જુના ભરૂચને પણ મળી સિટી બસ સેવા, સ્ટેશનથી સોનેરી મહેલ 13 મો રૂટ કાર્યરત
શહેરી સિટી બસ સેવામાં રક્ષાબંધનના પર્વે રાતે 8 કલાક સુધી બહેનો માટે મફત મુસાફરી
WatchGujarat. રક્ષાબંધન તહેવારે ભરૂચ સિટી બસ સુવિધા દ્વારા બહેનોને એક દિવસ મફત મુસાફરીની ભેટ આપવામાં આવી હતી. સવારે 8 વાગ્યાથી શરૂ થયેલી મફત મુસાફરીની સફરનો સાંજે 5 વાગ્યા સુધીમાં 5200 થી વધુ બહેનોએ લાભ લીધો હતો. સાથે જ જુના ભરૂચના શહેરીજનો માટે સોનેરી મહેલથી સિટી બસનો 13 મો રૂટ શરૂ કરવામાં આવ્યો હતો.
[caption id="attachment_1384822" align="aligncenter" width="1280"] Bharuch City Bus free travel on Rakshabandhan to sisters[/caption]
ભરૂચ સિટી બસ સેવા વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ હતી. ત્યારથી જ શહેરીજનોમાં સસ્તી અને સુવિધાજનક સિટી બસ તરફ ઝોક વધી રહ્યો છે. રક્ષાબંધન પર્વે ભરૂચ સિટી બસ સેવા બહેનો માટે મફત મુસાફરીની ભેટ લઈને આવતા મહિલાઓનો બસમાં મુસાફરી માટે તડાકો પડી ગયો હતો.
શનિવારે રક્ષાબંધનની પૂર્વ સંધ્યાએ પાલિકા અને સિટી બસના સંચાલકોએ રવિવારે રક્ષાબન્ધન તહેવારે બહેનો માટે બસમાં મફત મુસાફરીની એક દિવસ માટે જાહેરાત કરી હતી.
રવિવારે સવારે 8 વાગ્યાથી શહેરના 12 રૂટ ઉપર ફરતી મુખ્યમંત્રી શહેરી પરિવહન બસ સેવાની સર્વિસ શરૂ થતાં જ રક્ષાબંધનની ઉજવણી કરવા સિટી બસમાં સવાર થવા બહેનોની શરૂઆત થઈ ગઈ હતી.
વિવિધ વિસ્તારો અને બસ પોઇન્ટ ઉપરથી સાંજ સુધીમાં જ 5200 થી વધુ બહેનોએ રક્ષા બંધન તહેવારે સિટી બસમાં મફત મુસાફરીનો લાભ લીધો હતો. શહેરમાં રાતે 8 વાગ્યા સુધી સિટી બસ સેવા કાર્યરત રહેનાર હોય ત્યારે એક દિવસની મફત મુસાફરીની બહેનોને ભેટમાં 7 થી 8 હજાર બહેનો તહેવારને અનુલક્ષી કરાયેલી જાહેરાતનો લાભ લે તેવી શકયતા સેવાઇ છે.
બીજી તરફ ભરૂચ પાલિકા પ્રમુખ અમિત ચાવડાએ જુના ભરૂચના નગરજનોને પણ સિટી બસ સેવાની ભેટ તહેવાર ટાણે ધરી છે. સ્ટેશનથી પાંચબત્તી અને ત્યાંથી સોનેરી મહેલ સુધી સિટી બસ સેવાનો 13 મો રૂટ કાર્યરત કરવામાં આવ્યો છે.
હવે જુના ભરૂચના ચકલા, સોનેરી મહેલ હજીખાના સહિતના વિસ્તારો, પોળ, ખડકી અને શેરીઓના લોકોને સોનેરી મહેલથી સિટી બસની સુવિધા પાંચબત્તી,સ્ટેશન કે શહેરના બીજા કોઈપણ સ્થળે જવા મળી રહેશે.
જુના ભરૂચને પણ મળી સિટી બસ સેવા, સ્ટેશનથી સોનેરી મહેલ 13 મો રૂટ કાર્યરત
શહેરી સિટી બસ સેવામાં રક્ષાબંધનના પર્વે રાતે 8 કલાક સુધી બહેનો માટે મફત મુસાફરી
WatchGujarat. રક્ષાબંધન તહેવારે ભરૂચ સિટી બસ સુવિધા દ્વારા બહેનોને એક દિવસ મફત મુસાફરીની ભેટ આપવામાં આવી હતી. સવારે 8 વાગ્યાથી શરૂ થયેલી મફત મુસાફરીની સફરનો સાંજે 5 વાગ્યા સુધીમાં 5200 થી વધુ બહેનોએ લાભ લીધો હતો. સાથે જ જુના ભરૂચના શહેરીજનો માટે સોનેરી મહેલથી સિટી બસનો 13 મો રૂટ શરૂ કરવામાં આવ્યો હતો.
[caption id="attachment_1384822" align="aligncenter" width="1280"] Bharuch City Bus free travel on Rakshabandhan to sisters[/caption]
ભરૂચ સિટી બસ સેવા વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ હતી. ત્યારથી જ શહેરીજનોમાં સસ્તી અને સુવિધાજનક સિટી બસ તરફ ઝોક વધી રહ્યો છે. રક્ષાબંધન પર્વે ભરૂચ સિટી બસ સેવા બહેનો માટે મફત મુસાફરીની ભેટ લઈને આવતા મહિલાઓનો બસમાં મુસાફરી માટે તડાકો પડી ગયો હતો.
શનિવારે રક્ષાબંધનની પૂર્વ સંધ્યાએ પાલિકા અને સિટી બસના સંચાલકોએ રવિવારે રક્ષાબન્ધન તહેવારે બહેનો માટે બસમાં મફત મુસાફરીની એક દિવસ માટે જાહેરાત કરી હતી.
રવિવારે સવારે 8 વાગ્યાથી શહેરના 12 રૂટ ઉપર ફરતી મુખ્યમંત્રી શહેરી પરિવહન બસ સેવાની સર્વિસ શરૂ થતાં જ રક્ષાબંધનની ઉજવણી કરવા સિટી બસમાં સવાર થવા બહેનોની શરૂઆત થઈ ગઈ હતી.
વિવિધ વિસ્તારો અને બસ પોઇન્ટ ઉપરથી સાંજ સુધીમાં જ 5200 થી વધુ બહેનોએ રક્ષા બંધન તહેવારે સિટી બસમાં મફત મુસાફરીનો લાભ લીધો હતો. શહેરમાં રાતે 8 વાગ્યા સુધી સિટી બસ સેવા કાર્યરત રહેનાર હોય ત્યારે એક દિવસની મફત મુસાફરીની બહેનોને ભેટમાં 7 થી 8 હજાર બહેનો તહેવારને અનુલક્ષી કરાયેલી જાહેરાતનો લાભ લે તેવી શકયતા સેવાઇ છે.
બીજી તરફ ભરૂચ પાલિકા પ્રમુખ અમિત ચાવડાએ જુના ભરૂચના નગરજનોને પણ સિટી બસ સેવાની ભેટ તહેવાર ટાણે ધરી છે. સ્ટેશનથી પાંચબત્તી અને ત્યાંથી સોનેરી મહેલ સુધી સિટી બસ સેવાનો 13 મો રૂટ કાર્યરત કરવામાં આવ્યો છે.
હવે જુના ભરૂચના ચકલા, સોનેરી મહેલ હજીખાના સહિતના વિસ્તારો, પોળ, ખડકી અને શેરીઓના લોકોને સોનેરી મહેલથી સિટી બસની સુવિધા પાંચબત્તી,સ્ટેશન કે શહેરના બીજા કોઈપણ સ્થળે જવા મળી રહેશે.