જીવન ફરી ધબકતા થયા છે. નર્મદા ડેમ પૂર્ણ થવા સાથે જ કોરોના કાળમાં લોકડાઉન અને ડેમમાંથી નીચાણવાસમાં સતત વહેતો રહેતા જળપ્રવાહથી આજે નર્મદા નદીના નીર ફરી ભરૂચમાં અમૃત સમાન બની સંજીવની સાબિત થઈ રહ્યાં છે.
[caption id="attachment_1220431" align="aligncenter" width="1080"] 2016 માં ભરૂચમાં નાશપ્રાય બનેલી નર્મદા નદી અને છવાયેલી નમકની ચાદર[/caption]
ભરૂચ જિલ્લામાં 4 વર્ષ પહેલાં નર્મદા નદીના નીર ઉદ્યોગો માટે પણ ઉપયોગમાં આવે તેવા ન હતા. એટલે કે વિવિધ માપદંડોને લઈ નર્મદાનું પાણી ઇ કેટેગરી કરતા પણ ઉતરતું હતું. ગુજરાતની જીવાદોરી કહેવાતી નર્મદા નદીના નીર હવે 70 વર્ષ બાદ ફરી નિર્મળ, શુદ્ધ અને સીધા જ પીવા યોગ્ય બન્યા છે. નર્મદાનું નીર એટલું શુદ્ધ થઈ ગયું છે કે, હવે તે કોઈ પણ ફિલ્ટર વિના પી શકાય છે. તેમાં ખનિજ તત્વો પણ ભરપુર છે. ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ભરૂચ વિભાગના નર્મદાના પ્રવેશ બિંદુ ઓરપટાર થી અરબી સમુદ્ર સંગમ જાગેશ્વર ગામ સુધી 13 સ્થળોના નમૂનાઓની તપાસમાં આ હકીકત સામે આવી છે.
[caption id="attachment_1220430" align="aligncenter" width="1280"] 2016-17 માં ભૃગુનગરી નર્મદા ના નીર સુકાતા ભૃગુકચ્છ બની હતી[/caption]
GPCB ના 13 સ્થળોએ સેમ્પલોમાં પેહલી વખત 70 વર્ષ બાદ નર્મદામાં પાણી A કેટેગરીનું હોવાનું જણાયું છે. તેનાથી સસ્પેન્ડેડ સોલિડ્સ, બેક્ટેરિયા અને બાયોકેમિકલ્સનું પ્રમાણ ઘટી ગયું છે. પાછલા વર્ષોની તુલનામાં ઓગળેલા ઓક્સિજનનું પ્રમાણ વધ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ડેમમાંથી ઉનાળામાં પાછલા વર્ષોમાં પાણી નહિ છોડતા ભરતી સમયે દરિયાના પાણી ફરી વળતા 4 વર્ષ અગાઉ નીચાણવાસમાં નર્મદા નદી મૃતપાય બનવા સાથે નમકની ચાદર છવાઈ ગઇ હતી. હવે નર્મદા ના જળ નિર્મળ અને શુદ્ધ બનતા ભરૂચ અને નર્મદા જિલ્લાના 22 લાખથી વધુ લોકો, 3 લાખથી વધુ ખેડૂતો, 10,000 થી વધુ ઉદ્યોગો, 15000 થી વધુ માછીમાર પરિવારો સહિત લાખો જળચર અને જીવ સૃષ્ટિ માટે સાચા અર્થમાં જીવંતદાન મળી રહ્યું છે.
પાણીની ગુણવત્તાના મુલ્યાંકનના 5 માપદંડો
A-ગ્રેડ : પીવા યોગ્ય
B ગ્રેડ : ન્હાવા યોગ્ય
C ગ્રેડ : પાણીને ફિલ્ટર-ડિસઇન્ફેક્શન કરી પીવા યોગ્ય
D ગ્રેડ : વન્ય જીવન અને મત્સ્ય પાલન માટે ઉપયોગ
E ગ્રેડ : સિંચાઈ, ઔદ્યોગિક સહિતના વપરાશ માટે ઉપયોગ
F ગ્રેડ : તમામ હેતુ માટે પાણી ફિલ્ટ્રેશન સિવાય બિન ઉપયોગી
ક્યાં ઉપયોગી અને ક્યાં હાનિકારક તત્વોના પ્રમાણમાં વધ-ઘટ
1.11 થી 0.7 બાયો કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ (BOD) ઘટ્યું
13 થી ઘટી 7 COD થયો
8.48 થી 7.9 PH ઘટ્યું
92 થી 23.41 SS સસ્પેન્ડેડ સોલિડમાં ઘટાડો
નાઇટરેટ 0.67 થી વધી 1.14 થયું
TDS 1015 થી ઘટી 158 થયું
ક્લોરાઇડ 43 થી ઘટી 22 થયું
સેલીનીટી 1.27 થી ઘટી 0.17 થઈ
ફોસ્ફરસ 0.06 થી 0.12 થયું
ટોટલ હાર્ડનેસ 303 થી ઘટી 156 પોહચી
કેલ્શિયમ હાર્ડનેસ 63 થી 44 થઈ
મેગ્નેશિયમ 10 થી વધી 18 થઈ
ભરૂચના 168 KM ના ડાઉનસ્ટ્રીમમાં 70 વર્ષ પેહલા જેવા પુણ્ય સલીલા માં નર્મદાના નીર ફરી બન્યા નિર્મળ અને શુદ્ધ
સરદાર સરોવર નર્મદા ડેમ 3 વર્ષથી સર્વોચ્ચ સપાટીએ સ્પર્શતા જળસ્તર અને કોરોના કાળના કારણે 7 કલ્પથી અવિરત વહેતી રેવાનું પાણી પારદર્શક અને RO જેટલું જ પીવાલાયક
નર્મદા નદીના નીર નિર્મળ બનતા જળ, જમીન, જીવ અને જળસૃષ્ટિ માટે સંજીવની
નદીના પાણીનું તાપમાન ઘટવા સાથે ખારાશ, PH, COD, BOD, TDS અને સેલીનીટીનું પ્રમાણ ઘટ્યું
ખેતી, ઉદ્યોગો, જનજીવન, જળચર સહિત ભૂગર્ભ જળ માટે ખૂબ જ સારા સંકેત
નદીની ઇકોલોજીનું નિકંદન નીકળી જતા એક સમયે નીચાણવાસમાં નર્મદાનું અસ્તિત્વ ડામાડોળ થયું હતું
નર્મદા ના નીર અવિરત વહેવા સાથે સેલીનીટી મુક્ત બનતા 2 જિલ્લાના 22 લાખથી વધુ લોકો, 3 લાખથી વધુ ખેડૂતો, 10,000 થી વધુ ઉદ્યોગો, 15000 થી વધુ માછીમાર પરિવારો સહિત લાખો જળચર અને જીવ સૃષ્ટિ માટે સાચા અર્થમાં જીવંતદાન
GPCB ના 13 સ્થળોએ સેમ્પલોમાં પેહલી વખત 70 વર્ષ બાદ નર્મદામાં પાણી A કેટેગરીનું હોવાનું જણાયું
વિક્કી જોષી. સરદાર સરોવર નર્મદા ડેમ છેલ્લા 3 વર્ષથી તેની પૂર્ણ સપાટી 138.68 મીટરે સંપૂર્ણ ભરાઈ રહ્યો છે જેના મીઠા ફળ હવે 168 KM ના ડાઉનસ્ટ્રીમમાં જોવા મળી રહ્યાં છે. એક તબક્કે નીચાણવાસમાં અસ્તિત્વ ગુમાવી દેનાર નર્મદા નદી આજે ભર ઉનાળે ફરી 2 કાંઠે વહેવા સાથે તેના જળ પીવા, ખેતીલાયક તેમજ જળ અને જીવસૃષ્ટિ માટે ફરી જીવનદાયી બની ગયા છે.
દેશ અને દુનિયામાં છેલ્લા 2 વર્ષથી ચાલતી કોરોના મહામારીએ અનેક ખાના ખરાબી સર્જવા સાથે હજારો-લાખો લોકોને મૃત્યુ નિપજાવ્યા છે. જોકે કોરોના લોકડાઉન વચ્ચે ગુજરાતની જીવાદોરી સમાન ગણાતી માઁ રેવા ડેમથી ડાઉન સ્ટ્રીમમાં 168 કિલોમીટરમાં 70 વર્ષ બાદ ફરી જીવનદાયીની, નિર્મળ, શુદ્ધ, સ્વચ્છ અને સીધા પીવા યોગ્ય બની છે.
વિશ્વમાં એકમાત્ર નર્મદા નદીને જીવંત નદીનું બિરૂદ અપાયું છે. મધ્યપ્રદેશના અમરકંટકથી ભરૂચ જિલ્લાના સમુદ્ર સંગમ 1312 કિલોમીટરમાં નીચાણવાસમાં છેલ્લા કેટલા વર્ષોથી નર્મદા નદી મૃત પર્યાય બનતા જળ, જીવન, ઉદ્યોગો, ખેતી સાથે 9 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા હતા. નર્મદા નદીમાં આગળ વધતા દરિયા અને ખારાશના કારણે તમામ ક્ષેત્ર પ્રભાવિત થવા સાથે લોકોનું જીવન સાથે જળ, જમીન, જીવ તેમજ જળસૃષ્ટિ ઉપર પણ ખતરો વર્તાયો હતો.
સરદાર સરોવર નર્મદા ડેમ 138.68 મીટરની તેની સર્વોચ્ચ સપાટી એ પૂર્ણ થયા બાદ 30 દરવાજા મુકાતા હવે છેલ્લા 3 વર્ષથી 168 KM ના નીચાણવાસમાં નર્મદા નદી ફરી જીવંત થવા સાથે ખેતી, ઉદ્યોગો, જળ અને જીવન ફરી ધબકતા થયા છે. નર્મદા ડેમ પૂર્ણ થવા સાથે જ કોરોના કાળમાં લોકડાઉન અને ડેમમાંથી નીચાણવાસમાં સતત વહેતો રહેતા જળપ્રવાહથી આજે નર્મદા નદીના નીર ફરી ભરૂચમાં અમૃત સમાન બની સંજીવની સાબિત થઈ રહ્યાં છે.
[caption id="attachment_1220431" align="aligncenter" width="1080"] 2016 માં ભરૂચમાં નાશપ્રાય બનેલી નર્મદા નદી અને છવાયેલી નમકની ચાદર[/caption]
ભરૂચ જિલ્લામાં 4 વર્ષ પહેલાં નર્મદા નદીના નીર ઉદ્યોગો માટે પણ ઉપયોગમાં આવે તેવા ન હતા. એટલે કે વિવિધ માપદંડોને લઈ નર્મદાનું પાણી ઇ કેટેગરી કરતા પણ ઉતરતું હતું. ગુજરાતની જીવાદોરી કહેવાતી નર્મદા નદીના નીર હવે 70 વર્ષ બાદ ફરી નિર્મળ, શુદ્ધ અને સીધા જ પીવા યોગ્ય બન્યા છે. નર્મદાનું નીર એટલું શુદ્ધ થઈ ગયું છે કે, હવે તે કોઈ પણ ફિલ્ટર વિના પી શકાય છે. તેમાં ખનિજ તત્વો પણ ભરપુર છે. ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ભરૂચ વિભાગના નર્મદાના પ્રવેશ બિંદુ ઓરપટાર થી અરબી સમુદ્ર સંગમ જાગેશ્વર ગામ સુધી 13 સ્થળોના નમૂનાઓની તપાસમાં આ હકીકત સામે આવી છે.
[caption id="attachment_1220430" align="aligncenter" width="1280"] 2016-17 માં ભૃગુનગરી નર્મદા ના નીર સુકાતા ભૃગુકચ્છ બની હતી[/caption]
GPCB ના 13 સ્થળોએ સેમ્પલોમાં પેહલી વખત 70 વર્ષ બાદ નર્મદામાં પાણી A કેટેગરીનું હોવાનું જણાયું છે. તેનાથી સસ્પેન્ડેડ સોલિડ્સ, બેક્ટેરિયા અને બાયોકેમિકલ્સનું પ્રમાણ ઘટી ગયું છે. પાછલા વર્ષોની તુલનામાં ઓગળેલા ઓક્સિજનનું પ્રમાણ વધ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ડેમમાંથી ઉનાળામાં પાછલા વર્ષોમાં પાણી નહિ છોડતા ભરતી સમયે દરિયાના પાણી ફરી વળતા 4 વર્ષ અગાઉ નીચાણવાસમાં નર્મદા નદી મૃતપાય બનવા સાથે નમકની ચાદર છવાઈ ગઇ હતી. હવે નર્મદા ના જળ નિર્મળ અને શુદ્ધ બનતા ભરૂચ અને નર્મદા જિલ્લાના 22 લાખથી વધુ લોકો, 3 લાખથી વધુ ખેડૂતો, 10,000 થી વધુ ઉદ્યોગો, 15000 થી વધુ માછીમાર પરિવારો સહિત લાખો જળચર અને જીવ સૃષ્ટિ માટે સાચા અર્થમાં જીવંતદાન મળી રહ્યું છે.
પાણીની ગુણવત્તાના મુલ્યાંકનના 5 માપદંડો
A-ગ્રેડ : પીવા યોગ્ય
B ગ્રેડ : ન્હાવા યોગ્ય
C ગ્રેડ : પાણીને ફિલ્ટર-ડિસઇન્ફેક્શન કરી પીવા યોગ્ય
D ગ્રેડ : વન્ય જીવન અને મત્સ્ય પાલન માટે ઉપયોગ
E ગ્રેડ : સિંચાઈ, ઔદ્યોગિક સહિતના વપરાશ માટે ઉપયોગ
F ગ્રેડ : તમામ હેતુ માટે પાણી ફિલ્ટ્રેશન સિવાય બિન ઉપયોગી
ક્યાં ઉપયોગી અને ક્યાં હાનિકારક તત્વોના પ્રમાણમાં વધ-ઘટ
1.11 થી 0.7 બાયો કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ (BOD) ઘટ્યું