ભરૂચમાં ભોઇ સમાજ દ્વારા સાતમથી દસમ સુધી ઉજવાતો ઉત્સવ
મેઘરાજાના ઉત્સવની તડામાર તૈયારીઓ શરૂ, કોરોનાને લઈ સતત બીજા વર્ષે પણ મેઘ મેળો નહિ
[caption id="attachment_1384829" align="aligncenter" width="1280"] ભરૂચ સ્થિત મેઘરાજાની પ્રતિમા[/caption]
WatchGujarat. દેશમાં એકમાત્ર ભરૂચ શહેરમાં સમસ્ત ભોઈ સમાજ દ્વારા 250 વર્ષ ઉપરાંત સમયથી ઉજવાતા મેઘરાજા મહોત્સવની ઊજવણી અંતર્ગત શ્રાવણી પૂનમે માટીની પ્રતિમાને રંગકામ કરી સાજ શણગાર સાથે વાઘા પહેરાવાયા છે.
છપ્પનિયા દુકાળનાં સમયથી દેશમાં એકમાત્ર ભરૂચ શહેરમાં ભોઇ જ્ઞાતિનાં લોકો દ્વારા ઉજવાતા મેઘરાજાનાં ઉત્સવની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે. મેઘરાજાની માટીની પ્રતિમાને સાજ શણગાર સાથે વાઘા પહેરાવી સજ્જ કરાઇ છે.
ભરૂચ શહેરના સોનેરી મહેલ વિસ્તારમાં શ્રાવણ વદ સાતમથી દશમ સુધી ભરાતાં મેઘરાજાના મેળાની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે. ભુગૃઋષિની પાવન ભૂમિ એવા ભરૂચમાં મેઘરાજાનો મેળો સૈકાઓથી ભરાઇ છે અને તેમાં રાજયભરમાંથી શ્રધ્ધાળુઓ ઉમટી પડતાં હોય છે. સોનેરી મહેલના ભોઇવાડમાં મેઘરાજા તથા છડીના દર્શન કરી લોકો ધન્યતા અનુભવે છે. દેશમાં એક માત્ર મેઘરાજાનો મેળો ભરાઇ છે તેવા ભરૂચ શહેરમાં મેળાની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે.
[caption id="attachment_1384826" align="aligncenter" width="1280"] શ્રાવણી પૂનમ ભરૂચમાં મેઘરાજાની પ્રતિમાને સાજ શણગાર સાથે વાઘા પહેરાવાયાં[/caption]
ભોઇવાડમાં પ્રતિ વર્ષ શ્રાવણ માસમાં મેઘરાજાનો મેળો ભરાઇ છે. ભોઇ સમાજના લોકો માટીમાંથી મેઘરાજાની કલાત્મક પ્રતિમા તૈયાર કરે છે. ભરૂચ શહેરમાં છપ્પનિયા દુકાળ ટાંણે મેઘરાજાને મનાવવા માટે ભોઇ સમાજના લોકોએ નર્મદાના કિનારેથી માટી લાવીને મેઘરાજાની પ્રતિમા બનાવી તેનું પુજન અર્ચન કરતાં વરસાદ વરસ્યો હતો ત્યારથી દર શ્રાવણ માસમાં મેઘરાજાનો ઉત્સવ શ્રદ્ધાપૂર્વક ધામધૂમથી મનાવવામાં આવે છે.
અમાસ દિવાસાનાં દિવસથી મેઘરાજાની તૈયાર કરાયેલી સાડા પાંચ ફૂટ ઊંચી માટીની કલાત્મક પ્રતિમાને રંગરોગાન કરી સાજ શણગાર કરવામાં આવી રહ્યો છે. મેઘરાજાની પ્રતિમાને વાઘા પહેરાવી ઉત્સવની તૈયારીઓમાં સમસ્ત ભોઇ સમાજ ઓતપ્રોત બન્યો છે. મેઘરાજાની પ્રતિમા હાથથી તૈયાર કરાતી હોવા છતાં દર વર્ષે તેનો આકાર સરખો રહે છે. ભોઇવાડમાં સ્થાપિત કરાયેલા મેઘરાજાની પ્રતિમાને શણગાર સજાવવામાં આવી રહયાં છે.
જોકે કોરોનાને લઇ સતત બીજા વર્ષે પણ મેઘ અને છડી ઉત્સવનો મેળો યોજાઈ શકે તેમ નથી. જાહેર મેળાને મંજૂરી નહિ વચ્ચે ભોઈ સમાજ પરંપરાગત મેઘ અને છડી ઉત્સવની ઉજવણીમાં વ્યસ્ત બન્યું છે.
ભરૂચમાં ભોઇ સમાજ દ્વારા સાતમથી દસમ સુધી ઉજવાતો ઉત્સવ
મેઘરાજાના ઉત્સવની તડામાર તૈયારીઓ શરૂ, કોરોનાને લઈ સતત બીજા વર્ષે પણ મેઘ મેળો નહિ
[caption id="attachment_1384829" align="aligncenter" width="1280"] ભરૂચ સ્થિત મેઘરાજાની પ્રતિમા[/caption]
WatchGujarat. દેશમાં એકમાત્ર ભરૂચ શહેરમાં સમસ્ત ભોઈ સમાજ દ્વારા 250 વર્ષ ઉપરાંત સમયથી ઉજવાતા મેઘરાજા મહોત્સવની ઊજવણી અંતર્ગત શ્રાવણી પૂનમે માટીની પ્રતિમાને રંગકામ કરી સાજ શણગાર સાથે વાઘા પહેરાવાયા છે.
છપ્પનિયા દુકાળનાં સમયથી દેશમાં એકમાત્ર ભરૂચ શહેરમાં ભોઇ જ્ઞાતિનાં લોકો દ્વારા ઉજવાતા મેઘરાજાનાં ઉત્સવની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે. મેઘરાજાની માટીની પ્રતિમાને સાજ શણગાર સાથે વાઘા પહેરાવી સજ્જ કરાઇ છે.
ભરૂચ શહેરના સોનેરી મહેલ વિસ્તારમાં શ્રાવણ વદ સાતમથી દશમ સુધી ભરાતાં મેઘરાજાના મેળાની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે. ભુગૃઋષિની પાવન ભૂમિ એવા ભરૂચમાં મેઘરાજાનો મેળો સૈકાઓથી ભરાઇ છે અને તેમાં રાજયભરમાંથી શ્રધ્ધાળુઓ ઉમટી પડતાં હોય છે. સોનેરી મહેલના ભોઇવાડમાં મેઘરાજા તથા છડીના દર્શન કરી લોકો ધન્યતા અનુભવે છે. દેશમાં એક માત્ર મેઘરાજાનો મેળો ભરાઇ છે તેવા ભરૂચ શહેરમાં મેળાની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે.
ભોઇવાડમાં પ્રતિ વર્ષ શ્રાવણ માસમાં મેઘરાજાનો મેળો ભરાઇ છે. ભોઇ સમાજના લોકો માટીમાંથી મેઘરાજાની કલાત્મક પ્રતિમા તૈયાર કરે છે. ભરૂચ શહેરમાં છપ્પનિયા દુકાળ ટાંણે મેઘરાજાને મનાવવા માટે ભોઇ સમાજના લોકોએ નર્મદાના કિનારેથી માટી લાવીને મેઘરાજાની પ્રતિમા બનાવી તેનું પુજન અર્ચન કરતાં વરસાદ વરસ્યો હતો ત્યારથી દર શ્રાવણ માસમાં મેઘરાજાનો ઉત્સવ શ્રદ્ધાપૂર્વક ધામધૂમથી મનાવવામાં આવે છે.
અમાસ દિવાસાનાં દિવસથી મેઘરાજાની તૈયાર કરાયેલી સાડા પાંચ ફૂટ ઊંચી માટીની કલાત્મક પ્રતિમાને રંગરોગાન કરી સાજ શણગાર કરવામાં આવી રહ્યો છે. મેઘરાજાની પ્રતિમાને વાઘા પહેરાવી ઉત્સવની તૈયારીઓમાં સમસ્ત ભોઇ સમાજ ઓતપ્રોત બન્યો છે. મેઘરાજાની પ્રતિમા હાથથી તૈયાર કરાતી હોવા છતાં દર વર્ષે તેનો આકાર સરખો રહે છે. ભોઇવાડમાં સ્થાપિત કરાયેલા મેઘરાજાની પ્રતિમાને શણગાર સજાવવામાં આવી રહયાં છે.
જોકે કોરોનાને લઇ સતત બીજા વર્ષે પણ મેઘ અને છડી ઉત્સવનો મેળો યોજાઈ શકે તેમ નથી. જાહેર મેળાને મંજૂરી નહિ વચ્ચે ભોઈ સમાજ પરંપરાગત મેઘ અને છડી ઉત્સવની ઉજવણીમાં વ્યસ્ત બન્યું છે.