કર્ફ્યુ ભંગના 248, જાહેરનામા ભંગ ના 3924, ડિઝાસ્ટર એકતના 51 કેસ કર્યા
ભરૂચ જિલ્લા પોલીસના 111 કોરોના વોરિયર્સ સંક્રમિત, 5 જવાનો શહીદ, હાલ 32 સારવાર હેઠળ
કર્ફ્યુ અને હાલની કોરોનાની કાતિલ સ્થિતિમાં પ્રશાસન અને પોલીસને સાથ આપી કોરોનાને માત આપવા અપીલ
ફરજીયાત માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સ અને કરફ્યુ સહિતની ગાઈડલાઈનનું ચુસ્ત અમલ કરવા SP નો પ્રજાજોગ સંદેશ
WatchGujarat. કોરોના વોરીયર્સ તરીકેં હરહંમેશા આપની સેવા, સુરક્ષા અને સુખાકારીમાં આપની સાથે ભરૂચ જિલ્લા પોલીસ ભરૂચ જિલ્લામાં લોકડાઉનથી માડીને હાલ ચાલી રહેલા સમયગાળામાં કોરોના સંક્રમણને રોકવા પોલીસની ભુમિકા કોરોના વોરીયર્સ તરીકે અતિ મહત્વની સાબિત થઇ છે.
કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે કાયદાની મર્યાદામાં રહીને પ્રજાની સુખાકારી માટે કયારેક આંખ લાલ કરી છે તેમજ મુશ્કેલીમાં મુકાયેલા નાગરીકો માટે માનવીય અભિગમ પણ દાખવ્યો છે, ભરૂચ જિલ્લામાં લોકડાઉનથી આજદિન સુધી તેમજ રાત્રી કર્ફ્યુ જાહેર થયા બાદ ભરૂચ જિલ્લામાં સરકારની ગાઇડલાઇન્સનું પાલન નહી કરતી બેજવાબદાર વ્યક્તિઓ અને કોરોના વાયરસથી પોતે સંક્રમિત થઈ શકે છે.
સંક્રમિત થયા બાદ અન્યને પણ સંક્રમિત કરી શકે તેવું જાણવા છતા પોતાની જવાબદારી નહી સમજતા લોકો સામે ભરૂચ જિલ્લા પોલીસે સરકાર તરફથી બહાર પાડેલ જાહેરનામાનો ભંગ કરતા વ્યક્તિઓ સામે જાહેરનામાના ભંગ બદલ ઈ.પી.કો. કલમ -188 મુજબ કુલ 3924 કેસો, જાહેર સ્થળો, ફરજના સ્થળો અને પરિવહન વખતે માસ્ક નહિ પહેરતા તેમજ જાહેરમાં થુંકવા અંગે પકડેલ 35332 વ્યકિતઓ પાસેથી કુલ દંડ ₹ 1,89,40,700 વસુલ કર્યો છે. માસ્ક ન પહેરનાર વ્યકિતઓને ભરૂચ જિલ્લા પોલીસ તરફથી 1015 માસ્ક આપવામાં આવ્યા છે.
ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ -2005 હેઠળ જાહેરનામાના ભંગ અનુસંધાને કરવામાં આવેલ 51 કેસો, કર્ફ્યુ ભંગ બદલ 248 કેસો કરેલ છે. આમ ભરૂચ જિલ્લામાં વિવિધ જાહેરનામાનો અમલ કરાવવા બેજવાબદાર વ્યક્તિઓ સામે જાહેરનામાના ભંગ બદલ તથા જાહેર સ્થળો, ફરજના સ્થળો અને પરિવહન વખતે માસ્ક નહિ પહેરતા તેમજ જાહેરમાં થુંકવા અંગે તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ હેઠળ જાહેરનામાના ભંગ બદલ કુલ કેસો 4224 કરેલ છે.
ભરૂચ જિલ્લા વાસીઓને કોરોના વાયરસના સંક્રમણથી બચાવવા માટેની કામગીરી દરમ્યાન આજ સુધીમાં ભરૂચ જિલ્લા પોલીસના 111 પોલીસ અધિકારી / જવાનો સંક્રમિત થયેલ જેમાંથી 5 પોલીસ કોરોના વોરીયર્સ કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા સારૂની પોતાની ફરજ દરમ્યાન શહીદ થયેલ છે, અને હાલમાં 32 પોલીસ અધિકારી / કર્મચારીઓ સારવાર લઇ રહેલ છે. આમ આ કોરોના કાળ દરમ્યાન પોલીસ નિષ્ઠાપૂર્વકની ફરજ બજાવતા હોવા છતા કેટલાક અસામાજીક તત્વો પોલીસની નકારાત્મક છાપ ઉભી કરવા માટે પ્રયત્નો કરે છે, આવી નકારાત્મક છાપ ઉભી કરતા ઇસમો વિરૂધ્ધ એપીડેમીટ એકટ તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ અને અન્ય કાયદાની જોગવાઇ હેઠળ ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું છે કે, પોલીસ રાત - દિવસ પ્રજા પ્રત્યેની નિષ્ઠા, કરૂણા, પ્રેમ અને આદર સન્માન દ્વારા એક નવી દિશામાં જઇ રહેલ છે. પોલીસને તેમની ફરજમાં સહકાર આપવો જોઇએ આ કોરોના કાળ દરમ્યાન સરકાર પ્રજાના રક્ષણ માટે અને કોરોના વાયરસથી બચવા માટે જે સુચનો અને માર્ગદર્શન આપવામાં આવે છે તેનું પાલન કરવા માટે ભરૂચ જિલ્લા પોલીસ ભરૂચ જિલ્લાના નાગરીકો પાસે અપેક્ષા અને આશા રાખે છે, આથી ભરૂચ જિલ્લા પોલીસની કોરોના વોરીયર્સ તરીકેની ફરજમાં પોલીસને સહકાર આપવા અપીલ કરાઈ છે.
કર્ફ્યુ ભંગના 248, જાહેરનામા ભંગ ના 3924, ડિઝાસ્ટર એકતના 51 કેસ કર્યા
ભરૂચ જિલ્લા પોલીસના 111 કોરોના વોરિયર્સ સંક્રમિત, 5 જવાનો શહીદ, હાલ 32 સારવાર હેઠળ
કર્ફ્યુ અને હાલની કોરોનાની કાતિલ સ્થિતિમાં પ્રશાસન અને પોલીસને સાથ આપી કોરોનાને માત આપવા અપીલ
ફરજીયાત માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સ અને કરફ્યુ સહિતની ગાઈડલાઈનનું ચુસ્ત અમલ કરવા SP નો પ્રજાજોગ સંદેશ
WatchGujarat. કોરોના વોરીયર્સ તરીકેં હરહંમેશા આપની સેવા, સુરક્ષા અને સુખાકારીમાં આપની સાથે ભરૂચ જિલ્લા પોલીસ ભરૂચ જિલ્લામાં લોકડાઉનથી માડીને હાલ ચાલી રહેલા સમયગાળામાં કોરોના સંક્રમણને રોકવા પોલીસની ભુમિકા કોરોના વોરીયર્સ તરીકે અતિ મહત્વની સાબિત થઇ છે.
કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે કાયદાની મર્યાદામાં રહીને પ્રજાની સુખાકારી માટે કયારેક આંખ લાલ કરી છે તેમજ મુશ્કેલીમાં મુકાયેલા નાગરીકો માટે માનવીય અભિગમ પણ દાખવ્યો છે, ભરૂચ જિલ્લામાં લોકડાઉનથી આજદિન સુધી તેમજ રાત્રી કર્ફ્યુ જાહેર થયા બાદ ભરૂચ જિલ્લામાં સરકારની ગાઇડલાઇન્સનું પાલન નહી કરતી બેજવાબદાર વ્યક્તિઓ અને કોરોના વાયરસથી પોતે સંક્રમિત થઈ શકે છે.
સંક્રમિત થયા બાદ અન્યને પણ સંક્રમિત કરી શકે તેવું જાણવા છતા પોતાની જવાબદારી નહી સમજતા લોકો સામે ભરૂચ જિલ્લા પોલીસે સરકાર તરફથી બહાર પાડેલ જાહેરનામાનો ભંગ કરતા વ્યક્તિઓ સામે જાહેરનામાના ભંગ બદલ ઈ.પી.કો. કલમ -188 મુજબ કુલ 3924 કેસો, જાહેર સ્થળો, ફરજના સ્થળો અને પરિવહન વખતે માસ્ક નહિ પહેરતા તેમજ જાહેરમાં થુંકવા અંગે પકડેલ 35332 વ્યકિતઓ પાસેથી કુલ દંડ ₹ 1,89,40,700 વસુલ કર્યો છે. માસ્ક ન પહેરનાર વ્યકિતઓને ભરૂચ જિલ્લા પોલીસ તરફથી 1015 માસ્ક આપવામાં આવ્યા છે.
ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ -2005 હેઠળ જાહેરનામાના ભંગ અનુસંધાને કરવામાં આવેલ 51 કેસો, કર્ફ્યુ ભંગ બદલ 248 કેસો કરેલ છે. આમ ભરૂચ જિલ્લામાં વિવિધ જાહેરનામાનો અમલ કરાવવા બેજવાબદાર વ્યક્તિઓ સામે જાહેરનામાના ભંગ બદલ તથા જાહેર સ્થળો, ફરજના સ્થળો અને પરિવહન વખતે માસ્ક નહિ પહેરતા તેમજ જાહેરમાં થુંકવા અંગે તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ હેઠળ જાહેરનામાના ભંગ બદલ કુલ કેસો 4224 કરેલ છે.
ભરૂચ જિલ્લા વાસીઓને કોરોના વાયરસના સંક્રમણથી બચાવવા માટેની કામગીરી દરમ્યાન આજ સુધીમાં ભરૂચ જિલ્લા પોલીસના 111 પોલીસ અધિકારી / જવાનો સંક્રમિત થયેલ જેમાંથી 5 પોલીસ કોરોના વોરીયર્સ કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા સારૂની પોતાની ફરજ દરમ્યાન શહીદ થયેલ છે, અને હાલમાં 32 પોલીસ અધિકારી / કર્મચારીઓ સારવાર લઇ રહેલ છે. આમ આ કોરોના કાળ દરમ્યાન પોલીસ નિષ્ઠાપૂર્વકની ફરજ બજાવતા હોવા છતા કેટલાક અસામાજીક તત્વો પોલીસની નકારાત્મક છાપ ઉભી કરવા માટે પ્રયત્નો કરે છે, આવી નકારાત્મક છાપ ઉભી કરતા ઇસમો વિરૂધ્ધ એપીડેમીટ એકટ તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ અને અન્ય કાયદાની જોગવાઇ હેઠળ ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું છે કે, પોલીસ રાત - દિવસ પ્રજા પ્રત્યેની નિષ્ઠા, કરૂણા, પ્રેમ અને આદર સન્માન દ્વારા એક નવી દિશામાં જઇ રહેલ છે. પોલીસને તેમની ફરજમાં સહકાર આપવો જોઇએ આ કોરોના કાળ દરમ્યાન સરકાર પ્રજાના રક્ષણ માટે અને કોરોના વાયરસથી બચવા માટે જે સુચનો અને માર્ગદર્શન આપવામાં આવે છે તેનું પાલન કરવા માટે ભરૂચ જિલ્લા પોલીસ ભરૂચ જિલ્લાના નાગરીકો પાસે અપેક્ષા અને આશા રાખે છે, આથી ભરૂચ જિલ્લા પોલીસની કોરોના વોરીયર્સ તરીકેની ફરજમાં પોલીસને સહકાર આપવા અપીલ કરાઈ છે.