ખોરાકની શોધમાં દીપડા ઝઘડિયા, નેત્રંગ અને વાલિયા તાલુકાના ગામોમાં દેખા દેતા નજરે પડતા લોકોમાં ભયનો માહોલ
વનવિભાગ મારણ સાથે પાંજરું મૂકી દીપડાને પકડી માનવ વસતીથી દુર કરે તેવી ગ્રામજનોની રજુઆત
WatchGujarat. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના તલોદરા ગામની સમમાં તાજેતરમાં દીપડો રાતે આવી ચઢવાની ઘટના બાદ મંગળવારે રાતે વાલિયા તાલુકાના પથ્થરીયા ગામે માનવ વસ્તીમાં દીપડો ઘુસી આવતા લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. ગામમાં ઝાડી ઝંખરામાં ફરતા દીપડાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે.
જિલ્લાના નર્મદા કાંઠાના ગામો અને ખાસ કરી આદિવાસી તાલુકા ઝઘડિયા, નેત્રંગ અને વાલિયામાં દીપડાઓનું પ્રમાણ વધુ છે. નદી અને શેરડીના ખેતરો આવેલા હોય દિપડાઓને આશરો અને અન્ય પશુઓ ખોરાક તરીકે મળી રહે છે.
https://youtu.be/0vzBj6_S4ho
સમયાંતરે દીપડા ગામમાં કે સીમમાં આવી ચઢવાના તેમજ પાલતુ પશુઓ અને લોકો પર હુમલાના બનાવો પણ બન્યા છે. ઝઘડીયા તાલુકો જંગલ વિસ્તારમાં આવેલો હોવાથી વન્ય પ્રાણીઓ અવાર નવાર દેખા દેતા હોય છે. તાલુકાનાં વિવિધ ગામોમાં દીપડાઓ દેખાઇ રહ્યા હોવાના બનાવો વધી રહ્યાં છે. મંગળવારે મોડી રાતે વાલિયા તાલુકાના પથ્થરીયા ગામ નજીક દીપડો જાહેરમાં દેખાયો હોવાના વિડીયો બહાર આવ્યા છે.
રાત્રીના સમયે માનવ વસાહત નજીક દીપડો ઝાડી ઝાંખરામાં આંટા ફેરા મારતો નજરે પડી રહ્યો છે. ત્યારે તાલુકામાં દીપડાઓની સંખ્યામાં વધારો થયો હૉય તેમ લાગી રહ્યું છે. નેત્રંગ, વાલિયા અને ઝઘડિયા તાલુકાના કાંઠા વિસ્તારમાં મોટા પ્રમાણમાં હિંસક દિપડાઓ વસવાટ કરી રહ્યા છે. જંગલ વિસ્તારમાંથી નર્મદાના કાંઠા વિસ્તાર અને ગામોમાં દીપડાઓ ખોરાકની શોધમાં આવી ચઢે છે.
હાલ ચોમાસીની મોસમમાં વન્ય જીવો પણ ખોરાક-પાણી માટે તેમના આશ્રય સ્થાનોમાંથી બહાર નીકળી રહ્યાં છે. ખોરાક પાણી ની શોધમાં દીપડો વાલિયાના પથ્થરીયા ગામ નજીક આવી ચઢ્યો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. ગ્રામજનોએ દીપડો દેખાવાની ઘટના બાદ વન વિભાગ મારણ સાથે પાંજરું મૂકી તેને પકડી માનવ વસ્તીથી દૂર સલામત સ્થળે છોડી મૂકે તેવી માંગણી કરી રહ્યાં છે.
વનવિભાગ મારણ સાથે પાંજરું મૂકી દીપડાને પકડી માનવ વસતીથી દુર કરે તેવી ગ્રામજનોની રજુઆત
WatchGujarat. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના તલોદરા ગામની સમમાં તાજેતરમાં દીપડો રાતે આવી ચઢવાની ઘટના બાદ મંગળવારે રાતે વાલિયા તાલુકાના પથ્થરીયા ગામે માનવ વસ્તીમાં દીપડો ઘુસી આવતા લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. ગામમાં ઝાડી ઝંખરામાં ફરતા દીપડાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે.
જિલ્લાના નર્મદા કાંઠાના ગામો અને ખાસ કરી આદિવાસી તાલુકા ઝઘડિયા, નેત્રંગ અને વાલિયામાં દીપડાઓનું પ્રમાણ વધુ છે. નદી અને શેરડીના ખેતરો આવેલા હોય દિપડાઓને આશરો અને અન્ય પશુઓ ખોરાક તરીકે મળી રહે છે.
સમયાંતરે દીપડા ગામમાં કે સીમમાં આવી ચઢવાના તેમજ પાલતુ પશુઓ અને લોકો પર હુમલાના બનાવો પણ બન્યા છે. ઝઘડીયા તાલુકો જંગલ વિસ્તારમાં આવેલો હોવાથી વન્ય પ્રાણીઓ અવાર નવાર દેખા દેતા હોય છે. તાલુકાનાં વિવિધ ગામોમાં દીપડાઓ દેખાઇ રહ્યા હોવાના બનાવો વધી રહ્યાં છે. મંગળવારે મોડી રાતે વાલિયા તાલુકાના પથ્થરીયા ગામ નજીક દીપડો જાહેરમાં દેખાયો હોવાના વિડીયો બહાર આવ્યા છે.
રાત્રીના સમયે માનવ વસાહત નજીક દીપડો ઝાડી ઝાંખરામાં આંટા ફેરા મારતો નજરે પડી રહ્યો છે. ત્યારે તાલુકામાં દીપડાઓની સંખ્યામાં વધારો થયો હૉય તેમ લાગી રહ્યું છે. નેત્રંગ, વાલિયા અને ઝઘડિયા તાલુકાના કાંઠા વિસ્તારમાં મોટા પ્રમાણમાં હિંસક દિપડાઓ વસવાટ કરી રહ્યા છે. જંગલ વિસ્તારમાંથી નર્મદાના કાંઠા વિસ્તાર અને ગામોમાં દીપડાઓ ખોરાકની શોધમાં આવી ચઢે છે.
હાલ ચોમાસીની મોસમમાં વન્ય જીવો પણ ખોરાક-પાણી માટે તેમના આશ્રય સ્થાનોમાંથી બહાર નીકળી રહ્યાં છે. ખોરાક પાણી ની શોધમાં દીપડો વાલિયાના પથ્થરીયા ગામ નજીક આવી ચઢ્યો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. ગ્રામજનોએ દીપડો દેખાવાની ઘટના બાદ વન વિભાગ મારણ સાથે પાંજરું મૂકી તેને પકડી માનવ વસ્તીથી દૂર સલામત સ્થળે છોડી મૂકે તેવી માંગણી કરી રહ્યાં છે.