AIMIM ના એક માત્ર સભ્યએ ભ્રષ્ટાચાર મુદ્દે અધિકારી ઉપર આરોપ લગાવતા પ્રમુખ સહિત ભાજપના સભ્યોએ 20 વર્ષમાં પેહલીવાર બોર્ડમાં ગરીમા ન જળવાઈ હોવાનો ખેદ વ્યક્ત કર્યો હતો
કોંગ્રેસે દર વર્ષે ચોમાસામાં વિવિધ વિસ્તારોમાં ભરાતા પાણી અને માર્ગો ઉપર ઠેર ઠેર ખાડા, વેક્યુમ ક્લીનર સહિતના મુદ્દે શાસક પક્ષ ભાજપને ભીંસમાં લીધો હતો
ભૂગર્ભ ડ્રેનેજ યોજના 10 વર્ષ થવા છતાં હજી પૂર્ણ નથી થઈ ત્યાં સભામાં પ્રજા ઉપર વર્ષે સમૃદ્ધ લોકો પર ₹1200, મધ્યમ ઉપર ₹900 અને નબળા વર્ગના માથે ₹600 ડ્રેનેજ વેરો નાખવા સામે પણ વિરોધ વ્યક્ત કરાયો હતો
WatchGujarat. ભરૂચ પાલિકાની બીજી સામાન્ય સભા મેરેથોન સાબિત થવા સાથે ભારે હોબાળાવાળી બની રહી હતી. AIMIM ના માત્ર એક સભ્ય ફહીમ શેખએ મુલદ ડમપિંગ સાઇટ ઉપર ભ્રષ્ટાચારનો સીધો અધિકારી ઉપર આક્ષેપ લગાવતા પ્રમુખ અમિત ચાવડા સહિત શાસક પક્ષે બોર્ડની ગરીમાને અણછાજતું વર્તન ગણાવ્યું હતું. ભાજપના સભ્યોએ બોર્ડ અને પ્રમુખની ગરીમા નહિ જાળવવા બદલ એક તબક્કે AIMIM ના સભ્યને સસ્પેન્ડ કરવા કે માફી મંગાવવાનો સુર વ્યક્ત કરતા ભારે વિરોધ અને હંગામા વચ્ચે માંડ માંડ વિવાદ શાંત પડ્યો હતો.
ડમપિંગ સાઇટ ઉપર પાલિકા સિવાયની ઝાડેશ્વર, નંદેલાવ, ભોલાવ સહિતની ગ્રામ પંચાયતોનો કચરો પણ ઠાલવી કટકી કરાતી હોવાનો પણ ફહીમ શેખે આક્ષેપ કરી સભાને ગજવી હતી. કોન્ટ્રાકટરના ચાલતા 3 પોકલેન પણ વધુ કલાકો બતાવી પાલિકાને નુકશાન થતું હોય પોતાનું પોકલેન મશીન ખરીદવા પણ સભામાં ધ્યાન દોરાયું હતું. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નરેશ સુથારવાલા, રાજશેખર દેશાનવર, હેમેન્દ્ર પ્રજાપતી, સુરભીબેન તમાકુવાલા, ચિરાગ ભટ્ટ, ધનજી ગોહિલ સહિતના ચેરમેન અને સભ્યોએ ચર્ચામાં ભાગ લીધો હતો.
નવા બોર્ડની પ્રમુખ અમિત ચાવડાના અધ્યક્ષ સ્થાને ઉપપ્રમુખ નિનાબા યાદવ અને CO સંજય સોનીની હાજરીમાં બીજી વખત મળેલી સામાન્ય સભાના પ્રારંભે વિરોધ પક્ષ કોંગ્રેસે પોતે આપેલા કામો એજન્ડામાં નહિ લેવા અંગે પસ્તાળ પાડી હતી. જે બાદ સભા શરૂ થતાં જ ત્રિમાસિક હિસાબો, વેક્યુમ ક્લીનર, રોડ રસ્તા અને ગ્રાન્ટોને લઈ વિરોધ પક્ષના નેતા સમશાદ અલી સૈયદ, સલીમ અમદાવાદી, હેમેન્દ્ર કોઠીવાલા અને ઇબ્રાહિમ કલકરે શાસક પક્ષને સાંણસામાં લીધા હતા.
શહેરના પાંચબત્તી, સેવાશ્રમ રોડ સહિતના વિસ્તારોમાં દર ચોમાસામાં પાણી ભરાઈ રહેવાની સમસ્યા અને માર્ગો ઉપર ઠેર ઠેર પડતા ખાડાને વિપક્ષે ભરૂચ માટે કલંકરૂપ ગણાવ્યા હતા. અને ચોમાસામાં જેમ દેડકા બહાર નીકળે છે તેમ કોન્ટ્રાક્ટરો માટે ખાડા કાંડ ચાલતું હોય તેમ કોંગી કાર્યકરોએ આક્ષેપ કર્યો હતો.
છેલ્લા 11 વર્ષથી ચાલતી ભૂગર્ભ ગટર યોજના અંગે કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા હતા. સાથે જ યોજના પૂર્ણ થયા બાદ શહેરીજનો ઉપર વાર્ષિક સમૃદ્ધ લોકો ઉપર ₹1200, મધ્યમ વર્ગ પર ₹900 અને નબળા વર્ગ ઉપર ₹600 નો ડ્રેનેજ વેરો નાખવાની વિચારણા સામે પણ વિરોધ નોંધાવી તેના ઉપર વાંધા સૂચનો આવ્યા બાદ ફેર વિચારણા કરવા રજૂઆતો કરાઈ હતી. સભાની શરૂઆતમાં દાસો ના દાસ સ્વામી હરિપ્રસાદજીને મૌન પાળી શ્રધ્ધાસુમન અર્પણ કરાયા હતા. સ્વરવા 11 કલાકે શરૂ થયેલી સભા વિવિધ મુદ્દે ભારે હોબળા અને તડાફડી બાદ એજન્ડામાં મુકાયેલ 39 કામોને મંજૂરી આપ્યા બાદ કોંગ્રેસના પણ 5 મુદ્દાની ચર્ચા કરી આખરે 2.30 કલાકે પૂર્ણ થઈ હતી.
AIMIM ના એક માત્ર સભ્યએ ભ્રષ્ટાચાર મુદ્દે અધિકારી ઉપર આરોપ લગાવતા પ્રમુખ સહિત ભાજપના સભ્યોએ 20 વર્ષમાં પેહલીવાર બોર્ડમાં ગરીમા ન જળવાઈ હોવાનો ખેદ વ્યક્ત કર્યો હતો
કોંગ્રેસે દર વર્ષે ચોમાસામાં વિવિધ વિસ્તારોમાં ભરાતા પાણી અને માર્ગો ઉપર ઠેર ઠેર ખાડા, વેક્યુમ ક્લીનર સહિતના મુદ્દે શાસક પક્ષ ભાજપને ભીંસમાં લીધો હતો
ભૂગર્ભ ડ્રેનેજ યોજના 10 વર્ષ થવા છતાં હજી પૂર્ણ નથી થઈ ત્યાં સભામાં પ્રજા ઉપર વર્ષે સમૃદ્ધ લોકો પર ₹1200, મધ્યમ ઉપર ₹900 અને નબળા વર્ગના માથે ₹600 ડ્રેનેજ વેરો નાખવા સામે પણ વિરોધ વ્યક્ત કરાયો હતો
WatchGujarat. ભરૂચ પાલિકાની બીજી સામાન્ય સભા મેરેથોન સાબિત થવા સાથે ભારે હોબાળાવાળી બની રહી હતી. AIMIM ના માત્ર એક સભ્ય ફહીમ શેખએ મુલદ ડમપિંગ સાઇટ ઉપર ભ્રષ્ટાચારનો સીધો અધિકારી ઉપર આક્ષેપ લગાવતા પ્રમુખ અમિત ચાવડા સહિત શાસક પક્ષે બોર્ડની ગરીમાને અણછાજતું વર્તન ગણાવ્યું હતું. ભાજપના સભ્યોએ બોર્ડ અને પ્રમુખની ગરીમા નહિ જાળવવા બદલ એક તબક્કે AIMIM ના સભ્યને સસ્પેન્ડ કરવા કે માફી મંગાવવાનો સુર વ્યક્ત કરતા ભારે વિરોધ અને હંગામા વચ્ચે માંડ માંડ વિવાદ શાંત પડ્યો હતો.
ડમપિંગ સાઇટ ઉપર પાલિકા સિવાયની ઝાડેશ્વર, નંદેલાવ, ભોલાવ સહિતની ગ્રામ પંચાયતોનો કચરો પણ ઠાલવી કટકી કરાતી હોવાનો પણ ફહીમ શેખે આક્ષેપ કરી સભાને ગજવી હતી. કોન્ટ્રાકટરના ચાલતા 3 પોકલેન પણ વધુ કલાકો બતાવી પાલિકાને નુકશાન થતું હોય પોતાનું પોકલેન મશીન ખરીદવા પણ સભામાં ધ્યાન દોરાયું હતું. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નરેશ સુથારવાલા, રાજશેખર દેશાનવર, હેમેન્દ્ર પ્રજાપતી, સુરભીબેન તમાકુવાલા, ચિરાગ ભટ્ટ, ધનજી ગોહિલ સહિતના ચેરમેન અને સભ્યોએ ચર્ચામાં ભાગ લીધો હતો.
નવા બોર્ડની પ્રમુખ અમિત ચાવડાના અધ્યક્ષ સ્થાને ઉપપ્રમુખ નિનાબા યાદવ અને CO સંજય સોનીની હાજરીમાં બીજી વખત મળેલી સામાન્ય સભાના પ્રારંભે વિરોધ પક્ષ કોંગ્રેસે પોતે આપેલા કામો એજન્ડામાં નહિ લેવા અંગે પસ્તાળ પાડી હતી. જે બાદ સભા શરૂ થતાં જ ત્રિમાસિક હિસાબો, વેક્યુમ ક્લીનર, રોડ રસ્તા અને ગ્રાન્ટોને લઈ વિરોધ પક્ષના નેતા સમશાદ અલી સૈયદ, સલીમ અમદાવાદી, હેમેન્દ્ર કોઠીવાલા અને ઇબ્રાહિમ કલકરે શાસક પક્ષને સાંણસામાં લીધા હતા.
શહેરના પાંચબત્તી, સેવાશ્રમ રોડ સહિતના વિસ્તારોમાં દર ચોમાસામાં પાણી ભરાઈ રહેવાની સમસ્યા અને માર્ગો ઉપર ઠેર ઠેર પડતા ખાડાને વિપક્ષે ભરૂચ માટે કલંકરૂપ ગણાવ્યા હતા. અને ચોમાસામાં જેમ દેડકા બહાર નીકળે છે તેમ કોન્ટ્રાક્ટરો માટે ખાડા કાંડ ચાલતું હોય તેમ કોંગી કાર્યકરોએ આક્ષેપ કર્યો હતો.
છેલ્લા 11 વર્ષથી ચાલતી ભૂગર્ભ ગટર યોજના અંગે કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા હતા. સાથે જ યોજના પૂર્ણ થયા બાદ શહેરીજનો ઉપર વાર્ષિક સમૃદ્ધ લોકો ઉપર ₹1200, મધ્યમ વર્ગ પર ₹900 અને નબળા વર્ગ ઉપર ₹600 નો ડ્રેનેજ વેરો નાખવાની વિચારણા સામે પણ વિરોધ નોંધાવી તેના ઉપર વાંધા સૂચનો આવ્યા બાદ ફેર વિચારણા કરવા રજૂઆતો કરાઈ હતી. સભાની શરૂઆતમાં દાસો ના દાસ સ્વામી હરિપ્રસાદજીને મૌન પાળી શ્રધ્ધાસુમન અર્પણ કરાયા હતા. સ્વરવા 11 કલાકે શરૂ થયેલી સભા વિવિધ મુદ્દે ભારે હોબળા અને તડાફડી બાદ એજન્ડામાં મુકાયેલ 39 કામોને મંજૂરી આપ્યા બાદ કોંગ્રેસના પણ 5 મુદ્દાની ચર્ચા કરી આખરે 2.30 કલાકે પૂર્ણ થઈ હતી.