ભરૂચમાં ભવિષ્યમાં નર્મદા નદી ઉપર 9 મેજર બ્રિજ, 5 ફ્લાયઓવર
દહેગામ અને દહેજ તરફથી આવતા અને ભરૂચ રેલ્વે સ્ટેશન જનારા લોકો માટે અનૂકુળતા રહેશે
સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં હેઠળ શહેરને વધુ એક ઓવરબ્રિજ
અત્યાર સુધી રાજ્યની 7 નગર પાલિકાઓમાં ફલાય ઓવર માટે ₹ 289.50 કરોડ મંજૂર થયા
મહાનગરોમાં 29 ફલાય ઓવર માટે ₹1485 કરોડ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં મંજૂર
[caption id="attachment_1225345" align="aligncenter" width="1280"] Gujarat, Bharuch Triangular Flyover Bridge[/caption]
Watchgujarat. ભરૂચ શહેરની વધતી ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે સ્વર્ણિમ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ મહાત્મા ગાંધી MG રોડ ઉપર સેન્ટઝેવીયર્સ સ્કૂલથી મહંમદપુરા સર્કલ સુધી પહેલો ટ્રાયએન્ગલ (ત્રિપાંખ્યો) 1530 મીટર લાંબો અને 8.40 મીટર પોહળો ફ્લાયઓવર ₹41 કરોડના ખર્ચે CM વિજય રૂપાણીએ મંજુર કર્યો છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ભરૂચ નગરમાં ફલાય ઓવરબ્રીજના નિર્માણ માટે ₹41 કરોડની દરખાસ્તને મંજૂરી આપી છે. રાજ્યના નગરો-મહાનગરોમાં ફલાય ઓવર, રેલ્વે ઓવરબ્રીજ, અંડરબ્રીજના નિર્માણથી વાહન વ્યવહાર સરળ બનાવવા અને ટ્રાફિક જામની સમસ્યા હલ કરવા સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે આવા કામોને મંજૂરી આપવાનો અભિગમ અપનાવાયો છે.
ભરૂચ નગરમાં સેન્ટ ઝેવિયર્સ સ્કૂલથી મહમંદપૂરા સર્કલ ફલાય ઓવરબ્રીજના કામો માટે ₹41 કરોડ મંજૂર કર્યા છે. આ ફલાય ઓવર 1530 મીટર લંબાઇ અને 8.40 મીટર પહોળાઇ ધરાવતો હશે. ભરૂચમાં આ ફલાય ઓવરબ્રીજ બનવાથી દહેગામ અને દહેજ તરફથી આવતા અને ભરૂચ રેલ્વે સ્ટેશન જનારા લોકો માટે અનૂકુળતા રહેશે.
એટલું જ નહિ, આ બ્રીજની ડિઝાઇન ત્રી-પાંખીયા ટ્રાયેન્ગ્યુલર હોવાથી તાંત્રિક અને ભૌગોલિક દ્રષ્ટિએ ભરૂચ નગર પાલિકાના અગત્યના તમામ વિસ્તારો આ બ્રીજની કામગીરીથી આવરી લેવાશે. ભરૂચમાં હવે ભવિષ્યમાં નર્મદા નદી ઉપર 9 મેજર બ્રિજ જેમાં જૂનો-નવો સરદાર બ્રિજ, સિલ્વર રેલવે બ્રિજ, નર્મદા મૈયા 4 લેન બ્રિજ, કેબલ બ્રિજ, 8 લેન એક્સ્ટ્રા ડોઝ એક્સપ્રેસ વે બ્રિજ, DFC રેલવે બ્રિજ, બુલેટ ટ્રેન બ્રિજ અને ઐતિહાસિક ગોલ્ડન બ્રિજ અસ્તિત્વમાં રહેશે.
જ્યારે શહેરમાં ફ્લાયઓવરમાં નંદેલાવ, જંબુસર બાયપાસ, ભૃગુરુષી, શ્રવણ ચોકડી અને MG રોડ ટ્રાયએન્ગલ ફ્લાયઓવર હશે. રાજ્ય સરકારે અત્યાર સુધીમાં રાજ્યના 7 નગરોમાં આવા ફલાય ઓવર માટે ₹289.50 કરોડની રકમ મંજૂર કરી છે. આ ઉપરાંત સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત મહાનગર પાલિકાઓમાં 29 ફલાય ઓવરબ્રીજ ₹1485 કરોડના ખર્ચે મંજૂર કરાયા છે.
ભરૂચમાં ભવિષ્યમાં નર્મદા નદી ઉપર 9 મેજર બ્રિજ, 5 ફ્લાયઓવર
દહેગામ અને દહેજ તરફથી આવતા અને ભરૂચ રેલ્વે સ્ટેશન જનારા લોકો માટે અનૂકુળતા રહેશે
સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં હેઠળ શહેરને વધુ એક ઓવરબ્રિજ
અત્યાર સુધી રાજ્યની 7 નગર પાલિકાઓમાં ફલાય ઓવર માટે ₹ 289.50 કરોડ મંજૂર થયા
મહાનગરોમાં 29 ફલાય ઓવર માટે ₹1485 કરોડ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં મંજૂર
Watchgujarat. ભરૂચ શહેરની વધતી ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે સ્વર્ણિમ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ મહાત્મા ગાંધી MG રોડ ઉપર સેન્ટઝેવીયર્સ સ્કૂલથી મહંમદપુરા સર્કલ સુધી પહેલો ટ્રાયએન્ગલ (ત્રિપાંખ્યો) 1530 મીટર લાંબો અને 8.40 મીટર પોહળો ફ્લાયઓવર ₹41 કરોડના ખર્ચે CM વિજય રૂપાણીએ મંજુર કર્યો છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ભરૂચ નગરમાં ફલાય ઓવરબ્રીજના નિર્માણ માટે ₹41 કરોડની દરખાસ્તને મંજૂરી આપી છે. રાજ્યના નગરો-મહાનગરોમાં ફલાય ઓવર, રેલ્વે ઓવરબ્રીજ, અંડરબ્રીજના નિર્માણથી વાહન વ્યવહાર સરળ બનાવવા અને ટ્રાફિક જામની સમસ્યા હલ કરવા સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે આવા કામોને મંજૂરી આપવાનો અભિગમ અપનાવાયો છે.
ભરૂચ નગરમાં સેન્ટ ઝેવિયર્સ સ્કૂલથી મહમંદપૂરા સર્કલ ફલાય ઓવરબ્રીજના કામો માટે ₹41 કરોડ મંજૂર કર્યા છે. આ ફલાય ઓવર 1530 મીટર લંબાઇ અને 8.40 મીટર પહોળાઇ ધરાવતો હશે. ભરૂચમાં આ ફલાય ઓવરબ્રીજ બનવાથી દહેગામ અને દહેજ તરફથી આવતા અને ભરૂચ રેલ્વે સ્ટેશન જનારા લોકો માટે અનૂકુળતા રહેશે.
એટલું જ નહિ, આ બ્રીજની ડિઝાઇન ત્રી-પાંખીયા ટ્રાયેન્ગ્યુલર હોવાથી તાંત્રિક અને ભૌગોલિક દ્રષ્ટિએ ભરૂચ નગર પાલિકાના અગત્યના તમામ વિસ્તારો આ બ્રીજની કામગીરીથી આવરી લેવાશે. ભરૂચમાં હવે ભવિષ્યમાં નર્મદા નદી ઉપર 9 મેજર બ્રિજ જેમાં જૂનો-નવો સરદાર બ્રિજ, સિલ્વર રેલવે બ્રિજ, નર્મદા મૈયા 4 લેન બ્રિજ, કેબલ બ્રિજ, 8 લેન એક્સ્ટ્રા ડોઝ એક્સપ્રેસ વે બ્રિજ, DFC રેલવે બ્રિજ, બુલેટ ટ્રેન બ્રિજ અને ઐતિહાસિક ગોલ્ડન બ્રિજ અસ્તિત્વમાં રહેશે.
જ્યારે શહેરમાં ફ્લાયઓવરમાં નંદેલાવ, જંબુસર બાયપાસ, ભૃગુરુષી, શ્રવણ ચોકડી અને MG રોડ ટ્રાયએન્ગલ ફ્લાયઓવર હશે. રાજ્ય સરકારે અત્યાર સુધીમાં રાજ્યના 7 નગરોમાં આવા ફલાય ઓવર માટે ₹289.50 કરોડની રકમ મંજૂર કરી છે. આ ઉપરાંત સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત મહાનગર પાલિકાઓમાં 29 ફલાય ઓવરબ્રીજ ₹1485 કરોડના ખર્ચે મંજૂર કરાયા છે.