સુચનાના ઉલ્લંઘન બદલ કસુરવાર સામે કોવિડ-19 અંતર્ગત કાયદેસરની કાર્યવાહી, માસ્ક ન પહેરનાર 30 વ્યક્તિને ₹30000 નો દંડ કરાયો
પ્રથમ દિવસે બપોરે 2 કલાક સુધી 259 કેન્દ્રો પરથી 45 થી વધુ વયના 1560 લોકોએ લીધો રસીનો પ્રથમ ડોઝ
રાજપીપળામાં કોરોના પોઝિટિવ 25 દર્દીઓના ઘરનું સેનેટાઈઝેશન કરાયું
જિલ્લામાં અત્યાર સુધી 53000 લોકોનું વેકસીનેશન
WatchGujarat. રાજપીપળા શહેર અને જિલ્લાના તમામ દુકાનદારોને 7 દિવસમાં RTPCR ટેસ્ટ ઉપરાંત 45 વર્ષથી વધુની વયના દુકાનદારોને તાત્કાલિક કોરોના વિરોધી રસીનો ડોઝ લેવા સૂચન કરાયું છે. સુચનાના ઉલ્લંઘન બદલ કસુરવાર સામે કોવિડ-19 અંતર્ગત કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. નર્મદા જિલ્લા કલેક્ટર ડી.એ.શાહના માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા રાજપીપળા શહેર અને જિલ્લામાં 45 વર્ષથી વધુ વયના લોકોને રસી આપવાની કામગીરીનો પ્રારંભ કરાયો છે.
જેને શહેર અને જિલ્લાના નાગરિકો તરફથી સાનુકૂળ પ્રતિસાદ સાંપડી રહ્યો છે. બપોરના 2 વાગ્યા સુધીમાં અંદાજે 1560 જેટલાં લોકોને રસીનો પ્રથમ ડોઝ અપાયાની જાણકારી જિલ્લા આરોગ્યતંત્ર પાસેથી ઉપલબ્ધ થઇ છે. રાજપીપલા નગર પાલિકા વિસ્તારમાં કોરોના પોઝિટીવ દરદીઓના અંદાજે 25 જેટલાં ઘરોનું આરોગ્યતંત્ર દ્વારા સેનીટાઇઝેશન કરવામાં આવ્યું છે.
પાલિકા શહેરી વિસ્તારના મોટા માછીવાડ, હાઉસીંગ બોર્ડ શિવજી મંદિર, ગણેશચોક, શેષનાગ મંદિર પાસે, મ્યુનિસિપલ લાઇબ્રેરી, રાજપૂત સમાજની વાડી, આદિત્ય 1,2 સોસાયટી,અર્બન હેલ્થ સેન્ટર અને કોવિડ-19 હોસ્પિટલ સહિત જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં 259 રસીકરણ કેન્દ્રો ખાતે કોરોના વિરોધી રસીકરણ અભિયાનની કામગીરીમાં પ્રજાજનો ઉત્સાહભેર સહયોગ આપી રહ્યાં છે.
એપીડેમિક મેડિકલ ઓફિસર ડૉ. આર.એસ.કશ્યપે જણાવ્યું હતું કે, 45 થી વધુ વયના તમામ લોકોને પણ વોર્ડ વાઇઝ અલગ અલગ 7 જેટલાં કોન્દ્રો સહિત જિલ્લાના 259 જેટલાં કેન્દ્રો ખાતે રસીકરણની કામગીરી ઉપરાંત RTPCR ટેસ્ટની કામગીરી પણ ચાલી રહી છે. ગુરુવારે પોલીસ વિભાગના સહયોગથી માસ્ક ન પહેરવા બદલ 30 વ્યક્તિઓ પાસેથી રૂા.30 હજારના દંડની વસુલાત કરાઇ છે. જિલ્લામાં આજદિન સુધી 53000 થી વધુ વ્યક્તિઓને રસીના ડોઝ અપાયાં છે.
શહેર અને જિલ્લાના તમામ દુકાનદારોને તેમના RTPCR ટેસ્ટ દિન-7 મા કરાવીને તેનો રિપોર્ટ પોતાની દુકાનમાં ઉપલબ્ધ રાખવાની સુચના અપાઇ છે. 45 વર્ષથી વધુની વયના તમામ દુકાનદારોને સરકારની માર્ગદર્શિકા મુજબ તાત્કાલિક રસીનો પ્રથમ ડોઝ લઇ લેવા પણ સમજૂત કરાયા છે. બંને સુચનાનું ઉલ્લંઘન થયેથી કોવિડ-19 અંતર્ગત કસુરવાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેની ખાસ નોંધ લેવા પણ ડૉ. કશ્યપે ટકોર કરી છે.
સુચનાના ઉલ્લંઘન બદલ કસુરવાર સામે કોવિડ-19 અંતર્ગત કાયદેસરની કાર્યવાહી, માસ્ક ન પહેરનાર 30 વ્યક્તિને ₹30000 નો દંડ કરાયો
પ્રથમ દિવસે બપોરે 2 કલાક સુધી 259 કેન્દ્રો પરથી 45 થી વધુ વયના 1560 લોકોએ લીધો રસીનો પ્રથમ ડોઝ
WatchGujarat. રાજપીપળા શહેર અને જિલ્લાના તમામ દુકાનદારોને 7 દિવસમાં RTPCR ટેસ્ટ ઉપરાંત 45 વર્ષથી વધુની વયના દુકાનદારોને તાત્કાલિક કોરોના વિરોધી રસીનો ડોઝ લેવા સૂચન કરાયું છે. સુચનાના ઉલ્લંઘન બદલ કસુરવાર સામે કોવિડ-19 અંતર્ગત કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. નર્મદા જિલ્લા કલેક્ટર ડી.એ.શાહના માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા રાજપીપળા શહેર અને જિલ્લામાં 45 વર્ષથી વધુ વયના લોકોને રસી આપવાની કામગીરીનો પ્રારંભ કરાયો છે.
જેને શહેર અને જિલ્લાના નાગરિકો તરફથી સાનુકૂળ પ્રતિસાદ સાંપડી રહ્યો છે. બપોરના 2 વાગ્યા સુધીમાં અંદાજે 1560 જેટલાં લોકોને રસીનો પ્રથમ ડોઝ અપાયાની જાણકારી જિલ્લા આરોગ્યતંત્ર પાસેથી ઉપલબ્ધ થઇ છે. રાજપીપલા નગર પાલિકા વિસ્તારમાં કોરોના પોઝિટીવ દરદીઓના અંદાજે 25 જેટલાં ઘરોનું આરોગ્યતંત્ર દ્વારા સેનીટાઇઝેશન કરવામાં આવ્યું છે.
પાલિકા શહેરી વિસ્તારના મોટા માછીવાડ, હાઉસીંગ બોર્ડ શિવજી મંદિર, ગણેશચોક, શેષનાગ મંદિર પાસે, મ્યુનિસિપલ લાઇબ્રેરી, રાજપૂત સમાજની વાડી, આદિત્ય 1,2 સોસાયટી,અર્બન હેલ્થ સેન્ટર અને કોવિડ-19 હોસ્પિટલ સહિત જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં 259 રસીકરણ કેન્દ્રો ખાતે કોરોના વિરોધી રસીકરણ અભિયાનની કામગીરીમાં પ્રજાજનો ઉત્સાહભેર સહયોગ આપી રહ્યાં છે.
એપીડેમિક મેડિકલ ઓફિસર ડૉ. આર.એસ.કશ્યપે જણાવ્યું હતું કે, 45 થી વધુ વયના તમામ લોકોને પણ વોર્ડ વાઇઝ અલગ અલગ 7 જેટલાં કોન્દ્રો સહિત જિલ્લાના 259 જેટલાં કેન્દ્રો ખાતે રસીકરણની કામગીરી ઉપરાંત RTPCR ટેસ્ટની કામગીરી પણ ચાલી રહી છે. ગુરુવારે પોલીસ વિભાગના સહયોગથી માસ્ક ન પહેરવા બદલ 30 વ્યક્તિઓ પાસેથી રૂા.30 હજારના દંડની વસુલાત કરાઇ છે. જિલ્લામાં આજદિન સુધી 53000 થી વધુ વ્યક્તિઓને રસીના ડોઝ અપાયાં છે.
શહેર અને જિલ્લાના તમામ દુકાનદારોને તેમના RTPCR ટેસ્ટ દિન-7 મા કરાવીને તેનો રિપોર્ટ પોતાની દુકાનમાં ઉપલબ્ધ રાખવાની સુચના અપાઇ છે. 45 વર્ષથી વધુની વયના તમામ દુકાનદારોને સરકારની માર્ગદર્શિકા મુજબ તાત્કાલિક રસીનો પ્રથમ ડોઝ લઇ લેવા પણ સમજૂત કરાયા છે. બંને સુચનાનું ઉલ્લંઘન થયેથી કોવિડ-19 અંતર્ગત કસુરવાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેની ખાસ નોંધ લેવા પણ ડૉ. કશ્યપે ટકોર કરી છે.