ઇશાવાસ્યમ સોસાયટીમાં રહેતા કવોરી સંચાલકના મકાનમાં દાગીના-રોકડની તસ્કરી
તસ્કરો 17 તોલા સોનુ, 250 ગ્રામના ચાંદીના સિક્કા અને રોકડા 2 લાખ લઈ ફરાર થઈ જતા એ ડિવિઝનમાં ફરિયાદ
WatchGujarat. ભરૂચ ઇશાવાસ્યમ સોસાયટીમાં રહેતાં અને ઝઘડિયામાં બલેક સ્ટોન ક્વોરી ચલાવતા સંચાલકની માતાનું મૃત્યુ થતા અન્ય સોસાયટીમાં રહેતા એકલવાયા બનેલા પિતાને સહારો આપવા તેમના ઘરે સુવા જતા હતા. ક્વોરી સંચાલક ઇશાવાસ્યમ સોસાયટીનું મકાન બંધ કરતા કોઈ જાણભેદુ તસ્કરે તાળું તોડીને સોના-ચાંદીના ઘરેણા તેમજ ₹2 લાખ રોકડા મળી કુલ ₹9,29,000 ની મત્તાની ચોરી કરી ગયા હતા.
ભરૂચ શહેરના નારાયણનગર પાસે ઇશાવાસ્યમ સોસાયટીના મકાન નં-19માં 52 વર્ષિય રાજેશભાઈ નારાયણભાઈ પટેલ તેમના પરિવાર સાથે રહી ઝઘડિયાના રઝલવાડામાં કવોરી ચલાવે છે. તેમના માતા-પિતા ભરૂચ લીંકરોડ પર સાઈબાબા સોસાયટીમાં એકલા રહેતાં હતા.
તેમની માતા સુર્યાબેનનું 25 માર્ચે મૃત્યુ થયું હતું. માતાના મૃત્યુ બાદ એકલવાયા બનેલા પિતાને સહારો આપવા ઘરમાં અશુભ ઘટના હોવાથી તેમનો પરિવાર રોજ રાત્રે પિતાના ઘરે સુવા માટે જતા હતા. ગત 8 એપ્રિલના રોજ રાત્રે ઇશાવાસ્યમ સોસાયટીનું મકાનને તાળું મારીને રાજેશભાઇ પત્ની સાથે પિતાના ઘરે ગયા હતા.
બીજા દિવસે સવારે આવીને જોતા ઘરનો દરવાજો તેમજ આગળની ગ્રીલ અર્ધ ખુલ્લી હોવાથી તેઓ ચોકી ગયા હતા. ઘરમાં બેડરૂમની તિજોરી પણ ખુલ્લી તેમજ 2 લાકડાના કબાટોના કપડા બહાર વેરવિખેર પડેલા હતા. તસ્કરો તિજોરીમાંથી 17 તોલાના 9 ઘરેણામાં સોનાની ચેઇનો, સેટ, નાના સેટ, બંગડીઓ, લકી, પેડલ, વીટીઓ, બુટ્ટીઓ, લગડીઓ, ચાંદીના 250 ગ્રામના સિક્કાઓ તેમજ 500ના દરની નોટોના રોકડા 2,00,000 મળીને કુલ ર₹ 9,29,000 મત્તાની ચોરી કરી ગયા હતા. સવા 9 લાખની ચોરી અંગે એ-ડીવીઝનમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ PI એ.કે. ભરવાડ ચલાવી રહ્યા છે.
તસ્કરો 17 તોલા સોનુ, 250 ગ્રામના ચાંદીના સિક્કા અને રોકડા 2 લાખ લઈ ફરાર થઈ જતા એ ડિવિઝનમાં ફરિયાદ
WatchGujarat. ભરૂચ ઇશાવાસ્યમ સોસાયટીમાં રહેતાં અને ઝઘડિયામાં બલેક સ્ટોન ક્વોરી ચલાવતા સંચાલકની માતાનું મૃત્યુ થતા અન્ય સોસાયટીમાં રહેતા એકલવાયા બનેલા પિતાને સહારો આપવા તેમના ઘરે સુવા જતા હતા. ક્વોરી સંચાલક ઇશાવાસ્યમ સોસાયટીનું મકાન બંધ કરતા કોઈ જાણભેદુ તસ્કરે તાળું તોડીને સોના-ચાંદીના ઘરેણા તેમજ ₹2 લાખ રોકડા મળી કુલ ₹9,29,000 ની મત્તાની ચોરી કરી ગયા હતા.
ભરૂચ શહેરના નારાયણનગર પાસે ઇશાવાસ્યમ સોસાયટીના મકાન નં-19માં 52 વર્ષિય રાજેશભાઈ નારાયણભાઈ પટેલ તેમના પરિવાર સાથે રહી ઝઘડિયાના રઝલવાડામાં કવોરી ચલાવે છે. તેમના માતા-પિતા ભરૂચ લીંકરોડ પર સાઈબાબા સોસાયટીમાં એકલા રહેતાં હતા.
તેમની માતા સુર્યાબેનનું 25 માર્ચે મૃત્યુ થયું હતું. માતાના મૃત્યુ બાદ એકલવાયા બનેલા પિતાને સહારો આપવા ઘરમાં અશુભ ઘટના હોવાથી તેમનો પરિવાર રોજ રાત્રે પિતાના ઘરે સુવા માટે જતા હતા. ગત 8 એપ્રિલના રોજ રાત્રે ઇશાવાસ્યમ સોસાયટીનું મકાનને તાળું મારીને રાજેશભાઇ પત્ની સાથે પિતાના ઘરે ગયા હતા.
બીજા દિવસે સવારે આવીને જોતા ઘરનો દરવાજો તેમજ આગળની ગ્રીલ અર્ધ ખુલ્લી હોવાથી તેઓ ચોકી ગયા હતા. ઘરમાં બેડરૂમની તિજોરી પણ ખુલ્લી તેમજ 2 લાકડાના કબાટોના કપડા બહાર વેરવિખેર પડેલા હતા. તસ્કરો તિજોરીમાંથી 17 તોલાના 9 ઘરેણામાં સોનાની ચેઇનો, સેટ, નાના સેટ, બંગડીઓ, લકી, પેડલ, વીટીઓ, બુટ્ટીઓ, લગડીઓ, ચાંદીના 250 ગ્રામના સિક્કાઓ તેમજ 500ના દરની નોટોના રોકડા 2,00,000 મળીને કુલ ર₹ 9,29,000 મત્તાની ચોરી કરી ગયા હતા. સવા 9 લાખની ચોરી અંગે એ-ડીવીઝનમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ PI એ.કે. ભરવાડ ચલાવી રહ્યા છે.