SOU બનાવ્યું પણ આદિવાસીઓની યુનિટીને જ ડિસયુનિટી (અલગ) કરી દીધી
121 ગામ ઇકો સેન્સિટિવ ઝોન, નર્મદા ડેમ સહિતમાં દેશમાં સૌથી વધુ 2.40 કરોડ આદિવાસીઓનું સ્થળાંતરણ
2002 ગોધરાકાંડ કે અશાંતધારો બધું જ સંવિધાન વિરોધી
આદિવાસીઓને નકસલી કહી, મુસ્લિમો પર ખોટા કેસ કરી જેલમાં ફિટ કરી દેવાય છે, ખેડૂતોનો અવાજ પણ દબાવી દેવાયો
આદિવાસી, મુસ્લિમ, દલિત, OBC, વંચિતોએ તેમના હકો અને જીવંત હોવાનો પુરાવો આપવા લડત આપવી જ પડશે
CAA, ટ્રિપલ તલકના મુદ્દે પણ મોદી સરકારની ઝાટકણી કાઢી, કાયદા સંવિધાન વિરુદ્ધ
WatchGujarat. સંવિધાન જેવું દેશમાં 70 વર્ષમાં કોંગ્રેસ કે ગુજરાતના રાજમાં કઈ છે જ નહીં તેમ ઓવૈસી એ મંચ પરથી મેદનીને સંબોધતા જણાવ્યું હતું. આદિવાસી,મુસ્લિમ, દલિત, OBC, ગરીબ અને વચિતોએ તેઓના હકો માટે અવાજ ઉઠાવી લડત આપવી જ પડશે. જેના માટે સત્તા માં આવવું પડશે. જીંદા હો તો હરકત કરો, હરકત મેં બરકત હે , જેવા શેર દ્વારા ઓવૈસી એ હવે સંવિધાન બચાવવા અને પિતાનો અવાજ ઉઠાવી હક્કો માટે સત્તામાં આવી લડત ચલાવવા આહવાન કર્યું હતું.
70 વર્ષના રાજમાં કોંગ્રેસ-ભાજપ એ સવિધાનથી આદિવાસીઓ, મુસ્લિમ, દલિતો, OBC ને વંચીત રાખ્યો હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો હતો. શિડયુલ 5 ના મુસ્લિમ અને આદિવાસી સમાજને હકો નહિ મળતા હોવાનું કહી SOU ના 121 ગામનો ઇકો સેન્સેટિવ ઝોન, નર્મદા ડેમમાં વિસ્થાપિત થયેલા આદિવાસીઓ, અશાંત ધારો, 2002 ના ગોધરાકાંડ બાદ ગૂંગી, બહેરી અને મૂંગી સિયાસતની પણ જાહેરસભામાં ઝાટકણી કાઢી હતી.
રુરકી IIM નો જ સર્વે ટાંકી AIMIM ના વડા એ કહ્યું હતું કે, દેશમાં સૌથી વધુ 2.40 કરોડ આદિવાસીઓ ડેમ, જમીનો ને લઈ સ્થળાંતરિત થયા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી SOU એકતાનું પ્રતીક બનાવાયું તેમાં પણ આદિવાસીઓની યુનિટી ને જ ડિસયુનિટી (અલગ) કરી દેવાઈ છે. જેમાં BJP સાથે RSS એ પણ આદિવાસીઓને ડિસ્ટબ કરવામાં ભૂમિકા ભજવી હોવાનું કહ્યું હતું. પોતાની લડાઈ વંચિતોના વિકાસ સાથે દેશમાં અમન, શાંતિ, ભાઈચારો કાયમ કરવાની ગણાવી હતી. CAA અને ટ્રિપલ તલાક મુદ્દે પણ ઓવૈસી એ મોદી સરકાર ની ઝાટકણી કાઢી આ કાનૂન સંવિધાન ખિલાફ હોવાનો મત વ્યક્ત કર્યો હતો. આ સરકાર માત્ર સબકા સાથ સબકા વિકાસની પોકળ વાતો જ કરી રહી હોવાનું કહ્યું હતું.
SOU બનાવ્યું પણ આદિવાસીઓની યુનિટીને જ ડિસયુનિટી (અલગ) કરી દીધી
121 ગામ ઇકો સેન્સિટિવ ઝોન, નર્મદા ડેમ સહિતમાં દેશમાં સૌથી વધુ 2.40 કરોડ આદિવાસીઓનું સ્થળાંતરણ
2002 ગોધરાકાંડ કે અશાંતધારો બધું જ સંવિધાન વિરોધી
આદિવાસીઓને નકસલી કહી, મુસ્લિમો પર ખોટા કેસ કરી જેલમાં ફિટ કરી દેવાય છે, ખેડૂતોનો અવાજ પણ દબાવી દેવાયો
આદિવાસી, મુસ્લિમ, દલિત, OBC, વંચિતોએ તેમના હકો અને જીવંત હોવાનો પુરાવો આપવા લડત આપવી જ પડશે
WatchGujarat. સંવિધાન જેવું દેશમાં 70 વર્ષમાં કોંગ્રેસ કે ગુજરાતના રાજમાં કઈ છે જ નહીં તેમ ઓવૈસી એ મંચ પરથી મેદનીને સંબોધતા જણાવ્યું હતું. આદિવાસી,મુસ્લિમ, દલિત, OBC, ગરીબ અને વચિતોએ તેઓના હકો માટે અવાજ ઉઠાવી લડત આપવી જ પડશે. જેના માટે સત્તા માં આવવું પડશે. જીંદા હો તો હરકત કરો, હરકત મેં બરકત હે , જેવા શેર દ્વારા ઓવૈસી એ હવે સંવિધાન બચાવવા અને પિતાનો અવાજ ઉઠાવી હક્કો માટે સત્તામાં આવી લડત ચલાવવા આહવાન કર્યું હતું.
70 વર્ષના રાજમાં કોંગ્રેસ-ભાજપ એ સવિધાનથી આદિવાસીઓ, મુસ્લિમ, દલિતો, OBC ને વંચીત રાખ્યો હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો હતો. શિડયુલ 5 ના મુસ્લિમ અને આદિવાસી સમાજને હકો નહિ મળતા હોવાનું કહી SOU ના 121 ગામનો ઇકો સેન્સેટિવ ઝોન, નર્મદા ડેમમાં વિસ્થાપિત થયેલા આદિવાસીઓ, અશાંત ધારો, 2002 ના ગોધરાકાંડ બાદ ગૂંગી, બહેરી અને મૂંગી સિયાસતની પણ જાહેરસભામાં ઝાટકણી કાઢી હતી.
રુરકી IIM નો જ સર્વે ટાંકી AIMIM ના વડા એ કહ્યું હતું કે, દેશમાં સૌથી વધુ 2.40 કરોડ આદિવાસીઓ ડેમ, જમીનો ને લઈ સ્થળાંતરિત થયા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી SOU એકતાનું પ્રતીક બનાવાયું તેમાં પણ આદિવાસીઓની યુનિટી ને જ ડિસયુનિટી (અલગ) કરી દેવાઈ છે. જેમાં BJP સાથે RSS એ પણ આદિવાસીઓને ડિસ્ટબ કરવામાં ભૂમિકા ભજવી હોવાનું કહ્યું હતું. પોતાની લડાઈ વંચિતોના વિકાસ સાથે દેશમાં અમન, શાંતિ, ભાઈચારો કાયમ કરવાની ગણાવી હતી. CAA અને ટ્રિપલ તલાક મુદ્દે પણ ઓવૈસી એ મોદી સરકાર ની ઝાટકણી કાઢી આ કાનૂન સંવિધાન ખિલાફ હોવાનો મત વ્યક્ત કર્યો હતો. આ સરકાર માત્ર સબકા સાથ સબકા વિકાસની પોકળ વાતો જ કરી રહી હોવાનું કહ્યું હતું.