ખાનગી હોસ્પિટલોએ દર્દીના રિપોર્ટ અને જરૂરી વિગતો કલેકટરને Mail કરતા સિવિલ પરથી ઇન્જેક્શન મળી રહેશે
શહેર- જિલ્લાની ખાનગી હોસ્પિટલો પોતાની જરૂરીઆત મુજબના ઇન્જકશનો મેળવવા માટે જિલ્લા કલેકટરના ઇમેઇલ dismgmt-bha@gujarat.gov.in ( 02642 - 242300 ) પર જાણ કરવી
હોસ્પિટલમાં દર્દી દાખલ હોય તે ડોકટરની ભલામણ સાથે , દર્દીનું આધારકાર્ડ , નામ , સરનામું , મોબાઇલ નંબર સહિતની વિગત તથા દર્દીનો RTPCR રીપોર્ટની નકલ ઇમેઇલમાં મોકલવાની રહેશે
WatchGujarat. નોવેલ કોરોના વાયરસના ભરૂચ જિલ્લાના દર્દીઓને રેમડિસીવર ઇન્જકશન સરળતાથી મળી રહે તે માટે જિલ્લા તંત્ર દ્વારા Online અને ટેલિફોનિક ઇમરજન્સીમાં વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
શહેર- જિલ્લાની ખાનગી હોસ્પિટલો પોતાની જરૂરીઆત મુજબના ઇન્જકશનો મેળવવા માટે જિલ્લા કલેકટરના ઇમેઇલ dismgmt-bha@gujarat.gov.in ( ફોન નંબર 02642 - 242300 ) પર જાણ કરવાથી કલેકટર કચેરી દ્વારા તેમને જરૂરીઆત મુજબના ઇજેકશનોની ફાળવણી કરવામાં આવશે. કોઇ પણ વ્યકિતએ સિવિલ હોસ્પિટલ ખાતે લાઇનમાં ઉભા રહેવાની જરૂર નથી અને ઇમેઇલના પ્રત્યુતરમાં દર્શાવ્યા મુજબ કલેકટર કચેરી દ્વારા મંજૂર થયેલા ઇન્જકશનો ખાનગી હોસ્પિટલના અધિકૃત કરેલ પ્રતિનિધિ સિવિલ હોસ્પિટલમાં જઇને મેળવી શકે છે.
જિલ્લા કલેકટર ડો.એમ.ડી.મોડિયાએ જિલ્લાના નાગરિકોને એક સંદેશ આપતા જણાવ્યું હતું કે, સરકાર અને પ્રજાજનોના સહિયારા પ્રયાસોથી જ કોરોનાની મહામારી સામે જંગ જીતી શકીશું. રેમડિસીવર ઇજેકશનની જરૂરીઆતમંદ લોકોને ફાળવણી કરવામાં આવી રહી છે જે મુજબ કલેકટર કચેરી દ્વારા જિલ્લાની એમપેનલ કરેલ ખાનગી હોસ્પિટલોના સંચાલકોને ઇજેકશન મળી રહે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.
હોસ્પિટલોને જોઇતા ઇન્જકશનો માટે કલેકટર કચેરીને જણાવેલ ઇમેઇલ કરવાથી તેઓને જરૂરીઆત મુજબના ઇન્જકશનોની ફાળવણી કરવામાં આવશે. ઇમેઇલ મળયા બાદ મંજૂર થયેલા ઇન્જકશનો સિવિલ હોસ્પિટલના માધ્યમથી મળી શકશે. જેથી ખાનગી હોસ્પિટલો સહકાર આપે તે જરૂરી છે.
દર્દીના સ્વજનોએ સીવીલ હોસ્પિટલ ખાતે આવવાની જરૂર નથી, આ બાબતે પણ જરૂરી સહકાર આપવા અપીલ કરવામાં આવે છે . વધુમાં કોવિડ -19 ની ગાઇડલાઇન અને પ્રોટોકોલ પ્રમાણે દર્દીની સારવાર માટે રેમડિસીવર ઇન્જકશન આપવાના રહેશે . ઇન્જકશન મેળવવા માટે જે હોસ્પિટલમાં દર્દી દાખલ હોય તે ડોકટરની ભલામણ સાથે, દર્દીનું આધારકાર્ડ, દર્દીનું પુરું નામ, સરનામું, મોબાઇલ નંબર સહિતની વિગત, તથા દર્દીનો RTPCR રીપોર્ટની નકલ ઇમેઇલમાં મોકલવાની રહેશે. સારવાર માટેની સરકારની કોવિડ 19 ની ગાઇડલાઇનનું હોસ્પિટલ દ્વારા ચુસ્ત અમલ કરવાનો રહેશે.
ખાનગી હોસ્પિટલોએ દર્દીના રિપોર્ટ અને જરૂરી વિગતો કલેકટરને Mail કરતા સિવિલ પરથી ઇન્જેક્શન મળી રહેશે
શહેર- જિલ્લાની ખાનગી હોસ્પિટલો પોતાની જરૂરીઆત મુજબના ઇન્જકશનો મેળવવા માટે જિલ્લા કલેકટરના ઇમેઇલ dismgmt-bha@gujarat.gov.in ( 02642 - 242300 ) પર જાણ કરવી
હોસ્પિટલમાં દર્દી દાખલ હોય તે ડોકટરની ભલામણ સાથે , દર્દીનું આધારકાર્ડ , નામ , સરનામું , મોબાઇલ નંબર સહિતની વિગત તથા દર્દીનો RTPCR રીપોર્ટની નકલ ઇમેઇલમાં મોકલવાની રહેશે
WatchGujarat. નોવેલ કોરોના વાયરસના ભરૂચ જિલ્લાના દર્દીઓને રેમડિસીવર ઇન્જકશન સરળતાથી મળી રહે તે માટે જિલ્લા તંત્ર દ્વારા Online અને ટેલિફોનિક ઇમરજન્સીમાં વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
શહેર- જિલ્લાની ખાનગી હોસ્પિટલો પોતાની જરૂરીઆત મુજબના ઇન્જકશનો મેળવવા માટે જિલ્લા કલેકટરના ઇમેઇલ dismgmt-bha@gujarat.gov.in ( ફોન નંબર 02642 - 242300 ) પર જાણ કરવાથી કલેકટર કચેરી દ્વારા તેમને જરૂરીઆત મુજબના ઇજેકશનોની ફાળવણી કરવામાં આવશે. કોઇ પણ વ્યકિતએ સિવિલ હોસ્પિટલ ખાતે લાઇનમાં ઉભા રહેવાની જરૂર નથી અને ઇમેઇલના પ્રત્યુતરમાં દર્શાવ્યા મુજબ કલેકટર કચેરી દ્વારા મંજૂર થયેલા ઇન્જકશનો ખાનગી હોસ્પિટલના અધિકૃત કરેલ પ્રતિનિધિ સિવિલ હોસ્પિટલમાં જઇને મેળવી શકે છે.
જિલ્લા કલેકટર ડો.એમ.ડી.મોડિયાએ જિલ્લાના નાગરિકોને એક સંદેશ આપતા જણાવ્યું હતું કે, સરકાર અને પ્રજાજનોના સહિયારા પ્રયાસોથી જ કોરોનાની મહામારી સામે જંગ જીતી શકીશું. રેમડિસીવર ઇજેકશનની જરૂરીઆતમંદ લોકોને ફાળવણી કરવામાં આવી રહી છે જે મુજબ કલેકટર કચેરી દ્વારા જિલ્લાની એમપેનલ કરેલ ખાનગી હોસ્પિટલોના સંચાલકોને ઇજેકશન મળી રહે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.
હોસ્પિટલોને જોઇતા ઇન્જકશનો માટે કલેકટર કચેરીને જણાવેલ ઇમેઇલ કરવાથી તેઓને જરૂરીઆત મુજબના ઇન્જકશનોની ફાળવણી કરવામાં આવશે. ઇમેઇલ મળયા બાદ મંજૂર થયેલા ઇન્જકશનો સિવિલ હોસ્પિટલના માધ્યમથી મળી શકશે. જેથી ખાનગી હોસ્પિટલો સહકાર આપે તે જરૂરી છે.
દર્દીના સ્વજનોએ સીવીલ હોસ્પિટલ ખાતે આવવાની જરૂર નથી, આ બાબતે પણ જરૂરી સહકાર આપવા અપીલ કરવામાં આવે છે . વધુમાં કોવિડ -19 ની ગાઇડલાઇન અને પ્રોટોકોલ પ્રમાણે દર્દીની સારવાર માટે રેમડિસીવર ઇન્જકશન આપવાના રહેશે . ઇન્જકશન મેળવવા માટે જે હોસ્પિટલમાં દર્દી દાખલ હોય તે ડોકટરની ભલામણ સાથે, દર્દીનું આધારકાર્ડ, દર્દીનું પુરું નામ, સરનામું, મોબાઇલ નંબર સહિતની વિગત, તથા દર્દીનો RTPCR રીપોર્ટની નકલ ઇમેઇલમાં મોકલવાની રહેશે. સારવાર માટેની સરકારની કોવિડ 19 ની ગાઇડલાઇનનું હોસ્પિટલ દ્વારા ચુસ્ત અમલ કરવાનો રહેશે.